________________
આરાધના કરો છો ને? એમાં જ્ઞાનપદની ય આરાધના ખરી? જ્ઞાનીઓએ એને કેવું ઓળખાવ્યું છે?
ભક્ષ્યાભઢ્ય ન જે વિણ લહીએ, પેચ-અપેય વિચાર; કન્યાકુત્ય પ્રગટ સવિ જેહથી, જ્ઞાન તે સકલ આધાર.
રે ભવિયા ! સિદ્ધચક્ર પદ વંદો.” ભગવાન પર પ્રીતિ કેટલી? :
તો આવું જ્ઞાનપદ માન્ય છે ને? પછી શું બોલાય ખરું કે “મારે પૂજા-દર્શનમાં દોઢ કલાક લાગે છે તેથી વ્યાખ્યાન નથી જતો?” રોજ પૂજાની જેમ રોજ નવનવી જ્ઞાન પ્રાપ્તિ વિના ચાલે ? એ વિના શું ભક્ષ્ય-અભક્ષ્ય વગેરેનો વિવેક વધશે ? કૃત્યાકૃત્યનો પ્રકાશ વધશે? જો એ નહિ, તો આગળ વધાશે? ત્યારે “મારે આ કામ છે, ને તે કામ છે,' એમ સાંસારિક ઉપાધિઓમાં દટાઈ રહી જિનવચનના બોધની મૂડી વધાર્યો જવી નથી, અરે ! થોડો પણ એનો પરિચય રાખવો નથી. એને ભગવાન પર પ્રીતિ કેટલી? ભગવાનની પોતાની મુખ્ય સમૃદ્ધિ, મુખ્ય વ્યવસાય, મુખ્ય Mission કાર્ય તો તત્ત્વ બોધ છે; એમાં આપણને રસ નહિ ? ને છતાં કહીએ કે ભગવાનમાં આપણને રસ છે? ઘેર કોઈ મળવા આવે, ને એ પોતાની મુખ્ય વાત પ્રેમથી કરે, એમાં આપણે જરાય રસ ન દેખાડીએ, ને છતાં સવાલો કરીએ કે મને તમારા પર બહુ પ્રેમ છે, રસ છે એ સામો શાનું સ્વીકારી લે? કોઈ દર્દીની ખબર કાઢવા ગયા, ને ત્યાં જઈ એની આગળ એના દરદની વાતમાં આપણે કશો રસ ન દેખાડ્યો, ઊલટું આપણું દરદ ને આપણી મુશીબત ગાયા કરી, પછી સામો શી રીતે માને કે આપણને એનામાં રસ છે? એમ અહીં જો ભગવાનના વચનમાં આપણને રસ નથી, તો ભગવાનમાં રસ કેવો ? જિનવચન તો જિનની મુખ્ય ચીજ છે. જિનમંદિર, જિનસંઘ, જૈને ધાર્મિકક્ષેત્રો, જૈન તીર્થો,... ઇત્યાદિ બધુંય જિનની વસ્તુ કહેવાય, પરંતુ બધુંજ જિનશાસન-જિનવચનની પાછળ ! કેમકે જિનશાસન-જિનપ્રવચનમાં જે રીતે ફરમાવ્યું હોય એ રીતે જ એ મંદિર-ઉપાશ્રય-ધાર્મિકક્ષેત્રાદિ ઊભાં થાય આરાધાય અને ચાલે. માટે જ,
જિનવચનનો પરિચય રોજનો ચાલવો જોઈએ, જેથી
(૧) એક તો એ અંતરમાં દ્રઢપણે પરિણમતું જાય, બુદ્ધિ એના ઢાંચામાં ઢળાતી જાય, એની લાઈને ઘડાતી આવે, યાવત સહજ જિનવચનાનુસારી બની જાય; અને
(૨) બીજું એ કે જિનવચનના રોજના પરિચયથી નવા નવા તત્ત્વપ્રકાશ, માર્ગપ્રકાશ, વિધિપ્રકાશ કર્તવ્યપ્રકાશ વગેરે પ્રાપ્ત થતા જાય.
આ બે મહાન લાભ આમાંથી જ મળે, અને આ લાભ વિના ચાલી શકે એવું નથી, તેથી જિનવચનનો પરિચય રોજનો રાખવાનો છે, તપ કરો, જપ કરો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org