________________
૩. વેદકાલથી નંદકાલ સુધીની શિલ્પકલા
(ઈ. સ. પૂર્વે ૧૫૦૦ થી ઈ. સ. પૂર્વે ૬૦૦) ૧) વૈદિક અને અનુર્વેદિક સાહિત્યમાં શિલ્પના ઉલ્લેખ
વૈદિક સંહિતાઓમાં ભૌતિક સામગ્રીમાંથી બનાવેલાં શિલ્પોના ઉલ્લેખ મળે છે. પરંતુ હજુ સુધી વેદસંહિતાઓના કાલ (આશરે ઈ. સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦) ના કોઈ નમૂના ઉપલબ્ધ થયા નથી. યજ્ઞક્રિયા સાથે સંબંધ ધરાવતા યજ્ઞયૂપ (સ્તંભ) માટે લાકડું કાપવા “ધૂપઘસ્ક” નામનો એક કાહવર્ધા કિ (કઠિયારો) કુહાડી અને વાંસલો લઈને જંગલમાં જતો વર્ણવ્યો છે. તેની પાસે તાંબામાંથી બનાવેલાં ઓજારો છે. તેમાં વાંસલી પણ છે.
અથર્વવેદના શાલા સૂકતમાં દેવદારૂ અને શાલ વૃક્ષના કાષ્ઠમાંથી બનાવેલા મોટા મહેલોનું વર્ણન છે. ગામ લોકો આ વૃક્ષોને કાપીને તંભ, ભી તે, પાટડા, અટારી (ઝરૂખા) વગેરેનું નિર્માણ કરતા વર્ણવ્યા છે. આ પરથી એ સૂચિત થાય છે કે વૈદિક શિલ્પ-સ્થાપત્યનો મોટો ભાગ કાષ્ઠમાં-લાકડામાં નિર્માણ પામ્યો હતો. (કાષ્ઠ શિલ્પસ્થાપત્યની પરંપરાનાં દ્યોતક અનુસરણો પશ્ચિમ ભારતનાં શૈકીર્ણ ચૈત્યગૃહોમાં જોવા મળે છે.) - શ્વેદમાં “રૂપ” (શિલ્પ-નિર્માણના ઘણા ઉલ્લેખો આવે છે. ભારતીય શિલ્પ– સ્થાપત્યનો મુખ્ય પ્રણેતા “વિશ્વકર્મા” નામે ઓળખાય છે. ભવન-પ્રાસાદોનું તે નિર્માણ કરે છે. માટે તે “ભવન વિશ્વકર્મા” કહેવાય છે. તે જ રૂપ-નિર્માણનું કામ કરનાર “વષ્ટા” તરીકે ઓળખાય છે. તક્ષણ કાર્ય (કોતરકામ) દ્વારા વિવિધ રૂપોનું નિર્માણ તે કરે છે. ઈન્દ્રને પણ “વષ્ટા” તરીકે ઓળખાવ્યો છે. તેના સંબંધમાં કહ્યું છે કે તે પોતાની માયા(શકિત) વડે અનેક રૂપોનું નિર્માણ કરે છે. “વધકિ” કાષ્ટ-શિલ્પી છે. “કસ્મર”—લુહારને પણ ઋગવેદમાં ઉલ્લેખ છે. - આ ધંધાકીય શ્રેણીઓના ઉલ્લેખ ઋગ્વદના સમયમાં વિકાસ પામેલી શિલ્પ કલાનો ખ્યાલ આપે છે. કલા અને ઉદ્યોગો માટે તે સમયે “શિલ્પ” શબ્દ પ્રચારમાં હતો. સૌન્દર્યની અધિષ્ઠાત્રી દેવી “શ્રી” નામે ઓળખાતી. એની સખી હતી “લક્ષ્મી.” એ બંને મળીને જે દેવીનું સ્વરૂપ વિકાસ પામ્યું તે “શ્રી-લક્ષ્મી.” દેવી શ્રીલક્ષ્મી ભારતીય કલાના મૂર્ત સૌન્દર્યની અધિષ્ઠાત્રી હતી. આ દેવીની પૂજા અને માન્યતા