Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાંચસો તેતેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસથિા છ ભાગ રૂપ ધ્રુવરાશિને એકથી ગુણાકાર કરવો. ગુણાકાર કરવાથી એજ પ્રમાણે રહે છે, એકને ગુણવાથી એજ સ્થિતિમાં રહે છે, તેથી જ ગુણના ફળ પણ એજ (પ૭૩૪) રહે છે, આ સંખ્યામાંથી (૫કલરફ દર) પાંચસો ઓગણ. પચાસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા વીસ ભાગ તથા બાસયિા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગથી અભિજીત નક્ષત્રથી લઈને ઉત્તરાફાલ્ગની પર્વતના ઓગણીસ નક્ષત્રને ધિત કરવા. (૫૭૩ , ૪)-(પલા , દ)=(૨૪૨, ૪) શેધન કરવાથી પછીથી વીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અગ્યાર ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા સાત ભાગ રહે છે. આ સંખ્યાથી હસ્ત નક્ષત્ર રોધિત થઈ શકતું નથી. હસ્ત નક્ષત્ર અર્ધક્ષેત્રવાળું હોવાથી તેનું પ્રમાણ તીસ મુહૂર્તનું છે તેથી ત્રીસમાંથી શોધન કરવું જેમ કે-૩૦-(૨૪ , ૪) (પાફા, ૬૪) આનાથી એ ફલિત થાય છે કે હસ્તનક્ષત્રના પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પચાસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા સાઈઠ ભાગ શેષ રહે ત્યાં આગળ ચંદ્ર વર્તમાન રહીને ઉત્તરાયણ ગતિરૂપ પહેલી હેમન્ત ઋતુની આવૃતિને પ્રવર્તિત કરે છે.
હવે અહીં સૂર્યનક્ષત્રગ સંબંધી પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે–(ત સમર્થ vi સૂરે f gg of વોટ્ટ) પહેલી આવૃત્તિના પ્રવર્તનકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે રહે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(તા ઉત્તરાહિં મારાઢાર્દિ) પહેલી આવૃત્તિના પ્રવર્તનકાળમાં સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે રહે છે, ઉત્તરાષાઢા નક્ષત્રના છેલ્લા સમયમાં જ સ્થિત હોય છે, કહ્યું પણ છે – (ઉત્તર ગાઢ મિસમર) અર્થાત્ સમકાળમાં જ ઉત્તરાષાઢા નક્ષત્રને ઉપલેગ કરીને અભિજીત્ નક્ષત્રના પ્રારંભકાળમાં જ સૂર્ય પહેલી હેમંત ઋતુ સંબંધી આવું
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૩૨
Go To INDEX