________________
શ્રી ભગવતીજી સત્ર-વિવેચન
છોકરી જરા રાશિ, પણ ગમે તેમ ઓઠકોઠ કરીને ઠેકાણે તો પાડવીને ?’ એટલે આ વાતોડિયો કહેશે કે ‘હાસ્તો, ઠેકાણે પાડવી જ પડે ને ?' શું કર્યું આ ? સામો એ ઠેકાણું પાડવામાં જે માયા-પ્રપંચ રમે એમાં મત્તું માર્યું ! સંમતિ આપી, ભયંકર પાપ ‘માયા’ની અનુમોદના કરી ! આવાં આવાં તો કેઈ દુષ્ટ પાપો વાતોના ચડસમાં પોષાય છે.
માટે જ બહેતર છે કે ઘરના ખૂણે બેસી રહેવું અથવા સંતસાધુના સંસર્ગ સાધવા, વાંચન કરવું કે જાપ વગેરે કરવો, પણ વાતો-વિકથા-કુથલીમાં લેશ પણ નહિ ઉતરવું.
માન-પ્રતિષ્ઠાની લંપટતા
જગતમાં ધર્મ૨સ ન જાગવા દેનારી અને ધર્મ ભૂલાવનારી લંપટતાઓ કેટકેટલી
છે ?
વાતોના રસની જેમ માન-પ્રતિષ્ઠાની લંપટતા પણ ધર્મ ભૂલાવે છે, ધર્મરસ જ જાગવા નથી દેતી. એ તો એક જ જોશે કે ‘આપણને માન ક્યાં મળે છે ? આપણે સારા કેમ લાગીએ ? આપણી પ્રતિષ્ઠા કેમ વધે ?' અર્થ-કામ-ઠઠારાની લંપટ દુનિયામાં સારા દેખાવું છે, માન મેળવવું છે, આબરૂ વધારવી છે, એટલે પછી જીવ એ અર્થ, કામ, વિષયો અને દેખાવ-ઠઠારાની પ્રવૃત્તિમાં જ લાગ્યો રહેવાનો. ત્યાં ધર્મને જગા જ શાની મળે ? ધર્મ કદાચ ક૨વાનું કરે, તો પણ એની પાછળ આશય તો માન મેળવવાનો જ હોય એટલે પછી ધર્મ તરીકે ધર્મનો રસ હોય જ શાનો ?
શુદ્ધ ધર્મરસ કેવો :
આ જો રસ હોય તો તો મનને એમ થાય કે દુનિયાના બાહ્ય માન-સન્માનની આકાંક્ષા એ તો લોભપાપ છે, અને લોભ સૌથી ભૂંડું પાપ છે. તો કમમાં કમ જ્યારે હું ધર્મસાધનામાં જોડાઉં છું ત્યારે તો એ આકાંક્ષાના પાપને દૂર રાખું. કેમકે એ આકાંક્ષા ચિત્તના અધ્યવસાયરૂપ છે એટલે જો એ ઊભી હશે તો નિર્લોભતાની અર્હત્વત્યાગની, જિનવચનરાગની વગેરે વગેરે ધર્મ આકાંક્ષાને જગા ક્યાંથી મળશે ? પેલી માનાકાંક્ષાનો અશુભ અધ્યવસાય રહેવામાં આ ધર્મઆકાંક્ષાના શુભ અધ્યવસાયની ઉપેક્ષા-બેપરવાહી રહેવાની ! ધર્મ કરીને ધર્મરસ પોષવાને બદલે પાપ પોષાવાનું ! એ કેમ પાલવે ? માટે આ માનની લાલસા ભૂંડી !
બાહુબળજીના યુદ્ધભૂમિ ઉપર બાર બાર મહિના સુધી ચારિત્ર, સળંગ ઉપવાસો અને કાઉસ્સગ્ગધ્યાને એક સ્થાન પર ખડા રહેવાની ધર્મસાધના ક્યાં કમ હતી ? છતાં કેવળજ્ઞાન ક્યારે મળ્યું ? પેલી માનાકાંક્ષા, માનની લાગણી, કે ‘મારે કેવળજ્ઞાની નાના ભાઈઓને વંદન ન કરવું પડે' એ ઊભી હતી ત્યાં સુધી નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org