________________
૭: અનુ-ગુપ્તકાલીન શિ૯૫કલા
૧૫૫.
બુદ્ધની મુખ્ય પ્રતિમાની ડાબી બાજુ બોધિસત્વ વજપાણિનું સુંદર શિલ્પ છે. એમણે એક હાથમાં વજ અને બીજા હાથે વસ્ત્રને છેડો પકડેલો છે. એમણે ધારણ કરેલાં મુકુટ, કુંડળ, મુકતામાળા અને વલય કલાત્મક છે. ગુફાના પ્રવેશદ્વારે દ્વારપાળ. તરીકે ડાબી બાજુએ બોધિસત્વ અવલોકિતેશ્વર અને જમણી બાજુએ બોધિસત્ત્વ. મત્રેય જોવા મળે છે. બંને બોધિસત્ત્વોની બાજુએ એક એક સ્ત્રીમૂ તિ કંડારી છે, એ પ કીની મત્રેય પાસે ઊભેલી સ્ત્રીની કેશરચના કલાત્મક છે. આ ગુફામાં. ઉપદેશ આપતા બુદ્ધ અને ચામર ધરતા મનેય ઉપરાંત અવલોકિતેશ્વર અને મહામાયૂરીનાં શિલ્પો ધ્યાનપાત્ર છે
ગુફા નં. ૧૦ આ કાલની શિલ્પકલાના સુંદર નમૂના પૂરા પડે છે. ઘટપલ્લવનાં સુશોભનવાળા સ્તંભ પર કયારેક દોડતા હાથી, હરણ તથા ઘોડા અને ઘોડેસવારોનાં દશ્યો આકર્ષક છે. ગુફામાં એક હાથમાં કમળ અને બીજો હાથ વરદમુદ્રામાં રાખીને ઊભેલા અવલોકિતેશ્વરની ઉપરના ભાગમાં તારાદેવીનું શિલ્પ છે. ગુફાની બહારની દીવાલ પરનું દ્વારપાલ તરીકે ઊભેલા અવલોકિતેશ્વરનું શિલ્પ પણ સુંદર છે. ગુફા ૧૧માં ધર્મચક્ર પ્રવર્તન કરતા બુદ્ધની ભવ્ય પ્રતિમા કંડારી છે. બુદ્ધના મસ્તક પર ગંધર્વ-યુગલો પુષ્પવૃષ્ટિ કરી રહ્યાં છે. ભગવાનની જમણી બાજુએ અવલોકિતેશ્વર અને ડાબી બાજુએ વજપાણિ ઊભા છે. આ ગુફાનું તપલીન બુદ્ધનું શિલ્પ ભાવવાહી છે. તેમની સમક્ષ સુજાતા એના નૈવેદ્યપાત્ર સાથે જોવા મળે છે. | ગુફા નં ૧૨ “તીનથલ” તરીકે પ્રખ્યાત છે. એનો રંગમંડપ ૧૦૩ જેટલાં કલાત્મક મૂર્તિ શિલ્પ ધરાવે છે. ગૌતમ બુદ્ધની મૂર્તિ એમાં દક્ષિણ દિશા તરફ ચામરધારીઓથી યુકત ભગવાન બુદ્ધની સિંહાસન પર બેઠેલી શાંત પ્રતિમા નોંધપાત્ર છે. સિંહાસનના મધ્ય ભાગ પર ચક્ર અને આગળ બે હરણ કંડાર્યા છે. ઉત્તરદિશામાં ઉપદેશ આપતા બુદ્ધની પ્રતિમા જોવા મળે છે. એમાં ચામરધારીઓની જગ્યાએ ધાનસ્થ બુદ્ધ, ગુરુ બુદ્ધ અને નિર્વાણ પામતા બુદ્ધની આકૃતિઓ કંડારી છે. આ પ્રતિમાની એક બાજુ ઊંચી પીઠિકા પર સાત ધ્યાની બુદ્ધોનાં શિલ્પ જેવા મળે છે. ગુફામંદિરની મુખ્ય મૂર્તિ બુદ્ધની છે પણ લોકો તેને શ્રી રામ તરીકે પૂજે છે. મૂર્તિની એક બાજુ પુસ્તક અને પુષ્પ ધારણ કરીને અવલોકિતેશ્વર ઊભા છે. તેમની ડાબી બાજુએ પુષ્પ, ખડ્રગ વગેરે આયુધો અને ઉપકરણો ધારણ કરેલી. ચાર આકૃતિઓ નજરે પડે છે. આ ગુફામંદિરની બહારની દીવાલ પર બે સુંદર, દ્વારપાલો કંડાર્યા છે.
ઔરંગાબાદમાં ૧૨ બદ્ધ શૈલગૃહો કંવર્યા છે તે પૈકી એક ચૈત્યગૃહ છે. આ ચૈત્યગૃહ સિવાયના વિહાર ૬ ઠી-૭ મી સદીના છે. આમાં ગુફા નં. ૩ અને નં. ૭ના