________________
પ્રસ્તુત પુસ્તકમા, હિંસા-જૂઠ-ચોરી-અબ્રહ્મચર્ય—પરિગ્રહ એ પાચ પ્રકારના આસવ કર્મનું આવવું, એ વિષે અધિકાર પ્રથમ ખંડ માં છે; અને અહિંસા–સત્ય-અસ્તેય–બ્રહ્મચર્ય—અપરિગ્રહ એ પાચ સંવરનો અધિકાર બીજા ખંડમા છે. એ વર્ણનની મહત્તા–ખુદ તીર્થકર દેવની વાણની મહત્તા હું પામર શું કહી શકું? વાચકેએ વિચારપૂર્વક આ સૂત્રનું મનનપૂર્વક વાચન કરવું, અને જે કોઈ પણ વાડાના દુરાગ્રહમા પિતાની બુદ્ધિને ગોંધી રાખ્યા વિના તટસ્થતાથી એકથી વધુ વાર આ શાસ્ત્રનું વાચન કરવામાં આવશે તે હું વિશ્વાસ પૂર્વક કહી શકું કે વાચનારને પિતાના માનવજીવનની ઉપયોગિતા અને આત્મકલ્યાણની સાચી સાધના જરૂર જડી આવશે. વૈદ તે દર્દની ચિકિત્સા કરી દવા આપી શકે, પછી દવા ખાવી અને કરી પાળવી અને આરોગ્ય પ્રાપ્ત કરવું કે કેમ તે તો દર્દીની મરજીની વાત છે. એ જ રીતે જન્મ જરા મરણ–ભવોગ મટાડવા માટેની અમૂલ્ય ઔષધિ શ્રી વીતરામદેવે આપણને આપી છે તેનો ઉપયોગ કે કરવો એ તે માનવની વૃત્તિ ઉપર જ આધાર રાખે છે ને!
મહારી શારીરિક અસ્વસ્થ પ્રકૃતિ અને બીજી કેટલીક પ્રવૃત્તિને લીધે તેમજ એક અશુદ્ધ પ્રતિ ઉપરથી કરાયેલું પ્રથમ વારનું ભાષાન્તર બીનઉપયોગી થવાથી આખુ ભાષાન્તર ફરી વાર લખવું પડેલું હેવાથી પુસ્તકપ્રસિદ્ધિમાં ધારવા કરતા ઘણી વધારે ઢીલ થઈ છે તેને માટે ઉદારચરિતે પાસે ક્ષમા યાચું છું. મારા હમેશના સહાયક સેવાપ્રેમી મુનિવર્ય શ્રી લક્ષ્મીચંદ્રજી મુનિની જે મને સંપૂર્ણ સહાય ન હોત તો હું જે કાંઈ આવી સાહિત્ય પ્રવૃત્તિ કરી શકું છું તે કદિ પણ ન જ બનત; એ એમની સહાય મારા પર ઉપકારક જ છે. વળી આ પુસ્તક જે કાઈ સુવાચ્ય બન્યું છે તે શ્રી ચુનીલાલ વર્ધમાન શાહના અથાગ શ્રમને આભારી છે, એ ઋણને પણ અત્ર સ્વીકાર કર જોઈએ.