________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
આ જ મ્યુઝિયમમાં સારનાથમાંથી મળેલા આ કાલના બે યક્ષોનાં શિલ્પ અને લેહાનીપુરમાંથી મળેલું તીર્થકર મૂર્તિનું ધડ સચવાયાં છે. આમાં યક્ષોનાં પ્રભાવશાળી મુખ પરની મૂછોનું સુરેખ આલેખન નોંધપાત્ર છે. ધલી (ઓરિસ્સા)ના શિલાખંડમાંથી કોતરી કાઢેલ અર્ધકાય હાથીનું શિલ્પ પ્રાણી-શિલ્પોમાં નમૂનેદાર છે.
મૌર્યકાલની પકવેલી માર્ટીની મૂર્તિ કાએ પાટલિપુત્ર અને મથુરા જેવાં પ્રાચીન સ્થળોએથી મોટી સંખ્યામાં મળી આવી છે. એના આકારો અને રચનામાં વિવિધતા છે. તેના વિશે અલગ પરિશિષ્ટમાં ચર્ચા કરેલી છે.
( 8) શૈલગ્રહોનાં શિલ્પ બિહાર જિલ્લાની ગયાની ઉત્તરે ૧૨.૪ કિ.મી.ના અંતરે બારાબર અને નાગાર્જુની નામની ટેકરીઓ પર છ ગુફાઓનો સમૂહ છે. આમાં લોમશઋષિની ગુફાના દ્વારા મુખભાગ (facade) સુંદર રીતે કોતરેલો છે. એ અશોકના પાત્ર દશરથે કોતરાવેલી હોવાનું જણાય છે. એને મુખભાગ કાષ્ઠની પ્રતિકૃતિ સમાન છે. એની ઐત્યાકાર કમાન અને જાળીદાર નકશી નોંધપાત્ર છે. એ જાળીદાર નકશીની નીચે સ્તૂપની સ્તુતિ કરતા હાથીઓની હારમાળાનું કંડારકામ વિશિષ્ટ કૌશલ પ્રકટ કરે છે. દીવાલો પરની ચમક મૌર્યકાલીન છે.
૫) મૌર્ય શિ૯૫ પર વિદેશી અસર મૌર્ય શિલ્પો પર વિદેશી અસર હોવાનું વિન્સેન્ટ સ્મિથ, પસ બ્રાઉન, રોનાલ્ડ, નિહારરંજન રાય, ભગવતશરણ ઉપાધ્યાયાદિ વિદ્વાનો સ્વીકારે છે. આ વિદ્વાનોની આ પ્રકારની માન્યતાને આધાર શો? ડો. પૂનરે આ સંબંધમાં જે તર્ક કર્યો છે તેનું ટૂંકમાં વિવરણ આ પ્રકારનું છે:
૧) ચંદ્રગુપ્ત મૌર્યના પાટલિપુત્રના રાજભવનનું નિર્માણ ઈરાનના સમ્રાટ દારયસના પસિં પોલિસના અને સૂસાના મહેલોની નકલ સમાન છે. ઈરાનના રાજમહેલાની છત પાષાણના સ્તંભો પર ટેકવેલી હતી. મૌર્ય સમ્રાટોના મહેલમાં આ જ પ્રકારની રચના જોવામાં આવે છે.
૨) મૌર્યકાલીન શિલાતંભો પરનો આપ ઈરાનની અસર નીચે આકાર પામેલ છે.
૩) શિલાભો પરની અધોમુખી ઘંટાકૃતિ વિદેશી રચના સાથે સામ્ય ધરાવે છે. અને એ સ્તંભ પરના અશોકના અભિલેખોની શૈલી સમ્રાટ દારયસના લેખોના જેવી છે.