________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
(બાધિમણ્ડા) છે. આમ ચાર વૃક્ષ અને ત્રણ સ્તૂપ સત્ર માનુષી બુદ્ધોનાં પ્રતીક છે. વૃક્ષમાં ક્રમશ: શિરીષ, ઉદુમ્બર, ન્યુગ્રોધ (વડ) અને કપિન્થ (પીપળા) છે. મધ્યના સ્તૂપના અડભાગ પર સાતકી રાજાના સ્થપતિ આનદના લેખ છે. તારણની મધ્યની પોઢના પૃષ્ઠભાગે છદત જાતક આલેખાઈ છે. સૌથી નીચેની પીઢના પૃષ્ઠભાગે ધાતુયુદ્ધનુ અંકન છે. ત્રણે પીઢોના મથાળે ધ ચક્રોનું આલેખન છે. તદુપરાંત કમળ, બોધિવૃક્ષ, બુદ્ધત્રયપૂજા વગેરેનાં અલંકરણા છે. તારણના ચારસ સ્ત ંભાની ચારે બાજુએ અનેક દૃશ્યા કોતરેલાં છે. રથમાં બેઠેલા સમ્રાટ અશાક બેાધિવૃક્ષની પૂજા અર્થે આવે છે તે દૃશ્ય, બુદ્ધનુ ચૂડામહ (એટલે બુદ્ધના કેશ, અને ઉષ્ણીષની પૂજા, જે ભરહુતમાં પણ છે), ત્રયત્રિંશના દેવાનુ બુદ્ધના કેશનું પૂજન, ઇન્દ્ર અને ચિનુ` ચૂડા પૂજાઅર્થે અશ્વ, ગજ અને પાયદળ સાથેનુ અવતરણ, કલ્પવૃક્ષની ડાળમાંથી વસ્ત્રાભૂષણ તથા મિથુન યુગલાનું પ્રાકટય, મિથુનની ચારે બાજુએ પુષ્પ, ફળ, સિંહ, વગેરે અંકિત છે. સ્ત્રીના પગ પાસે બે સુંદર નૂપુર પડયાં છે. તે હાથમાં મંગલસૂત્ર લઈ બેઠી છે. એની નીચેની બીજી એક મિથુન મૂર્તિ વીણા વગાડતી દર્શાવી છે. કલ્પવૃક્ષની છાયામાં બેઠેલ મિથુન નૃત્યારંભ જોવામાં તલ્લીન છે. દક્ષિણદ્વારના બીજા સ્તંભ પર બોધિવૃક્ષ અને નાગરાજ મુલિંદનું ચાર નાગણીઓની સાથે અંકન છે. ચાર લોકપાલાચાર અનુચરો સાથે બુદ્ધને ભિક્ષાપાત્ર અર્પણ કરતા દર્શાવ્યા છે. એક દૃશ્યમાં કપિત્થ બોધિવૃક્ષને એક સ્ત્રી દંડવત પ્રણામ કરી રહેલ આલેખી છે. બેાધિમણ્ડ (આસન) પર પાથરવાનુ ઘાસ લઈને ઊભેલા ઘસિયારાનું દૃશ્ય પણ છે. ઉપાસકો હાથમાં ઝારી લઈને ઊભા છે. આ દક્ષિણદ્વારના સ્ત ંભાના મથાળે સિંહસંઘાટ અને ઉત્તર તથા પૂર્વ તરફના દ્વારસ્ત ંભા પર ગજસ ઘાટ અને કીચકોનાં શિલ્પા છે.
૬૪
ઉત્તર-તારણ પરનાં શિલ્પા વિશેષ સુરક્ષિત સ્થિતિમાં છે. તેની સૌથી ઉપરની પીઢ પર સાત મૂર્તિઓ હતી, વચમાં ધર્મચક્ર અને તેની બન્ને બાજુએ એક અનુચર યક્ષનાં શિલ્પા તથા ત્રિરત્ન અને સપક્ષસિંહનાં શિલ્પા હતાં. સ્તંભાની કિનારી પર બારીક દ્રાક્ષલતાની કોતરણી છે. આ પીઢના મુખ ભાગ પર એકાંતરે સ્તૂપે અને બોધિવૃક્ષાનાં પ્રતીક દ્વારા સાત માનુષી બુદ્ધોના સંકેત નિરૂપાયે છે. (આ પ્રકારનાં અંકના બધાં જ તારણ પર છે.) વચલી પીઢ પર સાત બોધિવૃક્ષ ફરી અંકન પામ્યા છે. મધ્ય પીઢના મથાળે સ્તંભિકાઓની વચ્ચે ચાર અશ્વારોહી મૂર્તિઓ છે. અશ્વારોહૌઆની છાતી પર શ્રીવત્સનાં માંગલિક ચિહ્ન છે. મધ્યની સ્તંભિકા પર વેદિકાથી સુરક્ષિત “ચક્રધ્વજ” છે. વેદિકાના બંને ખૂણા પર પણ ચક્રો અંકિત કરેલાં છે. આ તારણની સૌથી નીચેની પીઢ પર સાંચીની કલાનાં સર્વોત્તમ દૃશ્યો કોતરેલાં છે.