Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૨૯]... પ્રથમ પદક જીવ અને અજીવના પ્રકારો
અવનિરૂપણ પ્રજ્ઞાપનામાં પ્રથમ પદમાં જ જૈનદર્શનસંમત મૌલિક તત્વોની વ્યવસ્થા ભેદ-પ્રભેદો બતાવીને કરવામાં આવી છે. અને ત્યાર પછીનાં પદોમાં તે જ તત્ત્વોનું વિશદ રૂપે નિરૂપણ આવે છે. નિરૂપણપદ્ધતિ સમગ્ર ગ્રંથમાં ભેદ-પ્રભેદો બતાવીને જ કરવામાં આવી છે. તે અનુસાર પ્રજ્ઞાપના એટલે કે નિરૂપણને બે વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે : જીવ અને અજીવની પ્રજ્ઞાપના (સૂત્ર ૩). પ્રથમ અછવપ્રજ્ઞાપના (સૂત્ર ૪–૧૩) એટલા માટે કરી છે કે તે વિષેનું વક્તવ્ય થોડું છે અને પછીના સમગ્ર ગ્રંથમાં, થોડા અપવાદ સિવાય, સર્વત્ર જીવો સંબંધી જ સમગ્ર ભાવે વિવિધ રીતે વિચાર કરવામાં આવ્યો છે.
અજીવના નિરૂપણમાં રૂપી અને અરૂપી અજીવના ભેદો કરીને તેનું વિવરણ છે. રૂપીમાં પુદ્ગલ દ્રવ્યનો સમાવેશ છે અને અરૂપીમાં બાકીનાં ધર્માસ્તિકાયાદિ તત્વોનો. એક વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે કે પ્રસ્તુતમાં મૌલિક ભેદોના નિરૂપણ પ્રસંગે દ્રવ્ય, તત્વ કે પદાર્થ જેવાં સામાન્ય નામોનો ઉપયોગ નથી કરવામાં આવ્યો; તે આ ગ્રંથની પ્રાચીનતા પુરવાર કરે છે.
ધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણને તે તે ઉપરાંત દેશ અને પ્રદેશના ભેદોમાં પણ વિભક્ત કરવામાં આવ્યા છે. તેમનું લક્ષણ શું છે તે તો સમગ્ર ગ્રંથમાં ક્યાંય જણાવ્યું નથી. તે ત્રણે સાથે જોડાયેલ અસ્તિકાયશબ્દનો અર્થ પણ મૂળ ગ્રંથમાં જોવામાં આવતો નથી. પણ અદ્ધાસમય સાથે અસ્તિકાય શબ્દ જોડાયેલો નથી, તે ઉપરથી તે બન્નેનો ભેદ તે બાબતમાં છે, એટલું તો સ્પષ્ટ થાય છે. વળી, મૌલિક ભેદ છવ સાથે પણ પ્રસ્તુતમાં અસ્તિકાય શબ્દનો પ્રયોગ નથી, પણ એનો અર્થ એ નથી કે જીવના પ્રદેશો ગ્રંથકારને અભિમત ન હતા. પાંચમા પદમાં જીવના પ્રદેશોને લઈને વિચાર છે જ (સૂત્ર ૪૪૦ આદિ).
વળી, પ્રસ્તુત પ્રથમ પદમાં જીવ અને અજીવના મૌલિક ભેદો જેને કહેવામાં આવ્યા છે તેમને જ પાંચમા વિશેષ પદમાં છવપર્યાયો અને અછવપર્યાયો એવા નામથી અને તેરમા પદમાં પરિણામ નામથી જણાવવામાં આવ્યા છે. પ્રથમ પદમાં નારક આદિ જે જીવ ભેદો છે, તેમને પાચમામાં અને તેરમામાં ક્રમે છવપર્યાયોમાં અને જીવપરિણામોમાં સમાવિષ્ટ કર્યા છે, અને પ્રસ્તુત પ્રથમ પદમાં જે રૂપી અને અરૂપી તથા તેના જે ભેદભેદો છે તેમને અજીવ પર્યાયોને નામે પાંચમા પદમાં ઓળખાવ્યા છે.
૧. સુત્ર ૪૩૮. ૨. સૂત્ર ૪૩૯ થી. ૩. સત્ર પ૦૦ થી. બન્ને પદના વિષયમાં શો ભેદ છે તેની ચર્ચા આગળ કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org