________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
થઈ હતી તે પણ એટલું જ સાચું છે. ચંદ્રગુપ્ત, બિન્દુસાર, અશોક વગેરે મૌર્ય રાજ્યકર્તાઓએ વાયવ્યના ગ્રીક અને ઈરાનના આર્કમેન્ડીસ રાજયકર્તાઓ અને સત્તાધીશો સાથે મીઠો સંબંધ રાખ્યો હતો. આ કારણે આ સમયનાં શિલ્પો પર તેમની પરંપરા ને શૈલીની અસર સ્પષ્ટ વરતાય છે. અશોકના શિલાતંભ પર આર્કમેન્ડીસ શૈલીનાં પૂતળાં (models) દેખા દે છે. તેવી રીતે પાટલિપુત્રનું રાજભવન (palace) - આ જ શૈલીની અસર નીચે નિર્માયું હોય તેમ જણાય છે.
૨) અશોકના શિલાર્તા અને સ્તંભશીર્ષો અશકે વાસ્તુ યા સ્થાપત્યના નવનિર્માણની એક નવીન પરંપરા ઊભી કરી. અશોકનું રાજય કંદહારથી ઘૌલી અને ગિરનારથી માયસોર સુધી ફેલાયેલું હતું. પોતાના સામ્રાજ્યની સીમા પરનાં ઉચિત સ્થાન પર તેણે ૧૪ ધર્મલિપિવાળા શિલા. લેખો કોતરાવ્યા તથા બુદ્ધના જીવન અને બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવતાં સ્થાન પર તેણે એકામ એટલે કે સળંગ એક જ પાષાણશિલામાંથી બનાવેલ સ્તંભઊભા કરાવ્યા. અલબત્ત, અશોકના પોતાના લેખો પરથી જણાય છે કે એની પહેલાં પણ કેટલાક સ્તંભ ઊભા હતા અને અશોકે એના પર લેખ કોતરાવ્યા હતા. આમ ખંભે ઊભા કરવાની પરંપરા પ્રાચીન હતી. આ પરંપરા છેક અથર્વવેદ જેટલી પ્રાચીન હોવાનું મનાય છે. અશોકે ધર્મ અને સંઘના ચિરસ્થાયી સ્મારક તરીકે નવા સ્તંભો ઊભા કરાવ્યા હતા. તેણે બુદ્ધના જન્મસ્થાન લુમ્બિનીગ્રામની યાત્રા કરી હતી. એ યાત્રાનાં માર્ગ સૂચક ચિહ્ન તરીકે તેણે પાટલિપુત્ર, લોરિયા-નંદનગઢ, લોરિયા અરરાજ, બખિરા (વૈશાલી) અને લુમ્બિનીમાં તંભો ઊભા કરાવ્યા. લુમ્બિનીના સ્તંભલેખમાં તેણે સ્પષ્ટપણે લખ્યું છે કે ત્યાં ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. આ સ્તંભની પાસે બીજો એક સ્તંભ છે. તે પરના લેખમાં લખ્યું છે કે બુદ્ધના પૂર્વાવતાર કનકમુનિ બુદ્ધને એક નાનો સ્તૂપ નિશ્કિવામાં હતો જેને સમ્રાટે વિસ્તીર્ણ સ્વરૂપ બન્યું હતું.
ભગવાન બુદ્ધ સારનાથમાં પ્રથમ ધર્મોપદેશ આપ્યો હતો. તેથી તે સ્થાન પર અશોકે પ્રસિદ્ધ સિંહશીર્ષકવાળો સ્તંભ ઊભો કરાવ્યો હતો. બોધગયામાં બુદ્ધને જ્યાં બોધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું ત્યાં પણ તેણે શિલાતંભ રચાવ્યો.
બુદ્ધ અને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલાં સ્થળો પર શિલાતંભોની રચના ઉપરાંત પિતાના સામ્રાજ્યના અંતર્ગત મહત્ત્વના પ્રદેશોની રાજધાનીમાં પોતાના શિલાતંભો (વાસ્તવમાં વિજયસ્તંભો) ઊભા કરવાની પણ તેની નેમ હતી. આ દૃષ્ટિએ તેણે પંચાલની રાજધાની સાંકાશ્ય (હાલનું સંકિસા)માં, કુરુ જનપદની રાજધાની