________________
૫ : અનુમૌર્યકાલીન શિe
પર બેઠેલા છે. આસનની આગળ બે મૃગ, બંને બાજુએ એક ચામરગાહી
અને બે ભિલુએ જોવા મળે છે. ૧૧. બુદ્ધની ધાતુમંજૂષા ગ્રહણ કરીને ઊભેલી નાગમૂર્તિઓ—એમના હાથમાં પાણીની
ઝારી છે. આ પ્રકારની મંજૂષા સ્તૂપગર્ભમાંથી મળી છે.
આ સિવાય અન્ય દશ્યમાં રાજાની ધર્મદીક્ષા, ચક્રવર્તી સમ્રાટ અને તેનાં સપ્તરત્નો, માલવક યક્ષને ધર્મદીક્ષા, સિદ્ધાર્થનું મહાધનુષ્ય પર સરસંધાન, નલગિરિ હાથીને વશ કરવો, દીપકરની બુદ્ધ-પૂજા, શાક્ય રાજકુમારો અને ઉપાલિની ધર્મદીક્ષા, નંદ સાથે બુદ્ધનું સ્વર્ગગમન, સિંહમકર, સિંહનારી, આશ્વસુંદરી, નાગરાજ, પણક, માંધાતા જાતક, નાગરાજ પર બુદ્ધને વિજય, શિબિ જાતક, દશરથ જાતક વગેરે દો કોતરેલાં છે.
નાગાર્જનીકાંઠાનાં શિલ્પમાં આંધ શિલ્પની પૂર્ણાહૂતિ નજરે પડે છે. તક્ષણની સફાઈ, સ્વચ્છતા, બારીકી, નિપુણતા, વસ્ત્રાલંકારની શોભા, મનોહર રૂપ, સ્ત્રી-પુરૂષોનાં સ્વસ્થ માંસલ શરીર, છટાપૂર્ણ અંગવિન્યાસ, વિષયવૈવિધ્ય અને નાવિન્ય આ બધાંની મન પર સરસ છાપ પડે છે.