________________
પરિ. ૨ : વ્યાલ શિક
૨૩
૨) યેન વ્યાસ એમાં મસ્તક ગરૂડ (ન)નું અને શરીર સિંહનું હોય છે. ભારહત અને સાંચીમાં એનું અંકન થયું છે. અંગ્રેજીમાં એને “ગ્રીફન” કહે છે.
૩) મહારગ કે સમુદ્રવ્યાલ એના શરીરને ઉપરનો ભાગ પુરુષો અને નીચેનો ભાગ મસ્યાકૃતિ કે સર્પકૃતિ હોય છે. મથુરાકલામાં એનું છૂટથી રેખાંકન થયું છે. અંગ્રેજીમાં એને “ટ્રાઈટન” કહે છે.
૪) કિન્નર આમાં મસ્તક મનુષ્યનું ને શરીર અશ્વનું હોય છે. તે કેટલીક વાર મસ્તક અશ્વનું ને શરીર પુરુષ કે સ્ત્રીનું હોય છે. બૌદ્ધ સાહિત્યમાં એક અશ્વમુખી સ્ત્રીની વાત આપી છે(પદકુસલમાણવ-જાતક), જે સાંચી, બોધગયા ને ગંધારાની કલામાં તે નજરે પડે છે.
૫) સુપર્ણ એમાં પુરુષ-મસ્તક અને બાકીને દેહ પક્ષીને હોય છે. ગ્રીકકલામાં એ હાપી” નામે ઓળખાયેલ છે. સાંચી, ભરડુત અને મથુરાના સૂપ પર એનું અંકન થયેલું છે.
૬) સુપણ સુપર્ણીનો નમૂન સિરકા(તક્ષશિલા)માંથી મળ્યો છે. એ પાંખવાળા પક્ષીને બે માથાં છે. “મહાભારત”માં “ભારુષ્ઠ” નામના પક્ષીઓને એક શરીર ને બે માથાં હોવાનો ઉલ્લેખ છે. ( પૃથીવ ભીષ્મપર્વ ૮-૧૧).
૭) એકીવ બહૂદર પશુ આમાં એક શિરવાળા પ્રાણીનું સંયોજન ઘણાં શરીર સાથે થયેલું છે. અથર્વવેદમાં એક માથું અને દસ શરીરવાળા વાછરડાનો ઉલ્લેખ છે. (gશીર્વાઈવાસા: અથર્વ, ૧૩-૪-૬). અજંટાના એક સ્તંભ પર એક મુખ સાથે ચાર હરણનાં શરીર સંયોજેલાં છે. કર્યા અને બેડસાનાં ચંત્યગૃહોમાં અને જૂનાગઢની ઉપરકોટની ગુફામાંના સ્તંભો પર આવા ગજસંઘાટ અને સિંહસંઘાટનાં શિલ્પો છે. સારનાથના સિંહસ્તંભમાં આને મળતી યોજના છે. કાર્યાના ત્યગૃહનાં સ્તંભની શિરાવટીમાં અશ્વસંઘાટ, ગજસંઘાટ, સિંહસંઘાટ વગેરેનાં શિલ્પો કોતરેલાં છે. કયારેક આવાં પશુઓ યુદ્ધરત સ્થિતિમાં પણ આલેખાય છે; દા. ત. મથુરાના એક શિલાપટ્ટ પર
ગરૂડ અને નાગનું અને એલોરામાં ગજ અને સિંહનાં આવાં યુદ્ધરત સંઘાટ- શિલ્પનું આલેખન થયું છે.