________________
શા આધારે જનસમાજ માની બેઠેલ છે, તે આ લખનારથી સમજાતું નથી.
એ વાત તે સહુ કેઈ કબૂલ કરે છે કે–કરેલાં શુભાશુભ કર્મના ફળ કઈ પણ કાળે ભોગવવા તો પડે છે જ, અને તે પણ જ્યાસુધી આત્મા પિતાપિતાના સ્વરૂપને જાણે નહિ-વિભાવમાથી નીકળી સ્વભાવમાં ન આવે ત્યાં સુધી તે સદુદ્યમ કરી શકે નહિ. એ કર્મનાં આવરણોને દૂર કરવાને પોતે પિતાની શક્તિનો ઉપયોગ ન કરતાં મનને અધીન વર્તે ત્યાસુધી તે તે આત્માને પોતે કર્મથી નિર્લેપ હેવા છતા કર્મબંધનથી બંધાઈને જન્મ જરા મરણના અને જન્મ જન્માતોના ફળવિપાક ભેગવવા પડવાનાજ, કારણકે બંધન અને મુક્તિનું કારણ મન છે. એ મન જીતાઈ જાય, મન આત્માને અધીન બની જાય, મન મરી જાય, એટલે એજ ઘડીએ આત્માની દેહાધ્યાસાદિની સઘળી ભ્રમણા ટળી જાય અને સ્વસ્વરૂપમાં સ્થિત થઈ, અરણુંક મુનિ કે ગજસુકુમાર મુનિની પેઠે અલ્પ સમયમાં કૈવલ્યજ્ઞાન અને કૈવલ્યદર્શનને પ્રાપ્ત કરી કદાચ અંતકૃત કેવળ થઈને પરમ પદે સ્થિત થાય. એટલા માટેજ શ્રીવીતરાગ દેવે કહ્યું છે કે-જે નીચે ની પત્ત અર્થાત એક મનને જીત્યું એટલે પાચે ઇધેિ છતાઈ ગઈ, અને પાંચ ઈ દિયોના વિષય છતાયા એટલે સર્વ કાઈ છતાઈ ગયું. શ્રીમાન આનંદઘનજી મહારાજે શ્રી કુંથુનાથજીના સ્તવનમાં કહ્યું છે કે “મન જીત્યું તેણે સઘળુંરે જીત્યું, એ વાત નહિ ટી.” આ કથન સંપૂર્ણ સત્ય છે.
મનને જીતવા માટે અને કર્મનાં આવરણ દૂર કરવા માટે કર્મના સ્વરૂપને જાણવું જોઈએ, કારણકે જે વસ્તુસ્થિતિ હાનિકારક હોય, જે પ્રવૃત્તિથી કોઈ પણ જાતનું નુકસાન થતું હોય, તે વસ્તુ અથવા પ્રવૃત્તિના યથાર્થ સ્વરૂપને જાણવું જોઈએ. તેના