________________
| શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન કીડા-કીડી કે પશુ-પંખી ય જડ માટીના માલને તો કિંમતી સમજે છે. વિશિષ્ટ માનવબુદ્ધિએ પણ આ જ ગણતરી ? કે ગણતરી કોઈક ઊંચી વિવેકવાળી હોય? જ્ઞાનીઓ તો આ કહે છે કે શ્રાવક “ધર્મમાં ધનબુદ્ધિ', “જિનપૂજા-સત્કારમાં ઘનબુદ્ધિ”, “જિનવચનમાં ધનબુદ્ધિ' ઘરનારી હોય, અર્થાત્ એ ઘર્મને સાચું ધન માને, જિનેશ્વર ભગવંતની પુષ્પાદિપૂજા અને આભૂષણાદિ સત્કારને સાચું ધન ગણે, જિનભાષિત વચનને ખરું ધન ગણે. એ કમાવામાં લંપટ અર્થાત્ અધિકાધિક સ્પૃહાવાળો હોય, પરંતુ સંતોષ વાળી લેનારો નહિ, જિનવચનથી જ કરવાનું છે, અને એ અગાધ-અમાપ છે. એનો સંતોષવાળી લીધ્યે કેમ ચાલે?
માટે આજે ગણધરો અને આચાર્યોએ ગુંથેલા જિનવચનમાંથી ભલે થોડુંક જ મળે, પરંતુ એ ય ઓછું નથી! જીવનભર એને ભણે જઈએ ચિંતવ્ય જઈએ અને યાદ કર્યે જ જઈએ એટલું બધું છે !
અહીં આપણે શ્રી ભગવતીજી સૂત્ર વાંચવા-સાંભળવાનું છે. જિનવચનનો પારાવાર પ્રભાવ સમજતા હોઈશું તો આ વાંચવા-સાંભળવામાં અપાર રસ રહેશે. નહિતર પછી “પૈસા એ પૈસા, બાકી બધું હેઠ” એ બુદ્ધિ રાખવામાં આ અણમોલ ગણધરવારસાની કદર નહિ રહે, એ મેળવવાની નિત્ય લગની અને નિત્ય ઉદ્યમ નહિ જાગે, માટીના ઘનમાં લીન બનેલાને તો, ધાન્યના ધનેરાની જેમ, એમાંથી બહાર નીકળવાનું મન જ શાનું થાય ? “જિનવચન જેવું નિધાન જગતમાં નથી, જિનવચન જેવો પાલક-પોષક-તારણહાર કોઈ રનના ય ઢગલા નથી,' એ વસંત માન્યતા રખાય, તો એમાં ધરાયા વિના પરિશ્રમ કર્યે જવાય. અને એનો લાભ કેટલો બધો ? ભવાંતરે પણ પછી થોડું પણ જિનવચન મળતાં આત્માને એકદમ ઊંચે ચડાવી દે !
આ ૨. પ્રભુદર્શનનો પ્રભાવ
શાસ્ત્રમાં નરસિંહનું દૃષ્ટાંત આવે છે.
નરસિંહ પૂર્વભવે ભિખારી હતો, ભીખ માંગતાં ય પેટ પુરાતું નહોતું, તેથી નગર છોડી બીજે ગામ જવા નીકળ્યો, સાધુ મળ્યા.
સાધુને એ કહે, “મહારાજ ! ભીખ માગવા ઘર ઘર ફરું છું છતાં મળતું નથી. મને કાંક બતાવો.'
સાધુ કહે તું ધર્મ કર, ધર્મ વિના સુખ ન મળે. આ પૂર્વભવે તે ધર્મ નહિ કર્યો હોય એટલે તો અહીં મળતું નથી. હવે અહીં ધર્મ નહિ કરે તો આગળ શું જોવા મળશે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org