________________
ભારતીય પ્રાચીન શિપકલા
શિલ્પોની પરંપરા બૌદ્ધ ચૈત્યગૃહોમાં છેક ઈ.સ. પૂર્વે ૨ જી સદીથી ચાલી આવતી હતી. આ પરંપરાનું કેટલુંક અનુસંધાન, અને પૂર્વવત મથુરાકલાનો તથા સમકાલીન સારનાથની પ્રશિષ્ટ કલાનો કેટલોક પ્રભાવ ઝીલીને આ કાલમાં અજંટા, કહેરી (કૃષ્ણગિરિ) વગેરે સ્થાને એ શૈલોન્કીર્ણ સ્થાપત્યને સુશોભિત કરવાને અને મૂર્તિમંદિરો બનાવવાનો સ્તુત્ય પ્રયત્ન થયેલો જોવા મળે છે. દખણમાંથી પૂર્ણમૂર્તશિલ્પના અવશેષો જૂજ મળે છે.
અંશમૂર્ત શિલ્પમાં અજંટા અને કરીનાં શિલ્પો ૫ મી સદીના અંત સમયનાં અને અન્યથાનનાં શિલ્પો ૬ઠ્ઠી સદીનાં જણાય છે. આ શિલ્પમાં મુખ્યત્વે બૌદ્ધ મૂર્તિવિધાન થયેલું દૃષ્ટિગોચર થાય છે. અહીંની બૌદ્ધ મૂર્તિઓના નિર્માણમાં વરતાનું ભારેપણું અને ભાવાભિવ્યકિતમાં જણાતી ઊણપ પરથી સ્પષ્ટ લાગે છે કે કલાકારો સારનાથની પ્રશિષ્ટ કલાથી જાણકાર હોવા છતાં એને પૂરેપૂરી સમજી કે અનુભવી શકયા નથી. દખ્ખણની પ્રસ્તુતકાલની શિલ્પકલામાં સ્થળ દેહ અને ઊંચાઈ પર વધુ ધ્યાન આપવાની સાથે દેહની માંસલતા દ્વારા એને સજીવ બનાવવાનો પ્રયાસ થયો છે પણ એમાં શમતા અને સ્થિરતાની સાથે અંતર્મુખ આનંદ, જ્ઞાન અને પરમસુખની અનુભૂતિ થતી નથી.
અજરામાં ગુફા નં. ૬-૭ અને ૧૫ થી ૧૯ સ્પષ્ટત: આ કાલમાં વાકાટક રાજાઓના પ્રોત્સાહનથી કંડારાયેલી જણાય છે. ગુફાઓમાં અસંખ્ય બુદ્ધમૂર્તિઓ, બોધિસત્વો, યક્ષો, યક્ષિણી અને નાગરાજોનાં શિલ્પો કંડારાયાં છે. આ શિલ્પોમાં એ ગુફાઓમાં આલેખાયેલાં ચિત્રોમાં જોવા મળે છે એવી ઉન્નત ભાવવ્યંજનાને અભાવ વરતાય છે. અજંટા પિતે જ સૈકાઓથી એક વિખ્યાત કલાશાળા બની ગઈ હતી. આથી પૂર્વવતી કલાનો આ કાલનાં શિલ્પો પર પ્રભાવ પડયો છે, તો બીજી બાજુ, ખાસ કરીને દેહસૌષ્ઠવની બાબતમાં, ગુપ્તકલાના આદર્શોને એને સ્પર્શ થયેલો પણ દૃષ્ટિગોચર થાય છે. સ્તંભની શિરાવટીઓ પરનાં શિલ્પો વૈવિધ્ય અને કલા બંને બાબતમાં ચડિયાતાં જણાય છે. અહીંનાં કેટલાંક શિલ્પો ખાસ ધ્યાન ખેંચે છે. | ગુફા નં. ૬ ના નીચલા મજલાના ખંભમાં હાથીઓ અને યક્ષ દ્વારા ટેવાયેલાં ઘટપલ્લવો, અંદરના ગર્ભગૃહના દ્વાર પરનાં મકર-તોરણો અને યલો, ઉપલા મજલાના સ્તંભની શિરાવટીના મધ્ય ભાગમાં કંડારેલા મકરમુખ અને તેની -દરેક ફાલનામાં હાથી ઉપર સવારી કરતા બે પુરુષોનાં શિલ્પ અને ગુફા નં. ૭ ની દ્વારશાખા પર મકર–સ્થિત બે દેવીઓનાં શિલ્પ મને હર છે.