________________
પ: અનુમૌર્યકાલીન શિલ્પકલા
- પશુઆકૃતિઓ બે પ્રકારની છે. એક સ્વાભાવિક, બીજી કલ્પિત. કલ્પિત એ મિશ્ર આકારનાં નર–પશુપક્ષીઓની આકૃતિઓ છે; દા.ત, સપક્ષ યા આકાશગામી અશ્વ, સપક્ષ સિંહ-વ્યાલ, જલેભ કે ગજમચ્છ, મગરમચ્છ, વગેરે સ્વાભાવિક પ્રકારો પૈકી ચૌદ પ્રકારનાં પશુ અને છ પ્રકારનાં પક્ષીઓનું આલેખન થયું છે: ચતુષ્પાદ પ્રાણીઓમાં. હાથી, સિંહ, અશ્વ, ગેડ, બકરી, વૃષભ, મૃગ, ઘેટાં, વાંદરો, બિલાડી, કૂતરો, ખરગોશ, ઘીલોડી વગેરે, પક્ષીઓમાં કૂકડો, મેર, હંસ, જંગલી બતક, વગેરે. આ બધામાં હાથીની ભાવપૂર્ણ આકૃતિ બનાવવામાં શિલ્પીઓ વધુ સફળ થયા જણાય છે.
કેટલાંક હાસ્ય-વ્યંગનાં દશ્યો છે. દા.ત. વાંદરો, હાથી અને મનુષ્ય ત્રણે મળી એક મહાયક્ષની મૂછો સાણસી વડે ખેંચે છે. તે દૃશ્ય રોમાંચક છે. બીજા એક દશ્યમાં હાથી પર વાનરો ચઢીને સરઘસાકારે તેને દેરી રહ્યાનું વ્યંગચિત્ર છે.
જાતકકથાઓમાં મિત્રજનક, નાગજત, લટુવા, છત્તિય, ઈસિસિંગિમ, યમ્મુ મનવયસી, કુટુંગમિગ, હંસ, કિન્નર, દશરથ, બિડાલ-કકકુર, વિદુર પંડિત, વેસ્સન્તર વગેરે સ્થાન પામી છે.
બુદ્ધ અને બોધિસ સાથે સંબંધ ધરાવતાં વિવિધ વૃક્ષો પૈકીનાં નીચેના આકાર પામ્યાં છે. :
૧) વટવૃક્ષ : કાશ્યપ બુદ્ધનું બોધિવૃક્ષ ૨) ઉદુમ્બર : કનકમુનિ બુદ્ધનું બોધિવૃક્ષ ૩) પાટલિ : વિપસ્સિન બુદ્ધનું બોધિવૃક્ષ ૪) શાલવૃક્ષ : વિશ્વભૂ બુદ્ધનું બોધિવૃક્ષ - ૫) શિરીષ : ક્રફુચ્છન્દ બુદ્ધનું બોધિવૃક્ષ ૬) અશ્વત્થ કે પીપલ : ગૌતમ બુદ્ધનું બોધિવૃક્ષ આ વૃક્ષો નીચે તે તે બુદ્ધનાં નામ અંકિત કરેલાં છે.
ભરડુતનાં શુંગકાલીન શિલ્પમાં પ્રથમ ધારાના સાંચીનો સ્તૂપ નં. રનાં શિલ્પ કરતાં અંગભંગીનું સુખ દર્શન અને તે માટેના વ્યવસ્થિત પ્રયાસો નજરે પડે છે. આ શિલ્પ વધુ ઘાટીલાં છે. રેખા-સૌષ્ઠવનું માધુર્ય એ વ્યકત કરે છે. અલબત્ત તેમાં તક્ષણનું ઊંડાણ ન હોવાના કારણે તે સાંચીનો સ્તૂપ નં. ૨ જેવાં જ સપાટ (flat) છે.
દરવાજા પરનાં યક્ષયક્ષિણીનાં શિલ્પોના આલેખનમાં બે પદ્ધતિઓ નજરે પડે છે. સિરિમાદેવી, કુબેર વગેરેનાં આલેખન માત્ર રેખાંકન જેવાં છે પરંતુ રેખાંકનની જ પદ્ધતિને અનુસરતાં સુદર્શનાયલી, ચૂલકાકા વગેરેમાં રેખાની ઘનતા અને