________________
१०७
ભારતીય અયીન શિલ્પકલાઓત રંગમાં ગજલક્ષ્મીનું શિલ્પ આવેલું છે. કમલાસના લક્ષ્મીએ બંને હાથમાં સનાલ કમલ ધારણ ક્ય છે. એની બંને બાજુના પ્રકુલ્લિત કમલ પર એક એક હાથી સૂંઢમાંના કુંભ વડે લક્ષ્મી ઉપર જલાભિષેક કરતા દર્શાવ્યા છે.
૬) નાસિકની પાંડુલેણ નામની શૈત્યગુફા કોતરણી તેમજ બાંધણીની દૃષ્ટિએ અજંટા નં. ૯ ની ગુફા સાથે સામ્ય ધરાવે છે. બંનેના મુખભાગમાં લાકડાના ઉપયોગનો સદંતર અભાવ પ્રવર્તે છે. એને મુખભાગ વાસ્તુવિન્યાસનું એક ઉત્તમ ઉદાહરણ છે. એ બે મજલાને છે. નીચલા મજલાના પ્રવેશની બંને બાજુએ મહાકાય યક્ષ દ્વારપાલ તરીકે કોતરેલા છે. સૂર્યદ્વારની ઉપરની વેદિકાની ખંભિકાઓના ગાળામાં સ્તૂપની પ્રતિકૃતિઓ કોતરેલી છે. દ્વારસ્તંભો પર પશુસંઘાટનાં શિલ્પ છે.
૭) જૂનરનાં ચૈત્યગૃહો નાસિકની પાંડુલેણની સાથે સામ્ય ધરાવે છે. અહીં કુલ પાંચ ગુફાઓને સમૂહ છે. આમાંની તુલજાલેણની એક ગુફા ગોળાકાર ચૈત્યગૃહ છે. મધ્યના સાદા સ્તૂપની ચોતરફ બાર સ્તંભો આવેલા છે. ભરડુતની દેવસભાના શિલ્પદૃશ્યમાં અંકિત કરેલા ચૈત્યગૃહના ઘાટ સાથે આ ગુફા સામ્ય ધરાવે છે. મનમેદના સમૂહની એક ચૈત્યગુફાનો મુખમંડપ અનેકવિધ મૂર્તિશિલ્પ વડે અલંકૃત કરેલ છે. મુખ ભાગના સૂર્યદ્વાર પર વિકસિકત કમળની આકૃતિ છે. એની મધ્યની પાંખડી પર દેવી શ્રીલક્ષ્મીની સુંદર મૂર્તિ છે. એની બંને બાજુએ પૂર્ણવિકસિત સનાળ કમળ છે. દેવીનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને ડાબો હાથ કયવલંબિત મુદ્રામાં છે. લક્ષ્મીની બંને બાજુની હાથીઓની આકૃતિઓની પડખે અંજલિ મુદ્રામાં યુગલનાં શિલ્પ છે. દેવી ગક્લક્ષ્મીનું આ અંકન ઉત્કૃષ્ટ કોટિનું છે. ભરણુત, સાંચી, બોધગયા, ઉદયગિરિ વગેરે સ્થળોએ શ્રીલક્ષ્મીની મૂર્તિ છે, પણ એ આટલી ઉત્કૃષ્ટ કોટિની નથી. કીર્તિમુખ કે સૂર્ય દ્વારની ટોચની બંને બાજુએ એક એક મૂર્તિ છે, તે પૈકીની જમણી બાજુ સફેણ નાગરાજ અને ડાબી બાજુએ સપક્ષ યા સુપર્ણ ગરુડનાં શિલ્પ છે. શિલ્પની બંને બાજુએ ઉત્કીર્ણ સ્તૂપોનાં અંકનો છે. સમગ્ર મુખભાગની બંને બાજુની નિર્ગામિત દીવાલના મથાળે આવેલી સુશોભન-પટ્ટિકામાં વેદિકા અને ચૈત્ય–ગવાક્ષનાં અલંકરણો છે.દીવાલોનો અગ્ર ભાગ પણ આ જ પ્રકારનાં અંકનથી સુશોભિત છે.
નાસિક પાસે આવેલી ૧૭ ગુફાઓ પૈકી ત્રણ વિહારો-ગૌતમીપુત્ર (નં. ૩), નહપાન (નં. ૮) શ્રીપત (નં. ૧૫) કોતરણીવાળા છે. ગૌતમીપુત્ર અને નહપાનના વિહાર કદમાં સરખા છે. એમના વરંડાના સ્તંભે, કાર્લાના ચૈત્યગૃહના સ્તંભ જેવા શોભાયમાન છે. તે પાવર વેદિકાથી ઘેરાયેલા છે. વેદિકાના સ્તંભો પરની સૂચિઓ પર કમલપુષ્પોના અલંકારો છે. ઘાટમાં ખંભે અષ્ટભદ્રી છે. તેમાં નીચે