________________
૧૪
આ સૂત્રને અનુવાદ કરવામાં બે છાપેલી પ્રતો અને બે હસ્તલિખિત પ્રતેને ઉપયોગ કર્યો છે, તેમજ શબ્દાર્થને સ્પષ્ટતાથી સમજાવવા માટે શતાવધાની પંડિતરાન શ્રી રત્નચંદ્રજી સ્વામી કૃત અર્ધમાગધી શબ્દકોષની મોટી સહાય મળી છે.
આ પુસ્તકની પ્રસ્તાવના લખવાનું વિધાન મુનિરત્નશ્રી પુણ્યવિજયજી (પ્રવર્તક શ્રી કાતિવિજયજીના શિષ્ય શ્રીમાન ચતુરવિજયજી મહારાજના શિષ્ય) એ સ્વીકાર્યું હતું, પરંતુ અનુવાદ કરીથી કરે પડો તેની પાછળ બહુ સમય ગયે અને પુસ્તક ઉતાવળે પ્રસિદ્ધ કરવાનું હતું તેથી છાપેલો ભાગ વાચી જવાનો પણ પૂરતે અવકાશ રહેવા પામે નહિ, એટલે તે પ્રસ્તાવના લખી શક્યા નહિ. તેમની પ્રસ્તાવનાથી ભગવાનની આ વાણી ઉપર કાઈ અને પ્રકાશ પડત, પરંતુ ઉપર જણાવેલા કારણથી તે બની શક્યું નથી.
છેવટે આ પુસ્તકનાઆ અનુવાદના વાચન-મનનથી કોઈ પણ જીવાત્મા કર્મના બંધનથી બંધાતા અટકે, આત્મજાગૃતિ અનુભવે. જગતના માયાવી પદાર્થોમા મુંઝાઈ રહી છે અનેક નેહાના મોટા પ્રાણુઓ સાથે વેર બાંધે છે અને જેનાં કટુ ફળો અનેક જન્માંતરમા ભેગવવા પડે છે તે વૈરબંધન કરતા અટકે, વિભાવરાથી નીકળી સ્વભાવમાં આવે, પિતાને પિતે ઓળખે, જગતના પ્રાણી માત્રની નિષ્કામ ભાવે સેવા કરવાની વૃત્તિ જાગૃત થાય અને જગતનાં સુખદુઃખને સમભાવે સહી લેવાની વૃત્તિ કેળવાય, પદે ગ્રાહક દૃષ્ટિ દૂર થાય, અને નાના પ્રકારના કર્મના ઉદયથી જેઓ પાપપંકમાં પડયા હોય તેની પ્રત્યે દેવ કે અભાવ ઉત્પન્ન થવાને બદલે તેની પ્રત્યે સમભાવ જાગૃત થાય, એટલું જ નહિ પણ ભિવ્ય લોકાપવાદના ભયને ત્યજી જગતથી ત્યજાએલાના સિદ્ધ સ્વરૂપી આત્મા સામે જોઈ તેની શુદ્ધ ભાવે સેવા કરવાની રૂચિ
ઉધ્યા ટી સામે છે