Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 64
________________ ૪. શ્રી ભગવતી સૂત્રમાં શું છે ? A વર્તમાનમાં મળતા શ્રુતમાં અંગસૂત્રો ૧૧, ઉપાંગ ૧૨, છેદ ૬, મૂળ ૪, પન્ના ૧૦ અને નંદી-અનુયોગ ર એમ ૪૫ આગમ છે, એના પર નિર્યુકિત-ભાગ્ય-ચૂર્ણટીકા, એ મળી પંચાંગી આગમ બને છે. ઉપરાંત ઉપદેશમાલા, પ્રશમરતિ, સન્મતિતર્ક, અનેકાંતવાદ, કમ્મપયડી, પંચસંગ્રહ વગેરે અનેકાનેક શાસ્ત્રો એ પણ શ્રત છે. આમાં ૧૧ અંગસૂત્રો પૈકી પહેલું આચારાંગ, પછી સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, બાદ પાંચમું અંગ વિવાહપન્નતિ એજ શ્રી ભગવતી સૂત્ર કહેવાય છે. આના પર અહીં વ્યાખ્યાન કરવાનાં છે. શ્રી ભગવતી સૂત્રમાં અનેકાનેક વિષયો પર ગૌતમસ્વામિજી વગેરેના પ્રશ્નો છે, અને પ્રભુશ્રી મહાવીર દેવના એના ઉત્તરો છે. એમાં ભરચક મસાલો છે. વિજ્ઞાનની જ્યાં ચાંચ ખૂંચે નહિં, એવા પદાર્થો એમાં બતાવ્યા છે. એમ જે વાત વિજ્ઞાન આજે સાબિત કરે છે એ વાત અહીં અઢી હજાર વર્ષ પૂર્વે કહેવાઈ ગયેલી પડી છે. એ બધી વાતો મહાબુદ્ધિવિધાનોથી મનાતી સ્વીકારાતી આવી છે. શું શાસ્ત્રોમાં લખી નાખી એટલા માત્રથી માની લેવાની ?હા અનંતજ્ઞાની વીતરાગ ભગવાનથી કહેવાયેલી છે, સર્વજ્ઞવચન છે, માટે અજ્ઞાન એવા આપણે અવશ્ય માની લેવાની. કહે છે “આજે બુદ્ધિવાદનો યુગ છે એમાં એમ કેવી રીતે મનાય?' પણ ખરો બુદ્ધિવાદ તો પૂર્વે હતો કે જ્યાં સનાતન કાળથી સંસારમાં પરિભ્રમણ કરતા ચેતન તત્ત્વને મુખ્ય નજર સામે રાખીને સચોટ સૂક્ષ્મ તર્કના આધાર પર વસ્તુનિર્ણય કરાવામાં આવતો. આજ તો નજરમાં જડને જ મુખ્ય રાખી વિચાર કરાય છે. ત્યાં વિકસ્વર બુદ્ધિવાદ શાનો? મુદ્દામા ચેતન તત્ત્વનું જ વિસ્મરણ કરીને વિચાર કરાય તે શું બુદ્ધિનો ઉપયોગ છે? જુઓ વિચારો કે વિજ્ઞાનની વાતો થાય છે એ વખતે ચેતન આત્મા એના ભાવો અને ઈદ્રિયાદિ આશ્રવો એથી એના પર કર્યજૂથનાં સર્જન-બંધન,એના વિપાકમાં આ ચતુર્ગતિમય સંસારમાં આત્માની દુઃખદ દુર્દશા વગેરે કશું લક્ષમાં ખરું? આટલા મહાઅગત્યના અને જડ પર અસર કરનારા આત્મતત્ત્વ પર દ્રષ્ટિ જ નહિ એ શું વિકસિત બુદ્ધિનો યુગ છે? કે જ્યારે એ લક્ષમાં રાખીને વિચાર થતો હતો, એ બુદ્ધિયુગ? પરંતુ એમ કહો કે આજના બુદ્ધિવાદનો અર્થ એવો છે કે પ્રત્યક્ષ દેખાય એના પર વિચાર કરવાનું માને. ત્યારે શું જગતના પદાર્થ બધા જ ચર્મચક્ષુથી દેખાય એવા જ છે? કે અતીન્દ્રિય પદાર્થો પણ છે? એનું ઉઠાંતરૂં કરાય એ શું બુદ્ધિનો ઉપયોગ છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126