________________
યથાર્થ સ્વરૂપને જાણ્યા સિવાય તેને ભય ન થાય અને ભય થયા સિવાય તેનો ત્યાગ પણ થઈ શકે નહિ; અફીણ કે સેમલ વગેરેની ઓળખાણ ન થઈ હોય, તેના પરિણામને જાણ્યું ન હોય તો અજાશુપણે પણ તેને ઉપયોગ થવાને સંભવ રહે છે; અને એ રવરૂપને જાણનારાઓ મરણુભયથી અને જીવવાની આશાથી, ઝેરથી દૂર ના છે. એવી જ રીતે કર્મના સ્વરૂપને જાણવાની અત્યંત આવશ્યકતા છે. એ આવશ્યકતા પૂર્ણ કરવા માટેજ શ્રી વીર પ્રભુએ શ્રીપ્રશ્નવ્યાકરણ સૂત્રમાં કર્મબંધને કેવી રીતે નિવિડ અને શિથિલ બંધાય છે, આત્મા કઈ રીતે કર્મનાં આવરણથી વધુ ને વધુ આવરાય છે, અને એ આવરણે કઈ રીતે દૂર કરી શકાય છે, વગેરે વિસ્તારપૂર્વક કહ્યું છે. કર્મના પ્રવાહને આવવાના જ્ઞાનની જેટલે અંશે જરૂર છે તેટલેજ અશે તે પ્રવાહને રોકવાના જ્ઞાનની પણ જરૂર છે. એ જ્ઞાન પણ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં શ્રી વીરપ્રભુએ બહુ ઝીણવટથી સમજાવેલું છે. સૂત્રની મૂળ ભાષા અર્ધમાગધી હોવાથી એના અભ્યાસીઓ બહુ થોડા હોય છે એટલે તેનો લાભ સામાન્ય જન સમાજ લઈ શકતા નથી. તેથી યથાશક્તિ આ અનુવાદનો પ્રયત્ન કર્યા છે. તે કેટલે અંશે સફળ થયો છે તે તે વિદ્વાન વાચકે કહી શકે.
એક વિશેષ વાત. સૂત્રમાં સ્થળે સ્થળે મુનિને માટે મઘમાંસાદિના ત્યાગની સૂચના આવે છે. આ ઉપરથી સામાન્ય રીતે લેકે કદાચ માની લે કે એ કાળે જૈન મુનિઓમાં એ પ્રવૃત્તિ ભગવાને જોઇ હશે અને તેથી તેને ત્યાગ કરવા કહ્યું હશે. આવી માન્યતા ભૂલભરેલી છે. તે કાળે અનેક પાના ત્યાગીઓ, સાધુ અને શ્રમણ તરીકે મનાતા અને તેમાના કેટલાકમા એ પ્રવૃત્તિ જોઈને જૈન સાધુને તેઓથી જાદા પાડવા અને ઓળખાવવા માટે એ સૂચન તેમાં સમારેલું હોય એ મારો અભિપ્રાય છે; છતા મને લાગે છે કે આ વિષય ઉપર વિશેષ પ્રકાશ અને સ્પષ્ટતા સાથે તેમજ ઇતિહાસદૃષ્ટિથી લખાએલો એકાદ વિસ્તૃત નિબંધ વર્તમાન જૈન સાહિત્યમાં હેવો જોઈએ છે.