________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
રૂપની ભૂમિગત ૧૩ ફૂટ ઊંચી મહાવેદિકાનું નિર્માણ આ સમયે થયું. એમ કહેવાય છે કે બૌદ્ધોના મહાન આચાય નાગાર્જુનની પ્રેરણાથી આ વેદિકા રચાઈ. એના સ્ત ંભેા પરના પૂર્ણ કે અવિકસિત ફૂલા પર, તેની ચારે બાજુએ કરેલાં શિલ્પાંકનો પર, પરિચક્ર-પુષ્કરો પર, ઉષ્ણીષ અને વેષ્ટિનીના અગ્ર તેમ જ પૃષ્ઠ ભાગા પર જે દૃશ્યા, સુશાભના કે રૂપાંકન અંકિત છે, તેની શાભાના મુકાબલા ભારતના કોઈ પણ સ્તૂપ, ચૈત્ય કે વિહારનાં શિલ્પો કરી શકે તેમ નથી. સ્તૂપના ઊર્ધ્વપટ્ટો આવી જ કોષ્ઠ કલાના સાક્ષી છે ને એ આંધ્રના પાષાણશિલ્પીએની કલાપ્રતિભા અને દક્ષતાને પૂર્ણપણે પ્રગટ કરે છે. ૧૦ થી ૧૩ ફૂટ લાંબા શિલ્પપટ્ટી પર અનેક દૃશ્યો અલગ અલગ હોવા છતાં એક જ કથાસૂત્રને અનુસરે છે. પ્રત્યેક ઊર્ધ્વ પટ્ટનું દન એવી અનુભૂતિ કરાવે છે કે તે કોઈક વિલક્ષણ આનંદ-જગતમાં દેવ, મનુષ્ય અને પશુઓને સમભાગી બનાવે છે. આ અલ્પ કે અધિકમૂ મૂર્તિઓમાં વિવિધઅંગભંગી, લચક, તરલતા અને ગતિ પ્રગટ થાય છે. અહીં બૌદ્ધ પ્રતીકોમાં “પાદુકાપટ્ટ’ના ઉપયોગ વિશેષ થયા છે. તેની સાથે અગ્નિસ્કન્ધ (અગ્નિસ્તંભ) પણ દર્શાવ્યા છે. આ અગ્નિસ્ક ધ પ્રજ્ઞા, મહાન સ્ત ંભ કે સ્તૂપનું પ્રતીક છે, જેનું મૂર્ત દ”ન ખુદ બુદ્ધ છે. આ સમયના બુદ્ધના પ્રજ્ઞા શરીરમાંથી પ્રગટ થતું એક કિરણ સ્વલાક અને સંપૂર્ણ બ્રહ્માંડમાં પરિવ્યાપ્ત થયેલું છે. બુદ્ધના અતિમાનવ સ્વરૂપની આ કલ્પના અગ્નિસ્તંભરૂપે શિલ્પમાં આકાર પામી છે.
૧૧૩
અહીંનાં શિલ્પામાં સહસ્ર કે શતસહસ્ર દલેાની કમલમાલાનું બાહુલ્ય નોંધપાત્ર છે. લગભગ દરેક પાત્રના હાથમાં તે જોવા મળે છે. એના સંકેત એ છે કે બધા મનુષ્ય પુષ્પપરાગની માફક એકસૂત્રે ગૂંથાયેલા છે ને તે બધા મળીને દેવત્વરૂપ સ્તૂપની પૂજા કરે છે. માલાને કયાંક કયાંક મકરમુખમાંથી તે કયાંક યક્ષના મુખમાંથી નિષ્પન્ન થતી દર્શાવી છે. મકર મહાસમુદ્રાધિપતિ વરૂણનુ વાહન છે. યક્ષ વૈશ્રાવણ(કુબેર)ના અનુચર છે. બંને સંજોગામાં તેમના મુખમાંથી નિષ્પન્ન થતી માલા ઐશ્વર્યાંનુંપ્રતીક છે. રાજગૃહની સડક ૫૨ નલગિરિ હાથીનું બુદ્ધ દ્વારા દમન અને હાથીની શરણાગતિ (આકૃતિ ૨૦) અને સમ્રાટ ઉદયનની પેાતાના ભયભીત અંત:પુર પર બાણ વર્ષા, જેવાં દૃશ્યામાં સંખ્યાબંધ મનુષ્યોને એક સાથે દર્શાવવામાં અમરાવતીના કલાસિદ્ધોને ભારે વિશિષ્ટ સફળતા મળી છે.
અમરાવતીનાં શિલ્પા એની ચોથી અવસ્થામાં નાગાર્જુનીકોંડાનાં શિલ્પા સાથે સામ્ય ધરાવે છે. તે સાથે તેની અવનત સ્થિતિનું પણ દર્શીન કરાવે છે. આ કાલ દરમ્યાન કેટલાય શિલ્પપટ્ટોનું નવનિર્માણ કરવાના પ્રયાસ થયો છે, પણ તેમાં પહેલાં જેવી ગતિશીલતા અંકિત થઈ શકી નથી. શિલ્પશૈલી પણ રૂઢિગત બનેલી જણાય