________________
૫ : અનુમૌય કાલીન શિલ્પકલા
૧) હાથણીઓની વચમાં ઘેરાયેલા હાથી છે.
૨) બે ભુજાવાળા સૂર્ય ચાર ઘોડાથી ખેંચાતા બે ચક્રવાળા રથમાં છે. આ સૂર્ય મથુરાના સૂર્ય જેવા છે. તેની બે બાજુએ તેની બે પત્નીઓ છે. ચંદ્રના પ્રતીકરૂપે અર્ધ ચંદ્ર એક બાજુએ છે. બીજી બાજુએ સંપૂર્ણ ખીલેલુ` કમળ છે.
૩) ગજલક્ષ્મી હાથીયુગ્મની વચમાં કમળ પકડીને ઊભેલી છે. આ હાથી લક્ષ્મીને કુંભમાંના જળથી અભિષેક કરે છે. પેાપટનું યુગ્મ કમળપત્રા પર બેઠેલું છે.
૪) ચેાથી કમાન નીચે ત્રિપરિમાણી ચૈત્ય વૃક્ષ કઠેડાની વચમાં છે. રાજા અને રાણી પુષ્પમાળા વડે પૂજા કરે છે. રાણી અમરાવતી અને મથુરાની સ્ત્રી-આકૃતિઓને મળતી છે.
૬) ગંધાર શૈલી
ભારતીય શિલ્પ શૈલીએમાં ગંધાર શૈલી સુપ્રસિદ્ધ છે. આ શૈલીના ઉદયનું શ્રેય ગંધાર પ્રદેશમાં શાસન કરતાં બાલિક અને ભારતીય ગ્રીક રાજાઓને ફાળે જાય છે. હાલના પાકિસ્તાનના પેશાવર અને રાવલપિ'ડી જિલ્લાઓ તેમજ અફઘાનિસ્તાનના ઘણા ભાગ પ્રાચીન કાલમાં ગંધાર પ્રદેશમાં સમાવિષ્ટ હતા. આ પ્રદેશ ભારતીય ચીની, ઈરાની, ગ્રીક અને રોમન સંસ્કૃતિઓના સ ંગમ સ્થાને આવેલા હતા. આથી અહીં દેશી-વિદેશી વિચારો અને પ્રભાવાના સમન્વય અને એકીકરણ થાય એ સ્વભાવિક છે. ગંધારમાં શિલ્પકલાના ક્ષેત્રે પૂર્વ અને પશ્ચિમની શૈલીઓનાં સંમિશ્રણમાંથી ગંધાર શિલ્પકલાના જન્મ થયા. એ નિ: સંદેહ ગ્રીક કે હેલેનિસ્ટિક કલામાંથી ઉદ્ભવી. આથી આ કલાને Indo-Greek, Indo-Hellenic કે Greeco-Roman Art કહે છે. તેના મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ હોવાથી એને Greeco-Buddhist Art પણ કહેવામાં આવે છે. ગંધાર પ્રદેશમાં એનેા વિકાસ થયા હાવાથી એ “ગંધાર શૈલી” તરીકે વિશેષ વિખ્યાત છે.
ગંધાર શૈલીમાં ધાર્મિ ક વિષયા અને ઘટકોને મૂર્ત કરવા માટે ગ્રીક આકારક્ષમતા અને નિર્માણપદ્ધતિના પ્રયોગ કરવામાં આવ્યા પણ વિષયે। મુખ્યત્વે ભારતીય રહ્યા. એના હેતુ વિદેશી દેવદેવીઓને રજૂ કરવાના નહીં પણ ભારતીય, મુખ્યત્વે, બૌદ્ધ વિષયોની અભિવ્યકિત હતા. અલબત્ત, કોઈ કોઈ વિદેશી વિષયા પણ એમાં સ્થાન પામ્યા છે, પણ એનું પ્રમાણ ઘણું જૂજ છે.
ભારતમાં આ શૈલી ઈ. સ. ની ૧લીથી ૪થી સદી દરમ્યાન પ્રચારમાં રહી. કુષાણ અને શક રાજાઓએ તેના ઉત્ક`માં વિશેષ ફાળા આપ્યો છે. કુષાણ રાજા કનિષ્કના સમયમાં બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયના ઉદ્ભવ અને વિકાસ થતાં તે એ