________________
ભારતીય પ્રાચીન શિ૯૫કલા નેસ્ટિક કે પર્સે-હેલેનેસ્ટિક કલાકારોની કૃતિ માનવા પ્રેરે છે, પરંતુ પશુ-આકૃતિઓ કરવાનો મહાવરો ભારતમાં લાંબા સમયથી હો તે નિર્વિવાદ છે. હડપ્પીય સભ્યતાની મુદ્રાઓ ઉપરની પશુ-આકૃતિઓ સ્વાભાવિક તેમજ સ્થાનિક અસરોવાળી જણાય છે. અશોકનાં પહેલાં પણ કેટલાક સ્તંભો અસ્તિત્વ ધરાવતા હતા એ હકીકત પણ આની વિરુદ્ધમાં જાય છે. અશોકના શિલાખંભની પ્રેરણાની પાશ્વભૂમિમાં સંભવત: વૈદિક ચૂપ છે. વૈદિક કાળમાં “ચૂપની સ્થાપના યજ્ઞ-સ્મારક તરીકે થતી હતી. ભારતીય સંસ્કૃતિમાં ઘટમાંથી પ્રસરણ પામતી કમલ-પાંદડીઓનું રૂપાંકન ઘણું પ્રાચીન છે. કમલ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે અને એજ મૌર્ય શિલાખંભો પર અંકિત છે. શિરોભાગ પરની પશુ આકૃતિઓ વૈદિક પરંપરાના “પશુબલિનો પ્રભાવ પ્રકટાવે છે.
ગમે તેમ, એ સ્પષ્ટ છે કે મૌર્યકલા પર વિદેશી પ્રભાવ જો હોય તો તે પરસ્પર સાંસ્કૃતિક સંપર્કના માધ્યમનું પરિણામ હોય તેમ જણાય છે. કારણ, માત્ર ઈરાની કે ગ્રીક નહિ. પણ સુમેરિયન, એસિરિયન, રોમન વગેરે સાંસ્કૃતિક પ્રદાનો અને સમન્વય પણ આ કાલની દરમ્યાન પ્રકટ થયા છે. દા.ત. બસાઢમાંથી મળેલી એક સપક્ષ સ્ત્રી-મૂર્તિ પર સુમેરની સંસ્કૃતિનો પ્રભાવ વરતાય છે. પણ મૌર્યકાલીન યક્ષ-યક્ષિણીની મૂર્તિએ તો સર્વથા ભારતીય જ છે. આ મૂર્તિઓના આધારે આપણે એ ચોકકસ કહી શકીએ કે ભારતીય શિલ્પીઓએ મૌર્યકાળ દરમ્યાન પ્રસ્તરકલામાં પૂરેપૂરી નિપુલતા પ્રાપ્ત કરી લીધી હતી.