________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા તંભશીર્ષની પડધી કોતરેલાં ચાર પવિત્ર પશુઓ–સિંહ, વૃષભ, અશ્વ, ગજ અને કિનારા પર બ્રાહ્મી અક્ષરો કોતરેલા છે.
તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલ તકતીઓ પૈકીની એકમાં મધ્ય કાણાની ત્રણ બાજુએ ત્રણ નગ્ન માતૃદેવી અંકિત કરેલી છે. દરેકની વચ્ચે અગ્નિશિખામાંથી પ્રજજવલિત વેદીની રચના છે. માતૃદેવીની બંને બાજુએ એક એક સર્ષ છે. બાહ્યમંડલમાં ચકડાની ભાતની બેવડી મેખલા છે. બીજી તકતીમાં ડમરાની પુષ્પમાલાની મધ્યમાં યોનિવિવર છે એના પરની વેદી અને સર્પયુગ્મ સ્પષ્ટ આલેખિત થયેલાં છે. ત્રીજી તકતીમાં હાથીઓનું ઝુંડ મંડલાકારે ગતિ કરતું દર્શાવ્યું છે.
બસાક (વૈશાલી)માંથી મળેલી આ પ્રકારની તકતીઓ હાલ પટનાના સંગ્રહાલયમાં છે.
સંકિસા (સાંકાશ્ય)માંથી પ્રાપ્ત થયેલ આવી તકતીઓ પૈકીની એક પર ત્રણ માતૃદેવી, ત્રણ તાલવૃક્ષ અને ત્રણ નંદીપદનાં અંકન છે ને ચોતરફ મંડલા રે -રાંપાકલીની પંકિતઓ છે.
પટના(પાટલિપુત્ર, બિહાર)ના મૂજીગંજના વિસ્તારમાંથી આવી ૨૧ તકતીઓ મળી છે. એમાંની એક પર મધ્યમાં ૧૫ પાંખડીવાળા કમળની ચોતરફ ૪૮ નંદીપદની માલા છે. આ તકતીની પાછળ કેટલાક અસ્પષ્ટ અક્ષરો કોતરેલા છે. બીજી પર મધ્યકેન્દ્ર પર ત્રણ વર્તુલ છે. એમાંના એકમાં ૨૧ કમલપાંખડીનું આલેખન છે. બીજામાં ૧૨ પશુ-પક્ષી–અશ્વ, સિંહ, ગજ, ગેંડો વગેરે છે. ત્રીજા વલમાં પ્રકાશકિરણોની રેખાઓ છે. અહીંની બીજી તકતીના મધ્ય કાણાની છ બાજુએ તિર્થક રેખાઓનાં અંકને કરેલાં છે. કિનારી પરનાં છ અર્ધવર્તુળમાંથી પ્રકટ થતી આવી નિયંક રેખાઓ એની સાથે મળીને મધ્ય બાજુએ છ ચતુષ્કોણ અને કિનારી તરફ છ ત્રિકોણ સાધે છે. દરેક ચતુષ્કોણની મધ્યમાં જુદાં જુદાં ગતિશીલ પશુઓનાં અંકનો છે અને ત્રિકોણની મધ્યમાં પણ જુદાં જુદાં પક્ષીઓ વિવિધભંગીમાં આલેખિત કરેલાં છે. ત્રીજી તકતીમાં કિનારી પરના મંડલાકારમાં ગતિમાન પશુ-પક્ષીઓનાં રેખાંકનો છે. જેથી તકતીમાં ઉપરની બીજી તકતીની જેમ તિર્થક રેખાઓ દ્વારા સાધેલા છ ચતુષ્કોણો પૈકી ત્રણમાં માતૃદેવીનું આલેખન અને ત્રણમાં તાલવૃક્ષ છે. કિનારી પરના ત્રિકોણમાં એકાંતરે સર્પ અને પક્ષીનાં આલેખન છે. પાંચમી તકતીની મંડલાકાર કિનાર ત્રીજી તકતીને મળતી છે, પરંતુ મધ્યના આંતરવર્તેલમાં અષ્ટાદશદલ પ્રફુલ્લિત કમળનું આલેખન છે.
લોરિયા-નંદનગઢ અને પીપરાવાના સૂપની ધાતુગર્ભ-મંજૂષામાંથી પ્રાપ્ત થયેલાં રૂપાંકને પણ આ કાલના સુંદર નમૂના છે. બિહારના ચંપારણ જિલ્લાના