________________
ભારતીય પ્રાચીન શિલપકલા - વળી તે ઈરાનના “પર્સિપાલિટન બેલ'ના ઘાટની કોતરણી તરીકે પણ ઓળખાય છે.
સ્તંભના શીર્ષની ટોચે સુશોભનરૂપ, બદ્ધ ધર્મમાં મહત્ત્વ ધરાવતું કોઈ પશુનું આકૃતિ-શિલ્પ મૂકવામાં આવે છે. પડઘીમાં પણ પશુઓ ઉપરાંત હંસ વગેરે પક્ષીઓનાં શિલ્પ અલંકાર રૂપે કોતરેલાં જોવા મળે છે. સ્તંભશીર્ષની ઉપર પશુઓમાંથી સિંહ, હાથી, વૃષભ કે ઘોડો ગમે તે એક કે ચારેયને મૂકવામાં આવે છે. સ્તંભશીર્ષ ઉપર છલંગ મારતો કે બેઠેલો સિંહ, ડગ મૂકતો હાથી, ચાલતો બળદ અને દોડતા ઘેડો એમની જુદી જુદી દેહાવસ્થામાં બતાવેલાં હોય છે. તેમાંનાં પહેલાં ત્રણ પશુઓ હાલ વિદ્યમાન ઘણાખરા સ્તંભો પર જોવા મળે છે. ઘડાનું શિલા રુમિનદેયના તંભશીર્ષ પર હતું, જે હવે નષ્ટ થયું છે.
ઉપર ગણાવેલ સ્તંભો પૈકી સારનાથનો સ્તંભ તેના શીર્ષ (આકૃતિ ૧૧)ની રચનાદૃષ્ટિએ ઉત્કૃષ્ટ પ્રકારનો છે. સારનાથમાં ગૌતમ બુદ્ધ પ્રથમ ઉપદેશ આપી 'ધર્મચક્રપર્વતન કર્યું હતું તેની રજૂઆત અહીં જોવા મળે છે. શીર્ષાની પડઘીની ચારે તરફ ધર્મચક્રનું ચિહન અંકિત કરવામાં આવ્યું છે. ધર્મચક્રને ૨૪ આરા કરેલા છે. ને તેની ચારે તરફ ચાર પશુઓ હાથી, વૃષભ, અશ્વ, અને સિંહ અંકિત કરેલા છે. મથાળે ચારે દિશાએ ઉન્મુખ ચાર સિંહો મૂકેલા છે. એમનો પીઠ ભાગ એક બીજા સાથે જોડેલ છે. આ પાર્શ્વગત ભાગોનો સંતુલિત વિન્યાસ સાધવામાં શિલ્પીએ અદ્દભુત નિપુણતા દાખવી છે. આ સિંહોના મસ્તક પર ધર્મચક્ર મૂકેલું હતું, જેના ટુકડાઓ ઉપલબ્ધ બન્યા છે. આ ચક્રનો વ્યાસ લગભગ ૮૦ સે.મી. હોવાનું જણાય છે. એમાં ૩૨ આરા હતા. પાશવી શકિત પરના ધાર્મિક વિજયના સંકેતરૂપે આ ચક્ર સિંહો પર મૂકાયું હોય તેમ મનાય છે. કેટલાકને મતે નીચેનાં ચાર પશુઓ ચાર દિશાનાં પ્રતીક, સિંહ શાકયમુનિ બુદ્ધના પ્રતીક રૂપે અને ચક્ર ધર્મના પ્રતીક રૂપે છે. સિંહની આકૃતિમાં કલાકારે કલ્પના અને વાસ્તવિકતાનો સુંદર સુમેળ કરેલું જોવા મળે છે. એણે જાણીબુઝીને આ પશુની સ્વાભાવિક ઉગ્રતા, હિંસકતા અને પ્રચંડતા વ્યકત કરી નથી. તેમ છતાં એની છટામાં એનું મૃગેન્દ્રવ નષ્ટ પણ થવા નથી દીધું. સિંહનાં ઘાટીલાં ને સુગઠિત અંગપ્રત્યંગે સપ્રમાણ અને સફાઈદાર તેમજ પદાર
છે. ચહેરા આસપાસની કેશવાળીની એકેએક લટ બારીકપણે કરેલી છે. આ સિંહશિલ્પોને પ્રસિદ્ધ વિવેચક વિન્સેન્ટ સ્મિથે જગતની પ્રાચીન પશુમૂર્તિમાં સર્વશ્રેષ્ઠ -ગણાવ્યાં છે. સાંચીનો સ્તંભશીર્ષ પર આવા જ સિંહો મૂકેલા છે, પણ તે આટલા ( ઉત્કૃષ્ટ કોટિના નથી. જો કે અહીંના શીર્ષમાં પડધી પર ચારો ચરતાં હંસયુગલોનાં -આલેખન મને રમ છે.