SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી ભગવતીજી સુત્ર-વિવેચન કીડા-કીડી કે પશુ-પંખી ય જડ માટીના માલને તો કિંમતી સમજે છે. વિશિષ્ટ માનવબુદ્ધિએ પણ આ જ ગણતરી ? કે ગણતરી કોઈક ઊંચી વિવેકવાળી હોય? જ્ઞાનીઓ તો આ કહે છે કે શ્રાવક “ધર્મમાં ધનબુદ્ધિ', “જિનપૂજા-સત્કારમાં ઘનબુદ્ધિ”, “જિનવચનમાં ધનબુદ્ધિ' ઘરનારી હોય, અર્થાત્ એ ઘર્મને સાચું ધન માને, જિનેશ્વર ભગવંતની પુષ્પાદિપૂજા અને આભૂષણાદિ સત્કારને સાચું ધન ગણે, જિનભાષિત વચનને ખરું ધન ગણે. એ કમાવામાં લંપટ અર્થાત્ અધિકાધિક સ્પૃહાવાળો હોય, પરંતુ સંતોષ વાળી લેનારો નહિ, જિનવચનથી જ કરવાનું છે, અને એ અગાધ-અમાપ છે. એનો સંતોષવાળી લીધ્યે કેમ ચાલે? માટે આજે ગણધરો અને આચાર્યોએ ગુંથેલા જિનવચનમાંથી ભલે થોડુંક જ મળે, પરંતુ એ ય ઓછું નથી! જીવનભર એને ભણે જઈએ ચિંતવ્ય જઈએ અને યાદ કર્યે જ જઈએ એટલું બધું છે ! અહીં આપણે શ્રી ભગવતીજી સૂત્ર વાંચવા-સાંભળવાનું છે. જિનવચનનો પારાવાર પ્રભાવ સમજતા હોઈશું તો આ વાંચવા-સાંભળવામાં અપાર રસ રહેશે. નહિતર પછી “પૈસા એ પૈસા, બાકી બધું હેઠ” એ બુદ્ધિ રાખવામાં આ અણમોલ ગણધરવારસાની કદર નહિ રહે, એ મેળવવાની નિત્ય લગની અને નિત્ય ઉદ્યમ નહિ જાગે, માટીના ઘનમાં લીન બનેલાને તો, ધાન્યના ધનેરાની જેમ, એમાંથી બહાર નીકળવાનું મન જ શાનું થાય ? “જિનવચન જેવું નિધાન જગતમાં નથી, જિનવચન જેવો પાલક-પોષક-તારણહાર કોઈ રનના ય ઢગલા નથી,' એ વસંત માન્યતા રખાય, તો એમાં ધરાયા વિના પરિશ્રમ કર્યે જવાય. અને એનો લાભ કેટલો બધો ? ભવાંતરે પણ પછી થોડું પણ જિનવચન મળતાં આત્માને એકદમ ઊંચે ચડાવી દે ! આ ૨. પ્રભુદર્શનનો પ્રભાવ શાસ્ત્રમાં નરસિંહનું દૃષ્ટાંત આવે છે. નરસિંહ પૂર્વભવે ભિખારી હતો, ભીખ માંગતાં ય પેટ પુરાતું નહોતું, તેથી નગર છોડી બીજે ગામ જવા નીકળ્યો, સાધુ મળ્યા. સાધુને એ કહે, “મહારાજ ! ભીખ માગવા ઘર ઘર ફરું છું છતાં મળતું નથી. મને કાંક બતાવો.' સાધુ કહે તું ધર્મ કર, ધર્મ વિના સુખ ન મળે. આ પૂર્વભવે તે ધર્મ નહિ કર્યો હોય એટલે તો અહીં મળતું નથી. હવે અહીં ધર્મ નહિ કરે તો આગળ શું જોવા મળશે ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004955
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy