Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૩૨]... વિશેષતા એ છે કે રૂપરસાદિને તેઓ વસ્તુના પરિણામ નહીં પણ વસ્તુથી અત્યંત ભિન્ન ગુણ માને છે; જ્યારે જન મતે વસ્તુથી રૂપરસાદિનો કર્થચિત અભેદ પણ છે. આથી પરિણામની પરિભાષામાં રૂપરસાદિનું પ્રસ્તુતમાં જે નિરૂપણ છે તે જૈન દર્શનના તે સંબંધી સ્થિર થયેલા વિચારને અનુરૂપ જ છે.
પ્રસ્તુત પ્રકરણમાં મૂળમાં વાવળિયા (વળવળતા), ળિયા (ધારિજar:) ઇત્યાદિ પ્રયોગ છે, તેનો અર્થ આચાર્ય મલયગિરિ પ્રમાણે – “વતઃ વનિતાઃ પરિણામમાગ પત્ય | .....ઘરળતા રુચતતા નિર્દેશો વર્તમાનાના તોપટક્ષણમ્......તો વપરિતા રૂતિ વાતયા परिणताः परिणमन्ति परिणमिष्यन्तीति द्रष्टव्यम् । एवं गन्धरसपरिणता इत्याद्यपि भावनीयम्।" ટીકા, પત્ર ૧૦. સારાંશ કે પુદ્ગલો તે તે રસાદિરૂપે પરિણામને પામે છે. એટલે કે પુલોના એ બધા પરિણામો છે.
પ્રસ્તુતમાં જે પરિણામો અભિપ્રેત છે, તે બધાનો જ ઉલ્લેખ પાંચમા પદમાં પર્યાય શબ્દથી થયેલ છે. વળી, તે પદનું નામ તો વિશેષપદ છે, છતાં ભેદો બતાવતી વખતે વિશેષ શબ્દને બદલે પર્યાય શબ્દનો પ્રયોગ છે. વળી, તેરમા પદમાં તે જ બધાને “પરિણામ” નામે ઓળખાવ્યા છે. તો વિચારવાનું એ છે કે પરિણામ, વિશેષ અને પર્યાય—એ શબ્દો ભિન્નાર્થક છે કે એકાઈક?
આચાર્ય મલયગિરિ પ્રમાણે તો પુદ્ગલ દ્રવ્યોની જે વિવિધ અવસ્થાઓ છે, તે પરિણામ છે એમ ઉક્ત વ્યાખ્યા ઉપરથી ફલિત થાય છે. પાંચમા વિશેષપદનો કશો જ અર્થ પદોની ગણતરી સમયે (સૂત્ર ૨) આચાર્ય મલયગિરિ કરતા નથી. અને પાંચમા પદના પ્રારંભમાં તે પર્યાયપદ હોય એમ જ વ્યાખ્યા શરૂ કરે છે. એટલે કે તેમને મતે વિશેષ અને પર્યાય એકાર્થક જ છે. અને સૂત્રકારને મતે પણ તેમ જ છે, કારણ, પ્રારંભમાં પ્રજ્ઞાપનાનાં ૩૬ પદો (સૂત્ર ૨) ગણાવ્યાં ત્યારે પદનું નામ “વિશેષ” આપ્યું. પણ પાંચમાં પદનો પ્રથમ પ્રશ્ન છે “વિશr of મંતે વનવા Gorar?” (સૂત્ર ૪૩૮)–આથી પણ સિદ્ધ થાય છે કે સૂત્રકાર પર્યાય અને વિશેષને એકર્થક માને છે. આ જ વસ્તુને પર્યાય શબ્દની વ્યાખ્યા કરતાં આચાર્ય મલયગિરિ કહે છે-“તત્ર ઘચા વિરોણા ધર્મા કૃત્યનાથનતમ ટીકા, પત્ર ૧૭૯. પ્રસ્તુતમાં પર્યાયનો સમાનાર્થક શબ્દ “ગુણ” પણ આચાર્ય જણાવ્યો છે. તેનું કારણ એ છે કે પ્રથમ પદમાં રસ વગેરે, જેને બીજા દાર્શનિકો “ગુણ” કહે છે, તે પણ ખરી રીતે તો પર્યાય જ છે, કારણ, પ્રથમ પદમાં તેનો સંબધ પરિણામ સાથે છે, એ તો સ્પષ્ટ છે. આથી સૂત્રકારને મતે પરિણામ, પર્યાય, ગુણ અને વિશેષ એ બધા શબ્દો સમાનાર્થક છે. બૌદ્ધો રૂપરસાદિને “ધર્મ' શબ્દથી ઓળખાવે છે તેથી તેનો પણ સમાવેશ પર્યાયના સમાનાર્થક શબ્દોમાં કર્યો છે.
પ્રસ્તુતમાં આચાર્ય મલયગિરિએ ગુણ અને પર્યાયને સમાનાર્થક શબ્દો જણાવ્યા છે, પરંતુ પર્યાય અને ગુણ જુદા છે કે એક છે એ વિષેનો વિવાદ છે. અને તેના મૂળમાં ઉત્તરાધ્યયન, અ૦ ૨૮, ગા. ૫ માં દ્રવ્ય, ગુણ અને પર્યાયનો પૃથ ઉલ્લેખ અને તે પછી ત્રણેનાં લક્ષણે કર્યો છે તે, અને “નવયવ દ્રવ્ય આચાર્ય ઉમાસ્વાતિનું સૂત્ર (૫.૩૧) હોય એમ જણાય છે. કારણ
સ્વયં ઉમાસ્વાતિએ ભાષ્યમાં તેની જ વ્યાખ્યા કરી છે, તેમાં તમયે ચત્ર વિદ્યત્તે તત્ દ્રષ્યમ્ (૫.૩૭) એમ જણાવ્યું છે. તેથી તેમને મતે ગુણ અને પર્યાય જુદા કરે છે. પરંતુ ટીકાકાર સિદ્ધસેને તો “વસ્તુતઃ પર્યાયા રૂટ્યા-—એવી વ્યાખ્યા કરીને આચાર્ય મલયગિરિનો માર્ગ સરલ કરી આપ્યો છે. ગુણ અને પર્યાયની સમગ્રભારે ચર્ચા માટે સન્મતિતર્ક પ્રકરણ ભાગ ૫, પૃ. ૬૩૧, ટિપ્પણ નં. ૪ જોવું જરૂરી છે. વળી, ગુણ શબ્દના કવ્યાદિ નિક્ષેપો વિષે આચારાંગ નિયુક્તિ, ગા. ૧૬૯થી જેવી જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org