Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે આ કથનની ભાવના બતાવે છે. અહીં કર્મમાસની અપેક્ષાથી સૂર્યમાસની વિચારણા કરવામાં આવે તે એક એક સૂર્યરૂતુની સમાપ્તિમાં એક એક અધિક અહેરાત્ર પ્રત્યક્ષથી જ થઈ જાય છે. કારણકે કર્મમાસ સાવન માસરૂપ છે. સાવનમાસ ત્રીસ દિવસ પ્રમાણને કહેલ છે. તેથી અહીંયાં મધ્ય માનથી ત્રીસ અહોરાત્રથી એક કર્મમાસ થાય છે. એજ પ્રમાણે મધ્ય માનથી સાડત્રીસ અહોરાત્રથી એક સૂર્ય માસ થાય છે. અને બે માસથી એક રૂતુ થાય છે. આ પ્રમાણે પહેલાં કહીને ભાવિત કરેલ છે. તેથી એક એક સૂર્ય રૂતુ એકસઠ અહોરાત્રથી થાય છે. (૩૦) +૧ = ૧૨=૬૧ એક સૂર્ય રૂતનું પ્રમાણ એકસઠ અહોરાત્રનું છે. એ જ પ્રમાણે બે કર્મમાસથી રૂતુ થાય છે. ૩૦ +૩૦=૦ આટલા અંતરથી અતિરાત્ર વૃદ્ધિ તિથિ થાય છે. ૬૧-૬૦=૧ અતિરાત્ર આનાથી એ સિદ્ધ થાય છે કે-એક સૂર્ય રૂતુની સમાપ્તિમાં બે કર્મ માસની અપેક્ષાથી એક અધિક અહોરાત્ર થાય છે. સૂર્યરતુ અષાઢ માસથી થાય છે. તેથી અષાઢ માસથી આરંભ કરીને ચિાથું પર્વ પુરૂં થાય ત્યારે એક અહોરાત્ર અધિક થાય છે. અર્થાત્ ભાદરવા વદમાં અધિક અહોરાત્ર આવે છે તે પછી આઠમું પર્વ સમાપ્ત થાય ત્યાર પછી બીજો અધિક અહોરાત્ર અને ત્રીજું અધિક અહોરાત્ર બારમું પર્વ સમાપ્ત થયા પછી આવે છે. અને સેળયું પર્વ વીત્યા પછી ચોથું અધિક અહોરાત્ર આવે છે. વીસમું પર્વ સમાપ્ત થયા પછી પાંચમું અધિક અહોરાત્ર સમાપ્ત થાય છે. વીસમું પર્વ સમાપ્ત થયા પછી છઠું અહોરાત્ર અધિક હોય છે. મૂળમાં કહ્યું પણ છે.-- (, અમે ઇવે, વાર દવે, સોઢામે , વીરફ પલ્વે, જીસમે વર) ઈતિ અવમરાત્ર-ક્ષયતિથિ બેકર્મ માસની અપેક્ષાથી ચાંદ્રમાસમાં થાય છે. અર્થાત્ અવરાત્રકમમાસની સજાતીય અર્થાત્ સાવન માસરૂપ હોય છે. તેમ સિદ્ધ થાય છે. ચાંદ્ર અને સાવનનું અંતર અવમ હોય છે. આ પ્રમાણે નિયમ કહેલ છે.
ચાંદ્રમાસ શ્રાવણથી થાય છે. તેથી વર્ષાકાળના શ્રાવણુદિથી તેમ પહેલાં કહેવામાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૦૧
Go To INDEX