________________
૪. મૌર્યકાલીન શિપ
૬) લુમ્બિની ઉદ્યાન (હાલનું રુમનદય)નો સ્તંભઆ સ્તંભ પર અશ્વનું શીર્ષક હતું. તેના પરના લેખમાં બતાવ્યું હતું કે, “અહીં ભગવાન શાકયમુનિને જન્મ થયો હતો (હિદે બુધે જાતે શાકયમુનિ). અશોકે જાતે તે સ્થળની મુલાકાત લઈ સ્તંભ ઊભો કરાવ્યો હતો તથા તેની આજુ બાજુ શિલાપ્રાકાર (વંડી-વેદિકા) કરાવેલ.
૭) કુશીનગરને સ્તંભ. બુદ્ધના પરિનિર્વાણનું આ સ્થળ હતું. આ સ્તંભના લેખમાં આ વાતને નિર્દેશ કર્યો હતો. કુશીનગર વર્તમાન કસિયા છે, જે ગંડકી અને રાખીને સંગમ પર આવેલું છે.
૮) કુશીનગરમાં બીજો એક સ્તંભ, બુદ્ધના દેહાવશેષોના જ્યાં આઠ ભાગ કર્યા હતા ત્યાં ઊભો કરેલો છે.
૯) સારનાથનો સ્તંભ. ૧૯૦૮માં તેના ટુકડા કરવામાં આવ્યા હતા. આ સ્તંભ ચમકદાર લીસા પથ્થરને બનાવેલો હતો ને તેના પર દર્પણ જેવો એપ હતો.
૧૦) સારનાથનો બીજો શિલાખંભ ૭૦ ફૂટ ઊંચો હોવાનું યુએન-વાંગે નોંધ્યું છે. તે પર પણ સુંદર આપ ચઢાવેલો હતો. પરંતુ ખંડિત અવશે પરથી તેની ઊંચાઈ લગભગ ૪૯ ફૂટ હોય તેમ લાગે છે. આ જ તે સ્તંભ છે જે પર પ્રસિદ્ધ મહાધર્મ ચક્ર અને ચતુર્મુખ સિંહાકૃતિ અંકિત કરેલી જોવામાં આવે છે.
૧૧) મહાશાલામાં સિંહશીર્ષક વાળો સ્તંભ. તેની સાથે સ્તૂપ હોવાનું સ્તંભલેખમાં જણાવ્યું હતું.
૧૨) વૈશાલી સ્તંભ. કનિંગહામે બખિરા (વૈશાલી) ગામને લેખ વિનાનો આ સ્તંભ હોવાનું અનુમાન કર્યું છે.
૧૩ ૧૪) પાટલિપુત્રના બે સ્તંભો, જેનું વર્ણન ફાહ્યાને કર્યું છે. એના ખંડિત અવશેષો મળ્યા છે.
૧૫) રાજગૃહ સ્તંભ (ઊંચાઈ ૫૦ ફૂટ). તેના પર હાથીનું શીર્ષ હતું. લેખમાં તૂપની રચનાનો ઉલ્લેખ હતો.
અશોકના શિલાતંભો (એકામ્ સ્તંભો સાદા રેતિયા કે ચૂનાના, મુખ્યત્વે એક જ સળંગ પથ્થરમાંથી બનાવેલા છે તથા તેના પર ઓપ ચઢાવેલ છે. એ લાટ' નામે પણ ઓળખાતા હતા. આવા શિલાતંભો સંપૂર્ણ હાલતમાં અથવા ભગ્નાવશેષ રૂપે નીચેનાં સ્થળોએથી મળી આવ્યા છે :
૧) અંબાલા પાસેના ટોપરા ગામને શિલારસ્તંભ. હાલ દિલ્લીના ફીરોઝશાહના વાડા(કાટલા)માં છે. ફીરોઝશાહ તુગલક તેને દિલહી લઈ આવેલો.