Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
.[૨૫]. પ્રકરણ, જેનો વિશેષ સંબંધ પ્રજ્ઞાપના સાથે છે, તે પ્રજ્ઞાપના કરતાં પ્રાચીન છે. ઉવવાય અને પ્રજ્ઞાપનામાં પ્રારંભ અને અંતની ગાથા વિષે વિભેદ છે. સંભવ તો વધારે એ જણાય છે કે પ્રજ્ઞાપના ઉવવા કરતાં પ્રાચીન હોવું જોઈએ.
પરંપરા પ્રમાણે નિગોદવ્યાખ્યાતા કાલક” અને “શ્યામ” આચાર્ય એક મનાય છે, કારણ, એ બે શબ્દો એકર્થક જ છે. પરંપરા પ્રમાણે તેઓ વીર નિર્વાણ ૩૩૫માં યુગપ્રધાન થયા અને ૩૭૬ સુધી જીવ્યા. આથી પ્રજ્ઞાપના જે તે જ કાલકની રચના હોય તો વીરનિર્વાણ ૩૩૫-૩૭૬ વચ્ચેની રચના હશે. અર્થાત્ વિક્રમ પૂર્વે ૧૩૫–૯૪, ઇસ્વીસન પૂર્વે ૭૮-૩૮ વચ્ચે તે રચાયું હશે. પ્રથમ ભદ્રબાહુકૃત નિયુક્તિ માનવામાં આવે–અને તેમાં મૂળે જીવભેદો ઉત્તરાધ્યયન પ્રમાણે “૩૬” જ સ્વીકારાયા હતા, તેમ માનવાને કારણે છે--તો પ્રજ્ઞાપના નિર્યુક્તિ પછીની રચના ઠરે છે. અને ઉકત પ્રજ્ઞાપનાના સમય સાથે પ્રથમ ભદ્રબાહુના સમયનો પણ વિરોધ નથી, કારણ, તેઓ પ્રજ્ઞાપનાના સમય કરતાં પ્રાચીન જ મનાયા છે.
પખંડાગમ તેના વિદ્યમાન રૂપે ભદંત પુષ્પદંત-ભૂતબલિ એ બે આચાર્યોની રચના છે અને તેઓનો સમય વીર નિર્વાણ ૬૮૩ પછી ક્યારેક થનાર ધરસેનાચાર્ય પછી છે, એથી પ્રજ્ઞાપના પખંડાગમ પૂર્વની રચના છે તે નિશ્ચિત થાય છે. આથી કહી શકાય કે પખંડાગમમાં જે વિચારની પ્રૌઢતા અને વ્યવસ્થા તથા અનુયોગશેલીનું અનુસરણ દેખાય છે તે તેની ઉત્તરકાલીન સ્થિતિ હોવાને કારણે છે.
નંદીસૂત્રની આગમસૂચીમાં પ્રજ્ઞાપનાનો ઉલ્લેખ છે અને નંદી વિક્રમ સંવત ૧૨૩ પૂર્વની રચના છે. આથી તેના સમય સાથે પણ પ્રજ્ઞાપનાના ઉક્ત સમયનો કશો વિરોધ નથી.
પ્રજ્ઞાપનાનું મંગલ અને પંચનમસ્કાર મંત્ર પ્રજ્ઞાપનાના પ્રારંભમાં જે મંગલ ગાથાઓ છે તેમાં સર્વપ્રથમ સિદ્ધને નમસ્કાર છે, પછી જિનવરેન્દ્ર ભગવાન મહાવીરને નમસ્કાર કર્યો છે. પખંડાગમમાં પણ ધવલાકાર પ્રમાણે પ્રારંભમાં પંચનમસ્કારમંત્રનો નિર્દેશ છે. પ્રજ્ઞાપના મૂળ સૂત્રની લખાયેલી બધી જ પ્રતોમાં પણ પંચનમસ્કારનો નિર્દેશ મળે છે. પરંતુ આચાર્ય હરિભદ્ર અને મલયગિરિએ તેની વ્યાખ્યા નથી કરી તેથી તે મૂળ સૂત્રોતર્ગત નથી એવી માન્યતા સંપાદકોની છે, જેનો નિર્દેશ પ્રસ્તુત આવૃત્તિના પ્રારંભમાં પૃષ્ઠ ૧ના ટિપ્પણ ૧માં કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આવી માન્યતાનું મૂળ એ છે કે
જ્યારથી પંચનમસ્કારમંત્રનું માહાતમ્ય વધ્યું છે, ત્યારથી જૈનાગમોની પ્રતોમાં પ્રારંભમાં તે લખવાની પ્રથા અપનાવવામાં આવી હશે. તેથી તે વસ્તુત: તે તે ગ્રંથના પ્રારંભમાં ગ્રંથકર્તાએ મૂક્યો છે કે નહિ તેની ચકાસણી કરવી આવશ્યક છે.
પ્રજ્ઞાપનાના પ્રારંભના મંગળમાં પ્રથમ સિદ્ધને નમસ્કાર છે અને પછી અરિહંતને, તે તરફ પણ ધ્યાન દેવું જરૂરી છે. કારણ, પંચ નમસ્કારમાં પ્રથમ અરિહંત અને પછી સિદ્ધને નમસ્કાર છે. પ્રાચીન ઉલ્લેખો પ્રમાણે તીર્થકર દીક્ષા લેતી વખતે માત્ર સિદ્ધને નમસ્કાર કરે છે, તે પ્રત્યે ધ્યાન દેવામાં આવે તો મંગળપ્રથાના પ્રારંભમાં જૈનોમાં સિદ્ધને નમસ્કાર કરવાની પ્રથા શરૂ થઈ હતી તેમ માની શકાય. પરંતુ તીર્થકરો–અરિહંતો પ્રત્યક્ષ ઉપકારી હોવાથી પંચનમસ્કારમાં તેમને
૩૬. ડે. શાપેન્ટિયરને મતે આર્ય સ્થાનનો સમય લગભગ ઈ. પૂ. ૬૦ છે, ઉત્ત. પ્રસ્તાવના, પૃ. ૨૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org