________________
૨૪
ભારતીય પ્રાચીન શિયા
વૈદિક યુગથી માંડી આજ સુધી ચાલુ રહેલ છે. પદ્મહસ્તા પદ્મિની કે ગજલક્ષ્મી રૂપે એ આજે દીપાવલીના અવસર પર પૂજાય છે.
“મૂર્તિ”ના ઉલ્લેખા ઋગ્વેદમાં અવારનવાર થયા છે. દા.ત. આ મારા ઇન્દ્રને દશ ગાયાથી કોણ ખરીદશે ? (૪, ૨૪, ૧૦). આ પરથી ઇન્દ્રની મૂર્તિ બનતી હોવા સંભાવના જણાય છે. ઇન્દ્ર મરુતા વગેરેની મૂર્તિ એ પૂજા માટે નહીં પણ ઉત્સવેામાં વિશિષ્ટ પ્રયોજન માટે બનતી હશે. મૂર્તિ બનાવવાની પ્રક્રિયા જાણીતી હોવાનું જણાય છે. દા.ત. ‘જે વિરૂપ ધન પદાર્થોં છે તેમાંથી સુંદર મૂર્તિ બનાવેા' (ઋ. મ. ૪, ૨૬, ૬, અથવ’વેવ ૪, ૨૭, ૬). સુંદર રીતે ઘડાયેલી મૂર્તિને “સંશ” કહેવામાં આવતી, “ન સંદશે તિષ્ઠતિ É અસ્ય 7 નથ્થુપા પતિશ્ર્વનૈનમ્', (એનું રૂપ કોઈ પણ મૂર્તિના ક્ષેત્રમાં રહેલું નથી, એના આકાર સ્થૂળ ચક્ષુથી કોઈ પણ જોઈ ન શકે). આ અને અન્ય આવા ઉલ્લેખો (. મ. ૨, ૪, ૪, વગેરે) પરથી “સંદશ” સુંદર રીતે ઘડાયેલી મૂર્તિના અર્થમાં વપરાયેલ લાગે છે.
આ સિવાય બ્રાહ્મણ અને સૂત્ર ગ્રંથેામાં સ્થાપત્યને લગતાં ઠીક ઠીક વર્ણના મળે છે પણ એમાં શિલ્પાને લગતી માહિતી જપણે પ્રાપ્ત થાય છે.
બ્રાહ્મણ ગ્રંથોમાં સૂર્ય પૂજાને લગતી યજ્ઞયાગાદિની વિધિમાં ચક્ર કે સુવર્ણના ટુકડા સૂર્યના પ્રતીક તરીકે પૂજાતા હોવાનું જાણવા મળે છે. શ્રૌત અને ગૃહસૂત્રોમાં પ્રતિમા પૂજનના સ્પષ્ટ ઉલ્લેખ છે. એવા ઉલ્લેખ મળે છે કે જરા નામની દાનવી મગધના રાજા જરાસંઘની ઈષ્ટદેવી હતી. એનું શિલ્પ નગરચેાકમાં પૂજનાર્થે રાખવામાં આવતું.
વૈદિક પ્રતિકા
વૈદિક દેવસૃષ્ટિમાં અનેકવિધ દેવદેવીઓનાં વર્ણના સ્થાન પામ્યાં છે, વૈદિક સમાજ મૂર્તિપૂજક ન હતા પરંતુ મૂર્તિ પૂજાનાં બીજ આ વર્ણનામાં જોવામાં આવે છે. એમનાં સુરેખ વર્ણનાએ પૌરાણિક સમયમાં તેમનું મૂર્તિવિધાન રચવાની પ્રક્રિયાને ભારે વેગ આપ્યો હાય તેમ લાગે છે. દેવ-દેવીઓ ઉપરાંત વૈદિક દાર્શનિક ભાવા (દા.ત. દેવાસુર—સંગ્રામ, વરાહ અવતાર દ્વારા પૃથ્વીને સમુદ્રમાંથી ઉદ્ધાર, જ્યોતિલિંગ= યજ્ઞજ્વાલા), પશુ પ`ખીઓ, વિવિધ પદાર્થો (દા.ત. પૂર્ણકુંભ, સપ્ત— રત્ન, ઇન્દ્રાસન વગેરે), વૃક્ષવેલી, પાનપુષ્પ, મિથુન વગેરે અનેકવિધ રૂપવિધાના ઋગ્વેદે ભારતીય શિલ્પ પરંપરાને પૂરાં પાડયાં છે. આનાં કેટલાંક દૃષ્ટાંત જોઈએ : શ્રીલક્ષ્મી
એને વિષ્ણુની પત્ની કહી છે. વિષ્ણુ વિશ્વના અધિષ્ઠાતા દેવ છે. તો શ્રીલક્ષ્મી સૌન્દર્ય અને સમૃદ્ધિની લાકવ્યાપક અધિષ્ઠાત્રી દેવી છે. ઋગ્વેદના પુરુષસૂકતથી