________________
૧૪૩
ભારતીય પ્રાચીન શિલ્પકલા
૩) પૂ. ભારત
આ વિસ્તારમાં ગુપ્તકાલ દરમ્યાન જે સ્થૂળ ભાવયુકત શિલ્પકલાના પ્રસાર થયા હતા તે આ કાલમાં ચાલુ રહ્યો. ઘણી શિલ્પકૃતિઓમાં કામાસકિતના ભાવ સ્પષ્ટ વરતાઈ આવે છે. બિહારમાં ભાગલપુર, રાજમહલ અને બંગાળમાં પહાડપુરની કેટલીક લાવણ્ય, ભાવ-ઉષ્મા અને સમતુલાયુકત શિલ્પકૃતિઓ આ શૈલીનાં આ કાલનાં સરસ દષ્ટાંત પૂરાં પાડે છે.
નાલંદામાંથી આ કાલનાં બુદ્ધ અને બાધિસત્ત્વનાં સંખ્યાબધ મૂર્તિ શિલ્પા મળ્યાં છે. આ શિલ્પા પર સારનાથની પ્રશિષ્ટ કલાની સ્પષ્ટ છાપ વરતાય છે. સ્લેટિયા પથ્થરમાંથી કંડારેલી અહીંની મૂર્તિએ બૌદ્ધ મૂતિવિધાન અનુસાર બનેલી છે. બુદ્ધને પ્રથમવાર પ્રલંબપાદાસનમાં બેઠેલા રજૂ કરવાનું શ્રેય સંભવત: નાલ દાના કલાસિદ્ધિોને પ્રાપ્ત થાય છે.
બિહારમાં ભાગલપુરના મંદિરની દ્વારશાખ! પરની સ્રી-આકૃતિના રૂપવિધાનમાં ગુપ્તશૈલીની મૃદુતા અને સુડોળ દેહછટાની સાથે પૂર્વની શૈલીની વિલાસિતાના સમન્વય થયો છે. મહાકવિ કાલિદાસના કોઈ યુવાન સ્ત્રીપાત્રને સાકાર કરતું હોય તેવું આ ચારુ શિલ્પ છે. વળી બિહારમાં રાજમહેલમાંથી પ્રાપ્ત થયેલ અને હાલ પટના મ્યુઝિયમમાં સુરક્ષિત કરેલ સ્રીમૂર્તિ પણ નોંધપાત્ર છે. એક દ્વારશાખા પર બંને બાજુ ઊભી પમાંકિત હરોળાની વચ્ચેની જગ્યામાં અધિકમૂ સ્વરૂપે આ શિલ્પ કંડાર્યું છે. આભંગમાં પગના પહોંચા ઉપર ઊભેલી સ્ત્રીના બારીક અધવસ્રનું સ્વરૂપ કલકત્તા મ્યુઝિયમની ઉપરોકત સ્ત્રીમૂર્તિ જેવું છે. તેના દુકૂલના પટ્ટો બંને ભુજાઓને કલામયરીતે વીંટળાયેલા છે ને એના એક છેડો તેણીએ ડાબા હાથ વડે ધારણ કર્યો છે. તેના મસ્તક પર વિશિષ્ટ પ્રકારની આકર્ષ ક કેશરચના કરેલી છે. એણે કુંડળ, મુકતામાળા, બાજુબંધ મેતીનાં કંકણ, રત્નજડિત કમરબંધ અને પગમાં નુપૂર ધારણ કર્યાં છે. પગ પાસે ઊભેલા પોપટ ઊંચું મુખ કરીને સ્ત્રીને નિરખી રહ્યો છે. આ પાળેલા પક્ષી સાથે ગેલ કરવાના આનંદ સ્રીના મુખ પર વરતાય છે. લાંબી દેહયષ્ટિ હાવા છતાં અંગભંગીને લઈને શિલ્પ આકર્ષક બન્યું છે.
બગાળમાં પહાડપુર (રાજશાહી જિલ્લા)આ કાલ દરમ્યાન પણ શિલ્પકેન્દ્ર તરીકે ચાલુ રહ્યું હતું. અહીંના આ કાલનાં શિલ્પામાં કામાસકિતભાવ અગાઉના મુકાબલે વધેલા જણાય છે. સાતમી સદીનાં અહીંનાં શિલ્પામાં ગુપ્ત પ્રશિષ્ટ શલીનાં રૂપક્ષમતા અને નજાકત જવલ્લે જ વરતાય છે. અલબત્ત, એમાં વિષયાસકિતના ભાવ શુદ્ધ સ્વરૂપે પ્રસ્ફુટ થતા જોવા મળે છે. એમાં સાધારણ સ્થૂળતા અને સ્થાનિક