________________
રીતે અનુપ્રેક્ષા માનસિક છે. જ્યારે આ આગમ અનુપ્રેક્ષાઓ બહુ જનહિતાય પત્ર પર ઉતારવામાં આવી છે. આર્યા વર્ગમાં ચાલી રહેલાં પુષ્ટ સ્વાધ્યાય પ્રયત્નને આ એક નમૂને છે.
આ સાધ્વીજી કેટલા બધાં ઊંડાં ચિંતનવાળાં છે તે વાચક સ્વયં વિચારે. લખવાની શૈલી પણ અનોખી છે. ભાવનાના સ્ત્રોતથી ભરેલી વિવેચન લખનારા સાધ્વીજીએ ૧૧ વર્ષની ઉંમરમાં જ દીક્ષા લીધી છે. દીક્ષા લઈને ખૂબ અભ્યાસ કર્યો છે અને અમારા પરમારાપાદ પરમ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયલબ્ધિ સૂરીશ્વરજી મહારાજાની પરમ કૃપા પ્રાપ્ત કરી હતી. આવા આ સાધ્વીજી અનેક આગમ ગ્રંથનાં રહસ્યોને...ભાવભરી અને સરળ રીતે હૃદયંગમ વિવેચને લખીને ખૂબ-ખૂબ શાસનની સેવા અને પ્રભાવના કરીને અમારા શાસન શેભાના ભાવને સફલ કરનારા થાઓ તથા આવા અનેક સ્વાધ્યાય ગ્રંથે વધુને વધુ સ..સ્વના જીવનને શાસન સમર્પિત બનાવી સંયમ રસના આનંદમાં મસ્ત બનાવી તેમની પર વરસી રહેલા પૂજ્ય પરમ ગુરુદેવ આચાર્યદેવ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદેને સાર્થક કરે !
પ્રભુ પરમાત્માને આદેશેલ-ઉપદેશેલ ચતુર્વિધ સંઘ પોતપોતાની મર્યાદા વધારી શાસનને જયનાદન્કર જૈન જયતિ શાસનમ'ને નાદ વિશ્વવ્યાપી બનાવે એ જ અભ્યર્થના.....
આ વિમસૂરિ
(ઈમ્બતુર)