Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005550/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર સંબોધિ-પુરાતત્ત્વ-વિશેષાંક-૨ લેખક મધુસૂદન ઢાંકી સંપાદક જિતેન્દ્ર શાહ લા.દ.શ્રેણી: ૧૪૮ भारतीय दलपतभाई संस्कृति • अहमदाबाद બાર લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિધામંદિર અમદાવાદ-૩૮૦ ૦૦૯ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર (સંબોધિ-પુરાતત્ત્વ-વિશેષાંક-૨) લેખક મધુસૂદન ઢાંકી સંપાદક જિતેન્દ્ર શાહ भारती विधामंकि लालमा લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ-૩૮૦ ૦૦૯ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ લા. દ. શ્રેણી: ૧૪૮ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર (સંબોધિ-પુરાતત્ત્વ-વિશેષાંક-૨) લેખક મધુસૂદન ઢાંકી સંપાદક જિતેન્દ્ર શાહ સૌજન્ય ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ ખાતું પ્રકાશક જિતેન્દ્ર બી. શાહ નિયામક લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ © લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર આવૃત્તિ: ૨૦૧૦ પ્રત : ૩OO ISBN 81-8585730-X કિંમત : રૂા. ૨૦૦/ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ગુજરાતમાં ગિરનાર, શત્રુંજય, તારંગા આદિ સુપ્રસિદ્ધ જૈન તીર્થો આવેલાં છે. તેમાં પાલિતાણા - શત્રુંજય પછી સહુથી વધુ મહિમાવંત તીર્થ ગિરનાર છે. જૈન પરંપરા અનુસાર આ તીર્થ પ્રાયઃ શાશ્વત છે. વર્તમાન ચોવીસીના બાવીસમા તીર્થંકર નેમિનાથ ભગવાનના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણકથી આ તીર્થ પાવનકારી બન્યું છે. આ મહિમાવંત ગિરનારતીર્થને ઉજ્જયંત ગિરિ, રેવતગિરિ કે ગિરનારજી તરીકે પણ ઓળખવામાં આવે છે. આગમિક સાહિત્ય, કાવ્યો, પ્રશસ્તિઓ, પ્રબંધો, રાસો અને ચૈત્યપરિપાટીઓમાં આ તીર્થ વિશે ઘણી માહિતી પ્રાપ્ત થાય છે. આગમ સાહિત્ય અને અન્ય ગ્રંથોમાં આ તીર્થનો ઉલ્લેખ મળે છે. સહસાવનમાં જિન અરિષ્ટનેમિનાં દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક થયાં હતાં અને પાંચમી ટૂંક ઉપર મોક્ષકલ્યાણક થયું હતું. કલ્યાણકભૂમિ તેમજ નિર્વાણભૂમિ હોવાથી મહાત્માઓ અને સાધકો આત્મકલ્યાણ સાધવા અને સલ્લેખન અર્થે આ તીર્થ ઉપર આવતા હતા. જિનબન્દુમુનિ રથનેમિ, રાજીમતિ, આદિ સાધકોની સાધનાનો ઈતિહાસ આ તીર્થ સાથે જોડાયેલો હોવાથી તેનો મહિમા વિશેષ ગૌરવવંતો બન્યો છે. આચાર્ય બપ્પભટ્ટસૂરિ, હેમચંદ્રસૂરિ આદિ મુનિવરોએ આ તીર્થની યાત્રા કરેલી. સંઘને લઈને અહીં યાત્રાર્થે આવ્યા છે. સિદ્ધરાજ, કુમારપાળ, સજ્જનમંત્રી, વસ્તુપાલ-તેજપાળ, પેથડશાહ આદિ પ્રતાપી જૈન શ્રાવકો, શ્રેષ્ઠીઓ અને સાધકો આ તીર્થની યાત્રાએ આવી અને જિનાલયોનું નિર્માણ કર્યું છે. ગિરનાર પરનાં જિનાલયોની કોતરણી જોઈએ છીએ ત્યારે નિર્માતાઓની જિનભક્તિનું અદૂભૂત ચિત્ર ઊપસી આવે છે. આથી એમ કહી શકાય કે આ જિનાલયો માત્ર જૈનોની જ ગૌરવગાથા છે તેવું નથી પરંતુ તે ગુજરાત દ્વારા ભારતીય સંસ્કૃતિને અપાયેલાં ઉત્તમ પ્રદાનોમાંનું એક છે. અહીં નેમિનાથની ટૂંક, વસ્તુપાલ-તેજપાળ આદિનાં જિનાલયો, સંપ્રતિરાજાની ટૂંક વગેરે ટૂંકોનાં જિનાલયો ધ્યાન ખેંચે તેવાં છે. તેનો ઇતિહાસ આશ્ચર્ય ઉપજાવે તેવો છે. પ્રસ્તુત ગ્રંથમાં જુદા સમયે ગિરનાર તીર્થ વિશે પ્રા મધુસૂદન ઢાંકીએ જુદા જુદા સમયે અને નોખા નોખા પ્રકાશનોમાં પ્રગટ કરેલા અનેક લેખોમાંથી ૧૩ લેખોનો સંગ્રહ છે. તેમણે અહીં ગિરનાર તીર્થનું વિષયવસ્તુ અને તેને લગતી સામગ્રી, પ્રમાણો અને પૂર્વવર્તી સામગ્રીનો અત્યંત ચુસ્તતાપૂર્વક ઉપયોગમાં લીધી છે. તેમની ભાષા, શૈલી અને નિરૂપણ પદ્ધતિ અસાધારણ ચોકસાઈવાળી છે. પ્રાઢાંકીનું વિવિધ ક્ષેત્રોમાં અનોખું પ્રદાન છે તેથી જ પ્રાઇ ભાયાણીએ તેમની પ્રતિભાને વિવિધક્ષેત્ર-સંચારિણી કહી For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રશંસા કરી છે. પ્રા૰ ઢાંકી ભારતીય પુરાતત્ત્વક્ષેત્રના અને કલા-ઈતિહાસ ક્ષેત્રના એક પ્રતિષ્ઠિત વિદ્વાન છે. તેમનામાં પુરાતત્ત્વ વિષયની વિદ્વત્તા અને સાહિત્ય કૃતિઓ અને શાસ્ત્રગ્રંથોનો પરામર્શ એકસાથે જોવા મળે છે. તેમણે લખેલી શત્રુંજય, ગિરનાર, દેલવાડા આદિ અનેક તીર્થોની કલા અને શિલ્પની દૃષ્ટિએ અત્યંત ઉપયોગી ચિત્રોસહિતની માહિતીથી સભર પરિચય પુસ્તિકાઓ પ્રકાશિત થયેલી છે. તેમના લેખોથી ઈતિહાસમાં રહેલી ક્ષતિઓ અને ધૂંધળાપણું દૂર થયું છે. એ લેખોમાં સમતોલપણું જોવા મળે છે. દરેક સંશોધન-લેખનું એકએક પાનું આવશ્યક ઐતિહાસિક સામગ્રીથી ખીચોખીચ ભરેલું છે. આથી પ્રા૰ ઢાંકીના આ લેખો ભારતીય સાહિત્યના ઈતિહાસમાં એક અગત્યનું પ્રદાન બની રહે છે. તેમના લેખો પ્રગટ કરવાની સંમતિ આપવા બદલ અમે તેમના ઋણી છીએ. અહીં પ્રકાશિત કરવામાં આવેલ ૧૩ લેખોના મૂળ સ્રોતોની સૂચિ અનુક્રમણિકા પછી આપવામાં આવી છે. લેખોમાં આવતી તસ્વીરોની સૂચિ પણ અલગ આપવામાં આવી છે. પ્રસ્તુત ગ્રંથ પ્રકાશિત કરવાનો વિચાર ગુજરાત સરકારના પુરાતત્ત્વ વિભાગના નિયામકશ્રી યદુવીરસિંહ રાવતે આપ્યો હતો. આ લેખ-સમુચ્ચય પ્રગટ કરવા માટે તેમના તરફથી અનુદાન પણ પ્રાપ્ત થયું છે. તે માટે અમે તેમના અત્યંત આભારી છીએ. આ લેખ-સમુચ્ચય સંશોધનકર્તાઓ ઉપયોગી નિવડશે એવી અમને શ્રદ્ધા છે. ગ્રંથ પ્રકાશનમાં સહયોગ કરનાર તમામના આભારી છીએ. ૨૦૧૦, અમદાવાદ. (૪) For Personal & Private Use Only જિતેન્દ્ર બી. શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ પ્રકાશકીય ડા, જિતેન્દ્ર શાહ લેખાનુક્રમ ૧. જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે ૨. તીર્થકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો ૩. જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃતભાષા-નિબદ્ધ “શ્રીરૈવતગિરિતીર્થસ્તોત્ર' ૬ ૩૫ ૪. જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ’ ૫. અજ્ઞાતકર્તક “શ્રી ગિરનાર ચેન્ન પરિવાડિ’ ૬. કર્ણસિંહકૃત ગિરનારસ્થ ‘ખરતરવસહી-ગીત’ ૭. ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દષ્ટિપાત ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે , ૯. ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો ૧૦. વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૩૮ ૬ ૨ ८८ ८८ ૧૧. સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” ૧૧૭ ૧૨. ઉજ્જયંતગિરિની “ખરતરવસહી ૧૩૪ ૧૩. ગિરનારસ્થ ‘કુમારવિહાર'ની સમસ્યા ૧૪૬ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર લેખોનો મૂળ સંદર્ભ ૧. “જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે.” પથિક, પુ. ૧૦૩, અમદાવાદ ડિસે. ૧૯૭૦. ૨. “તીર્થકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો,” સામીપ્ય, પુ. ૬, ૩-૪, અમદાવાદ ઑકટો. ૧૯૮૯-માર્ચ ૧૯૯૦. ૩. “જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃતભાષા-નિબદ્ધ “શ્રી રેવતતીર્થ સ્તોત્ર, જૈન વિદ્યા સે કયામ, (Pt. Bechardas Doshi, Commemoration Volume II), વારાણસી ૧૯૮૭. (અગરચંદ નાહટા સાથે સહલેખન). ૪. “જયતિલકસૂરિ વિરચિત “શ્રીગિરનાર ચૈત્ય પ્રવાડિ,” નૈન વિદ્યા છે. માયામ, (Pt. Bechardas Doshi Commemoration Volume II), વારાણસી ૧૯૮૭. (અગરચંદ નાહટા સાથે સહલેખન). ૫. “અજ્ઞાતકર્તક ‘શ્રી ગિરનાર ચેન્ન પરિવાડિ”, જૈન વિદ્યા માથામ, (Pt. Bechardas Doshi Commemoration Volume II), વારાણસી ૧૯૮૭. (સહલેખિકા વિધાત્રી વોરા). ૬. બકર્ણસિંહકૃત ગિરનારસ્થ ‘ખરતરવસહી-ગીત, નૈન વિદ્યા માયામ (Pt. Bechardas Doshi Commemoration Volume II), વારાણસી ૧૯૮૭. ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત,” સ્વાધ્યાય પુ૮.૪, વડોદરા વિ. સં. ૨૦૨૭ (ઈસ. ૧૯૭૧). ૮. “ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે, નૈવિદ્યા છે માયામ (Pt. Bechardas | Doshi Commemoration Volume 2), વારાણસી ૧૯૮૭. (સહલેખક લક્ષ્મણ ભોજક). ૯. “ઉજજયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો,” Rવદા . માયા, (Pt. Bechardas Doshi Commemoration Volume 2), વારાણસી ૧૯૮૭. (સહલેખક લક્ષ્મણ ભોજક) ૧૦. “વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ,” સ્વાધ્યાય પુ. ૪.૩, વડોદરા વિસં. ૨૦૨૩ (ઈ. સ. ૧૯૬૭) (સહલેખક હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી). (૬) For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૧. “સાહિત્ય અને શિલ્પમાં કલ્યાણત્રય,નિગ્રન્થ ૧, અમદાવાદ ૧૯૯૫. ૧૨. “ઉજ્જયંતગિરિની ખરતરવસહી ”, નૈવિદા ક્ષે માથામ (Pt. Bechardas Doshi Commemoration Volume 2), વારાણસી ૧૯૮૭. ૧૩. “ગિરનારસ્થ “કુમારવિહાર'ની સમસ્યા, વિદ્યા માયામ (Pt. Bechardas Doshi Commemoration Volume 2), વારાણસી ૧૯૮૭. (૭). For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ફોટોગ્રાફસની યાદી લેખ નં. ૮ - ઉજ્જયંતગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિશે. ચિત્ર ૧ - સં. ૧૧૯૪નો ઠક્કર જસયોગનો પાળિયો. ચિત્ર ૨ - સં. ૧૨૪૪ની પ્રજાનંદસૂરિની નિષેદિકા ચિત્ર ૩ - હાલ કહેવાતા સંગ્રામ સોનીના મંદિરના ગૂઢમંડપમાં રાખેલા સં૧૨૫૬ | ઈ. સ. ૧૨૦) ના લેખવાળો “નંદીશ્વર પટ્ટ'. લેખ નં. ૯ - ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો. ચિત્ર ૧ - નેમિનાથ જિનાલયની પશ્ચિમ તરફની ભમતીમાં સ્થાપેલ સં. ૧૨૮૨ | ઈ. સ. ૧૨૨૬નો આરસનો “નંદીશ્વર પટ્ટ'. ચિત્ર ૨ - નેમિનાથ જિનાલયની ભમતીનો સં. ૧૨૯૦ | ઈ. સ. ૧૨૩૪નો સમેતશિખર'નો આરસ પટ્ટ. લેખ નં. ૧૧ - “સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય'.” ચિત્ર ૧ - આબૂ-દેલવાડાની લૂણવસહીની હસ્તિશાલાની વચ્ચે રહેલી કલ્યાણત્રય'ની રચના. (ઈ. સ. ૧૨૩૨). ચિત્ર ૨ - રાણકપુર ચતુર્મુખ ધરણવિહાર-સ્થિત સં. ૧૫૧૫નો શ્રીગિરનાર શ્રી શત્રુંજય તીર્થ પટ્ટ. ચિત્ર ૩ - કુંભારિયા નેમિનાથ જિનાલયની ચોકી સં. ૧૩૪૪નો કલ્યાણત્રય-પટ્ટ. ચિત્ર ૪ - જેસલમેર સંભવનાથ જિનાલય, કલ્યાણત્રય સં. ૧૫૧૮ (ઈ. સ. ૧૪૬૨). લેખ નં. ૧૨ - “ઉજયંતગિરિની “ખરતરવસહી'.” ચિત્ર ૧ - મંડપોના સંધિભાગની એક નાભિમંદારક જાતિની છત. ઉત્તર મરુ-ગુર્જર શૈલી. પ્રાયઃ ઈ. સ. ૧૪૩૮. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૨ - ચોકીના એક અષ્ટકોણ છંદ પર રચેલ નાભિછંદ વિતાનમાં કંડારેલ હંસમાલા. ચિત્ર ૩ - મંડપોના સંધિભાગની એક અષ્ટકોણ તલની નાભિમંદારક પ્રકારની છત. ચિત્ર ૪ - અગ્નમંડપની છતોમાં એક કૃષ્ણ - ગોપલીલાની છત. ચિત્ર ૫ - રંગમંડપ, સભા-પા-મંદારક જાતિનો વિતાન. ચિત્ર ૬ - રંગમંડપ, વિકર્ણ-વિતાન, પ્રાસમુખ. ચિત્ર ૭ - ચોકીના ખત્તક પર કંડારેલ ઇલ્લિકાવલણ. ચિત્ર ૮ - અષ્ટાપદ પ્રાસાદના કરોટકના રૂપકંઠના મદલરૂપી વિદ્યાધરો. ચિત્ર ૯ - નંદીશ્વર પ્રાસાદના કોટકનો સભા-પદ્મ-મંદારક જાતિનો વિતાન. ચિત્ર ૧૦- નંદીશ્વર પ્રાસાદના કોટકનો સભા-પદ્મ-મંદારક જાતિનો વિતાન. ચિત્ર ૧૧ - નંદીશ્વર પ્રાસાદના વિતાનના કરોટકના મદલરૂપી વિદ્યાધરો. ચિત્ર ૧૨ - અષ્ટાપદ પ્રાસાદનો સભા-પદ્મ-મંદારક જાતિનો વિતાન. ચિત્ર ૧૩ - દક્ષિણ ભમતીમાં ભદ્રપ્રાસાદ પાસેના મોરા પાસે ખંભાતરમાં કોરેલ સુરેખ જાળી. | ચિત્ર ૧૪ - કોલરૂપી મધ્યભૂમા ફરતી દ્વાદશ ઉલ્લિત લૂમા ધરાવતી સમતલ છત. ચિત્ર ૧૫ - કોલરૂપી લૂમાઓ ધરાવતી એક સમતલ છતનો બચેલો ખંડ. ચિત્ર ૧૬ - પુષ્પપટ્ટીઓથી નિર્મિત થતો એક સમતલ વિતાન. ચિત્ર ૧૭ - શ્રૃંખલાબદ્ધ કોલરૂપી લૂમાઓ ધરાવતો સમતલ વિતાન. ચિત્ર ૧૮ - ૨૫ કોલજ-લૂમા યુક્ત સમતલ વિતાનની વિગત. ચિત્ર ૧૯ - શ્રૃંખલાબદ્ધ કોલરૂપી લૂમાઓ ધરાવતો સમતલ વિતાન. ચિત્ર ૧૭ મુજબ. ચિત્ર ૨૦ - ૨૫ કોલજ-લૂમાવાળો પધાંકિત વિતાન, જેની વિગત ચિત્ર ૧૮માં દર્શાવી છે. ચિત્ર ૨૧ - ૯૯ કુંજરાક્ષયુક્ત સમતલ વિતાન. ચિત્ર ૨૨ - ચિત્ર ૨૧માં દર્શાવેલ વિતાનનું થોડા રૂપાંતર સાથેનું ચિત્રણ. ચિત્ર ૨૩ - ૨૦ ચતુર્ખાડી કોલજ-વિતાન. ચિત્ર ૨૪ - ૪ કોલજ પધાંકિત મહાલૂમ ધરાવતો વિતાન. ચિત્ર ૨૫ - અતિસ્તરીય અતિખંડા કોલજ વિતાન. (૧) For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ર૬ - અતિસ્તરીય અતિખંડા કોલજ વિતાન. ચિત્ર ૨૭ - પદ્મનાભ જાતિનો વિતાન. લેખ નં. ૧૩- “ગિરનારસ્થ “કુમારવિહારની સમસ્યા” ચિત્ર ૧ - ઉજજયંતગિરિ(ગિરનાર)ની પૂર્ણસિંહ વસતીના ગૂઢમંડપનો કોટક (સભા મંદારક વિતાન). ચિત્ર ૨ - ચિત્ર ૧ના વિતાનનું નીચેથી દેખાતું દશ્ય. (૨૦) For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે સન્ ૧૯૫૫-૧૯૫૯ દરમિયાન જૂનાગઢના સરકારી સંગ્રહાલયના રક્ષપાલ તરીકે હું કામ કરતો હતો ત્યારે, બપોરે વિશ્રાંતિસમયે, ત્યાંનાં પ્રાણીસંગ્રહસ્થાનનો વિદ્વાન્ અને ઇતિહાસપ્રેમી ચોકીદાર ભાઈ જૂમો મારી પાસે અવારનવાર બેસવા આવતો. (જૂમાનાં ઊર્દૂ અને ફારસી ઉચ્ચારણોની ખુમારીભરી, મીઠી, ખાનદાની અસલિયત ફરીને સાંભળવા મળી નથી.) વાતો દરમિયાન જૂમાએ ઘણી વાર એ બાબતનો ઉલ્લેખ કરેલો કે જૂનાગઢનું નામ ‘જૂનાખાં' પરથી પડેલું છે; ને મિરાતે અહમદીમાં એવી નોંધ લેવાઈ છે, વગેરે. મિરાતે અહમદી ગ્રંથમાં એ સંદર્ભ છે કે નહીં તે તપાસી જોવા જેટલી ઉત્સુકતા ત્યારે થઈ નહોતી (ને આજે પણ નથી), પણ ભાઈ જૂમાની વાત તથ્યપૂર્ણ હોવા અંગે તે ઘડીએ મનોમન વિશ્વાસ બેઠેલો નહીં. મધ્યકાલીન જૈન લેખકોના કથિત “જીર્ણદુર્ગનામ પરથી જ “જૂનાગઢ' નામ જનભાષામાં પછીથી આવી ગયું હશે, અને “જીર્ણ' એટલે “જૂનું અને દુર્ગનો પર્યાય “ગઢ હોઈ, તેમ જ ઉચ્ચારણની દૃષ્ટિએ “જીર્ણદુર્ગ” કરતાં “જૂનાગઢ' શબ્દમાં સુગમતા રહેતી હોઈ, નગરની નામ-સંજ્ઞાનો મૂલાર્થ કાયમ રાખી રૂપાંતર-ભાષાંતરની પ્રક્રિયાના આશ્રયે જેમ અન્યત્ર પરિવર્તન થયાના દષ્ટાંતો છે તેવું જ અહીં પણ બન્યું હશે તેવું મનમાં ઘોળાતું હોવાનું યાદ છે'. પણ “શિલાલેખોમાં કુતિયાણા” નામક લેખ અંતર્ગત જૂનાગઢના નામોત્પત્તિ વિશે શ્રી છો. મ0 અત્રિ(અમદાવાદ ૧૯૭૦)એ કરેલ જે રસમય ચર્ચા જોવા મળી, તેમાં ભાઈ જૂમાએ કહેલ મતનું એક રીતે સમર્થન મળી રહે છે : આથી આ સમસ્યા પર વધુ વિચારવાની હવે જરૂરિયાત ઊભી થતી હોવાનું મને લાગતાં અહીં તેનાં વિવિધ પાસાંઓ તપાસી જે કંઈ નિર્ણયો થઈ શકે તે રજૂ કરીશ. શ્રી અત્રિએ ‘કુષ્ઠિનપુર' પરથી કુતિયાણા’ નામ ઊતરી આવ્યું છે કે નહીં તે મૂળ મુદ્દાની કાળજીપૂર્વકની કરેલી તપાસણીમાં નામ-પરિવર્તનના નિયમોની શોધ ચલાવતાં ત્યાં જે સંદર્ભગત સામગ્રી રજૂ કરી છે તેમાં “જૂનાગઢ' નામોત્પત્તિ સંબંધ વિશે જે બન્યું હોવું જોઈએ તે સંભાવ્ય હકીકત પુરાવા તરીકે મૂકી છે. અહીં શ્રી અત્રિની ચર્ચાના સંબંધભૂત મૂળ લેખનભાગ ટાંકી, તેમની તારવણીઓ પરથી ઉપસ્થિત થતા મુદ્દાઓ વિશે અવલોકીશું. શ્રી અત્રિએ અન્ય ગામોની સાથે જૂનાગઢના પર્યાયો વિશે અભિલેખોના આધારે પ્રથમ તો કાલક્રમબદ્ધ તાલિકા રજૂ કરી છે : “જૂનાગઢ' ગામ તેમાં પ્રારંભે મૂક્યું છે; એ જૂનાગઢ’વાળા ભાગને જ અહીંની ચર્ચા સાથે નિસબત હોઈ મૂળ લાંબી તાલિકાના તેટલા ભાગને જ અહીં ઉદ્ધત કરી આગળ ચર્ચા કરીશું : ક્રમ તળપદી સંજ્ઞા સંસ્કારેલું રૂપ લેખ-વર્ષ પ્રકાશન-સંદર્ભ વિક્રમ-ઈસુ ૧. જૂનાગઢ જીર્ણપ્રાકાર ૧૪૩૫ / ૧૩૭૮ ડિસાળકર For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર જૂનાગઢ જીર્ણદુર્ગ ૧૪૪૫ | ૧૩૮૯ ડિસકળકર ૩. જૂનાગઢ જીર્ણપ્રાકાર ૧૪૬૯ / ૧૪૧૩ ડિસકળકર ૪. જૂનાગઢ જીર્ણદુર્ગ ૧૫૭૨ | ૧૫૧૬ નાહર તાલિકા આપ્યા બાદ શ્રી અત્રિએ “જૂનાગઢ' પર કરેલ ચર્ચા-વિસ્તારને અહીં યથાતથ રજૂ કરી તે પછી તેના પર આગળ વિચાર કરવો અનુકૂળ રહેશે : “ઉપર્યુક્ત તાલિકા જોતાં જણાઈ આવશે કે “જીર્ણપ્રાકાર' અને “જીર્ણદુર્ગ” બંને જૂનાગઢનાં સંસ્કૃત તત્સમ રૂપ હોવાને બદલે સંસ્કૃત અનુવાદ માત્ર છે. આમ “જીર્ણપ્રાકાર' કે “જીર્ણદુર્ગમાંથી જૂનાગઢ બનેલ નથી, પરંતુ “જૂનાગઢમાંથી “જીર્ણદુર્ગ” આદિ બનાવી દેવામાં આવેલ છે*. વસ્તુતઃ પ્રાયઃ ઈ. સ. ૧૩૫૦માં ગુજરાતના સુલતાન મહંમદ “જૂના' એ રા'ખેંગાર ચોથાને હરાવીને ઉપરકોટનું નામ કદાચ પોતાના જૂના (એટલે કે બચપણના) નામ જૂના” ઉપરથી જૂનાગઢ રાખ્યું, અને ઉપરકોટની બહાર વસેલા શહેરને પણ એ નામ મળ્યું એવી પણ એક માન્યતા છે. આમ સુલતાન “જૂનાને જાણે કે ભૂલી જઈ પ્રાચીનતાના અર્થમાં ‘જૂનાગઢને કારણે ‘જીર્ણદુર્ગ” “જીર્ણપ્રાકાર” જેવાં મઠારાયેલાં રૂપો અભિલેખોમાં ઈ. સ. ૧૩૫૦ બાદ પ્રચલિત બન્યાં. એથી જ પ્રાયઃ ઈ. સ. ૧૩૫૦ પહેલાંના અભિલેખોમાં એ ઉભયે સંસ્કૃત સંજ્ઞાઓને બદલે ઉગ્રસેનગઢ/ખેંગારગઢ આદિ સંજ્ઞાઓ પ્રચલિત હતી : છતાં ‘જીર્ણદુર્ગ'ના લેખમાં મળી પણ આવે છે.” શ્રી અત્રિના ઉપલા વક્તવ્ય પરથી નીચેના નિર્ણયો તારવી શકાય ? (૧) જૂનાગઢ' નામ પરથી “જીર્ણદુર્ગ” એવું સંસ્કૃતિકરણ પછીથી થયું છે : અર્થાત્ આ કિસ્સામાં વ્યુત્પત્તિનો વ્યુત્કમ થયો છે. (૨) “જૂનાગઢ” સંજ્ઞા કદાચ સુલતાન મહંમદ જૂના પરથી ઈ. સ. ૧૩૫૦ (ઈ. સ. ૧૩૪૭?)માં રા'ખેંગાર ચોથાને એણે હરાવ્યા બાદ પ્રચારમાં આવી હોય. અને જૂનાગઢનો ‘જીર્ણદુર્ગ” જેવો થતો શબ્દાર્થ, બાહ્ય રૂપના ભળતાપણાને કારણે ઉદ્ભવ્યો માનવો ઘટે. (૩) “જૂનાગઢ સંજ્ઞાને સ્થાને જીણદુર્ગ” કે “જીર્ણપ્રાકાર' જેવાં સંસ્કારાયેલાં રૂપો અભિલેખોમાં ઈ. સ. ૧૩૫૦ બાદ પ્રચલિત બન્યાં : તે પહેલાં “ઉગ્રસેનગઢ” “ખેંગારગઢ” આદિ સંજ્ઞાઓ પ્રચલિત હતી. | * શ્રી અત્રિની આ સ્થળે પાદટીપ ક્રમાંક ૬ આવે છે : “ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ યોગ્ય પ્રક્રિયા દ્વારા ‘જીર્ણદુર્ગ'માંથી “જૂનાગઢ' સંજ્ઞા કદાચ સાધી શકાય, પરંતુ અહીં એ સિદ્ધાંતનો વ્યુત્કમ થયો જણાય છે.” + અત્રિ, પાદટીપ ક્રમાંક ૭ : “શાસ્ત્રી (અ) કે.કા“સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ,’ પથિક, એપ્રિલમે ૧૯૬૯, પૃ.૪૯, શ્રી કે.કા. શાસ્ત્રીનું મૂળ વિધાન આ પ્રમાણે છે : “બીજે મતે મહંમદ તઘલઘની સંજ્ઞા ‘જૂના’ હતી તેના નામથી આ “જૂનોગઢ” કહેવાયું.” + અત્રિ, પાદટીપ ક્રમાંક ૮ : “શાસ્ત્રી ડૉ. હરિપ્રસાદ ગુજરાતી દૈનિક વૃત્તપત્ર “ફૂલછાબ'ના તા. ૨૬૧૨-૬૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ લેખ.” (શ્રી શાસ્ત્રીજીનો આ લેખ મને સંદર્ભાર્થે જોવા મળી શક્યો નથી.) For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે આ ફલશ્રુતિ તત્ત્વાર્થમાં સાચી હોય તો એને જૂનાગઢના ઇતિહાસને અજવાળતું એક નોંધપાત્ર તથ્ય ગણી શકાય પરંતુ શ્રી અત્રિના નિર્ણયોને સ્વીકારતાં પહેલાં તેના ઉપલક પરીક્ષણથી ઊભા થતા કેટલાક પ્રશ્નોના સંતોષપ્રદ ખુલાસા મેળવવા જરૂરી બની રહે છે. પ્રશ્નમાલા આ પ્રમાણે રચી શકાય : ૧) “જૂનાગઢ' સંજ્ઞાનો પ્રયોગ બતાવતા જૂનામાં જૂના ઉત્કીર્ણ લેખો તેમ જ વાડ્મયનાં પ્રમાણો કયાં છે અને કેટલાં મળે છે : ઈસ. ૧૩૫૦ પહેલાનાં ખરાં? ૨) એ જ પ્રમાણે “જીર્ણદુર્ગ” અભિધાનના ઉલ્લેખો કેટલા પ્રાચીન મળે છે : ‘જૂનાગઢ” માટે ઈ. સ. ૧૩૫૦ પહેલાં “જીર્ણદુર્ગ” એ સંજ્ઞા પ્રચારમાં હતી કે નહીં? ૩) “જૂનાગઢ' સંજ્ઞા “સુલતાન મહંમદ જૂના પરથી પડી આવી છે કે “જીર્ણદુર્ગ”નું જ એ તદર્થભૂત તળપદું રૂપાંતર છે. ( ૪) ‘ઉગ્રસેનગઢ' કે “ખેંગારગઢ'નું “જૂનાગઢ' (કે પછી “જીર્ણદુર્ગ) સાથે સમીકરણ થઈ શકતું હોવાનું સીધું પ્રમાણ છે કે નહીં ? આ સવાલોના હાર્દ વિશે વિચારતાં અને ઉપલબ્ધ સાધનોના પરીક્ષણથી પ્રાપ્ત થતા જવાબો હવે ક્રમબદ્ધ જોઈ જઈએ. ૧) લભ્ય અભિલેખોમાં (મને ખ્યાલ છે ત્યાં સુધી) “જૂનાગઢ” રૂપ મળી આવતું નથી. મધ્યકાલીન અભિલેખો તથા સંસ્કૃતમાં જ રચાતા અને વાકય કે પદરચના માટે તદ્ભાષાની પ્રકૃતિને લક્ષમાં લેતાં “જૂનાગઢ' શબ્દ લોકજીભે ચાલતો હોય તોપણ, ત્યાં “જીર્ણદુર્ગ કે ‘જીર્ણપ્રાકાર' જેવું રૂપ જ વાપરવું સુસંગત, ઔચિત્યપૂર્ણ, ઇષ્ટ ગણાય; પણ સંસ્કૃતેતર વાય—પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી ઇત્યાદિ સાહિત્યમાં–આવું બંધન ન હોઈ શકે, ને ત્યાં જૂનાગઢ' અભિધાન મળી આવે છે કે નહીં, અને હોય તો આવા સંદર્ભો કેટલા પ્રાચીન છે તે વિશે તપાસ ધરતાં મને બે જૂના ઉલ્લેખો હાથ લાગ્યા છે. તેમાં પહેલો ખરતરગચ્છીય ઉપાધ્યાય વિનયપ્રભની ૧૪મા શતકના ઉત્તરાર્ધમાં રચાયેલી જૂની ગુજરાતી “તીર્થમાળાસ્તવન"માં" : નવકારઉ નમઉ સિરિપાસ મંગલકરુ મંગલપુરે હિ | વીરહ એ વલણથલીયંમિ જુનઇગઢિ સિરિપાસ પહુ / ચડિયલ એ ગિરિગિરનારિ દીઠઉ નયણિહિ નેમિજણ . નાથી એ ભવસય પાવુ જગગુરુ જાગિઉ પુત્રગણુ // ૨૦ળી. આમાં મંગલપુર(માંગરોળ-સોરઠ)ના શ્રી પાર્થ, વઉણથલી (વંથળી-સોરઠ)ના શ્રી વીર, જૂનઈગઢ (જૂનાગઢ)ના શ્રી પાર્શ્વ, અને ગિરનારી શ્રી નેમિનાથને વાંઘાની નોંધ છે. બીજો ઉલ્લેખ રજૂ કરીશ એ કાળથી એક સદી બાદના (રત્નાકરગચ્છના હેમચંદ્રસૂરિશિષ્ય) શ્રી જિનતિલકસૂરિના જૂની ગુજરાતીમાં રચાયેલ “ચૈત્યપરિપાટી સ્તવન”માંથી, For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર જુનઈગઢી પાસ તેજલવિહાર નવપલ્લવ મંગલપુરિ મઝાર / પુરિ પાસ રિસહ મયણી મુઝારિ ભુભિલીય સંપ્રતિ કે ગઈ વિહારી Ilal અહીં પણ “જૂનઈગઢી(જૂનાગઢ)ના “પાર્થનો ઉલ્લેખ છે. (સાથે સાથે “મંગલપુરના પ્રસિદ્ધ નવપલ્લવ પાર્શ્વનાથ, ને વિશેષમાં “પુર'(પોરબંદર)ના પાર્શ્વનાથ, “મયણી' (મિયાણી)ના ઋષભદેવ તેમ જ ભુભિલી (ધૂમલી)ના સંપ્રતિનિર્મિત વિહારનો ઉલ્લેખ છે.) ઉપલા બંને સંદર્ભો પરથી સિદ્ધ થાય છે કે ઓછામાં ઓછું ૧૪મા શતકના છેલ્લા ચરણ જેટલા જૂના કાળમાં લોકબાનીમાં “જૂનઈગઢી'માં વર્તમાન “જૂનાગઢ’નું સાતમી વિભક્તિનું વપરાયું હતું. પણ એ બંને રચનાઓ ઈ. સ. ૧૩૫૦ બાદની છે; તેથી “જૂનાગઢ” સંજ્ઞા “સુલતાન મહંમદ જૂના પરથી વ્યુત્પન્ન નથી જ થઈ એવું પ્રથમ દર્શને તો પુરવાર કરવા માટે તેની સાક્ષી ઉપયુક્ત નથી નીવડતી. એનાથી “જૂનાગઢ” અભિયાનની ઉપલબ્ધ સાહિત્યિક પ્રમાણની પૂર્વસીમાં જ નિદર્શિત થાય છે. (૨) “જૂનાગઢને “જીર્ણદુર્ગ” તરીકે સંબોધતા ઉલ્લેખો–ઈ. સ. ૧૩૫૦ પહેલાંના–ચોક્કસ પ્રાપ્ત છે : અલબત્ત થોડી માત્રામાં ઉદ્ગતિ લેખોમાંથી તો હજી સુધી નજરે ચડ્યા નથી, પણ સાહિત્યમાં જે મળે છે તેમાં મુખ્યત્વે આ છે : ઉપકેશગચ્છીય “સિદ્ધસૂરિ'ના શિષ્ય “કક્કસૂરિએ સં. ૧૩૯૩ / ઈ. સ. ૧૩૩૭માં રચેલ નાભિનંદનજિનોદ્વાર પ્રબંધમાં સંઘપતિ સમરાશા શત્રુંજય પર તેમણે કરાવેલ આદિજિનની પુન:પ્રતિષ્ઠા બાદ “જીર્ણદુર્ગ ગયાનો ઉલ્લેખ છે. એ જ ગ્રંથમાં સૌરાષ્ટ્રના અન્ય જૈન તીર્થોની યાત્રા બાદ સંઘમાં સાથે રહેલા સિદ્ધસૂરિ કંઈક રોગથી પીડિત થતાં “જીર્ણદુર્ગ'માં રોકાયા હતા એવી નોંધ છે. (૩) આથી સ્પષ્ટ થાય છે કે શ્રી અત્રિએ ટાંકેલ ઈ. સ. ૧૩૭૪ અને ઈ. સ. ૧૩૮૭ના તુલ્યકાલીન અભિલેખોમાં વપરાયેલા “જીર્ણપ્રાકાર' “જીર્ણદુર્ગ” એ જૂનાગઢનું સંસ્કૃતીકરણ નહીં, પણ “જૂનાગઢનું અસલી (સંસ્કૃત) નામ-સ્મરણ સંસ્કૃત રચનાઓ પૂરતું, જીવંત રહ્યાનું સૂચન કરે છે. “સુલતાન મહંમદ જૂના' સાથે તેનો કોઈ સંબંધ નથી જ. ભળતી નામછાયાને કારણે મુસ્લિમ ઇતિહાસકારોએ પાછળથી પોતાને અનુકૂળ એવી વ્યુત્પત્તિ કલ્પી લીધી હોય તેમ લાગે છે, જો મિરાતે અહમદીમાં કે એવા કોઈ અન્ય સાધનગ્રંથમાં એવો ઉલ્લેખ હોય તો. આથી જૂના મિયાં’નું નામ ભુલાઈ જઈ, “જૂના એટલે ગુજરાતી શબ્દ “જૂનું' એવો અર્થ કરી, પછીથી જીર્ણદુર્ગ” થયું એમ ઘટાવવા માટે કોઈ આધાર તો નથી જ, પણ પુરાણાં પ્રમાણો ‘જીર્ણદુર્ગ અને “જૂનાગઢને પર્યાયાર્થ-મૂલાર્થ દષ્ટિએ, સ્પષ્ટ રીતે, તદ્ભવ સંબંધથી સાંકળી દે છે. (૪) ઉગ્રસેનગઢ “ખેંગારગઢ” અને “જીર્ણદુર્ગ એ એકબીજાના પર્યાયો છે તેમ સિદ્ધ કરતું મહત્ત્વનું પ્રમાણ શ્રી જિનપ્રભસૂરિની સુપ્રસિદ્ધ રચના કલ્પપ્રદીપ અંતર્ગત પ્રાકૃત “રેવત ગિરિકલ્પમાં મોજૂદ છે'' : तेजलपुरस्स पूव्वदिसाए उग्गसेणगढं नाम दुग्गं जुगाइनाप्पमुह जिणमंदिररेहिल्लं विज्जइ । For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે तस्स य तिण्णि नामधिज्जाई पसिद्धाई । इं जहा - उग्गसेणगढं ति वा, खंगारगढं ति वा, जुण्णदुग्गं ति वा ॥ કલ્પપ્રદીપનું સમાપ્તિનું વર્ષ સં૰ ૧૩૮૯ / ઈ. સ. ૧૩૩૩ આપ્યું છે. ‘‘રૈવતગિરિકલ્પ’એ પહેલાં થોડા વર્ષ અગાઉ રચાઈ ચૂક્યો હશે; જેમ કે તે ગ્રંથ અંતર્ગતનો ‘‘વૈભારગિરિકલ્પ’ સં ૧૩૬૪ / ઈ સ ૧૩૦૮માં રચાયો હતો, આ સમીકરણમાં ‘જુગ્ણદુગ્ગુ' શબ્દ આપ્યો છે, ‘જિÇદુગ્ગુ'(એટલે કે ‘જીર્ણદુર્ગ)નહીં તે વાત નોંધવી જોઈએ. પ્રાકૃત ‘જુણ્ણ’ સંસ્કૃત ‘જૂર્ણ’ પરથી આવ્યો છે; અને ‘જૂર્ણ’ તેમ જ ‘જીર્ણ’ શબ્દો પર્યાયવાચી છે. આ મુદ્દો ‘જૂનાગઢ’ શબ્દની વ્યુત્પત્તિ નિશ્ચિત કરવા માટે અત્યંત મહત્ત્વનો બની રહે છે. આ દૃષ્ટિકોણથી જોતાં ‘જૂર્ણદુર્ગ’-‘જુષ્ણઉદુગ્ગુ’‘જૂનોગઢ’-‘જૂનાગઢ’ એ રીતે ક્રમિક રૂપપલટો થયો હોય તેમ જણાય છે : સ્વાભાવિક લાગે છે. ‘જૂના’ ભાગ ‘જીર્ણ’ પરથી સીધી રીતે નહીં,પણ તેના પર્યાય ‘જૂર્ણ’ પરથી ઊતરી આવ્યો છે અને ‘ગઢ’ અને ‘દુર્ગ’ એકબીજાના પર્યાય હોઈ ‘જૂર્ણદુર્ગને બદલે સારલ્યમૂલક ‘જૂનોગઢ’ અને પછીથી-‘જૂનાગઢ’ શબ્દ લોકભાષામાં પ્રચલિત બની ગયો. ‘જૂનાગઢ’નું સાતમી વિભક્તિનું એક ઉચ્ચારણ ‘જૂનેગઢ' પણ વૃદ્ધજનોને કરતાં મેં બચપણમાં સાંભળેલા.(‘હું પરમણે ‘દિ જૂનેગઢ ગ્યોતો’’ જેવી વાચ રચનામાં.) આ રૂપ ‘જૂની ગુજરાતી’ કે ‘ગુર્જર ભાષા’માં વપરાતું ‘જૂનઇગઢિ’ પરથી ઊતરી આવ્યું છે. જૂનાગઢના વિવિધ નામકરણ વિશે થોડું વિચારીએ તો તેમાં ‘ઉગ્ગસેણગઢ’ એટલે કે ‘ઉગ્રસેનગઢ’ એ પૌરાણિક બ્રાહ્મણીય, તેમ જ નેમિનાથ સંબંધીનાં જૈન કથાનકોને અનુસરતું પારંપરિક નામ હશે . જ્યારે ‘ ખેંગારગઢ’ નામ જયસિંહ સિદ્ધરાજના સમકાલીન ચૂડાસમા રા'ખેંગાર પરથી પડ્યું હશે. ખેંગારનું નામ જોડાવાના કારણમાં તો વંથળીથી જૂનાગઢ ગાદી બદલનાર રા'ખેગારે ‘જૂનાગઢ’ના ઉપરકોટને સમરાવી વિસ્તાર્યો હશે તે હોવું જોઈએ. ઉપરકોટની જૂની આલંકારિક પ્રતોલીનાં લક્ષણો ૧૨મા શતકના પૂર્વાર્ધનાં હોઈ એને રા'ખેંગારની સમયની કૃતિ ગણવી જોઈએ. જ્યારે ‘જીર્ણદુર્ગ’ કે ‘જુÇદુગ્ગ’ નામ એ સૂચવે છે કે ઉપરકોટને સ્થાને મૂળ ઘણા પુરાતન કાળનો ગઢ(રા'ગ્રાહરિપુએ દશમા શતકમાં સમરાવેલ કે નવ નિર્માવેલ ?) ગઢ હશે જેનું ‘જીર્ણદુર્ગ’ એવું નામ રા’ખેંગારના સમયના નવોદ્વાર પછી પણ આદતને કારણે પ્રચારમાં રહી જવા પામ્યું હશે, જે છેક ‘જૂનાગઢ’ નામરૂપમાં આજ દિવસ સુધી ટકી રહ્યું છે. ટિપ્પણો : ૧. આના દાખલાઓ ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતમાં વિશેષ છે. મૂળ વિષય સાથે તેની બહુ ઉપયુક્તતા ન હોઈ અહીં વિગતોમાં ઊતરવું અનાવશ્યક છે. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨. પથિક વર્ષ ૯, અંક ૮-૯, મે / જૂન ૧૯૭૦, (ખાસ સૌરાષ્ટ્ર અંક), પૃ ૯૬-૯૭. ૩. એજન, પૃ ૯૬. ૪. અત્રિ, પૃ ૯૭. ૫. શ્રી જૈન સત્યપ્રકાશ, વર્ષ ૧૭, અંક ૧. (ક્રમાંક ૧૯૩), અમદાવાદ ૧૫-૧૦-૫૧, પૃ ૨૧. આનું સંપાદન ભંવરલાલજી નાહટાએ સં૰ ૧૪૩૦ / ઈ. સ. ૧૩૭૪ની પ્રત પરથી કર્યું છે. ૬. જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા : પુષ્પ ૩૮મું, અમદાવાદ ૧૯૪૯, પૃ. ૫૬૯. સં મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી). સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ૭. ‘પુરિ પાસ’નો અર્થ ‘પુરે પાર્શ્વ’ થાય. આમાં કહેલું ‘પુર’ ગામ તે ‘ભૂતામ્બિલિકા’ના રાણક બાષ્કદેવના સં ૧૦૪૫ | ઈ. સ. ૯૮૯ના તામ્રપત્રમાં કહેલ ‘પૌરવેલાકુલ' અને ઉત્તર મધ્યકાલીન લેખોમાં આવતું ‘પુરબંદિર’ એટલે કે હાલનું ‘પોરબંદર’ હોવું જોઈએ. ‘પોરબંદર'માં આજે તો પાર્શ્વનાથનું કોઈ જ મંદિર નથી. (સંપાદકે ‘પુર’ની પિછાન આપવાનો પ્રયત્ન કર્યો નથી.) ૮. ‘મયણી’ તે પો૨બંદ૨થી ૨૨ માઈલ વાયવ્યે આવેલું સમુદ્રતટવર્તી પુરાણું ગામ “મિયાણી’(મણિપુર) જણાય છે. (સંપાદક આ ગામની સાચી પિછાન આપી શક્યા નથી.) આજે ‘મિયાણી’માં ગામના જૂના કોટની અંદર નીલકંઠ મહાદેવના પૂર્વાભિમુખ સં ૧૨૬૦ / ઈ સ. ૧૨૦૪ના લેખવાળા પૂર્વાભિમુખ મંદિરની સમીપ, પણ ઉત્તરાભિમુખ, જૈન મંદિર ઊભેલું છે. તેનો સમય શૈલીની દૃષ્ટિએ ૧૩મી શતાબ્દીનો અંતભાગ જણાય છે. ચૈત્યપરિપાટીમાં ઉલ્લિખિત જિન ઋષભનું મંદિર તે નિશ્ચયતયા આ પુરાણું મંદિર જણાય છે. ૯. ધૂમલીમાં સુપ્રસિદ્ધ નવલખા મંદિરથી દક્ષિણમાં એક જૈન મંદિરનું (વાણિયાવસીનું ખંડેર ઊભું છે. આજે તો તેમાં થોડાક થાંભલા માત્ર ઊભા છે. તેમાંથી મળી આવેલ જિનપ્રતિમાનું રેખાંકન James Burgessના Antiquities of Kathiawad and Kutch, London 1876, plate XLVI રજૂ કર્યું છે. ૧૦. જુઓ પં૰ લાલચંદ્ર ગાંધી, ‘શત્રુંજયતીર્થનો ઉદ્ધારક સમરાસાહ,” જૈનયુગ, પુ ૧, અંક ૯ વૈશાખ ૧૯૮૨, પૃ ૩૦૪. ૧૧. સિંઘી જૈન ગ્રંથમાલા, સં૰ (મુનિ) જિનવિજય, શાંતિનિકેતન ૧૯૩૪, પૃ ૧૦. ૧૨. એજન પૃ૦ ૨. ૧૩. આનાં પ્રમાણો અહીં રજૂ કરવાથી વિષય-વિસ્તાર થવાનો ભય હોઈ તે વાત છોડી દીધી છે. પરિશિષ્ટ પ્રા બંસીધરે ‘જૂનાખાં’ સંબંધમાં નીચેની નોંધ મોકલાવી છે જે શબ્દશઃ અહીં પેશ કરું છું. " ‘‘જૂનાખાં’’—અરબીમાં ‘‘જૂના’” = હિંસકપ્રાણી, ખાં ઘર, રહેઠાણ. ‘‘જુના’” (‘‘જુ’-હ્રસ્વ) = ઝનૂન/ઝનૂની ખાં ઘર, રહેઠાણ. આપે મિરાતે અહમદીનો reference ટાંક્યો હોત તો સારું થાત. ત્યાં ફારસીના કોઈ વિદ્વાન્ પાસેથી મળી રહેત. કદાચ ગિરનાર પર વાઘ-સિંહ હિંસક પશુઓ રહેવાથી ‘‘જૂના-ખાં’” જેવું ફારસી-ઉર્દૂ નામ તો નથી ?’ = ... = For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો નિર્ગસ્થ સંપ્રદાયના પ્રાચીનતમ આગમો(પ્રાયઃ ઈ. સ. પૂ. પાંચમી શતાબ્દીથી ઈ. સ. પૂ. બીજી શતાબ્દી')ના અવલોકનથી એક વાત તો એ સ્પષ્ટ થાય છે કે તે કાળ સુધી તો કેવળ અહત પાર્થ” અને “વીર'(જિન વર્ધમાન મહાવીર) સંબદ્ધ જ, અને કેવળ સંક્ષિપ્ત ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. સંઘદાસ ગણિકૃત બૃહકલ્પભાષ્ય(પ્રાય : ઈસ્વી પ૫૦)ના કથન અનુસાર (પ્રાયઃ ઈ. પૂ. પ્રથમ શતાબ્દી ઉત્તરાર્ધમાં) આર્ય શ્યામે પાટલિપુત્રમાં સંઘ ભેગો કરી તેની સમક્ષ સ્વરચિત પ્રથમાનુયોગ, ચંડિકાનુયોગ, અને લોકાનુયોગ સમા ગ્રંથોનું વાચન કરી તેને માન્યતા દેવડાવેલી. આમાં પ્રથમાનુયોગમાં ૨૪ તીર્થકરાદિ શલાકા પુરુષોના જીવન-ચરિત્રનાં વ્યાખ્યાન આપવામાં આવેલાં, એવી ભાષ્યાદિમાં નોંધો છે. સંભવ છે કે ચતુર્વિશતિ તીર્થકરોની કલ્પનાનો આવિષ્કાર યા વિભાગ સૌ પ્રથમ પ્રસ્તુત ગ્રંથમાં થયો હોય. પણ સ્પષ્ટ રૂપે ચોવીસે તીર્થકરોની નામાવલી અર્ધમાગધી ભાષામાં નિબદ્ધ ચતુર્વિશતિ-સ્તવ (પ્રાયઃ ઈ. સ. પૂ. પહેલી સદી કે ઈ. સ.ની પહેલી સદી) અંતર્ગત મળે છે. આ સ્તોત્ર આર્ય શ્યામ વિરચિત પ્રથમાનુયોગના મંગલ રૂપે રચાયું હશે? ગમે તે હોય, કુષાણથી લઈ ગુપ્તકાળ સુધીમાં રચાઈ ચૂકેલ સ્થાનાંગાદિ આગમોમાં તીર્થકરોનાં પૂર્વભવો, જન્માદિનાં નક્ષત્રો અને માસ-તિથિ, માતાપિતાનાં નામ, એમનાં ગણધરાદિ(પ્રમુખ શિષ્યાદિ)નાં નામ, તીર્થકરોનાં આયુષ્ય, શરીરનાં કદ,ઇત્યાદિની સંક્ષિપ્ત વિગતો અન્યથા પૂરા નિર્ઝન્થ-પૌરાણિક રંગપૂર્વકના ભગીરથ આંકડાઓ સમેત અપાયેલી છે. અત્ વર્ધમાનનું અમુકાશે ઐતિહાસિક ચરિત્ર-ચિત્રણ આચારાંગ-સૂત્રના પ્રથમ સ્કંધ “ભાવના” અધ્યયન (એનો પ્રાચીનતમ ભાગ પ્રાયઃ ઈસ્વી ૧૨ શતાબ્દી) અને પર્યુષણાકલ્પ અંતર્ગત “જિનચરિત્ર” (સંકલન ઈસ્વી ૫૦૩ / ૫૧૬) તેમ જ આવશ્યકચૂર્ણિ (પ્રાયઃ ૬૦૦ / ૬૫૦)માં અપાયેલું છે : (કેટલીક હકીકતો ઈસ્વીસન્ની ત્રીજી શતાબ્દીમાં, અમુક કિસ્સાઓમાં સંભવતઃ પૂર્વ સ્મૃતિઓ પર આધારિત-સંકલિત વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ નામના પાંચમા “અંગ” આગમમાં પણ મળે છે.) જિન ઋષભનું પૌરાણિક ચરિત્ર જંબૂતીપપ્રાપ્તિના પ્રક્ષિપ્ત “કથાનુયોગ” હિસ્સામાં (પ્રાયઃ ઈસ્વી ત્રીજી શતાબ્દી), તેમ જ પછીના ૫૦ કઅંતર્ગત ઉપર કથિત “જિનચરિત્ર”માં), અને જિન અરિષ્ટનેમિ સંબદ્ધ હકીકતો ઉત્તરાધ્યયનસૂત્રના “રથનેમિ” અધ્યયન(પ્રાય ઈસ્વી પહેલી-બીજી શતાબ્દી)થી શરૂ કરી છૂટા છવાયા રૂપમાં સ્થાનાંગ (વર્તમાન સંકલન પ્રાયઃ ઈસ્વી ૩પ૩), વૃષ્ણિદશા, (ત્રીજીચોથી શતાબ્દી), આદિ આગમોમાં પ્રાપ્ત છે. આ સિવાય આગમિક વ્યાખ્યાઓ-નિર્યુક્તિઓ ભાષ્યો, અને વિશેષ કરીને આવશ્યકચૂર્ણિ આદિમાં પણ મળી આવે છે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર અહંતુ પાર્શ્વના સિદ્ધાંત સંબદ્ધ સામાન્ય વિગતો ઋષિભાષિતાનિ (સંકલન ઈ. પૂ. પ્રથમ શતાબ્દી) અને તેમના સંઘ વિશે સ્થાનાંગ, પર્યુષણાકલ્પ (“જિનચરિત્ર” વિભાગ), આદિ આગમોમાં છૂટી છવાયી હકીકતો રૂપે પ્રાપ્ત છે. જ્યારે અન્ય જિનો વિશે તો બહુ જ ટૂંકાણમાં ઉપર્યુક્ત આગમોમાં નોંધો મળે છે. આચારાંગનિર્યુક્તિ (પ્રાયઃ ઈસ્વી પર૫)માં નિગ્રંથ દૃષ્ટિએ “તીર્થ'ની વ્યાખ્યા કરતી વખતે તેની અંદર તીર્થકરોનાં જન્મ, નિષ્ક્રમણ, કૈવલ્યપ્રાપ્તિ, અને નિર્વાણ પ્રાપ્તિનાં સ્થાનોને આવરી લીધાં છે. અને આમ એ પ્રથા બૌદ્ધ સંપ્રદાયમાં પ્રાચીન કાળથી પ્રવર્તમાન પરંપરાની ઘણી સમીપ જાય છે. | તીર્થકરોની જન્મભૂમિ રૂપેણ નગર-નગરીઓની નામાવલી સંબંધકર્તા આગમોમાં ગણાવી દીધી છે; પણ નિર્વાણભૂમિ સંબંધમાં તેમ નથી. ઐતિહાસિક દૃષ્ટિએ તો જિન મહાવીરની નિર્વાણભૂમિ “મલ્લ’ ગણતંત્રની એક રાજધાની, પુરાતન કુશીનગર(કુશીનારા, કસીયા)ની ઉત્તર બાજુએ રહેલ મધ્યમા પાવા (સંભવતઃ હાલનું પડરોના) હતી અને પાર્શ્વનાથનું નિર્વાણ સ્થળ “સમેયસેલ' (સંમેતશિખર કે સમ્મદશૈલ) હતું. આદિ જિન ઋષભનું નિર્વાણ સ્થાન જંબૂઢીપપ્રજ્ઞપ્તિ, પર્યુષણાકલ્પ અને પછીનાં સ્તોત્રો અનુસાર અષ્ટાપદપર્વત હતું, જ્યારે ૧૨મા તીર્થંકર વાસુપૂજયનું મુક્તિ-સ્થળ પર્યુષણાકલ્પ, તીર્થાવકાલિકપ્રકીર્ણ (પ્રાયઃ ઈસ્વી પ૫૦) આદિ અનુસાર ચંપા હતું; તો ૨૨મા જિન અરિષ્ટનેમિ ઉજ્જયંતગિરિ (ગિરનાર) પર મોક્ષે ગયાનું જ્ઞાતાધર્મકથા (પ્રાયઃ ઈસ્વી ત્રીજી-ચોથી શતાબ્દી) આવશ્યકનિયુકિત (પ્રાય: ઈસ્વી પર૫), તીથવકાલિક-પ્રકીર્ણક, અને જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કૃત વિશેષાવશ્યકભાષ્ય (પ્રાયઃ ઈસ્વી ૫૮૫)માં નોંધાયેલું છે. જયારે વીર નિર્વાણના સ્થાનરૂપે પાવાનો ઉલ્લેખ આગમોમાં તો પશ્ચાત્કાલીન પર્યુષણાકલ્પ અને આવશ્યક નિર્યુક્તિ તેમ જ વિશેષાવશ્યકભાષ્ય જેવા આગમિક વ્યાખ્યા-ગ્રંથો તેમ જ તીથવકાલિક પ્રકીર્ણકમાં જ મળે છે. (અલબત્ત છઠ્ઠા-સાતમા સૈકાની આ નિર્ઝન્ય સાહિત્યની નોંધોથી પ્રાચીનતર બૌદ્ધ પાલિ ત્રિપિટક ગ્રંથોમાં પણ પાવામાં જ “નિગંઠ નાતપુત્ત' એટલે કે જિન મહાવીર નિર્વાણ પામ્યાનું નોંધાયું છે.) પણ બાકી રહેતા ૨૦ જિનોનું નિર્વાણ ક્યાં થયેલું તેની તો મોડેથી બનેલા પર્યુષણાકલ્પ (‘જિન ચરિત્ર” વિભાગ) સમેત ઉપલબ્ધ આગમોમાં તો ક્યાંયે નોંધ નથી. પણ પછીથી તરતના કાળમાં આ પ્રશ્નનો ઉત્તર આવશ્યકનિયુક્તિ અને કદાચ તેને અનુસરીને તીર્થાવકાલિકપ્રકીર્ણક અને વિશેષાવશ્યકભાષ્યમાં એ રીતે આપવામાં આવ્યો કે શેષ બધા (એટલે કે બાકી રહેતા ૨૦) પણ “સંમેય-સેલ” પર મોક્ષે ગયેલા, દાક્ષિણાત્ય નિર્ચન્થ પરંપરાના આગમવતુ ગ્રંથ ત્રિલોકપ્રજ્ઞપ્તિ (પ્રાય : ઈસ્વી ૫૫૦)માં પણ ઉપરની જ હકીકતોનું સમર્થન છે. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો બુદ્ધની નિર્વાણભૂમિ પર તેમ જ એમના શરીરાવશેષો પર અન્યત્ર સ્તૂપો રચાયેલા તેવું પાલિ ત્રિપિટકો પરથી અને પુરાવશેષો પરથી જાણીએ છીએ; પણ જિન મહાવીરનાં અસ્થિ પર પાવામાં કે અન્યત્ર સ્તૂપ રચાયાનું નોંધાયેલું નથી. પણ અષ્ટાપદ પર્વત પર ઋષભ-પુત્ર ચક્રવર્તી ભરતે જિનનું મંદિર બાંધ્યાનું આવશ્યકચૂર્ણિ કહે છે. અને સંભવ છે કે સંમેત-શિખર પર પાર્શ્વનાથનો સૂપ હોય; કંઈ નહીં તોયે મથુરામાં તો આવો સૂપ હતો જ. નિર્ગસ્થ સંપ્રદાયની અસ્તિત્વમાન પરંપરાઓમાં પ્રાકૃત અતિરિક્ત સંસ્કૃતમાં સેંકડો સ્તવ-સ્તોત્રો, સ્તુતિ-સ્તવનો રચાયેલાં છે. તેમાં ગુણવત્તાના દૃષ્ટિકોણથી કેટલાંક તો સમગ્ર ભારતીય સ્તોત્ર સાહિત્યમાં અગ્રિમ હરોળમાં સ્થાન પામવાની યોગ્યતા ધરાવે છે'°. સ્તોત્ર સાહિત્યના અધ્યયન દરમિયાન તીર્થકરોની નિર્વાણભૂમિ સંબદ્ધ બે સ્તોત્રો મારા જોવામાં આવ્યાં છે. બંને નિર્ઝન્થ દર્શનની દાક્ષિણાત્ય પરંપરામાં રચાયેલાં છે. તેમાં એક તો મહાત્ સૈદ્ધાત્તિક એવું દાર્શનિક વિદ્વાનું તેમ જ લક્ષણશાસ્ત્રી અને બેજોડ વ્યાખ્યાકાર પૂજ્યપાદ દેવનંદિ(પ્રાય ઈસ્વી ૬૩૫-૬૮૦)ની રચના મનાય છે, જે તેની શૈલીનાં લક્ષણો ધ્યાનમાં લેતાં એમની હોવાનો ઘણો સંભવ છે. બીજું પણ જો કે સંપ્રદાયમાં તો તેમની જ કૃતિ મનાય છે, પણ તેની શૈલી અત્યંત ઊંચી કોટીની હોવા છતાં ભિન્ન પ્રકારની, પ્રાક્ષ્મધ્યકાલીન પછીની તો નહીં જ, અને સાહિત્યિક દૃષ્ટિએ થોડીક વિશેષ વિકસિત દશાની છે. બેઉ સ્તોત્રો નિઃશંક ઉત્તમ કોટીનાં હોઈ, તેમ જ ગુજરાત તરફના નિર્ચન્વ-નિર્ચન્વેતર વિદ્વાનો તેનાથી પ્રાયઃ અજ્ઞાત હોઈ અહીં એ બંનેના સાર-ભાગને ઉäકીને તેના ગુણ-લક્ષણાદિની સંક્ષિપ્ત રૂપે સમાલોચના કરવા વિચાર્યું છે. પ્રથમ સ્તોત્ર “દ્વાદશિકા” રૂપે રચાયું છે, તેનું પહેલું પદ્ય ઉપોદ્યાત સ્વરૂપનું છે અને પછીનાં પઘોમાં અનુક્રમે જિન ઋષભ, જિન વાસુપૂજય, અરિષ્ટનેમિ અને વીરનાં નિર્વાણ-સ્થાનો ઓજસપૂર્વક ઉલ્લિખિત છે. (તે પછીનાં પડ્યો જિનેન્દ્રોની નિર્વાણ તિથિઓ અને નિર્ઝન્ય ઇતિહાસ તેમ જ પૌરાણિક કથાનકોનાં પાત્રોની નિર્વાણભૂમિઓ સંબંધિત છે. તેમાંથી નિગ્રંથદર્શનમાં પાંડવોની નિર્વાણભૂમિ તરીકે મનાતા શત્રુંજયગિરિષિ વિષયક પદાર્થનું પણ અવતરણ અહીં તેની અતીવ સુંદર ગુંફનલીલાને કારણે ત્યાં અંતભાગે સમાવિષ્ટ કરી લીધું છે.) यत्रार्हतां गणभृतां श्रुतपारगाणां निर्वाणभूमिरिह भारतवर्षजानाम् । तामद्य शुद्धमनसा क्रियया वचोभिः संस्तोतुमुद्यतमतिः परिणौमि भक्त्या ॥२१॥ कैलासशैलशिखरे परिनिर्वृतोऽसौ शैलेशिभावमुपपद्यवृषो महात्मा । चंपापुरे च वसुपूज्यसुतः सुधीमान् सिद्धि परामुपगतो गतराबबंध ॥२२॥ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર यत्प्रार्थ्यते शिवमयं विबुधेश्वराद्यैः पाखंडिभिश्च परमार्थगवेषशीलैः । नष्टाष्टकर्मसमये तदरिष्टनेमिः संप्राप्तवान् क्षितिधरे बृहदूर्जयन्ते ॥२३॥ पावापुरस्य बहिरुन्नतभूमिदेशे पद्मोत्पलाकुलवतां सरसां हि मध्ये । श्रीवर्धमानजिनदेव इति प्रतीतो निर्वाणमाप भगवान्प्रविधतपाप्मा ॥२४॥ शेषास्तु ते जिनवरा जितमोहमल्ला ज्ञानार्कभूरिकिरणैरवभास्य लोकान् ।। स्थानं परं निरवधारितसौख्यनिष्ठं सम्मेदपर्वततले समवापुरीशाः ॥२५॥ અને शत्रुजये नगवरे दमितारिपक्षाः पंडोः सुताः परमनिर्वृतिमभ्युपेताः ॥२८॥ નિર્વાણભૂમિની નામાવલી એક એવી વસ્તુ છે કે તેને આમ તો સરસ અને સુઠું પદ્યબંધમાં ગૂંથી લેવી જ દુષ્કર છે; અને બીજી બાજુ વિષયની ગંભીરતા તેમ જ ગરિમાને લક્ષમાં રાખતાં ત્યાં નિત્ય ઉપયોગમાં લેવાતા લાલિત્યદ્યોતક સાહિત્યિક અલંકારો, રમણીય ચેષ્ટાઓ, આફ્લાદજનક વિશેષણો અને ચમત્કારોત્પાદક ચાતુરીને સ્થાન નથી. આવી પરિસ્થિતિમાં કૃતિનું સાફલ્ય અત્યંત લાઘવપ્રધાન, સઘન પણ ઋજુ અને પ્રશાંત રીતે વહેતા મૈત્રીપૂર્ણ શબ્દસમૂહોની ઔચિત્યપૂર્ણ પસંદગી અને તેના સુયોજિત સંઘટન પર જ અવલંબે; અને આવું કઠિન કાર્ય પૂજયપાદ દેવનંદિ સરખી વિભૂતિ સિવાય બીજું કોણ કરી શકે? એમની એક અન્ય ઉત્કૃષ્ટ પદ્યાત્મક કૃતિ, સમાધિત અપરનામ સમાધિશતકના બેએક પદ્ય પ્રસ્તુત ગુણોનાં જ અવલંબનનાં દૃષ્ટાંત રજૂ કરતાં હોઈ તુલનાર્થે અહીં ઉદ્ધત કરીશું : जयन्ति यस्यावदतोऽपि भारती-विभूतयस्तीर्थकृतोऽप्यनीहितुः । शिवाय धात्रे सुगताय विष्णवे जिनाय तस्मै सकलात्मने नमः ॥२॥ मुक्त्वा परत्र परबुद्धिमहंधियं च संसारदुःखजननी जननाद्विमुक्तः । ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्ठस्तन्मार्गमेतदधिगम्य समाधितन्त्रम् ॥१०५॥ નિર્વાણભૂમિ સંબદ્ધ બીજી કૃતિ છે નન્દીશ્વરદ્વીપસ્તુતિ". એમાં નંદીશ્વરદ્વીપની પ્રભાવકારી, રસાત્મક, સમાસપૂર્વકની સુગ્રથિત વર્ણના પછીનાં પઘોમાં ૧૭૦ ધર્મક્ષેત્રોના જિનેન્દ્રોને વંદના દેવાના સંકલ્પ સાથે પાંચ પઘોમાં સાંપ્રત અવત્સર્પિણી કાળનાં ચતુર્વિશતિ તીર્થકરોની નિર્વાણભૂમિના વિષયને સ્પર્શે છે : યથા : अस्यामवसर्पिण्यां वृषभजिनः प्रथमतीर्थकर्ता भर्ता । अष्टापदगिरिमस्तकगतस्थितो मुक्तिमाप पापान्मुक्तः ॥२९॥ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો श्रीवासुपूज्यभगवान् शिवासु पूजासु पूजितस्त्रिदशानां । चंपायां दुरितहरः परमपदं प्रापदापदामन्तगतः ॥३०॥ मुदितमतिबलमुरारिप्रपूजितो जितकषायरिपुरथ जातः । बृहदूर्जयन्तशिखरो शिखामणिस्त्रिभुवनस्यनेमिर्भगवान् ॥३१॥ पावापुरवरसरसां मध्यगतः सिद्धिवृद्धितपसां महसां । वीरो नीरदनादो भूरिगुणश्चारुशोभमास्पदमगमत् ॥३२॥ सम्मदकरिवनपरिवृत-सम्मेद-गिरिन्द्रमस्तके विस्तीर्णे । शेषा ये तीर्थकराः कीर्तिभृतः प्रार्थितार्थसिद्धिमवापन् ॥३३॥ આ પદ્યોનું ગ્રંથન-કૌશલ પણ વિદગ્ધ અને ઉદાત્ત આભિજાત્ય સાથે લાઘવદર્શી ઊર્જસ્વિતા દાખવી રહે છે. સારુંયે સ્તોત્ર ઝંકૃત ધ્વનિથી દેદીપ્યમાન બની ઊડ્યું છે. કર્તાનાં આગમપ્રવણ વલણ, કર્તુત્વ-સામર્થ્ય, અને અંતરંગમાં વિલસતા કાવ્યગુણો આમ તો દેવનંદિની કૃતિઓમાં દેખાય છે તેની અમુકાશે સમીપનાં છે. પણ સવાલ એ છે કે શું એના એ વિષય પર કર્તાએ બે જુદે જુદે સ્થળે કથન કર્યું હશે? કે પછી નજદીકના જ સમયમાં, કદાચ સાતમીના અંતભાગે, થયેલા કોઈ સમર્થ પણ અજ્ઞાત કર્તાની આ રચના હશે ? સંઘટનની પ્રકૃતિમાં અને શબ્દોની પસંદગીમાં અને કાવ્યપોતના તાણાવાણામાં બંને વચ્ચે થોડોક ફરક તો જરૂર વરતાય છે. એનો તો કંઈક અંશે એ રીતે ખુલાસો કરી શકાય કે બંનેનાં છંદ અલગ પ્રકારનાં છે; અને છંદ જુદા હોય તો કેટલીક વાર ઉપલક દૃષ્ટિએ એક જ કર્તાની કૃતિઓમાં પણ નોખાપણું લાગે. આ બાબતમાં વિશેષ ચોક્કસ નિર્ણય તો ભવિષ્યના વિશેષ ઊંડાણભર્યા, વિશ્લેષણયુક્ત પરીક્ષણ પર છોડું છું. જોકે પ્રથમ દૃષ્ટિએ મને એની શૈલી વરાંગચરિતકાર જટાસિંહનંદી(પ્રાયઃ ઈસ્વી ૬૫૦-૭૦૦)ની હોવાનો ભાસ થયો છે. ઉત્તરની નિર્ગસ્થ પરંપરાની ઈસ્વીસની પાંચમીથી લઈ ૧૭મી સદીના લગભગ હજારેક સંસ્કૃત-પ્રાકૃત સ્તોત્રો હું જોઈ વળ્યો છું; પણ તેમાં નિર્વાણભૂમિને વિષય બનાવી તેનું આલેખન કરતી કોઈ જ રચના નજરે પડી નથી. દાક્ષિણાત્ય નિર્ગસ્થ પરંપરા એનાં સંસ્કૃત ભાષા પરના અદ્ભુત પ્રભુત્વ, કવિતામાં અજોડ સંગ્રથન નૈપુણ્ય અને ઉચ્ચતમ ગુણવત્તા માટે જ નહીં, પણ નિર્વાણભૂમિ સરખા કપરા, શુષ્ક, અને ગમગીન વિષયને પણ સ્તોત્ર-કાવ્યના માધ્યમ દ્વારા, પ્રશાંત-ગંભીરતાનાં તત્ત્વો સમેત નિબંધરૂપે નિર્વાહિત કરી શકી છે તે ઘટના સહેજે જ પ્રશંસાને પાત્ર બની જાય છે. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ટિપ્પણો : ૧. આગમોમાં આચારાંગ (પ્રથમ સ્કંધ), સૂત્રાકતાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, ઋષિભાષિતાનિ તેમજ સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ શૈલી તેમ જ વસ્તુની દષ્ટિએ સૌથી પ્રાચીન છે. જો કે આ પ્રત્યેકમાં જુદા જુદા સમયનાં અને નોખી નોખી શૈલીના સ્તરો છે. ૨. આચારાંગ(પ્રથમ સ્કંધ)ના “ઉપધાન સૂત્ર”માં જિન ‘વીરની તપસ્યાના કાળ(પ્રાયઃ ઈસ્વી પૂર્વે ૫૧૯ ૫૦૭)નું વિવરણ છે. ૩. આ સ્તોત્રની ઉત્તરની પરંપરામાં ઈસ્વીસનની ચોથી શતાબ્દી સુધી, વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમ સભાષ્યસૂત્ર (પ્રાયઃ ઈસ્વી ૩૭૫-૪૦૦) સુધીના કાળમાં, તેમ જ દેવવાચકના નંદીસૂત્ર(પ્રાયઃ ઈ. સ. ૪૫૦૪૭૫)ના સમય સુધીમાં તો ષડૂ આવશ્યકમાં ગણતરી થતી. તે પછી ઈસ્વીસની પાંચમી સદીના અંતિમ ચરણમાં સંકલિત આવશ્યક સૂત્રામાં તેનો સમાવેશ થયો. થોડા પાઠાંતર સાથે આ સ્તોત્ર દિગંબર પરંપરામાં પણ (સંભવતઃ યાપનીય સંઘના માધ્યમ દ્વારા) ઉપલબ્ધ છે. ૪. પાર્શ્વનાથનો “નિર્ચન્થ” સંપ્રદાય ક્રમશઃ મહાવીરના સંપ્રદાયમાં ભળી જવાથી પ્રસ્તુત જિન તેમ જ તેમના ઉપદેશ સંબદ્ધ મૌલિક જૂનું સાહિત્ય વિલુપ્ત થઈ ગયું. ૫. બૌદ્ધોમાં બુદ્ધનું જન્મસ્થાન (લુમ્બિની વન), બોધિપ્રાપ્તિ સ્થાન (બુદ્ધ ગયા), ધર્મચક્ર પ્રવર્તન (વારાણસી સમીપ સારનાથ) અને નિર્વાણના સ્થાન(કુશિનગર)નું યાત્રા નિમિત્તે ઘણું મહત્ત્વ હતું. નિગ્રંથોમાં તીર્થકરોનાં એવાં સમાંતર ધામોને પંચકલ્યાણક તીર્થો (ગર્ભ, જન્મ, નિષ્ક્રમણ, કૈવલ્યપ્રાપ્તિ અને નિર્વાણ)માં સમાવી લેવામાં આવ્યાં. ૬. ઉત્તરની પરંપરાના સંસ્કૃત ટીકાકારો આદિ પ્રાકૃત શબ્દ “સમ્મય'નું સંસ્કૃત રૂપાંતર “સમ્મત' કરે છે; જ્યારે દક્ષિણવાળાઓ “સમ્મદ' કરે છે. સમ્મદ’ શબ્દ વિશેષ સમીચીન જણાય છે. મેદ (Mass) પર્વતના ઘોર દળદારપણાના વિશેષ લક્ષણને સ્પષ્ટ કરે છે. જેમ કે “મેદિની” એટલે પૃથ્વી. ૭, દાક્ષિણાત્ય નિર્ગસ્થ પરિપાટીમાં અષ્ટાપદ પર્વતને બદલે ઘણી વાર “કૈલાસ” ઉલ્લિખિત છે, જે વાત ઉત્તરની આગમિક પરંપરા અને તદનુષંગી વ્યાખ્યાત્મક સાહિત્યમાં ક્યાંય જોવા મળતી નથી પણ પૂર્ણતલગચ્છીય આચાર્ય હેમચંદ્રના અભિધાનચિંતામણિ ૪ / ૧૦૨૮ (પ્રાય: ઈ. સ. ૧૧૪૦)માં “કૈલાસની ‘અષ્ટાપદના પર્યાય રૂપેણ નોંધ લેવાઈ છે. ૮. આ સમ્મદ-શિખર તે હાલનું સુપ્રસિદ્ધ તીર્થધામ “પાર્શ્વનાથ-હિલ નહીં પણ ગયા પાસેનો કછુઆ ડુંગર છે એવું અન્વેષકોનું માનવું છે. પાર્શ્વનાથ-હિલ પર કોઈ જ પ્રાચીન અવશેષો નથી મળતા જયારે કોહુઆ ડુંગર પર ખડક પર ૨૦ જિનમૂર્તિઓ કંડારેલી જોવાય છે અને એક “સમ્મદ...' જેવો શબ્દખંડ ધરાવતા અભિલેખનો ટુકડો મળી આવ્યો છે. ૯. સંભવ છે કે સમ્મદ-શૈલના મૂળ સ્તૂપ ખોલી, તેમાંથી અચ્યવશેષોનો અમુક અંશ કાઢી, મથુરાના સ્તૂપની તે પર રચના ઈસ્વીસન્ પૂર્વની કોઈક સદીમાં, કદાચ મૌર્ય સંપ્રતિના સમયમાં થઈ હોય. ૧૦. અધ્યયનમાં ‘સ્તોત્ર-સાહિત્ય' એ મહદંશે ઉપેક્ષિત વિષય રહ્યો છે. હાલમાં જિતેન્દ્ર શાહ સાથે હું શ્રીબૃહદ્ નિર્ઝન્થ-સ્તોત્રી-રત્ન-મંજૂષા ગ્રંથનું સંકલન એવં સંપાદન કરી રહ્યો છું. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો ૧૧. આ સ્તોત્રો દેશભક્તિ અંતર્ગત, ધારાના મહાન્ દિગંબર વ્યાખ્યાનકાર પ્રભાચંદ્ર(કાર્યકાલ પ્રાયઃ ઈ. સ. ૧૦૨૫૧૦૬૦)ની વૃત્તિ સાથે (યા અન્યથા) અનેક સ્થળોથી છપાયેલાં છે. મેં અહીંની ચર્ચામાં નીચેનાં બે પ્રકાશનોનો ઉપયોગ કર્યો છે. (૧) વિવા નાપ: (સં. પન્નાલાલ-સૌની-શાસી), આગરા વિ. સં. ૧૯૯૩ (ઈ. સ. ૧૯૩૭); (૨) હુમ્બુન-શ્રમળ-સિદ્ધાન્ત પાઠાવત્તિ, શ્રી દિગંબર જૈન કુંથુ વિજય ગ્રંથમાલા સમિતિ, જયપુર ૧૯૮૨, પૃ ૧૩૯-૧૪૦ તથા પૃ ૧૪૪-૧૪૫. ૧૨. પ્રભાચંદ્રના કથન અનુસાર સંસ્કૃત ભકિતઓ પાદપૂજ્ય સ્વામી(પૂજ્યપાદ દેવનંદિ)ની રચેલી છે. પણ પં નાથૂરામ પ્રેમી આદિ વિદ્વાનોને આ અનુશ્રુતિની સત્યતામાં સંદેહ છે. (જુઓ પ્રેમી, “દૈવનંદિકા જૈનેન્દ્ર વ્યાકરણ". જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, મુંબઈ, ૧૯૫૬, પૃ. ૪૮; તથા સદરહુ ગ્રંથમાં “હમારે તીર્થક્ષેત્ર', પૃ. ૪૨૩.) ૧૩ ૧૩. દેશભક્તિઓમાં “નિર્વાણ ભક્તિ” આજે જે રૂપે મળે છે તેમાં પ્રથમનાં ૨૦ પો તો “વીર પંચકલ્યાણક સ્તોત્ર'' રૂપેણ કોઈ અલગ કર્તાની ભિન્ન શૈલીમાં (મોટે ભાગે જટા સિંહનંદીની શૈલીમાં) જુદા જ છંદમાં, નોખી જ રચના છે. ૧૪. ઉપર્યુક્ત ‘નિર્વાણભક્તિમાં “વીર પંચકલ્યાણક સ્તોત્ર" પછીથી આવતાં ૧૨ પદ્મો જ અસલી “નિર્વાસભૂમિસ્તોત્ર” છે. ૧૫. આ માન્યતા ક્ષેત્રપકાળના ઉત્તરાર્ધમાં રચાયેલ આગમોમાં સૌ પ્રથમ જ દેખા દે છે. ૧૬. દેશ ભક્તિઓમાં “નંદીશ્વરભક્તિ” નામની રચના મૂળે બે ભિન્ન ભિન્ન રચનાઓનું જોડાયેલું સ્વરૂપ છે. ૧થી ૨૮ પો સુધીની જ રચના “નંદીશ્વરસ્તુતિ” છે. તે પછીના ૨૯થી ૩૭ સુધીનાં પથ્થો “નિર્વાıભૂમિસ્તુતિ” છે અને ત્યાર બાદના ૩૮થી લઈ ૯૦ સુધીનાં ૨૩ ૫ો તીર્થંકરોનાં અતિશય અને અષ્ટમહાપ્રાતિહાર્ય સંબદ્ધ છે. આમ આ ત્રણે રચનાઓ જો એક જ કર્તાની હોય તો પણ ત્રણ પૃથક્ વિષયને આવરી લેતી રચનાઓ જ માનવી જોઈએ. (આ સંબંધમાં વિસ્તારપૂર્વક અને સપ્રમાણ ચર્ચા હું અન્યત્ર એક અંગ્રેજી લેખમાં કરી રહ્યો For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ફાાનચંદ્રકત સંસ્કૃતભાષા-નિબદ્ધ “શ્રીરૈવતગિરિતીર્થસ્તોત્ર' (સ્વ) પં. બેચરદાસ દોશી જૈન મહાતીર્થ ઉજ્જયંતગિરિ વિષયક પુરાણી જૈન તીર્થમાલાત્મક સાહિત્ય રચનાઓ પ્રકાશિત કરવાની પહેલ કરનારાઓમાં એક હતા. એમણે તપાગચ્છીય રત્નશેખરસૂરિશિષ્ય હેમહંસસૂરિની જૂની ગુજરાતીમાં રચાયેલ બહુમૂલ્ય કૃતિ—“ગિરનાર ચૈત્ર પ્રવાડી”( આઇ વિ. સં. ૧૫૧૫ | આ. ઈ. સ. ૧૪૫૯)–પુરાતત્ત્વ અંક ૩ (ચૈત્ર ૧૯૭૯, પૃ. ૨૯૧-૩૨૨ ૪)માં પ્રકાશિત કરેલી. એમનાથી એક વર્ષ પૂર્વે વિજયધર્મસૂરિ દ્વારા એક બીજા તપાગચ્છીય મુનિ-રત્નસિંહસૂરિ શિષ્ય–દ્વારા “ગિરનાર તીર્થમાલા” એમના ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત ઉપયુક્ત પ્રાચીન તીર્થમાલા સંગ્રહ (ભાવનગર સં. ૧૯૭૮ | ઈ. સ. ૧૯૨૨)માં પ્રગટ કરેલી (પૃ. ૩૩-૩૭). | (સ્વ) પં. દોશી આમ આ ક્ષેત્રમાં બે અગ્રચારીઓમાંના એક હતા તેમ જ હેમહંસસૂરિની ચૈત્યપરિપાટીના આધારે તેમણે ગિરનાર તીર્થ સંબંધે જે ગવેષણા કરી છે તે એ વિષય અનુલક્ષીને સૌ પ્રથમ જ હતી. અહીં રજૂ થઈ રહેલી કૃતિ જ્ઞાનચંદ્રની છે. વસંતતિલકા છંદમાં નિબદ્ધ આ સંસ્કૃત ષોડશિકાને સંગ્રહકારે (વા લિપિકારે) “ગિરનાર ચૈત્ય-પરિપાટી સ્તવન” એવું શીર્ષક આપ્યું છે, જે કૃતિની અંદરની વસ્તુને લક્ષમાં રાખીને અપાયું હોય તેમ લાગે છે; પણ મૂળ કર્તાને તો “ઉજ્જયંતગિરિતીર્થ સ્તોત્ર” વા “રેવતગિરિતીર્થ-સ્તોત્ર” અભિપ્રેય હોય તેમ લાગે છે. પ્રાંત પદ્યમાં રચયિતાએ પોતાનું “જ્ઞાનેન્દુ અભિધાન પ્રગટ કરેલું છે; પણ પોતાના ગચ્છ કે પરંપરા વિશે કંઈ જણાવ્યું નથી. સ્તોત્રમાં મંત્રીશ્વર વસ્તુપાલ અને મંત્રીબંધુ તેજપાલે ગિરિ પર નિર્માણ કરાવેલ કલ્પોનો ઉલ્લેખ હોઈ કર્તા ઈ. સ. ૧૨૩૨-૧૨૩૪ બાદ જ લખી રહ્યા હોવાનું સુનિશ્ચિત છે. પણ બે જ્ઞાનચંદ્ર જાણમાં છે : એક તો રાજગચ્છીય વાદીન્દ્ર ધર્મઘોષસૂરિની પરંપરામાં થઈ ગયેલા અમરપ્રભસૂરિના શિષ્ય, જેમણે સં૧૩૭૮ | ઈ. સ. ૧૩૨૨માં અર્બુદગિરિ પર દેલવાડાની વિશ્વવિખ્યાત વિમલવસહીમાં ભંગ પશ્ચાત્ પુન:પ્રતિષ્ઠા કરેલી'. બીજા તે પર્ણમિક ગુણચંદ્રસૂરિશિષ્ય, જેમણે હર્ષપુરીયગચ્છના રાજશેખરસૂરિની રત્નાકરાવતારિકા પર પ્રસ્તુત સૂરિના અનુરોધથી ટિપ્પણ રચેલું. આ બીજા પર જ્ઞાનચંદ્રનો સમય આથી ઈસવીસનના ૧૪મા શતકના મધ્યમાં પડે છે, અને એ કારણસર તેઓ રાજગચ્છીય જ્ઞાનચંદ્રથી એક પેઢી પાછળ થયેલા. આમ નજીકના સમયમાં થઈ ગયેલા આ બે જ્ઞાનચંદ્રમાંથી સાંપ્રત સ્તોત્ર કોની રચના હશે તે વિશે નિર્ણય કરવો આમ તો કઠણ છે, પણ દેલવાડાની સં૧૩૭૮ની For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃતભાષા-નિબદ્ધ “શ્રીરૈવતગિરિતીર્થસ્તોત્ર' ૧૫ વિમલવસહી પ્રશસ્તિમાં વચ્ચે વચ્ચે પ્રયોજિત વસંતતિલકા પદ્યોના છંદોલય તેમ જ શૈલીપરાગને ધ્યાનમાં રાખતાં ચર્ચા હેઠળનું રૈવતગિરિ-સ્તોત્ર આ રાજગચ્છીય જ્ઞાનચંદ્રની, અને એથી ઈ. સ. ૧૩૨૦-૧૩૨૫ના અરસાની રચના હોઈ શકે. કૃતિનું સંમતિ સંપાદન શ્રી અગરચંદ નાહટાએ ઘણાં વર્ષો પહેલાં એક જૂની પ્રત પરથી ઉતારી લીધેલ પાના પરથી કર્યું છે. પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા એવં સંસ્કૃત ભાષા-વિશારદ શ્રીકૃષ્ણદેવે એને લક્ષપૂર્વક તપાસી લિપિકારે દાખલ કરેલા અક્ષર અને વ્યાકરણ દોષને નિવાર્યા છે અને કોઈક કોઈક સ્થળે અક્ષર ઊડી જવાથી થયેલ છંદોભંગ પૂર્તિ દ્વારા દૂર કર્યો છે. સ્તોત્ર ઉજ્જયંત મહાતીર્થ અનુલક્ષિત હોઈ તેમાં સ્વાભાવિક જ તીર્થનાયક જિન અરિષ્ટનેમિને પ્રધાનતા અપાઈ છે; એમનો તથા રૈવતગિરિનો મહિમા પ્રારંભનાં પાંચ પઘોમાં કહ્યો છે. તે પછી વામ્ભટ્ટમંત્રી કારિત, ગિરનાર પર ચઢવાની પદ્યા (પાજા) વિશે આલંકારિક વાકયો કહી, ક્રમશઃ ગિરિસ્થિત અર્ચનીય સ્થાનોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં (કાશ્મીરના) શ્રેષ્ઠી રત્ન તથા મદન દ્વારા (અંબિકાના પ્રાસાદથી) મળેલ નૂતન બિંબની પ્રતિષ્ઠા (ઈ. સ. ૯૩૪), તથા સજ્જન મંત્રી દ્વારા પુનરુદ્ધારિત (ઈ. સ. ૧૧૨૯) નેમિનાથના પુરાણપ્રસિદ્ધ મૂળ મંદિર અતિરિક્ત (મંત્રી તેજપાલકારિત)”કલ્યાણત્રય” જિનાલય (આ. ઈ. સ. ૧૨૩૪), (દેપાલ મંત્રી કારિત) દેવેન્દ્ર મંડપ (ઈ. સ. ૧૨૩૨) અને સમીપવર્તી રહેલ પુનિત પ્રાચીન ગજેન્દ્રપાદકુંડ, સચિવેશ્વર વસ્તુપાલે કરાવેલ સમેતશલ અને અષ્ટાપદની રચના સહિતનો આદિનાથનો “વસ્તુપાલ વિહાર”(ઈ. સ. ૧૨૩૨), રાજુમતીની ગુફા, અંબાશિખરસ્થિત ગિરનાર-અધિષ્ઠાત્રી યક્ષી અંબિકા, અને અંબાશિખર પછીનાં અવલોકનાદિ શિખરો, સહસ્રસહકારવન (સહસ્રમ્રવન, સેસાવન), તેમ જ લાખારામ એમ તે સ્થાનોમાં પ્રતિષ્ઠિત નેમિનિનની ચરણ-પાદુકાઓને વંદના દઈ, સ્તોત્રની સમાપ્તિ કરી છે. સ્તોત્રકારને આ રચના બે અનિવાર્ય મર્યાદાઓ વચ્ચે રહીને કરવી પડી છે. એમનું ધ્યેય એને ચૈત્યપરિપાટી રૂપે રજૂ કરવાનું હોઈ તેમાં પૌરાણિક-ઐતિહાસિક વ્યક્તિઓનાં, તેમ જ તીર્થાશ્રિત મંદિરાદિ રચનાઓનાં વિશેષનામો છોડી શકાય તેમ નહોતું. વસ્તુતયા તેની પ્રધાનતા રહે છે. બીજી બાજુ તેઓ મધ્યયુગના મુખ્ય ભાગની સમાપ્તિ પશ્ચાત્ થયા છે. આથી એમનું કવિતા-સામર્થ્ય અને ભાષાનું આભિજાત્ય અગાઉના કર્તાઓ જેવું હોવાનો સંભવ ઓછો છે; અને છતાંય જ્ઞાનચંદ્ર આ બંને મર્યાદાઓ સંક્રમી સ્તોત્રને એક સફળ સર્જન રૂપે ઘડી શક્યા છે. સાધારણતયા કવિતામાં વિવિધ વર્ણયુક્ત વિશેષ નામોની ઉપસ્થિતિ એના આકારને અસુહુ બનાવે છે; અને પશ્ચાત્ કાળની કૃતિઓમાં સામાન્યતઃ ગિરાવૈભવ અને કલ્પકતાનો સાવ અભાવ નહીં તોયે એકંદર સંગુંફનમાં ઘણી વાર અદોદરાપણું વરતાય છે; જ્યારે અહીં તો સારુંયે સ્તોત્ર સુલલિત પદાવલિથી સુશૃંખલ બની ઋજુગતિએ વહેતું લાગે છે; ને સાથે જ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર પદોમાં ચાતુરી અને સુરુચિ સમતોલ પ્રમાણમાં વણાયેલાં દેખાય છે; તો બીજી બાજુ અલંકારોનો અકારણ પ્રયોગ, વસ્તુ-નિરૂપણમાં વૃથા વિસ્તાર કે અકારણ ચાતુરીનાં પ્રદર્શનથી મુક્ત રહ્યાં છે. સમગ્ર રચના આથી અર્થપૂર્ણ બનવા ઉપરાંત સુચારુ, ભાવવાહી, સુઘટિત, અને વ્યવસ્થિત બની શકી છે. આટલા ગુણો ધરાવતી હોવા છતાં એને અસાધારણ રચના તો કહી શકાય નહીં; તોપણ તે સરસ અને કર્ણપેશલ જરૂર બની છે. ચૌદમા શતકમાં થયેલા કવિ જ્ઞાનચંદ્રની કાવ્યસૂઝ અને આવડત વિશે પ્રસ્તુત સ્તોત્રથી સહેજે જ ઊંચો ખ્યાલ બંધાય છે; અને તેમની આ કાવ્યકૃતિ ઉત્તર-મધ્યકાળના પ્રારંભની ઉત્તમ જૈન સ્તોત્રાત્મક રચનાઓમાં સ્થાન લઈ શકે તેમ છે. ટિપ્પણોઃ ૧. મુનિરાજ શ્રી જયંતવિજયજી, શ્રી અબ્દ-પ્રાચીન-જૈન-લેખસંદોહ, (આબૂ-ભાગ બીજો), શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા, પૃ. ૪૦, ઉજજૈન વિ. સં. ૧૯૯૪ ઈસ. ૧૯૩૮, લેખાંક ૧, પૃ. ૭. ૨. મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, કંડિકા ૬૪૨, પૃ૦૪૩૭. ૩. રાજશેખરસૂરિના પ્રબંધકોશની મિતિ સં૧૪૦૫ ઈ. સ. ૧૩૪૯ છે; અને તેમણે મુનિભદ્રની કૃતિનું સંશોધન સં. ૧૪૧૦/ ઈ. સ. ૧૩૫૪માં કર્યું છે (દેશાઈ એજન), આથી પૌર્ણિમાગચ્છના સમકાલિક જ્ઞાનચંદ્રનો પણ એ જ સરાસરી સમય ગણાય. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચંદ્રકત સંસ્કૃતભાષા-નિબદ્ધ “શ્રીરૈવતગિરિતીર્થસ્તોત્ર' १७ श्रीरैवतगिरितीर्थ-स्तोत्रम् सौराष्ट्र-राष्ट्र-वसुधा-वनिता-किरीटकल्पोज्जयन्तगिरि-मौलि-मणीयमानं । नेमीश्वरं जिनवरं प्रयतः प्रणौमि सौभाग्य-सौरभ-सुभावित-विश्वविश्वम् ॥१॥ स्वामिन् स्मर प्रसरथ स्मरकान्धकार प्रत्यूष भास्कर सुरासुर-सेव्यपादः । श्री रैवताचल सदोदित विश्वदीपज्ज्योतिर्मय प्रशमयामयमंतरं नः ॥२॥ दुःकर्मशर्ममिदुरं गलितं ममाद्य प्रोद्यन्मनोरथ-तरुः फलितश्च सद्यः । मानुष्य-जन्मदुरवाप्यमभूत्कृतार्थं वल्लाघवी क्षणपथं त्वमुपागतोसि ॥३॥ श्रीनेमि-निष्क्रमण-केवल-मोक्षरूप कल्याण[क]त्रय-पवित्रित-भूमिभागं । तीर्थाधिराजमभिषिचितयत्तडित्वात् तत्सर्पि गर्जित महोर्जित तूर्यरायः ॥४॥ राजीमती बल सनातन सौख्यलक्ष्मी सांगत्य गौरवमहो ! गभिता जितेश । विश्वत्रयी प्रभवता भवता तथापि त्यक्ते त्यजायत मुधैव जनः प्रघोषः ॥५॥ पद्यामीवाद्य दलिती किल सिद्धिसौध सोपान-पद्धतिमिवेहसदाधिरोहन् । भव्यो जनः स्मरति वाग्भटदेवमंत्रि राजन्य नेमि जिन यात्रक धर्मबंधोः ॥६॥ आतीय कांचनबलानक तोऽम्बिकायास्तोष्येन रत्नमयबिंबमनर्घ्यमेतत् । रत्नः पुरोहित निवेशितमुद्दधार तीर्थं भवाब्धि-पतयालुमिवजीवम् ॥७॥ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર चैत्यं चिरंतनमिदं मदनोद्दधार श्रीसज्जनःसुकृतसज्जनसज्जधर्यः । सौवर्ण-कुंभ-मणि-तोरण-रत्नदीप यदैवताद्रि-कटके पटकायतीव ॥८॥ रत्नानि तान्यपि चतुर्दश यत्पुरस्तानूनंजरात्तृणमुलापति न स्पृशंति । विश्वैकरत्न भवता तवतात्मजेन मन्ये समुद्रविजयेन जितः समुद्रः ॥९॥ माहात्म्यस्य भणितुं भुवनातिशायि श्रीरैवतस्य न तु वागधिप: किमीशः । नेमीश्वरस्य विजिनांतर वैरिणोपि प्रेयानभूत् समवसृत्यणुबंधतो यः ॥१०॥ कल्याणकत्रयजिनालय भूत्रयेपि नेमिं नमामि चतुराननमंजनाभं । देवेन्द्रमण्डप जिननाथ दिव्य कुण्ड दौर्गत्यतापमलहारि गजेन्द्रपादं ॥११॥ शत्रुञ्जयाभिध गिरीश कृतावतारं श्रीवस्तुपालसचिवेशविहारसारं । सम्मेतचैत्य भवनेन यगादिदेवमष्टापदेन च निविष्टमहं नमामि ॥१२।। राजीमती किल स निर्झर कन्दरायामणि नेमि-विरहादि-वशो चयन्ती । अंबेव यात्रकजने दुरितापहन्त्री दिव्यांबिका जयति कामित-कामधेनु ॥१३॥ वंदेऽवलोकशिखरे तमरिष्टनेमि वैषम्यमाक् शिखरशेखरतामितौ तौ । प्रद्युम्न शाम्ब मुनिकेवलिनो दिशंता वुच्चैर्महोदयपदं तु यथा तथेति ॥१४॥ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃત ભાષા-નિબદ્ધ “શ્રીરૈવતગિરિતીર્થસ્તોત્ર' ૧૯ श्रीमान् सहस्रसहकारवनेन लक्षा-रामेण नेमिपदपंकज-पावितेन । तीर्थात्मकः शुचिरयां क्षितिभृत्समन्तात् जीयान्निशास्वपि सदोषधिदीपदीप्तः।।१५।। ज्ञानेन्दु रुग्विदित वैद्यसुरेन्द्र वन्द्य विश्वाभिनंद्य यदुनंदन सम्मदेत । स्तोत्रं पठन्निदमनन्यमनाः सुतीर्थ यात्राफलं शुभमतिर्लभते स्थितोऽपि ॥१६॥ इति श्रीगिरनारचैत्यपरिपाटीस्तवनम् विहितं श्रीज्ञानचंद्रसूरिभिः ॥ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ' ૩૬ કડીમાં ગૂર્જરભાષા-નિબદ્ધ સાંપ્રત રચના બૃહદ્ તપાગચ્છીય રત્નાકરસૂરિની પરંપરામાં થઈ ગયેલા જયતિલકસૂરિની છે. એમણે સં૧૪૫૬ | ઈ. સ. ૧૪00માં અનુયોગદ્વાર-ચૂર્ણિનો ઉદ્ધાર કર્યો હોવાનું જાણમાં છે'; અને એમના શિષ્ય રત્નસિંહસૂરિના શિષ્ય ચારિત્રસુંદરગણિએ ૧૪૮૭ | ઈ. સ. ૧૪૩૧માં શીલદૂતકાવ્ય રચ્યું છે. જયતિલકસૂરિના ઉપદેશથી ખંભાતના શ્રીમાલી સંઘપતિ હરપતિએ સં. ૧૪૪૯ | ઈ. સ. ૧૩૯૩માં ગિરનારની યાત્રા કરી ત્યાં નેમિનાથના મંદિરને દુરસ્ત કરાવેલું. આ હકીકતને લક્ષમાં લેતાં અહીં તેમની પ્રસ્તુત થઈ રહેલી “ગિરનાર ચૈત્ય પ્રવાડી”ને ૧૪મા શતકના અંતની આસપાસ મૂકવામાં હરકત જેવું નથી. વધુમાં આ કૃતિમાં ગિરનાર પર ૧૫મા સૈકામાં નિર્માયેલાં મંદિરોનો ઉલ્લેખ નથી. આ તથ્ય, અને કૃતિનાં ભાષા-લક્ષણો ઉપર્યુક્ત સમયાંકનને સમર્થન આપી રહે છે. તદુપરાંત રત્નસિંહસૂરિશિષ્ય (નામ અજ્ઞાત) રચેલી “ગિરનાર તીર્થમાલા” (ઈ. સ. ૧૪૫૩ બાદ)થી આ રચના બે પેઢી અગાઉ થયેલી છે અને સ્પષ્ટતયા પ્રાચીન છે. સંભવ તો એવો છે કે શ્રેષ્ઠિ હરપતિની ગિરનારતીર્થની સંઘયાત્રા સમયે, એટલે કે ઈ. સ. ૧૩૯૩માં આની રચના થઈ હોય. પ્રારંભની પાંચ કડીઓમાં કાવ્યસુલભ સામાન્ય વર્ણન બાદ પરિપાટીકાર તીર્થનંદના પ્રારંભ કરે છે. પહેલાં તો (મંત્રી તેજપાળે વસાવેલ તેજલપુર, હાલના ઉપરકોટ નીચેના જૂનાગઢની) તેજલ-વસહી (તેજપાલ વસતી)ના પાર્શ્વનાથને નમી, તે પછી “જીરણગઢ' (જીર્ણદુર્ગ, જૂનાગઢ એટલે કે ઉપરકોટ)ના મુખમંડન આદીશ્વર તથા વીરના ધામમાં પ્રણામ કરી, સોનરેખ, દામોદર અને ક્ષેત્રપાલ(કાલમેઘ) જોઈ, (તળેટીની) વનરાઈ પાસે પહોંચી ત્યાંથી પાજ ચડતાં ક્રમશઃ માકડકુંડી, સુવાવડી આદિ ચાર પરબો વટાવી, પાજનું નિર્માણ કરાવનાર બાહડ મેહતા (મહંતો વાગભટ્ટ)ને ધન્યવાદ દઈ, દેવકોટની પોળમાં યાત્રી કવિ પ્રવેશે છે. ત્યાંથી આગળ તીર્થાધિપતિ જિન અરિષ્ટનેમિના ત્રણ ધારવાળા મંદિરમાં નમસ્કાર કરી, બોતેર દેવકુલિકાઓમાં પ્રણમી, (ત્યાં દક્ષિણ દ્વારમાં રહેલ) અપાપામઢીમાં રહેલ આઠ તીર્થકરોને પ્રણામ કરી, ત્યાર પછી કલ્યાણત્રય જિનાલયમાં રહેલ નેમિનાથને નમી, આગળ ચંદ્રગુફા જોઈ, નાગમોર-ઝરા સમીપ ગજેન્દ્રપદ કુંડમાં પ્રક્ષાલન કરી ઇંદ્રમંડપ થઈ (ત્યાંથી પાછા વળીને નેમિનાથના મંદિર-સમુદાય પાછળ રહેલ) શત્રુંજયાવતાર તથા સમેતશિખર અને અષ્ટાપદના દેવો (જિનો)ને વંદી (તેની પાછળ આવી રહેલ વસ્તુપાલ મંત્રી કારિત કપર્દી યક્ષ અને મરુદેવીનાં મંદિરોમાં નમસ્કાર કરી ઉપર રાજુલ-રથનેમિની ગુફામાં થઈ, ઘંટાક્ષર, છત્રશિલા થઈ અને સહક્ઝામ્રવન(સંસાવન)માં ઊતરી પછી અંબિકા, સાંબ, પ્રદ્યુમ્ન અવલોકન શિખર જઈ પ્રણામ કરે છે ત્યાં (પ્રદ્યુમ્ન શિખરે) (દંતકથાનું) “કંચનબાલક” હોવાનો ઉલ્લેખ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જયતિલકસૂરિ વિરચિત ‘શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ’ કરી સિદ્ધિ-વિનાયકની પોળમાં પ્રણમે છે. તે પછી સહસ્રબિંદુએ ગંગાજળ જોઈ ફરી નેમિનાથના મૂળ મંદિર તરફ વળે છે, અને યાત્રા-સાફલ્યનો આનંદ વ્યક્ત કરે છે. ૩૫મી કડીમાં કર્તા રૂપે જયતિલકસૂરિનું નામ આવે છે. કૃતિમાં નિઃશંક કાવ્યતત્ત્વ વિલસે છે. ગિરનારતીર્થ સંબદ્ધ જૂની ગુજરાતીમાં લખાયેલી ઉપલબ્ધ રચનાઓમાં આ સૌથી પુરાતન જણાય છે. તેનું સંપાદન લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની પ્રત ૮૬૦૧ પૃ ૧૨થી ૧૩ તેમ જ પ્રથમ સંપાદક (સ્વ. અગરચંદ નાહટા) પાસેના એક જૂના ઉતારા પરથી અહીં કરેલ છે. ૨૧ ટિપ્પણો : ૧. જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૪૪૭, કંડિકા ૬૫૮. કંડિકા ૬૮૬. . ૨. એજન, પૃ ૪૬૯, For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨. સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ગિરનાર ચૈત્યપ્રવાડી સરસતિ વરસતિ અમીય જ વાણી હૃદય-કમલિ અભિંતરિ આણી જાણીય કવીયણિ છંદો–૧ ગિરનાર ગિરિવરણ જ કેરી ચેત્રપ્રવાડિ કરઉ નવેરિ પૂરીય પરમાણંદો–ર દૂરિથીયા જઉ ડુંગર દીઠ૯ નયણ-જુયલ અમીય-ઘણ વૂઠ ફીટકું ભવદહ-દાહો–૩ ઝીંઝરીયા-નઉ કોટ જવ ઉલિ મણૂં જનમનું સફલ ઉલિઉ(?) કહુલિઉ મન ઉછાહો–૪ કુંઅર શેવર તણીય જ પાલિઈ મન રંજિઉ તરુઅરડિ માલિઈ ટાલઈ દુહ સંતાપો૫ અમૃત સરીખી આવઈ લહિર જ જાણે પુણ્યતણી એ મુહુર જ દુહર ગિયાં હૂયા પાપા-૬ તેજલવસહાય પાસ નમિનું તું આઘા સવિ કાજ કરેસિલું લેસુલ પુણ્ય પભારો—૭ જીરણગઢ મુખમંડણ સામી આદીસરુ પય સીસ જ ગામી ધામીય પ્રણમઉ તીરો–૮ આગલિ નયચ્છઈ સોવનરેખી દામોદર તસ તરહ દેખી આરખી ક્ષેત્રપાલો–૯ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ’ ૨ ૩ આંબા રાયણિ તણીય વનરાજી જાણે આવિઉ જલહર ગાજી ભાજય ગિઉ દુક્કાલો-૧૦ મન રગિ જઉ ચડીય પાજ તુ નિશ્ચઇં સરીયાં અમ્લ કાજ રાજ-પાહિ અસંતો-૧૧ પ્રીય ભણઈ, દુખિ જઈય તિહાં અચ્છઈ નિરંતર સીયલી છાણાં બાહો મ મેલ્હિસિ કહો—૧૨ ઇકિ વીસમઈ ઇકિ આઘા જાઈ ઇકિ મનરંગિ વાયત્ર વાઈં ઈક ગાયઈ તીહાં ગીતો–૧૩ પહિલી પરવંઇ લેઈ વસાઉ બીજા ઊપરિ વિહલા ધામ... જિમ પામુ ભવ-સંતો–૧૪ આગલિ....કઈ માકડ પગથાર તીર્થ્યો અતિ સાકડ કાઇ કડિંકર રઈજ હાથો–૧૫ ધન ધન તુ બાહડદે મુહતા મા........સાંતા જાતા સંઘહ સાથો–૧૬ ત્રિ શિલા ત્રીજી પર્વ ભણી ચઉત્થી સૂતકકારણિ સુણીય હણી....રો–૧૭ તુ પામી મઇ પોલિ જ પહિલી પુણ્ય-કાજિ જે અચ્છઈ સઈલી હલસક દિઉ સારો–૧૮ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર દેઅલ દેખી મનિ ગહગહીય સફલત કએ જે મારિગ સહીય રહીયે પાપ અસેસો–૧૯ તિનિ પયાણિ દેઈ ત્રિવાર માહિ જઈ નેમીસ જુહારઈ સારઈ કાજ સવસો–૨૦ હવણ પૂજયીય વંદણ સારી બહુત્તરિ દેહરે જિણહ જુહારી હારી તે દ્ધિ ન જન્મો-૨૧ અપાપામઢિ આઠ તીર્થકર ગઈય ચઉવીસી બોલાઈ મણિવર સુરવર કરય પ્રણામો–૨૨ કલ્યાણરાય નેમિ નમસ્ ચંદ્રગૂહા વેગિઈ જાએસિ કરીસુ સફલા પાગો–૨૩ નાગમરિ ઝિરિ આગલિ કુંડ જ ગયંદમઈ પક્ષાલક પિંડ જ ઇંદ્રમંડપ સો ચંગો-૨૪ ઊજલગિરિ સેતુજ અવતરી આદિકિણેસર અ—િ અણસરીઉ દરીય હરી અસેસો—૨૫ સમેતિસિહરિ અષ્ટાપદિ દેવા વાંદઉ કવડિજલ મરુદેવા રાજલિ - રહનમીસો-૨૬ ઘંટાક્ષર છત્રશિલા વખાણું અંબુસહસ્ર પ્રભુ દીક્ષા જાણું નાણ હવે તસ રૂખો-૨૭ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ' ૨૫ બિહુ બેટ્ટસિઈ અંબિકમાતા સાંબ-પજૂન અવલોણા જાતાં વલતો પ્રણમ્ સુખો–૨૮ તિહં અછઈ કંચન-બલાણું. સિદ્ધિ-વણાયગ પોલિ વખાણું જાણું પ્રણમ્ નિત્યો–૨૯ સહસબિંદ ગંગાજલ જોઈ પ્રભુ ને મીસરુ દેહ જ ધોઈ જે ય હુઈ સુપવિતો-૩૦ ક્રમિ ક્રમ ચેત્રપ્રવાડિ જ કીધી મર્ય-જનમ ઊગારિ જ લીધી સીધી સઘલી ય વાતો–૩૧ * ભમી ભમીય ભવમાહિ જ ભાગુ તુ પ્રભુ તાહરે પાય જ લાગી માગઉં સિવસુહ-નાતો—૩૨ હરખિઍ મૂલિગભારુ પામીય નયણિ નરીયખિી નેમિ સુસામીય કામીય-ફલ-દાતારો–૩૩ જા ગયÍગણિ રવિ-સિરિચંદો મૂરતિ સામિ તણીય તાં નંદુ આણંદ સુખ ભારો—૩૪ હું મૂરખ પણઈ અછું અજાણ શ્રી જયતિલકસૂરિ બહુમાન માનું મનમાહિ એહે–૩૫ પઢઇ ગણઈ જે એ નવરંગી ચેપ્રવાડિ અતિહિ સુચંગી ચિંગીય કરઇસુ દેહો–૩૬ “ઇતિ શ્રી ગિરનાર ચૈત્રપ્રવાડિ” For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાતકર્તૃક ‘શ્રી ગિરનાર ચેત્ત પરિવાડિ’ ઉજ્જયંતગિરિનાં મંદિરો અનુલક્ષે રચાયેલી ચૈત્યપરિપાટીઓમાં માહિતીની દૃષ્ટિએ આ એક બહુ જ કીમતી અને ૪૧ જેટલી કડીઓ આવરી લેતી મોટી ચૈત્યપરિપાટી છે. અગાઉ પ્રકાશિત થઈ ચૂકેલ, બૃહત્તપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની, અને સોમસુંદરસૂરિના પરિવારના રત્નશેખરસૂરિશિષ્ય હેમહંસની ગિરનાર તીર્થમાળામાં અપાયેલી વાતોનું આમાં સમર્થન હોવા અતિરિક્ત કેટલુંક વિશેષ સ્પષ્ટીકરણ પણ છે, અને અન્ય કોઈ પરિપાટીકારે નહીં જણાવેલ એવી નવીન હકીકતો પણ છે. કર્તા પોતાનું નામ પ્રગટ કરતા નથી; પણ કોઈ “સંઘવી શવરાજ’ના સંઘમાં શામિલ મુનિની આ રચના હોઈ શકે તેવો તર્ક છેવટની એટલે કે ૪૧મી ગાથા પરથી થઈ શકે છે. સંપ્રતિ રચના લા. દ. ભા૰ સં૰ વિ. મંના મુનિપુણ્યવિજયજી સંગ્રહની પ્રતિ ક્રમાંક ૨૯૭૦ ઉપરથી ઉતારી છે. મૂળ પ્રતિમાં જો કે રચનાસંવત કે લિપિસંવત દર્શાવ્યો નથી; પણ ભાષા અને વસ્તુની દૃષ્ટિએ સાંપ્રત કૃતિ ૧૫મા શતકના ઉત્તરાર્ધની જણાય છે, જ્યારે પ્રતિની લિપિ ૧૭મા શતકના ઉત્તરાર્ધથી પુરાણી લાગતી નથી. પ્રારંભમાં યાત્રી-કવિ દેવી ‘અંબિકા અને ભગવતી ‘સરસ્વતી'ને સ્મરી, ‘નેમિજિન’ને વંદના દઈ, ‘ઊજલિગિરિ’(ઉજ્જયંતગિરિ)ના જિણવરને સાનંદ સ્તવવાનો નિર્ધાર જાહેર કરે છે : (૧). આ પછી ‘ગિરનાર’ની તળેટીમાં આવેલ વિશાળ એવા ‘જૂનૂગઢ’ (જૂનાગઢ= જીર્ણદુર્ગ=ઉપરકોટ)નો ઉલ્લેખ કરી, ત્યાંના ‘સલષપ્રાસાદ’ (શ્રેષ્ઠી ‘સલક્ષ’ કારિત જિનાલય)માં જુહાર કરી, ઉસવંસ (ઓસવાલ વંશ)માં જન્મેલ ‘સમરસિંહે’ ઉદ્ધારાવેલ, તિજલપુરિ (તેજપાલ સ્થાપિત ‘તેજલપુર' શહેર)ના પાર્શ્વને નમસ્કારી, ‘સંઘવી ધુંધલ'ના પ્રાસાદમાં ‘આદિ જિનવર'ને જુહારવાનું કહે છે : (૨-૩). તે પછી ‘ધરણિગ વસહી’ (‘જીર્ણદુર્ગ’માં હતી)ના મહાવીરસ્વામીને વંદવાનું કહે છે. અને પ્રસ્તુત વસહીમાં ડાબી બાજુનો ‘ભદ્રપ્રાસાદ’ શ્રેષ્ઠી ‘પૂનિગે’ કરાવ્યાની નોંધ કરે છે. (૪) આ પછી ‘લખરાજે' ઉત્સાહથી કરાવેલ ‘ખમાણાવસહી’માં પિત્તળના જિનનાથ ‘રિસહેસર’(ઋષભેશ્વર)ને પૂજીએ તેમ જણાવે છે. (૫). હવે ગિરિવર (ગિરનાર) તરફ સંચરવાની વાત કરે છે. ત્યાં (‘વસ્ત્રાપથક્ષેત્ર'માં રહેલ) ‘દામોદર’, ‘સોવન્નરેખ' (સોનરેખ) નદી, અને ‘કાલમેઘ ક્ષેત્રપાલ'નો ઉલ્લેખ કરે છે. (૬). એ પછી આવતી નિસર્ગશોભાનું વર્ણન ગાથા ૭માં કહે છે. આ પછી (મંત્રીશ્વર) ‘ઉદયન’ પુત્ર બાહડે (મંત્રી વાગ્ભટ્ટ) વિસલપુરી ત્રેસઠ લાખ ખરચીને ‘પાજ’ કરાવ્યાનું કહે છે. (૮). ‘પાજે’ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાતકર્તૃક ‘શ્રી ગિરનાર ચેત્ત પરિવાડિ’ ચડતાં પહેલી ‘ઊસવાલ (ઓસવાળ) સોની ‘પદમ'ની ‘પરવ' (૫૨બ), બીજી આવે ‘પોરવાડ’વાળાની, તે પછી ‘હાથી વાંક’માં ‘રાયણ વૃક્ષ’ નીચે વિશ્રામી, ત્રીજી ‘ધુલિ પરવ’ તે ‘ધલોડ નાયક’ની, તે પછી ‘માંકડકુડી’ પાસે ‘માલીપરબ (માળી પરબ)’ જવાનું. (૯-૧૧). તે પછી સાપણની વાંકીચૂંકી વાટડીએ આગળ વધતાં ‘સિલખડકી’ અને તે પછી બીજી ખડકી આવે : (૧૨). ને ત્યાર બાદ પાંચમી ‘સુવાવડી'ની પરબ. ને ત્યાંથી જમણા હાથ તરફ ‘સહસવિંદ ગુફા’ હોવાનું કવિ-યાત્રી નોંધે છે. (૧૩). તે પછી આગળ ચાલતાં ડાબી જમણી બાજુ ‘તોરણો’ અને ‘આંચલીયા પ્રાસાદ’ (અંચલગચ્છીય જિનાલય) નજરે પડવા માંડે છે. આ પછી પહેલી ‘પોળ’ અને બીજી ‘પોળ’નો ઉલ્લેખ કરે છે. (૧૪-૧૫). આ પછી યાત્રાકાર તીર્થનાયક ભગવાન નેમિનાથને દેરે પહોંચે છે. અને ત્યાં છત્ર સાથે ચામર ઢાળતાં પંચશબ્દ-વાદિત્ર વગાડતા સંઘવી પ્રવેશે છે અને ભુંગલ-ભેરિના ગગનભેદી નાદ, ઢોલ-દર્દરના હડહડાટ, ને ત્યાં વાગતા ‘નિસાણ’ અને કન્યાઓ દ્વારા ગવાતા ધવળમંગળનો કાવ્યમય ભાષામાં ઉલ્લેખ કરે છે : (૧૬). ૨૭ સૌ પહેલાં ‘મેલાસાહ'ની દેહરીમાં ‘જિનધર્મનાથ'ને નમી, (પશ્ચિમ બાજુના) ‘મૂળદ્વાર'ની સામે રહેલ ‘સવાલાખી ચુકીધાર’—જેમાં ‘વસ્તિગે’ (‘વસ્તુપાળે’) સ્થાપેલ— ‘નેમીસર’ના બિંબને વાંદી, ‘પાર્શ્વનાથ’ની દેહરી (વસ્તુપાળ કારિત સ્તંભનપુરાવતાર)ને પ્રણમી (મૂળનાયકના મંદિરમાં પ્રવેશે છે) : (૧૭). ‘નેમિનાથ’ને નિહાળ્યા બાદ ‘તોરણ’ વધાવી, દાન દઈ, ‘પાઉમંડપ’ (પાદુકા મંડપ) આવી, (ત્યાંથી) ‘નેમિનાથ'ને શિરસહ નમી, ત્રણ વાર બાર ધરાવતા (‘ગૂઢમંડપ’વાળા) પ્રાસાદને પ્રદક્ષિણા દઈ, (ફરીને) દાન દઈ, વિવિધ ફળફૂલ સાથે (ફરીને) ‘જિન’ને ભેટવાની વાત કરે છે : (૧૮). તે પછી અધુકળે પગે (‘નેમિનાથ’) દેવની પૂજા કરી જેથી માનવ જનમ સફળ થાય, પછી ‘ગજપદકુંડ’માં સ્નાન કરી ધોઈ કરી (ફરીને નેમિનાથના) પ્રાસાદે આવ્યા અને ન્હાવણ-મહોત્સવ કરી, કેસર-ચંદનની અર્ચના કરીએ તેમ કવિ કહે છે : (૧૯). તે પછી ‘અગર’ની પૂજા રચી ‘રતન’ (‘રત્ન શ્રાવક’) દ્વારા સ્થાપિત ‘નેમીસ૨’ની સેવા કરી, ‘ભમતી’માં ચૈત્ય પરિપાટી કરી, ‘રંગમંડપ’(ગૂઢમંડપ)માં રહેલ જિણવરને પૂજી, ધરમશાળાના મંદિરમાં વંદના દઈ, પછી ‘અપાપામઢ' જઈએ તેમ યાત્રી-કવિ ઉમેરે છે : (૨૦). (આ ‘અપાપામઢ’માં) ગઈ ચોવિસી, (બીજા) સાત તીર્થંકરને પૂજી પાપક્ષય કરી, આઠમું (નેમિનાથનું) બિંબ બપ્પભટ્ટિસૂરિએ ત્રંબાવતી(ખંભાત)માં (મંત્ર બળે આકર્ષી) (અભિગ્રહ ધારણ કરેલ) આમરાજને વંદાવેલ (તે અહીં ગિરનાર પર લાવેલ બિંબને નમી), For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર (૨૧) પિત્તળના નેમિનાથના બિંબને પૂજી, પછી (મૂળપ્રાસાદને ફરતી રહેલ) મંત્રીશ્વર વસ્તુપાલે કરાવેલ ૭૨ દેહરીઓમાં પૂજા કરી ત્યાંથી નીકળી વસ્તુપાળે કરાવેલ ત્રણ દેવળની રચનાવાળા લાખો રૂપિયા ખર્ચીને કરાવેલ શત્રુંજયાવતાર આદિનાથને જુહારીશું (૨૨). ત્યાં ડાબી-જમણી બાજુએ રહેલ ગજરૂઢ વસ્તુપાલ-તેજપાલ તથા (વસ્તુપાલ-પિતામહ) સોમ (મંત્રી) અને પિતા (મંત્રી) આસરાજ છે. (ત્યાં કોરસ) મનમોહક પૂતળીઓ જોતાં તૃપ્તિ થતી નથી; વળી ત્યાં (ડાબે પડખે) અષ્ટાપદમાં રહેલ ૨૪ જિનવર અને જમણી બાજુએ રહેલ સમેતશિખરમાં ૨૦ જિન જોઈશું (૨૪). તે પછી ગોવિંદ શ્રેષ્ઠીએ સ્થાપેલ જીરાપલ્લિ (પાર્શ્વનાથ) પૂજી કળીયુગને સંતાપીશું. ત્યારબાદ આગળ સંચરતાં (ખંભાતના) શ્રેષ્ઠી શાણ અને ભૂંભવના પ્રાસાદે (મૂલનાયક) વિમલનાથ તથા પાર્શ્વનાથને આવી તેનો રળિયામણો મુખમંડપ જોઈશું (૨૫). (આ મંદિરમાં) પિત્તળમય સરસ બિંબ છે અને મંદિર કંચનબલાનકની ઉપમાને લાયક છે. આ પછી સમરસિંહ ઉદ્ધારાવેલ કલ્યાણત્રયના મંદિરમાં ત્રણ સ્વરૂપે વિરાજમાન નેમિકુમાર છે ને સ્તંભયુક્ત મેઘનાદ મંડપ (૨૬) તેમ જ જગતી પરની બાવન દેહરીઓ જોઈ હયડું હરખાય છે. (આ મંદિરના) (દક્ષિણ તરફનો) સુંદર ભદ્રપ્રસાદ માલદેવે કરાવેલો ને રત્નદેવે પિત્તળનું મોટું બિંબ કરાવેલું. પશ્ચિમનો નામી ભદ્રપ્રસાદ હાજા શ્રેષ્ઠીએ કરાવેલો અને ઉત્તર બાજુનો (૨૭) શ્રેષ્ઠી સદા તથા શ્રેષ્ઠી વત્સરાજે) કરાવેલ. હવે ખરતરવસહી તરફ આવીએ. આ વસહી) સાધુ નરપાલની સ્થાપેલી છે. તેમાં (જિન)વીરનું તોરણયુક્ત પિત્તળનું બિંબ છે. ને આજુબાજુ શાંતિજિન તેમ જ પાર્શ્વનાથના પિત્તળના વખાણવા લાયક કાઉસ્સગયા છે (૨૮) : અહીં રંગમંડપ(ની છતોમાં) નાગબંધ અને પંચાંગવીર જોતાં અને મંડપમાં પૂતળીઓ પેખી મન પ્રસન્ન થાય છે. મંડપ મૂળ “માલા ખાડ’ પર કરેલો છે. ત્યાં જમણી બાજુ ભણસાલી જોગે કરાવેલ અષ્ટાપદ (ભદ્રપ્રાસાદમાં) (૨૯) અને ડાબી બાજુ ધરણાશાહે કરાવેલ (ભદ્રપ્રસાદમાં) સુપ્રસિદ્ધ સમેતશિખર (ની રચના) છે. (અહીંથી નીકળી આગળ જતાં) અભુત મૂર્તિ, ચંદ્રગુફા, પૂર્ણસિંહવસતી, સુમતિજિન, વ્રજ શ્રેષ્ઠીએ સ્થાપેલ સુંદર હોમસર (૩૦), સોમસિંહે-વરદ મુકાવેલ સારંગ-જિનવર, તે પછી ખરતરગચ્છીય શ્રેષ્ઠી જેઠા કારિત મનોહર વસતી, અને ચંદ્રપ્રભજિનને પૂજી, નાગઝરમોરઝરના બે કુંડ જોઈ, પૂર્ણસિંહ કોઠારીએ સ્થાપેલ ૭૨ જિનાલયયુક્ત શાંતિનાથ પ્રાસાદમાં નમી (૩૧), ઇન્દ્રમંડપે ઇન્દ્રમહોત્સવ કરી, ત્યાં પૂનિમ દેરીમાં દર્શન કરી, (૩૨), ગજપદકુંડ (પરના આઠબિંબ ?), સાંકળીયાળી પાજ, છત્રશિલા થઈ (૩૩) પ્રાત:કાળે અંબિકા(ના શિખર) તરફ જવા રવાના થાય છે. રસ્તામાં ચંદ્રપ્રભ જિનવરની સ્તુતિ કરી, સિદ્ધરાજ (શ્રેષ્ઠીએ) ઉદ્ધારાવેલ (વસ્તુપાલ મંત્રીકારિત) કપર્દીયક્ષ તરફ જઈ, ત્યાંથી ચક્રી ભરતે કરાવેલ માતા મરુદેવીને આરાધી, રામ-ડુંગરની બે દેહરીએ થઈ, રાજીમતી તરફ વળે છે (૩૪); For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાતકર્તૃક ‘શ્રી ગિરનાર ચેત્ત પરિવાડિ’ રાજીમતીની ગુફામાં નેમિ-વિરહમાં કંકણ ભાંગી (સાધ્વી થયેલી) રાજીમતીની પ્રતિમાના દર્શન કરી, ત્યાંથી નીચે દેખાતા શિવાદેવી પુત્ર(નેમિનાથ)ના ઉદયશેખર કલશયુક્ત મંદિરની વાત કરી (૩૫), હવે દિગંબર સંપ્રદાયના કોટડી-વિહાર તરફ જાય છે. ત્યાં શ્રેષ્ઠી પાતાએ કરાવેલ પિત્તળના આદિનાથને નમી, ભાવસાર ડાહાવિહાર(શ્વેતાંબર)માં અજિત જિનેશ્વરને નમી, શ્રેષ્ઠી લખપતિએ કરાવેલ ચતુર્મુખપ્રાસાદમાં જિનવરની પૂજા કરી (૩૬), ગંગાકુંડે ગંગાના દેવળમાં ઇન્દ્રે સ્થાપેલ જિનવરનું ધ્યાન ધરી, તે પછી ગણપતિ અને રથનેમિની દેરીમાં નમી, ચિત્તર સાહે કરાવેલ અંબિકાની પાજ પર ચઢી (૩૭), ચીત્તડા પૂનાએ કરાવેલ અને સામલ શાહે ઉદ્ધારાવેલ અંબિકાના પ્રાસાદમાં નમી, ત્યાં સંઘવિઘ્નવિનાશના ભગવતી અંબિકા (સમ્મેતની) પંચમૂર્તિ સમક્ષ શ્રીફળ ધરાવી (૩૮) હવે અવલોકના શિખર પર ચડી ત્યાંથી સહસ્રામ્રવનનું નિરીક્ષણ કરી, અને ત્યાંથી નીચે દેખાતા લાખારામ તથા સામે શાંબ અને પ્રદ્યુમ્ન શિખરને દૂરથી નમી તેમ જ પ્રદ્યુમ્ન શિખર પર રહેલ સિદ્ધિ-વિનાયક તેમ જ અદૃષ્ટ રહેલ કંચન-બલાનકનો નિર્દેશ કરી (૩૯), નેમિનાથના મંદિર પર યાત્રી ફરીથી આવે છે. ત્યાં ઇન્દ્રમાલ પહેરી ઇન્દ્રમહોત્સવ કરી દાન દઈ, સુવર્ણના ઝળહળતા કલશવાળા એ સજ્જનવિહારના (વાસ્તુશાસ્ત્રોક્ત) પૃથ્વીજયપ્રાસાદ પર ધ્વજા ચઢાવી (૪૦) યાત્રી-કવિ કહે છે કે જયસિંહ સિદ્ધરાજે ગરવા ગિરનારના તળ પરના પ્રાસાદ બનાવવા પાછળ ૫,૭૨,૦૦૦૦૦ વીસલપુરી (દ્રમ્મ) ખર્ચીને પોતાની કીર્ત્તિનો સંચય કર્યો. પ્રસિદ્ધ એવા સંઘવી શવરાજે (નેમિનાથના) ભવને કનકકળશ અને ધ્વજ સ્થાપી યશ લીધો. જે એકચિત્તથી જિનવરની (માલ ?) નિત્ય સાંભળે છે તેને તીર્થયાત્રાનું ઘણું ફળ મળે છે (૪૧). આ ચૈત્યપરિપાટીમાં ૧૫મા શતકમાં થયેલ બાંધકામો સંબંધમાં અન્ય ગિરનાર સંબદ્ધ પરિપાટીઓમાં નહીં દેખાતી ઘણી ઘણી નવી હકીકતો નોંધાયેલી જોવા મળે છે. જેમકે અંચલીયા પ્રાસાદ, (તારંગાતીર્થના ઉદ્ધારક) ગોવિંદ શ્રેષ્ઠીએ કરાવેલ જીરાપલ્લિ-પાર્શ્વનાથ, લખપતિ શ્રેષ્ઠીનો ચતુર્મુખ પ્રાસાદ, દિગંબર પાતાવસહી, અને તેની બાજુની શ્વેતાંબર ડાહાવસહી, ચિત્તર સાહની કરાવેલી અંબાજીની પાજ, ઇત્યાદિ. તો બીજી બાજુ અહીં કરાવેલ બેએક વાતો, વધારે જૂના સ્રોતોમાં નોંધાયેલી હકીકતો સામે રાખતાં, તથ્યપૂર્ણ જણાતી નથી : જેમકે નેમિનાથના મંદિરને ફરતી દેવકુલિકાઓ વસ્તુપાલ મંત્રીની બનાવેલ નહોતી. મૂળ મંદિર ઈ. સ. ૧૧૨૯માં પૂર્ણ થયા બાદ આ દેવકુલિકાઓના છાઘ તથા સંવરણા ઈ સં ૧૧૫૯માં પૂર્ણ થયાનો શિલાલેખ ત્યાં છે; અને નેમિનાથના મંદિરના બાંધકામને લગતો ખર્ચ આત્યંતિક અતિશયોક્તિપૂર્ણ હોવા ઉપરાંત “વીસલપુરીય કોરી”નું સિદ્ધરાજના સમયમાં ચલણ હોવાનું કહેવું એ તો કાલાતિક્રમ જ છે. ૨૯ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર - શ્રી ગિરનાર ચેત્ય પરિપાટી સમરીય અંબિકિ સરસતી, વંદિય નેમિ નિણંદ ઊજલિગિરિ જિનવર-થણૂએ, હઈઈ ધરી આણંદ. ૧ શ્રીગિરિનારહ તલહટીય, જૂનૂગઢ સવિશાલ સલખ-પ્રસાદિ જુહારીઈએ તિજલપુરિનું પાસ. ૨ સમરિસિંઘિ ઊધાર કીલ, ઉસવંસ અવયાર તુ સંઘવી ધુંધલ તણઉ એ, જિણહરિ આદિ જુહાર. ૩ ધરણિગવસહી વંદીઈ એ, સ્વામીશ્રી મહાવીર ડાબઈ ભદ્રપ્રાસાદ તિહ પૂનિગ ગુણગંભીર. ૪ ખમાણાવિસણી કારવીય લખરાજ ધરીઅ ઊછાહ પીતલઈ પ્રભુ પૂજીઈ એ, રિસોસર જિણના. ૫ હવિ ગિરિવરભણી સાંચર્યા એ, દામોદર સવિલાસ સોવનરેખનદી-કન્હઈ એ, કાલમેઘ ક્ષેત્રપાલ.... રાયણિ આંબા આંબલીય, વનસઈ ભાર આઢાર મોર મધુર-સરિ સોહતી એ, ગિરિ પાખલી વન બાર. ૭ પાજ કરાવી સોહલીય, બોહિથ ઉદયન સાખ બાહડ વીસલપુરીય તિહાં, વેચા ત્રિસઠિ લાખ. ૮ ઊસવાલ સોની પદમણી, પાઈ પહિલી પરવા પરવ બીજી પોરવાડ તણી, વીસ ભીમ કરિસિ ગર્વ. ૯ હાથીવંકિ ઝીલિ દીસઈ, રાયણિ રૂખ વિશ્રામ ત્રીજી ધુલીય પરવ ધલોડણાયગની અભિરામ. ૧૦ ત્રિ સલઉરી ચાહતાં એ લાગઈ સીઅલ વાઉ માંકડકૂડી-કન્ડિઈ ચઉથી, માલીપરવઈ જાઉ. ૧૧ વાંકી ચૂંકી વાટડી અલિઈલી સાપલ જેમ વરતિજ્ઞ સિલખડકી પરઈ એ, બીજી ખડકી તેમ. ૧૨ પાંચમી પરવ સૂઆવડીઅ, વઉલી અંબર હેઠિ જાતાં જિમણઈ સહસબિંદ ગુફા ભણી દિલ દ્રઠિ. ૧૩ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાતકર્તૃક ‘શ્રી ગિરનાર ચેત્ત પરિવાડિ' ડાબા–જિમણા તોરણા એ, આ ગમ આંચલીયાપ્રાસાદ પહિલી પોલિ પા(પે)સતાં એ, સહીઅર કીજઈ સાદ. ૧૪ સભકર નવલખ જિણહરુ એ, પઇસત બીજી પોલિ દેવલોક સામ્યું કરઈ એ, સંઘવી બિઠા ઊલિ. [વસ્તુ] નેમિપ્રતિમા નેમિપ્રતિમા લેઈઅ આવંતિ છત્રચામર સિરિ ઢાલીઈ, પંચશબ્દ-વાજિંત્ર વાજઈ, પઈસારુ સંઘવી હુઈ. ભુંગલ-ભેર-ઝિણિ ગગન ગાજઈ, ઢોલ-દદામાં દડદડી વાજઈ ગુહિર નીસાણ, ધવલમંગલ બાલા દેઈ, અરીયણ પડઈ પરાણ. ૧૬ [ઢાલ] મેલાસાહ તણી દેહરીઈ, ધર્મનાથનઈ નમતાં જઈઈં. મૂલ દૂવારિ થાકણુ એ, સાહમી સવાલાખી ચુકીધર. વસ્તગિ થાપિઉ તિહાં નેમીસર, પ્રણમુ પાસÛ દેહરીઅ. નેમિ નિહાલી તોરણિ વધાવુ, દાન દેઈ પાઉ-મંડિપિ આવઉ નેમિનાથ સિર નાંમીઈ એ, ત્રિવારઈ પ્રાસાદ પ્રદક્ષીણે દાન દેઈ જે હુઈ વચક્ષણ, ફૂલફલે જિન ભેટીઈ એ. પૂજ રચીનઈ અગર ઊખેવઉ રતન-થાપિત નેમીસર સેવઉ ૧૫ ભમતી ચેત્રપ્રવાડિ કરઉ રંગમંડપિ જિણવર પૂજીજઈ ધર્મશાલા ચૈઈત્ય વંદન કીજઈ, અપાપામઢિ જાઈઈ એ. અતીત ચઉવીસી સાત તીર્થંકર, તે પૂજી જઈ પાપક્ષયંકર આઠમૂ બિંબ ત્રંબાવતીય, આમરાયનઈ તે વંદાવિઉં અધૂલક પાયે પૂજ્યા દેવ, માનવ-જનમ સફલ હુઉ હેવ ગજપદ-કુંડિ સનાન કરું, ધોતિ કરી આવ્યા પ્રાસાદિ ન્હવણ-મહોછવ કીઉ નવનાદિ, કેસર-ચંદદિન ચરચીઈ એ. ૧૯ For Personal & Private Use Only ૧૭ ૧૮ ૨૦ ૩૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર બપભસૂરિ તિહાં અણાવું, અરિઠનેમિનઈ દેહરઈ એ. ૨૧ હવઈ પીત્તલમઈ દિગંબર બિંબ નમિતણૂં પૂજઉ અવિલંબ બહુતિરિ દેહરી પૂજીઈ એ ત્રિણિ તોર વસ્તીગ ઇહિ કીધી આદિલ ભોઅણિ ત્રાણિ પ્રસિધી, લાખ લાખ ધન વેચીફ એ. ૨૨ વસ્તગિ કીધુ સેજિ-અવતાર આદીસરનઈ કરુઅ જોહાર ગિરુઆં પીતલ બિંબ નમુ ડાબા-જિમણા ગયવર બિઉ વસ્તીગ-તેજૂગ ઊરી તેઉ સોમ અનઈ આસરાજ અછઈ. ૨૩ રંગમંડપિ નવ-નાટક સોહાઈ પૂતલીએ અપહર મન મોહઈ જોતા તૃપતિ ન પામઈ એ, અષ્ટાપદિ જિણવર ચઉવીસઈ જિમણઈ સમેત સિહરિ જિણ વિસઈ, વઈરા દેહરી જોઈઈ એ. ૨૪ જીરાઉલઉ ગઈઆગરિ થાપિઉં, તે પૂજી કલિયુગ સંતાપ્યઉ ચેત્ર-પવાડિઈ સાંચર્યા એ, શાંણાગર ભૂંભવ પ્રાસાદઇ વિમલ પાસ થણી સરુઉ સાદિ, મુખમંડપ રુલીઅમણી એ. ૨૫ સાવ પીતલમઈ બિબ વખાણું કંચણ બલાણા ઉપમ આણં કલ્યાણત્રય પેખીઈ એ, સમરસિંહ કીધુ ઉધાર ત્રિહરૂપે જઈ નેમિકુમાર, મેઘનાદ મંડપ સધર. જગતિએ બાવન દેહરી દીસઈ જિણવર જોતાં હઈડ હસઈ માલદેવ તણઉ ભદ્ર ભલઉ, રતનદગુરુ પીત્તલસામિ પશ્ચિમ ભદ્ર હાજાનઈ નામિ, ઉત્તરદસિ ભદ્ર વર્ણવુ એ. ૨૭ સદઈવછેરઈ તેઉ કરાવિલ હવઈ ખરતરવસહીભરી આવિલ નરપાલસાહની થાપના એ, સતોરણઉ પીત્તલમઈ વીર શાંતિ-પાસ છઈ સાચઉ શરીર, કાસગીઆ પીત્તલતણા એ. ૨૮ ૨૬ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાતકર્તક “શ્રી ગિરનાર ચેન્ન પરિવાડિ’ ૩૩ રંગમંડપિ નાગબંધ નિહાઉ પૂતલીએ મંડપિ મન વાલી પંચાંગવીર વસેખીઈ એ, માલાખાડઈ મંડપ જાણ્ જિમણઈ અષ્ટાપ[દિ]વખાણ, ભણસાલી જોગઈ કઉ એ. ૨૯ ડાબઈ સમેત સહિર પ્રસીધુ તે પણિ ધરણઈ સાહિ કીધ૩ અદબદ મૂરતિ ચંદ્રગફા, પૂનિમવસહી સાસુ)મત જિણસર વયજાગરિ થાપિઉ અલસર, હોમસર રુલીઆમણું. ૩૦ સોમસીવર સારંગ જિણવર ખરતર જેઠાવસહી મણહર ચંદ્રપ્રભજિન પૂજઈ એ, નાગઝરિ મોરઝરિ બે કંડ ચાહ બહુત્તિરિ જિણાઈ શાંતિ આરાહુ, પુનઈ કોઠારી થાપીઉં એ. ઇંદ્રમંડપિ હુઈ ઇંદ્ર-મહોછવ પૂનિમ દેહરી દીસઈ અભિનવ વવેક સં. નેમિ નમુ, માંસખમણ મનરંગિ કીધું ચિહું ચોલસું અણસણું સીધઉં, સહુડા ચીકી-કન્ડઈ એ. ૩૨ ગજપદકુંડિ ઉરી છઈ અષ્ટ તેહ પરઈ કઈ કંડ વિશષ્ટ સંકલ પાઈ છત્રસિલ. ૩૧ ૩૩ વિસ્ત] હવઈ ચાલઉ હવઈ ચાલઉ ભણીઅ અંબાવિ ભાણ મૂરતિ ગુરુ જિણહરઈ ચંદ્રપ્રભ જિણવર થુણીજઈ સીધરાજ ઉધ્ધાર કીલ, કવડજક્ષ દેઉલ ભણી જઈ મરુદેવ્યા મયગલ આરુહી ભરથુસર સંજત રાડા(? રામ) ડુંગર હો(દો?) દેહરી રાજમતી તુપત્ત. ઢાલ રાજમતી પ્રાસાદ તલિ ગફ માહિ પડતી શંભમૂરતિ જોઉ નેમિ વિરહ-કંકણ મોડતી ૩૪ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ उ४ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર કુંકૂકાજલ-વન્ન તિહાં નીકરણ ઝરંતી ઉદયશેખર વીર કલસ શિવાદેઉલ દીસતી. ૩૫ હવઈ ચાલ્યા દિગંબરુ એ, કોટડીઅ વિહારો પાતાનઈ પીતલ તણઉ એ, આદિનાથ જોહારુ ભાવસાર ડાહા વિહાર નમુ અજિત જિસેસર ચતુર્મુખ લખપતિ તણુ એ, પૂજજઈ જિણવર. ૩૬ ગંગાકુંડિ ગંગદેઉલ જોઈ નઈ જાઉ મહિતી આણ દેવરાજ તણઉ, જિણહર જિન પ્લાઉ ગણપતિ રહિનેમિ દેહરી એ, દોઈ અંબિક પાજ. ' ચીત્તરસાહિ કરાવી એ, કીધું અવિચલ કાજ. ૩૭ ચીજુડા પુનાતણઉણ અંબાઈ પ્રસાદ તે સાંમલસાહઈ ઉધરિઉ એ, ખેત્ર વસતા નાદ પંચમૂરતિ અંબિકતણી એ, નમતાં દુખ નાસઈ ફલ-નાલીઉરે ભેટીઈ એ, સંઘ વિઘન વિણાઈ. ૩૮ હિવ અવલોણા સહિર(સિહર) ચડી સહિસાવન પેખું લાખારામી કણયરી એ સિદ્ધ દેહરી દેખું ? સામિ-૫જૂન નમેવિ બેઉ, સિધવણાયગ વખાણ કંચણબલાણ૩ જિહાં છઈ એ, પણિ ઠામ ન જાણ. ૩૯ નેમિ ભૂયણિ વલી આવીયા એ પહિરઈ ઈન્દ્રમાલ, ઈન્દ્રમોછવ દાન દઈ ધજ ચડઈ વિશાલ, હેમકલસ દંડ ઝલહલઈ એ સાજણ વિહાર પૃથ્વી જઈ પ્રાસાદ તલિ ગિરુઉ ગિરનાર. ૪૦ લાખ બહુત્તિરિ પાંચ કોડિ વીસલપુરી વેચી સિદ્ધરાય જેસંગદેવી નિજ કરતિ સંચી વીરાહુર સંઘવી સજાણ શવરાજ પ્રસીધી કલક કલસ ધજ ઠવિય ભૂયણિ જિણિ જસ લીધી. એકમના નિતુ સુણઈ એ એહ જિણહર-માલ તીરથ યાત્રા તણૂઅ ફલ હોઈ વિશાલ. ઇતિ શ્રી ગિરનાર ચૈત્ર પરવાડિ સંપૂર્ણ સમાપ્ત ઃ કલ્યાણં ચ | ૪૧ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ કર્ણસિંહકૃત ગિરનારી “ખરતરવસહી-ગીત” સોળ કડીમાં નિબદ્ધ અને કેટલાંક ઐતિહાસિક તથ્યો સમાવતા આ ગીતના રચયિતાએ આખરી કડીમાં પોતાનું નામ “કરણસંઘ' આપ્યું છે.* પણ તેમાં કર્તાએ પોતા વિશે કંઈ વિશેષ કહ્યું નથી. તેમ રચનાનું વર્ષ પણ દર્શાવ્યું નથી; પણ વસ્તુની દૃષ્ટિએ કૃતિ ૧૫મા શતકના આખરી ભાગ યા ૧૬મા શતકથી પ્રાચીન હોય તેમ જણાતું નથી. આથી કર્તા ૧૫મા-૧૬મા સૈકામાં થઈ ગયા જણાય છે. સંભવ છે કે તેઓ ખરતરગચ્છની આમ્નાયના શ્રાવક હોય. સંપ્રતિ રચના–ખરતરવસહીગીત—ગિરનાર પર ખરતરગચ્છીય નરપાલ સંઘવીએ ઈ. સ. ૧૪૪૧થી થોડાં વર્ષ પૂર્વે (મોટે ભાગે ઈ. સ. ૧૪૩૮ના અરસામાં), પૂર્વે વસ્તુપાલ મંત્રીએ કરાવેલ સત્યપુરાવતાર મહાવીરના જૂના મંદિરને કાઢી નાખી તે સ્થળે નવું બંધાવેલું તે મંદિરને અનુલક્ષીને થઈ છે. નવનિર્માતા ખરતરગચ્છીય હોવાથી આ મંદિર “ખરતરવસહી” નામથી ૧૫મા શતકના ઉત્તરાર્ધથી જાણીતું થયેલું; જો કે એ નામ પણ પછી તો ભુલાઈ જવાથી વર્તમાને તે (ખોટી રીતે) “મેલકવસહી' નામે પરિચયમાં છે. (જુઓ આ ગ્રંથના દ્વિતીય ભાગ અંતર્ગત મારો આ ખરતરવસહી સંબદ્ધ વિસ્તૃત લેખ.) રચયિતા કવિએ ૮મી કડીમાં જિનભદ્રસૂરિના વચનથી ભણસાલી નરપાળે પ્રસ્તુત મંદિર બંધાવ્યાનું કહ્યું છે; અને મંદિરના વર્ણનમાં મંડપની પૂતળીઓ, જમણી બાજુએ રહેલ (ભદ્રપ્રાસાદમાં) અષ્ટાપદની રચના, તેમ જ તેની સામે) ડાબી બાજુએ એ જ પ્રમાણે રહેલા (ભદ્રપ્રાસાદમાં રહેલા) નંદીશ્વરનો ઉલ્લેખ કરે છે. મૂળ ગભારામાં અધિષ્ઠિત જિનવીરની ધાતુમૂર્તિ, તેનાં રત્નજડિત પરિકર અને તોરણનો પણ ગીત-કર્તા ઉલ્લેખ કરે છે. એકંદરે ગીતનું કલેવર પાતળું છે. કૃતિ દેશ્ય ઢાળમાં ઢળેલી છે, પણ સંઘટન બહુ વ્યવસ્થિત નથી. ભાષા પૂર્ણરૂપે જૂની ગુજરાતીને બદલે મરુ-ગૂર્જરના સ્પર્શવાળી જણાય છે. ખરતરગચ્છનું જોર રાજસ્થાનમાં ઘણું હતું ! કર્તા “કરણસંઘ' એ તરફના હોવાનો સંભવ છે. ટિપ્પણો ઃ * પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડારમાં રહેલી, અને એક માત્ર ઉપલબ્ધ પ્રતિ (ક્રમાંક ૩૧૨૨), પરથી અહીં સંપાદિત કરવામાં આવી છે. સંપાદક પ્રસ્તુત સંસ્થાના આભારી છે. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર કર્ણસિંહકૃત ગિરનારસ્થ ખરતરવસહી-ગીત ગિરિ ગિરનારિ વખાણીઈ હો ઈસર કવિ કવિલાસ / સ તસ સિરિ સામી સામલા હો અંબિકાદેવિ પ્રકાસ ના પ્રીય ખરતરવસહી જોઈએ જાણે કરતલ-વખાણ / પ્રીય લોચન તનમન જાઈંદરે તું સાંભલિ હો ચતુર સુજાણ //રા પ્રીય હયવરનરવષભહ તણી હો વિનપતિ પુણ્યસલોક | મંડપિ મોહણ-પૂતલી હો જાણે કરિ કીઓ ઇંદ્રલોક //all પ્રીય કરકમલિ લખલખ પંખડી સહલ સરૂપ સરંગ | શિખર-પ્રાસાદ ઉદ્યોતમઈ હો દંડકલસ ધજદંડ II૪ પ્રીય સોવનજાઈ મણિરુપ્યમઈ હો મોતી ચઉક પૂરાવિ | આગલિ તિલક પબેવડ ઉરે પેખવિ હરખ ન માઈ //પી પ્રીય નેમિ કડણિ પ્રભુ દાહિણિ હો અષ્ટાપદ અવતાર | વામજી કલ્યાણકય હો નંદીસર જગિ સાર lll પ્રીય સંઘ મરોઈ અણાવિલ હો સપત-ઘાત જિણ વીર | પરિગર રતન જડાવિઇ હો તોરણ ઉંલકઈ બઈ હાર IIણા પ્રીય લબધિવંત જિનભદ્રસૂરિ ગુરુજી સુવચની સવિસાલ ! દૂસમ-ભવન સમુધ્ધનઈ હો સો ધન ધન મા નરપાલ Iટા પ્રીય ભણસાલી તે પરિકરઈ હો જે કીઓ ભરવેસર રાઓ ! ઉજલિ અષ્ટાઉરે તે નિરખતા અંગિ ઊમાહ લો. પ્રીય પહિરિ ધોતિ નિજ નિરમાલી હો અાવિધ પૂજ રચેસિ | ભાવના ભાવિસુ છે જિમલી હો જીવા સફલ કરેલું ૧૦ના પ્રીય ચંદન ભરી કચોલડી હો આણી માલણિ ફુલડી ચંપક પાડલ સેવંત્રી જેમ ગંધ-પરિમલ વહમૂલ I/૧૧ી પ્રીય બારણ વરણ તીરથ અષ્ટાપદ પઢમ પુણ્ય પ્રકાર | સમતિ શ્રવણ સબ સંપજઇ હો કેવલિ કરઈ વખાણ II૧રા પ્રીય For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ કર્ણસિંહકૃત ગિરનારસ્થ ખરતરવસહી-ગીત' ૩૭ ચિહું દિસિ બારહ બારણા હો આંબલડા આરામ | પ્રવર પ્રાસાદ સોહામણા હો પુણ્ય તણા થિર ઠામ /૧૩ પ્રીય બલિ કાજસુ તસુ હાથલડા હો સૂત્ર સઘન સૂત્રધારક | એક જીભ ગુણ તેહ તણા પહિવઈ ન લાભઈ પાર /૧૪ પ્રીય પારખઉ મ તણઈ પારખાઈ હો અવર ન પૂજઈ કોઈ | સકૃત કૃવાણા વંજિયા હો જિણ લાભઇ અનંત હો II૧૫ા પ્રીય સજ વેષધિ આણંદિઈ હો સહડ સતન સુવિચાર | કરણસંઘ સાર ભણઈ હો ચીરંજીવઓ સંપરવાર ૧૬પ્રીય ઇતિ શ્રી ગિરનાર મુખમંડણ ખરતરવસહી ગીત . For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખ પર દૃષ્ટિપાત સ્વાધ્યાય ૫, ૫, અંત ૨માં “ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ શિલાલેખોમાં શ્રી છોમ. અત્રિએ ગિરનાર-પર્વતસ્થ જિનમંદિરને ફરતા કોટની દીવાલનો ભાગ પાડતી વખતે જડી આવેલા ત્રણ શિલાલેખો પ્રસિદ્ધ કર્યા છે. તેમાંનો ક્રમમાં બીજો લેવાયેલ નાનકડો પ્રશસ્તિ-લેખ ગિરનાર પર્વત પરના નોંધાયેલા લેખોમાં–ત્રુટિત હોવા છતાંયે–એની કેટલીક આંતરિક વિગતોને કારણે મહત્ત્વનો છે. અહીં એ મૂળ લેખની વાચના આપી, તેની વસ્તુ પર ટૂંકી શી ચર્ચા કરવા વિચાર્યું છે. મૂળ લેખનો શિલાખંડ એ સ્થળેથી મળી આવેલ પ્રતિમાઓ સાથે હાલ જૂનાગઢના સરકારી સંગ્રહાલયમાં સચવાયો છે. તેને રૂબરૂ તપાસી જોવાનો સંયોગ તે કાળે પ્રાપ્ત નહોતો થયો : તેથી શ્રી અત્રિએ કરેલી વાચના-ઉપલક દૃષ્ટિએ મને લાગ્યું છે તેવા બે'ક નાનકડા ફેરફાર સાથે અને લેખના કારયિતાઓનાં ગોત્ર અને એકાદ પૂર્વજના નામના ખૂટતા અક્ષરોની પૂર્તિ સાથે રજૂ કર્યો છે. લેખ કોતરાયો છે તે શિલ્પો વિશે શ્રી અત્રિએ જરૂરી માહિતી આપેલી હોઈ તેના પર કશું જ કહેવાની જરૂર નથી. લેખના મુસદ્દામાં રહેલાં જોડણી અને વ્યાકરણનાં ખૂલનો, ભાષાદોષ, પ્રાકૃત અને (જૂની) ગુજરાતીના પ્રારંભિક શબ્દ-રૂપ-સંભાર ઇત્યાદિ પર પણ શ્રી અત્રિએ અવલોકન કર્યું છે અને હું તેમાં થોડુંક ઉમેરવા સિવાય તે પાસાંઓ પર ટીકારૂપે વિશેષ નહીં કહું. લેખ કોતરવાનો ઉદ્દેશ ખેઢા અને લાડ નામની બે (જિનધર્મી) વ્યક્તિઓએ ગિરનાર પર સં૧૨૯૯ / ઈ. સ. ૧૨૪૩માં કરાવેલ પ્રતિમા–પ્રતિષ્ઠાનો અને એના અનુલક્ષમાં સાથે સાથે અન્યત્ર કરાવેલ સુકૃતોની પણ નોંધ લેવાનો હોય તેમ લાગે છે. લેખનો મૂળપાઠ અહીં અંત ભાગે આપું છું. લેખની પ્રાપ્ત વિગતો આ પ્રમાણે છે : સં. ૧૨૯૯ ને ફાગણ સુદિ ત્રીજના રોજ “શ્રી ઉજ્જયંત મહાતીર્થે” “મહામાત્ય શ્રી વસ્તુપાલવિહારમાં મહંત શ્રી તેજપાલના આદેશથી સાધુ ખેઢા તથા સાધુ લાહડે શ્રી નેમિનાથનું બિબ ખત્તક' (એટલે કે ગોખલા) સહિત કરાવ્યું, જેની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરિએ કરી. (તદુપરાંત) “શ્રી શત્રુંજય મહાતીર્થે શ્રી આદિનાથનું બિંબ દેવકુલિકા અને દંડકલશ સહિત સ્થાપ્યું. અને પ્રસ્તુત તીર્થમાં મહંત શ્રી વસ્તુપાલે કરાવેલ “શ્રી સાચઉર દેવકુલ'(=સત્યપુરમંડન મહાવીરના તીર્વાવતાર મંદિર)માં શ્રી મહાવીરનું બિંબ ખત્તક (વિશે) સ્થાપ્યું. તથા શ્રી અર્બુદાચલે શ્રી તેજપાલે નિર્માવેલા “શ્રી નેમિનાથ ચૈત્યની જગતી પર બે (૨) દેવકુલિકાઓ અને છ (૬) પરિકરવાની પ્રતિમાઓ કરાવી. (આ સિવાય) જાબાલિપુર(જાલોર)ના શ્રી પાર્શ્વનાથદેવચેત્યની જગતી પર શ્રી રિખનાથ (ઋષભદેવ)ના For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત બિંબ સહિતની દેવકુલિકા કરાવી. (ને) વિજાપુરમાં શ્રી નેમિનાથનાં બિબવાળી દંડકળશ સહિતની દેવકુલિકા કરાવી. લેખના અંતિમ, ખંડિત ભાગમાં રહેલા ઉપલબ્ધ વિશેષનામદર્શક અક્ષરો પહેલી દૃષ્ટિએ કારાપકોના કુટુંબીજનોનાં નામ હશે તેવી અટકળ તરફ દોરી જાય છેપ. આ લેખને કોતરાવનારાઓ મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલના સંબંધી, કે પછી મિત્ર યા સુપરિચિત વ્યક્તિ કે અનુગૃહીત હોય તેમ પ્રથમ દૃષ્ટિએ લાગે છે. શિલાલેખમાં ખેઢા તથા લાહડે મહં શ્રી તેજપાલના આદેશથી ‘ઉજ્જયંત મહાતીર્થ’માં શ્રી ‘વસ્તુપાલવિહાર'માં ખત્તક સાથે નેમિનાથ બિંબ સ્થાપ્યાની વાત કહી છે : તે મહં શ્રી તેજપાલ શ્રી અત્રિએ સૂચવ્યું છે તેમ મંત્રીશ્વર વસ્તુપાલના લઘુબંધુ તેજપાલ હોઈ શકે. વસ્તુપાલના ઈ. સ. ૧૨૩૯માં થયેલા સ્વર્ગગમન બાદ પણ, અને વસ્તુપાલે સ્વસ્વામી વાધેલા મહામંડલેશ્વર વીસલદેવ સાથે થયેલા ખટરાગને કારણે ઈ સ ૧૨૩૪ આસપાસ મંત્રીપદ છોડી દીધેલું હોવા છતાં પછીથી તેજપાળ મહામંત્રીની મુદ્રા સાચવતા હોવાનાં પ્રમાણો છે. મહામાત્યનું પદ તેજપાળે પોતાના અવસાનના સમય (આ ઈ. સ. ૧૨૪૮) પર્યંત સંભાળ્યું હોય તેમ લાગે છે. આદેશ આપી શકનાર વ્યક્તિ કાં તો મોટું પદ સંભાળનારી હોય યા તો પ૨માદરણીય મુરબ્બીજન હોય : એ હકીકત જોતાં, અને ખાસ ‘વસ્તુપાલવિહાર’માં પ્રતિમા પધરાવવાની ખેઢા તથા લાહડને સૂચના કરનાર વ્યક્તિ તેજપાળ, તે મંત્રીશ્વર તેજપાળ હોવાનો પૂરો સંભવ છે. ગિરનાર પરનો ‘વસ્તુપાલવિહાર’ તે હાલ વસ્તુપાલ-તેજપાલનું કહેવાતું ‘અષ્ટાપદ’ અને ‘સમ્મેતશિખર’નાં જોડિયાં મંદિરો ધરાવતું શામળા પાર્શ્વનાથનું મંદિર છે. સચિવેશ્વર વસ્તુપાલે એમાં મૂલનાયકરૂપે પાર્શ્વનાથની નહીં પણ શત્રુંજયેશ શ્રી યુગાદિદેવની પ્રતિષ્ઠા કરાવેલ તેમ તે મંદિરના વસ્તુપાલના સં. ૧૨૮૮ | ઈ. સ. ૧૨૩૨ની સાલવાળા છ પ્રશસ્તિલેખો અને અન્ય સમકાલીન લેખનો પરથી જાણીએ છીએ. પ્રતિષ્ઠા કરાવનાર વિજયસેનસૂરિ તે રેવંતગિરિરાસુના કર્તા અને મંત્રી વસ્તુપાલના કુટુંબગુરુ નાગેન્દ્રગચ્છીય આચાર્ય વિજયસેનસૂરિ છે કે જેમનો ઉલ્લેખ શ્રી અત્રિ નોંધે છે તેમ ગિરનારના વસ્તુપાલપ્રશસ્તિના છ લેખોમાં આવે છે, ને તે ઉપરાંત આબૂના લૂણવસહીના ઘણા લેખોમાં પણ પ્રતિષ્ઠાચાર્યના રૂપમાં જોવા મળે છે. ૩૯ ગિરનારવાળા નવપ્રાપ્ત શિલાલેખની વિગતોમાં આગળ જોઈએ તો કારાપકોએ ‘શત્રુંજય મહાતીર્થ’માં (શત્રુંજયાદ્રિ ૫૨) દંડકળશ સાથે દેવકુલિકા (દેરી) કરાવ્યાની વાત આવે છે અને વધુમાં તે ગિરિ પરના મંત્રીશ્વર વસ્તુપાલે કરાવેલ ‘સાચઉર દેવકુલ’(સત્યપુરાધીશ વીરના મંદિર)માં ખત્તક સહિત શ્રીમહાવીરજિનનું બિંબ કરાવ્યું એમ પણ હકીકત આપી છે. (વસ્તુપાળે વિમલાચલ-શત્રુંજય પર કરાવેલ ‘સોરિમંડન મહાવીર'ના મંદિરના ઉલ્લેખો For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર આપણને વસ્તુપાલના ત્યાંથી મળતા પ્રશસ્તિલેખો અને સમકાલીન પ્રશંસકોએ રચેલી પ્રશસ્તિઓમાંથી મળે છે.)૧૧ ખેઢા અને લાહડે (અને સાથે મોટે ભાગે એમના કુટુંબના સભ્યોએ) આ ઉપરાંતના કરાવેલ સુકૃતોમાં આબૂ પરના દેલવાડાગ્રામના મંત્રી તેજપાલે બંધાવેલ, વર્તમાને વિશ્વવિખ્યાત, લૂણવસહિકાપ્રાસાદ(નેમિનાથ જિનાલય)ની જગતી પર બે દેવકુલિકાઓ કરાવ્યાનો, ને તેમાં પરિકર સહિતનાં ૬ બિંબ પધરાવ્યાનો ઉલ્લેખ છે. ४० શિલાલેખના નીચલા ભાગમાં આવતી ૧૨-૧૭ ક્રમની પંક્તિઓ બૂરી રીતે ખંડાઈ જવાને કારણે ખેઢા અને લાહડની પિછાનનો અકળ રહેતો ભેદ ઉકેલવા માટે આ આબૂ પરના સુકૃતની નોંધ સંકેતરૂપ કડી બની રહે છે : એ બાબતની ચર્ચા કરતાં પહેલાં શિલાલેખમાં આગળ કહેલી વિગતો જોઈ જઈએ. તેમાં આબૂ પછી જાલોરના ‘પાર્શ્વનાથદેવ-ચૈત્ય’ની જગતી પર કરાવેલ ઋષભદેવનાં બિંબ સમેતની દેહરીની નોંધ લીધી છે. જાલોરનું એ પાર્શ્વનાથનું મંદિર તે સં ૧૨૨૨/ઈ સ ૧૧૬૬માં ગુર્જરેશ્વર મહારાજ કુમારપાળે નગર સમીપવર્તી કાંચનગિરિ પર કરાવેલ મંદિર, કે જેમાં પાર્શ્વનાથ મૂલનાયક હતા, તે ‘કુમારવિહારપ્રાસાદ’ હોવાની શક્યતા છે. લેખમાં આ પછી વિજાપુરના કોઈ જિનાલયમાં દેહરી અને ધ્વજાકળશ સાથે જિન નેમિનાથનું બિંબ ભરાવ્યાનો ઉલ્લેખ છે. વિજાપુરના ‘નાભેય’ (આદિનાથ) અને ‘વીર’નાં પુરાણાં મંદિરોનો મંત્રીશ્વર વસ્તુપાલે ઉદ્ધાર કરાવેલો તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે૨. એ બેમાંથી એક મંદિર ગિરનારવાળા લેખમાં અભિપ્રેત હશે૩. હવે સાહુ ખેઢા અને લાહડ કોણ હતા તેની તપાસ કરીએ. થોડીક ક્ષણ અગાઉ આ વિશે કહ્યું હતુ કે તે રહસ્યનો ઉકેલ આબૂમાં હોવાનો નિર્દેશ લેખમાંથી પ્રાપ્ત થાય છે. આબૂના દેલવાડાગ્રામમાં મંત્રી તેજપાલ નિર્મિત લૂણવસહિકાપ્રાસાદની દેવકુલિકાઓના શિલાલેખો તપાસતાં તેમાં દેહરી ક્રમાંક ૩૮ અને ૩૯ ૫૨ ખોદાયેલા નિર્માણ-નિર્દેશક લેખો તેમ જ અંદરનાં પબાસણોના પાંચ લેખોમાં સમગ્ર રીતે જોતાં ગિરનાર પરના શિલાલેખોમાં આવતાં (જળવાયેલાં) નામો બરોબર મળી રહે છે. એની વિગતવાર માહિતી અહીં આપ્યા બાદ તે ૫૨ વિશેષ અવલોકન કરવું ઠીક થઈ પડશે૧૪. (અહીં પરિશિષ્ટમાં તુલનાર્થે આબૂના મૂળ લેખોની વાચના આપી છે.) ત્યાં દેરી ૩૮ પરના સં ૧૨૯૧/ ઈ સ ૧૨૩૫ના લેખમાં જણાવ્યું છે કે પૂર્વે નાગપુર(નાગો૨)માં થઈ ગયેલા સાધુ (સાહુકાર) વરદેવ ઉપરથી વરડિયા આમ્નાય પ્રકાશમાં આવ્યો. (તેના સંતાનિકોનાં નામ અને સગપણની વિગતો લેખમાં આપી છે.) ત્યાં વરદેવના પૌત્ર સા નેમડ, તેના રાહડ અને સહદેવ આદિ ચાર પુત્રો, અને પછી રાહડના ચાર પુત્રોનાં નામ આપ્યાં છે જેમાં ધણેસર અને લાહડનો સમાવેશ છે. આ ઉપરાંત લેખમાં સહદેવના બે For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખ પર દૃષ્ટિપાત ૪૧ પુત્રો—ખેઢા અને ગોસલ—નાં નામ પણ આપ્યાં છે. પ્રસ્તુત દેવકુલિકા સહદેવે શ્રી મહાવીર અને શ્રી સંભ(વ)દેવનાં બિંબ અને દંડકળશ સહિત કરાવી એવું લેખમાં કહેવામાં આવ્યું છે. દેહરી ૩૯ પરના સં. ૧૨૯૧ના પ્રશસ્તિલેખમાં પણ લગભગ એ બધા જ વરહડિયા કુટુંબસમુદાયનાં નામો મળે છે અને તેમાં આગળની દેહરી ૩૮ના શિલાલેખમાં બતાવેલ સગપણો અહીં પણ બતાવ્યાં છે. આ લેખમાં પણ નેમડ, રાહડ, ધણેસર, લાહડ, સહદેવ, ખેઢા ઇત્યાદિ નામો મળે છે. હવે એ દેરીઓની અંદરના પ્રતિમાલેખો તપાસતાં તેમાં સં. ૧૨૯૩ના વર્ષના જિના સંભવનાથના બિંબની પ્રતિષ્ઠાના લેખમાં વરડિયા સંતાનીય સાઇ નેમડના પૌત્ર ખેઢાનો ઉલ્લેખ છે. ત્યાંના બીજા એક સં. ૧૨૯૩ના લેખમાં ધણેસર અને લાહિડનો ઉલ્લેખ છે. સં. ૧૨૯૩ના એક ત્રીજા લેખમાં નેમડપૌત્ર લાહડે પોતાની ભાર્યાના શ્રેયાર્થે કરાવેલ નેમિનાથના બિંબની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ છે ૯. વરદુડિયા પરિવારના અન્ય બે બિંબપ્રતિષ્ઠા લેખો પણ આ દેહરીઓમાં છે”. પણ સૌથી મહત્ત્વનો તો છે દેહરી ૩૮ના દ્વારની જમણી બાજુની ભીંત પર ખોદેલોં ૪૫ પંક્તિઓવાળો એ જ વરહુડિયા કુટુંબનો સં૧૨૯૬ / ઈ. સ. ૧૨૪૦નો મોટો પ્રશસ્તિલેખ, જે અહીં ચર્ચલ વિષય માટે અત્યંત મહત્ત્વનો છે. એમાં સાહુ નેમડ, ખેઢા, ધણેશ્વર, લાહડાદિ નામો મળવા ઉપરાંત વરહડિયા પરિવારે અન્યત્ર કરાવેલ સુકૃતોની વિસ્તૃત યાદી આપવામાં આવી છે. તેમાં આવતો (૧) “શત્રુંજય મહાતીર્થ પર કરાવેલ કાર્યોમાં, વસ્તુપાલે કરાવેલ “સત્યપુર મહાવીરના મંદિરમાં એમણે (વરહુડિયાઓએ) કરાવેલ બિંબ અને ખત્તકનો ઉલ્લેખ, અને (૨) શ્રી અર્બુદાચલ શ્રીનેમિનાથચૈત્યની જંગતીમાં ૬ બિંબ સાથેની બે દેવકુલિકાઓનો ઉલ્લેખ તેમ જ (૩) જાબાલિપુરનાં “પાર્શ્વનાથચૈત્યની જગતીમાં કરાવેલ દેવકુલિકા સહિતના શ્રી આદિનાથબિંબનો ઉલ્લેખ તથા (૪) વિજાપુરના ચૈત્યમાં કરાવેલ શ્રી નેમિનાથ અને પાર્શ્વનાથની દેવકુલિકાઓનો ઉલ્લેખ આદિ સાથે ગિરનારવાળા લેખમાં અપાયેલ વિગતો લગભગ પૂર્ણ રીતે મળી રહે છે. એક વિશેષ હકીકત એ નોંધીએ કે આબૂના ઉપર કથિત સી લેખોમાં પણ જ્યાં જ્યાં પ્રતિષ્ઠાકર્તા આચાર્યનું નામ આપ્યું છે ત્યાં ત્યાં વિજયસેનસૂરિનું જ નામ મળે છે. ગિરનારના લેખમાં ઉલ્લિખિત આબૂની બે દેહરીઓ તે નિઃશંક લૂણાવસહીની દેવકુલિકા ૩૮ અને ૩૯ છે. ગિરનારવાળા પ્રશસ્તિ લેખમાં આવતાં નામો–ખેઢા, ધણેશ્વર, અને લાહડ–નો પારસ્પરિક સંબંધ આબૂના લેખોમાં સ્પષ્ટ રીતે આપેલો છે. તદનુસાર (રાહડના પુત્રો) ધણેશ્વર (કે ધનેસર) અને લાહડ સગા ભાઈઓ ઠરે છે અને ખેઢા તે તેમના કાકા (રાહત-ભ્રાતૃ) For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર સહદેવનો પુત્ર થાય. (આબૂના શિલાલેખોના આધારે તેમ જ શ્રેષ્ઠી નેમડના વંશની મળી આવેલી એક ગ્રંથપ્રશસ્તિના આધારે૪ મુનિશ્રી જયંતવિજયજીએ તૈયાર કરેલું ‘વરહિડ વંશવૃક્ષ’ અહીં પરિશિષ્ટને અંતે સહેજ સાથે લગાવ્યું છે". (ગ્રંથપ્રશસ્તિઓના મૂળપાઠ પરિશિષ્ટમાં સંદર્ભાર્થે આપ્યા છે.)૨૬ ૪૨ ગિરનારવાળો લેખ લુણવસહીના શિલાલેખોવાળા વરડિ કે વરડિયા પરિવારનો છે તેની પ્રતીતિ થતાં તેમાં છેવાડાના નષ્ટ થયેલા ભાગના કેટલાક અક્ષરોની પૂર્તિ થઈ શકે છે; જેમ કે પંક્તિ ૧૨માં છેડે, શ્રી અત્રિની વાચનામાં આવતા ડિયા સાદુ. ને......માં ને બદલે હૈં વાંચીને આગળ વર વધારીને અને પછી પંક્તિ ૧૩માં પ્રારમ્ભે મડ ઉમેરીએ તો [વર]દ્ઘડિયા સાદુ ને[મડ] વાંચી શકાય. અને એ રીતે વાંચતાં આ લેખ નાગપુરીય વરડિયા કુટુંબનો જ છે તેવો અંતિમ અને વિશ્વસ્ત નિર્ણય પણ થઈ જાય છે. વરડિયા કુટુંબનાં કરાવેલ સુકૃતોની આબૂ તેમ જ ગિરનારના શિલાલેખોની સૂચિ તપાસી જઈએ તો તેમાં તેમણે ઘણાં જિનમંદિરોવાળાં સ્થળો આવરી લીધાં હોવા છતાં તેમાં કોઈ પણ સ્થળે નવાં જિનાલયો બંધાવ્યાં કે જૂનાને ઉદ્ધાર્યાંનો ઉલ્લેખ આવતો નથી. દેરીઓ ચણાવી, ને ગોખલાઓ કરાવી તેમાં જિનમૂર્તિઓ બેસાડી સંતોષ લીધો છે જેથી એમ જણાય છે કે આ કુટુંબ અતિ ધનાઢ્ય નહીં પણ સુખી, નીતિમાન, ધર્મનિષ્ઠ, જૈનસંઘ અને વણિકસમાજનાં મોભાદાર, અગ્રેસર (અને બહોળા પરિવારવાળાં) કુટુંબોમાંનું એક હશે. સા દેવચંદ્ર અને સાહુ ખેઢાએ સંઘવી પદ શોભાવી તીર્થયાત્રાઓ કર્યાના ઉલ્લેખ ગ્રંથપ્રશસ્તિ(૨૯)માં થયો છે અને આબૂ લેખાંક ૩૫૨માં પણ પેઢાને સંઘપતિ કહ્યો છે તે આ પરિવારનું જૈનસંઘમાં આગળ પડતું સ્થાન સૂચવી રહે છે. વરડિયા શાખના પાલણપુરનિવાસી આ વણિક કુટુંબ અને વસ્તુપાલ તેજપાલને શું સંબંધ હશે તે વિશે હવે જોઈએ. મુનિરાજ શ્રી જયંતવિજયજીએ આ મુદ્દા પર વિચારીને અવલોક્યું છે કે, “મહામાત્ય તેજપાળના આ મંદિરમાં આ કુટુંબે આવી રીતે દેવકુલિકા અને જિનમૂર્તિઓ કરાવી છે તેનાથી એમ સમજાય છે કે એ બંને શ્રીમંત કુટુંબોમાં પરસ્પર કોઈ કૌટુંબિક-સંબંધ સઘન સ્નેહસંબંધ હોવો જોઈએ. કારણ કે તેજપાળનો આ આદર્શ મંદિર બનાવવામાં પોતાના સંબંધીઓ કે સ્નેહીઓનું સ્મરણ શાશ્વતરૂપે રાખવાનો જ મુખ્ય ઉદ્દેશ હતો.’૨૭ પણ વસ્તુપાળ-તેજપાળ હતા પ્રાગ્ધાટ જ્ઞાતિના જ્યારે વરડુડિયાઓ (વ્યવહારસૂત્રની પ્રશસ્તિ અનુસાર) પલ્લિવાલ ન્યાતના હતા. આથી બંને કુટુંબો વચ્ચે વેવાઈ-વેલાંનો સંબંધ હોવાની શક્યતા નહિવત્ છે. વરડિયા કુટુંબના ઉપલબ્ધ શિલાલેખોનો સમય સં. ૧૨૯૧થી ૧૨૯૯નો છે. તે કાળે તેજપાળ ગુજરાતના મહામાત્યના પદે બિરાજતા હતા. રાજમાં, સમાજમાં અને શ્રીસંઘમાં એમનો આદર સર્વાધિક હતો. તેમણે કરાવેલા ‘લૂણવ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખ પર દૃષ્ટિપાત સહિકાપ્રાસાદ'માંની ૪૩ દેવકુલિકામાંથી ૨૮ તો એમના પોતાના ભાઈભાંડુઓના શ્રેયાર્થે, અને નવેક દેહરીઓ સગાંસંબંધીઓ મિત્રો દ્વારા થયેલી છે : એમાં ખાસ કરીને ચંદ્રાવતીના શેઠિયાઓ આગળ પડતા રહેલા. આ થોડાક, ચુનંદા મહાજન-મિત્રોમાં વરહડિયા કુટુંબને પણ સ્થાન અપાયું છે, તેનું કારણ મુનિશ્રી જયંતવિજયજીએ એક અટકળ કરી છે તેમ “સઘન સ્નેહસંબંધ”હોવો જોઈએ. એ કુટુંબની ધાર્મિક-કાર્યોમાં અગ્રેસરતા તેમ જ વિજયસેનસૂરિ પ્રત્યેની સમાન ભક્તિનું કારણ બન્ને કુટુંબો પરસ્પર નજીક આવ્યાં હોય અને મંત્રીશ્વર તેજપાળના વિશેષ આદરને પાત્ર વરહડિયા કુટુંબ બન્યું હોય તેવી શક્યતા કલ્પી શકાય. લેખનું મૂળ વક્તવ્ય અહીં પૂરું થાય છે : પણ શ્રી અત્રિએ સંસ્કૃત ભાષાના વ્યાકરણના આધારે ગિરનારના શિલાલેખ પર કેટલાંક રસપ્રદ અને ધ્યાન ખેંચે તેવાં સૂચનો-અવલોકનો કર્યા છે તે પહેલાં ટાંકી મને એ બાબતમાં વિચારતાં અને તે યુગના સાહિત્યિક પ્રમાણોના આધારે જે લાગ્યું છે તે અંગે જે કહીશ તે અલબત્ત, મૂળ ચર્ચાની આડપેદાશ રૂપે અહીં રજૂ કરીશ. શ્રી અત્રિ લખે છે કે, “ઈસ. ૧૨૩૨ના તુલ્યકાલીન છયે લેખોના ૪ એક સમાન અનુચ્છેદમાં આપવામાં આવેલી “સત્યપુરાવતાર શ્રી મહાવીર જેવી વાક્યરચનાને ખ્યાલમાં રાખી પ્રસ્તુત લેખ ૪ વાંચવાથી થોડો ગોટાળો થવા સંભવ છે. પેલા છયે લેખોમાં “શત્રુંજય મહાતીર્વાવતાર', ‘સ્તંભનકપુરાવતાર' આદિ સમાસો ‘ઋષભદેવ’, ‘પાર્શ્વનાથ' આદિનાં વિશેષણો તરીકે વપરાયેલાં છે (અર્થાત્ તે સર્વની સ્થાપના તો “વસ્તુપાલવિહાર'માં જ), જયારે પ્રસ્તુત લેખમાં શ્રી “ઉજયંત મહાતીર્થ'ને અનુસરી “શત્રુંજયે”, “અર્બુદાચલે, “જાબાલિપુરે” આદિ શબ્દોમાં સ્પષ્ટ રીતે જ સાતમી વિભક્તિનો પ્રયોગ થયેલો હોઈ, જે જે દેવની જ્યાં જ્યાં સ્થાપના કરવામાં આવી છે તે સ્થળ જ અહીં અભિપ્રેત છે. આમ આ સાતમી વિભક્તિના પ્રયોગને કારણે જ પ્રસ્તુત લેખ મંત્રી-ધય દ્વારા વિવિધ સ્થળે થયેલાં બાંધકામની સંક્ષિપ્ત સ્મૃતિ જાળવી રહ્યો છે.” (“ગિરનારના,” પૃ. ૨૦૭). શ્રી અત્રિએ કહેલી એ વાત સાચી છે કે “શત્રુંજય મહાતીર્વાવતાર' અને “સ્તંભનકપુરાવતારથી અનુક્રમે જિન ઋષભદેવ’ અને જિન પાર્શ્વનાથ'વિવક્ષિત છે; પણ વસ્તુપાલવિહાર'માં તો મૂલનાયક તરીકે “ઋષભદેવ,'અને તેના મંડપ સાથે એક બાજુ “અષ્ટાપદ'અને બીજી બાજુ “સમેતશિખર'ના ગૂઢમંડપરૂપી-પ્રાસાદો જોડેલા છે. વસ્તુપાળે ગિરનાર પર્વત પર ‘સ્તંભનકપુરાધીશ તેમ જ “સત્યપુરાવતાર વીરનાં મંદિર અલગ જ બાંધેલાં. એમની સ્થાપના “વસ્તુપાલવિહાર'માં થયેલી એવો અર્થ એ છયે સમાનાર્થી લેખોમાંથી નીકળતો નથી. એ મૂળ શિલાલેખોમાં આમ કહ્યું છે : ‘તથા સચિવેશ્વર વસ્તુપાલે આ સ્વયં-નિર્માપિત શ્રી શત્રુંજય મહાતીર્વાવતાર શ્રીમદ્ આદિતીર્થકર શ્રી ઋષભદેવ, સ્તંભનકપુરાવતાર શ્રી પાર્શ્વનાથદેવ, સત્યપુરાવતાર શ્રી મહાવીરદેવ, પ્રશસ્તિ સહિત કાશ્મીરાવતાર શ્રી સરસ્વતી, ચાર દેવકુલિકાઓ, જિનયુગલ, શ્રી નેમિનાથદેવ(ની For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર પ્રતિમાથી) અલંકૃત (અનુક્રમે) અમ્બા, અવલોકના, શાંબ અને પ્રદ્યુમ્ન શિખરે ચાર દેવકુલિકાઓ, પિતામહ સોમની ઘોડેસવાર-મૂર્તિ, બીજી પોતાના પિતા આસરાજની, ત્રણ સુંદર તોરણો, શ્રી નેમિનાથદેવાની પ્રતિમાથી) વિભૂષિત (અને) આત્મીયજનો, પૂર્વજો, વડીલ બંધુઓ (મલ્લદેવ, લૂણિગ), અનુજ (તેજપાળ), અને પુત્રોની મૂર્તિઓવાળો મુખોદ્ઘાટનક સ્તંભ (અને) શ્રી અષ્ટાપદ મહાતીર્થ પ્રભૂતિ અનેક કીર્તનપરંપરા-વિરાજિત શ્રી નેમિનાથદેવાધિદેવથી વિભૂષિત શ્રીમદ્ ઉજ્જયંત મહાતીર્થ પર સ્વધર્મચારિણી શ્રી લલિતાદેવીના પુણ્યની અભિવૃદ્ધિ માટે..નાગેન્દ્રગચ્છીય...શ્રી વિજયસેનસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથદેવાદિ ૨૦ તીર્થકરોથી અલંકૃત મંડપ સહિત શ્રી સમેતમહાતીર્વાવતાર પ્રાસાદ કરાવ્યો.૨૯ આ વાતનું વિશેષ સમર્થન આપણને સમકાલીનોએ રચેલી મંત્રીશ્વર વસ્તુપાલની પ્રશસ્તિઓમાંથી મળી રહે છે. જેમ કે સુકૃતસંકીર્તનમાં વસ્તુપાળના સુકૃતોની નોંધમાં, કવિ અરિસિંહ ગિરનાર પરનાં નિર્માણકાર્યોની નોંધ આ પ્રમાણે આપે છે : “ઉજ્જયંતગિરિ પર સ્તંભનપુરતીર્થપતિ તથા શત્રુંજયાચલ જિન સ્થાપ્યા.”૩૦ અહીં માત્ર પ્રતિમાઓ સ્થાપી એમ નથી; એ બન્નેના પ્રાસાદો કરાવ્યા એવો અર્થ કરવાનો છે; એ વાત જયસિંહસૂરિની ભૃગુકચ્છના મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં એક કાળે મુકાયેલી મંત્રીશ્વર વસ્તુપાલની સ્તુતિ કરતી શકુનિકાવિહારપ્રશસ્તિ'માં તદ્દન સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે. ત્યાંઅને ઉજ્જયંત ગિરિનેમિચૈત્ય નાભેય અને પાર્શ્વજિનના સદન-યુગ્મનું વિધાન કર્યુ”૩૧ એમ હકીકત નોંધી છે. નરેન્દ્રપ્રભસૂરિએ આ બન્ને ઉપરાન્ત ‘વીરજિન'નું ગૃહ નિર્માલ્યાની પણ વાત કહી છે. શત્રુંજય પર કરેલાં કાર્યોની યાદી આપ્યા બાદ પ્રશસ્તિકાર ઉજ્જયંતગિરિનો ઉલ્લેખ કરતાં કહે છે : “(અને) વિશેષમાં રૈવતકભૂભૂત શ્રીનેમિચેત્યે શ્રીવસ્તુપાલે પ્રથમ જિનેશ્વર (આદિનાથ), પાર્શ્વ, અને વીરનાં (એમ) ત્રણ જિનવેમ (નવા) કરાવ્યાં.”૩૨ આમાં કહેલ ‘વીર' તે “વસ્તુપાલવિહારના શિલાલેખમાં કહેલ “સત્યપુરમહાવીર'નું દેવાલય હોવું જોઈએ. આદિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરનાં મંદિરો આથી સ્પષ્ટપણે જુદાં, એકબીજાથી ભિન્ન હોવાનું પુરવાર થાય છે. બીજી વાત એ છે કે શ્રી અત્રિનું કથન આછી શી એવી છાપ ઊભી કરે છે કે ગિરનારવાળો પ્રસ્તુત લેખ વસ્તુપાળ-તેજપાળનો હોય યા એમની સાથે સંકળાયેલો હોય. તેજપાળનું નામ એક સ્થળે કેવળ સંદર્ભગર્ભ રહે છે, પણ લેખ વરહડિયા કુટુંબનો છે તે વિશે લંબાણપૂર્વકની ચર્ચા આ અગાઉ અહીં સ-પ્રમાણ થઈ ગઈ છે. શત્રુંજય તથા ગિરનાર પરનાં વસ્તુપાળનાં એકએક બાંધકામનો આમાં ઉલ્લેખ છે, પણ “જાબાલિપુરનું “પાર્શ્વનાથ મંદિર’ તો ગુર્જરેશ્વર કુમારપાળનું બંધાવેલું, વસ્તુપાળ-તેજપાળનું નહીં. એથી ગિરનારના આ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખ પર દૃષ્ટિપાત ૪૫ શિલાલેખમાં ઉલ્લિખિત સ્થળોમાંના તમામમાં “મંત્રીન્દ્રય દ્વારા વિવિધ સ્થળે થયેલાં બાંધકામની સંક્ષિપ્ત સ્મૃતિ જાળવી રહ્યો છે” તેમ સાવ સાંગોપાંગ કહી શકાય તેવું નથી. આગળ ચાલતાં શ્રી અત્રિએ એક બીજું વિશદ પરંતુ ચર્ચાકર્ષક અવલોકન કર્યું છે તે જોઈએ : “ “વસ્તુપાલવિહારની વાત પૂરી થયા પછી ચોથી પંક્તિમાં મુકાયેલાં બે પૂર્ણવિરામો પણ એ વાતનાં દ્યોતક છે કે તેમના પછીના વિધાનને તેમની પૂર્વની વિગત જોડે સંબંધ નથી (તેથી જ કદાચ, પછી ક્યાંય વિરામચિહ્ન વપરાયું નથી). વિવિધ બાંધકામનો પ્રસ્તુત લેખમાં થયેલો ઉલ્લેખ નીચે મુજબ છે : (૧) ઉજ્જયંત મહાતીર્થ વસ્તુપાલવિહાર, (૨) શત્રુંજયે આદિનાથ, (૩) સત્યપુરે મહાવીર, (૪) અર્બુદાચલે નેમિનાથ, (૫) જાબાલિપુર પાર્શ્વનાથ, અને (૬) વિજાપુર નેમિનાથ. આ યાદીમાં “સ્તંભનકપુર અને કાશ્મીરનો ઉલ્લેખ નથી તથા ઈ. સ. ૧૨૩૨ના તુલ્યકાલીન છયે લેખોમાં “અબુદાચલાવતાર', “જાબાલિપુરાવતાર' અને વિજાપુરાવતાર'નો ઉલ્લેખ નથી એ નોંધનીય છે. (“ગિરનારના", પૃ. ૨૦૭-૨૦૮.)” અહીં ફરી વાર એ વાત યાદ દેવડાવીએ કે આ લેખ વસ્તુપાલ-તેજપાલનો નહીં, વરદુડિયા કુટુંબનો છે. વસ્તુપાલે તીર્થનાયક નેમિનાથના મુખ્ય ચૈત્યના પૃષ્ઠભાગે કરાવેલ કાશ્મીરાવતાર દેવી સરસ્વતીની કુલિકામાં કે ત્યાં મંત્રીશ્વરે કરાવેલ સ્તંભનકપુર પાર્શ્વનાથના મંદિરમાં વરહુડિ પરિવારે કાંઈ જ કરાવ્યું નહીં હોય એટલે પ્રસ્તુત લેખમાં સ્વાભાવિક રીતે જ તેનો ઉલ્લેખ નથી આવતો. બીજી બાજુ “વસ્તુપાલવિહારમાં લગાવેલ મંત્રીશ વસ્તુપાલના લેખોમાં “અર્બુદાચલાવતાર,” “જાબાલિપુરાવતાર' અને “વિજાપુરાવતાર'ના ઉલ્લેખ નથી આવતા એનાં બે કારણો છે : (૧) વસ્તુપાલે આ ત્રણ સ્થળોનાં જિનભવનોનાં અવતારસ્વરૂપ મંદિરો ગિરનાર પર કે અન્યત્ર બંધાવ્યાં નહોતાં, એટલે સ્વાભાવિક રીતે જ એની નોંધ લેવાઈ નહીં; (૨) ગિરનાર તો શું પણ બીજા કોઈ પણ સ્થળે અન્ય કોઈએ પણ અર્બુદ, જાબાલિપુર, કે વિજાપુરના અવતારનાં મંદિરો બંધાયાં હોવાનું જાણમાં નથી. અહીં એ જોવું જોઈએ કે અવતારરૂપ દેવાલયો કોનાં બાંધવામાં આવતાં અને એ પ્રથા ક્યારથી પ્રચારમાં આવી. જેમ બ્રાહ્મણધર્મમાં તેમ જૈનદર્શનમાં બધાં જ દેવસ્થાનો “તીર્થરૂપ,” “સિદ્ધક્ષેત્ર,” કે “મહિમામય” For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ४६ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ગણાતાં નથી. જે સ્થાન, યા તો મંદિરની અધિનાયક-પ્રતિમા અતિ પ્રાચીન, પ્રભાવક, અને લોકમાન્યતામાં ચમત્કારયુક્ત, સિદ્ધિદાતા મનાતી હોઈ પુરવાર થઈ હોય તે સ્થળ, પ્રતિમા, અને દેવમંદિર “તીર્થ’ કે ‘મહાતીર્થ બની જાય છે. પશ્ચિમ ભારતમાં ઠેકઠેકાણે બંધાયેલાં મોટી સંખ્યાનાં જૈન મંદિરોમાંથી બહુ જ થોડાં જૈન જગતમાં પરમ પ્રતિષ્ઠિત મનાયાં છે. શત્રુંજયગિરિ અને એના નાયક શ્રી આદીશ્વર ભગવાન, ઉજ્જયંતગિરિની જુદી જુદી ટૂકો અને તીર્થનાયક જિન અરિષ્ટનેમિ, સત્યપુરમંડન શ્રી મહાવીર, સ્તંભનપુરાધીશ પાર્થ, અને ભૃગુપુરાલંકાર શ્રી મુનિસુવ્રતનો મહિમા મધ્યયુગમાં પ્રથમ કક્ષાનો ગણાતો. તે પછી આવે શંખેશ્વર પાર્શ્વનાથ (શંખપુરની શંખવસતીના અધિષ્ઠાતા શ્રી પાર્શ્વ), અવંતિના અંતરિક્ષ-પાર્શ્વનાથ વગેરે. વસ્તુપાળે આમાંનાં કેટલાકનાં મહિમાસ્વરૂપ મંદિરો શત્રુંજય અને ગિરનાર પર બંધાવેલાં". આ પ્રકારનાં અવતારિત મંદિરો બાંધવાની પ્રથા પશ્ચિમ ભારતમાં વસ્તુપાલની આગમચ ૧૨મા શતકમાં હતી તેનું એક પ્રમાણ નફૂલના ચાહમાનોની નગરી નાડલાઈ– નફૂલડાગિકામાં મળે છે. ત્યાંના સં૧૧૩૯ | ઈ. સ. ૧૧૯૫ના લેખમાં ત્યાં ડુંગર પર આવેલા યાદવનેમિનાથના મંદિરને “ઉજ્જયંતતીર્થ” કહ્યું છે”. કર્ણાટદેશનું એક આથીયે પુરાણું દષ્ટાંત મને આ પળે સ્મરણમાં આવે છે. દાદુગર્વલ્લિના લક્ષ્મીદેવીના મંદિરના ઈ. સ. ૧૧૧૨ના તુલ્યકાલીન લેખમાં, દક્ષિણદેશમાં ખ્યાતનામ કોલ્હાપુરસ્થ મહાલક્ષ્મી ઉપરથી એ ગામને “અભિનવ કોલ્હાપુર' એવું અભિધાન આપ્યું છે, આથી એ મંદિર કોલ્હાપુરવાળીનું ઠરે છે. હવે આબૂનાં દેવાલયો એ કાળે પ્રમાણમાં પરિચિત, એ સમયે જાણીતી વ્યક્તિઓ દ્વારા બંધાયેલાં. દંડનાયક વિમલ કારિત આદીશ્વરભવન અને તેજપાળ નિર્મિત નેમિનાથના મંદિરનો ખાસ મહિમા નહોતો. જાબાલિપુરમાં પણ યક્ષવસતી સિવાયનાં મંદિરો ૧૨મી૧૩મી શતાબ્દીનાં હતાં અને વિજાપુરનાં પણ ૧૨મી ને ૧૩મી સદીનાં હતાં. એમાંનાં કોઈ પોતાના મહિમા માટે પ્રસિદ્ધ નહોતાં. આથી એમનાં અવતારરૂપ મંદિરો ઊભાં કરવાનો વિચાર સરખો પણ ભાગ્યે જ આવે. શ્રી અત્રિના લેખને ફરી એક વાર વાંચતાં એક નાનકડો પણ ચર્ચાસ્પદ મુદ્દો નજરે આવ્યો. શ્રી અત્રિ લખે છે કે “ઈ. સ. ૧૨૩૨ના તુલ્યકાલીન છયે લેખોમાં ઉલ્લેખિત તમામ બાંધકામને ઈ. સ. ૧૨૩૩ના તુલ્યકાલીન લેખમાં x “વસ્તુપાલવિહાર' જેવું એક જ નામ આપવા છતાં એ જ લેખમાં જણાવવામાં આવ્યું છે કે વસ્તુપાલે ગિરનાર ઉપર ચાર મંદિરો બંધાવ્યાં. આ ચાર પૈકીનાં ત્રણ(આદિનાથ, અષ્ટાપદ અને સમેતશિખર)નો સમાવેશ તો ઈ. સ. ૧૨૩રના તુલ્યકાલીન લેખોને આધારે ‘વસ્તુપાલવિહારમાં જ થઈ શકે તેમ છે. તેથી ઈ. સ. ૧૨૩૩ના તુલ્યકાલીન લેખને આધારે એમ માની શકાય કે ચોથું કપર્દી-યક્ષનું મંદિર For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ -લેખ પર દૃષ્ટિપાત પણ “વસ્તુપાલવિહાર'-ની અંતર્ગત ક્યાંય બંધાયેલું હશે. ઈ. સ. ૧૨૪૩નો તુલ્યકાલીન ચર્ચિત લેખ આ ધારણાને બળ આપે છે, કારણ કે તેમાં (આગળ જોયું તેમ) આ અમાત્ય બંધુઓ દ્વારા મુખ્ય મુખ્ય જગ્યાએ થયેલાં મુખ્ય મુખ્ય બાંધકામોનો ઉલ્લેખ છે જેમાં “ઉજ્જયંત મહાતીર્થ” “વસ્તુપાલ-વિહારને જ ગણવામાં આવ્યો છે.” (“ગિરનારના,” પૃ. ૨૦૭). હવે વરદુડિયા શ્રેષ્ઠીઓએ જો ત્યાં “કપર્દીભવનમાં કંઈ કરાવ્યું જ ન હોય તો એની નોંધ ન જ આવે : ને બીજી જાણવા જેવી વાત એ છે કે કપર્દીયક્ષનું મંદિર “વસ્તુપાલ-વિહાર'નું અંગભૂત નહોતું; એનાથી વેગળું અને સ્વતંત્ર આલય હતું. સમકાલીન સાક્ષીરૂપે શ્રી વિજયસેનસૂરિનું અવલોકન આ સંદર્ભમાં ઉપયોગી થઈ પડશે. તેમણે નોંધ્યું છે કે, “વસ્તુપાલમંત્રીએ અષ્ટાપદ અને સમેતશિખરવાળાં મનોહર મંડપો સાથે ઋષભેશ્વરનું મંદિર કરાવ્યું; ને કપર્દીયક્ષ અને મરુદેવીના બે ઊંચા પ્રાસાદ (કરાવ્યા).”૩૮ જિનપ્રભસૂરિ પણ (મોટે ભાગે તો વિજયસેનસૂરિના ઉપલા કથનને અનુસરીને) કહે છે કે “વસ્તુપાલમંત્રીએ અષ્ટાપદ અને સમેતના મંડપો સાથે શત્રુજયાવતાર મંદિર તેમ જ કપર્દી-મદેવીના પ્રાસાદો કરાવ્યા.”૩૯ આ કપર્દીભવનના દિશા-સ્થાનનો નિર્દેશ વસ્તુપાલે કરેલ ગિરનાર પરનાં સુકૃતોની જિનહર્ષગણિની નોંધમાં મળે છે : “ને વસ્તુપાલવિહારની પાછળના ભાગે અનુત્તર-(વિમાન) સમું કપર્દીયક્ષનું આયતન કર્યું.”૪૦ આ ઉપરથી આ મુદ્દો તદ્દન સ્પષ્ટ થઈ જાય છે. શ્રી અત્રિએ પ્રકાશમાં લાવેલ ગિરનાર પરનો આ નવપ્રાપ્ત શિલાલેખ મંત્રી બંધુ વસ્તુપાલ-તેજપાલનો ન હોવા છતાં એમના સમકાલીન અને આપણને પૂર્વપરિચિત એવા એક પ્રતિષ્ઠિત જૈન પરિવારનો હોઈ ગુજરાતના ઐતિહાસિક મૂલ્ય ધરાવતા ઉત્કીર્ણ લેખોમાં, શત્રુંજયના વસ્તુપાલ-તેજપાલના શિલાલેખોની તાજેતરમાં થયેલી લબ્ધિની જેમ, નોંધપાત્ર વધારો કરે છે. (ગિરનાર પર્વતપ્રાપ્ત શ્રી નરહડિયા પરિવારનો પ્રશસ્તિ લેખ) १. सं. १२९९ फाग सुदि ३ श्री उजयंत महातीर्थे २. महामात्य श्रीवस्तुपालविहारे महं श्री तेजपाल आदे ३ (शे)न सा. घेढा लाहडेन श्रीनेमिनाथबिंबं षतकं च कारितं । ૪. (પ્રતિ)fyત શ્રી વિનયભૂમિ:] શ્રી તુંગભૂ(વે) મહા ५ (तीर्थे) श्रीआदिनाथबिंबं देवकुलिका दंडकलसादि सहिता ६ वतीश्र* महं श्री वास्तु )पालकारित श्री साचउर देवकुले ७. माव्य* श्रीमहावीरबिंबं षातकं च श्री अर्बुदाचले (मा दा मा For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ८. ग्र? महामात्य) श्री तेजपालकारित श्री नेमिनाथ चै(थ ? त्य) जगत्यां देवकुलि ९. का २ बिंबं ६ सपरिगण श्रीजावालिपुरे श्रीपारस्वनाथदेव चै१०. (ग ?त्य) जग ('थी ?त्यां)देवकुलिका श्रीरिषभनाथबि[बिं]बं वीजापुरे श्रीने ११. (मिनाथ) बि[बिं]बं देवकुलिका दंडकलसादिसहिता ૨૨. ... ... હું ... [વર](ટુ ? ઈડિયા સા(દુ ? દુ)ને ૨૩. [૧] ... ... ..સા(હું ? દુ.) પેઢા સા. ૨૪. .. .. . ..[સા]( ?હુ.) +થળેશ્વર તપુ ૨૧. [ઝા]... . ..(?)વત્ ૬. . . . . . . . . ૭. . . . ...(ત) ... ... . વિશેષ નોંધ: પંક્તિ (૧૩)માં નેમ પછી ને સાદુ પેઢા પહેલાં, આબૂના લેખાંક ૩પરના આધારે કલ્પના કરીએ તો સુત સા. રાહડ | પ્રા. સવ તપુત્ર એવો વાક્યખંડ હોવો જોઈએ : અને પંક્તિ(૧૫)માં (મj) પછી સા. તાદન નિગમુત્વ સમુદ્રાયેન રૂદ્ઘ વારિત . એમ હોવાનો સંભવ છે. શ્રી અત્રિએ લેખમાં રહેલા કેટલાક શબ્દોની જોડણી અને રૂપના દોષ બતાવ્યા છે. થોડા વિશેષ અહીં નોંધીએ, તો તેમાં જુન ને બદલે પાર, નશ ને સ્થાને નસ (પંક્તિ ૫ અને ૧૧) વત્ત ને બદલે ઉતર્જા અને પાર્વા (૭), સરિઝર કોરવાને બદલે સપરિણા, ચૈત્ય ને બદલે વૈથ અને અગાઉ કહ્યું તે વૈત્ય ન ત્યાં ને બદલે વૈયા નાથીનો નિર્દેશ કરી શકાય. વરડિયા કુટુંબના આબૂના લેખોમાં પણ આવા કેટલાક દોષો રહેલા છે જે મુનિશ્રી જયંતવિજયજીએ લેખની વાચનામાં યોગ્ય સંકેતો દ્વારા બતાવ્યા છે અને પ્રસ્તુત મુદ્દા પર લેખાંક નં. ૩૫રના તેમના ભાષ્યમાં ટીકા કરતાં આ પ્રમાણે લખ્યું છે : “લેખ સંસ્કૃત ભાષામાં છે પરંતુ તેમાં કેટલાક વ્યાકરણ વિરુદ્ધ પ્રયોગો અને પ્રાકૃત ભાષાના શબ્દો આવે છે છતાં લેખની ભાષા સરળ અને સમજી શકાય તેવી છે.”(શ્રી અબુંદ-પ્રાચીન-જૈન-લેખસંદોહ, પૃ૦૪૩૫-૪૩૬ પાદટીપ.) For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત પરિશિષ્ટ (વરડિયા કુટુંબના આબૂના દેલવાડાગ્રામસ્થિત તેજપાલનિર્મિત લૂણવસહિકાપ્રાસાદની દેવકુલિકાઓના ઉત્કીર્ણ લેખો) ४८ દેવકુલિકા ૩૮ र्द. ।। संवतु (त्) १२९१ वर्षे मार्गसी (शी) र्षमासे श्री अर्बुदाचले महं [0] श्रीतेज्[ : ]पालकारित ठ. लूणसीहवसहिकाभिधान श्रीनेमिनाथचैत्ये श्रीरि ( ऋषभ श्रीमहावीर श्रीसंभम (व) देवकुलिका बिंबदंडकलसा (शा) दिसहिता श्रीनागपुरे (*) पूर्वं साधुवरदेव आशी (सी) त् । यन्नाम्ना वरहुडिया इत्याम्नायः प्रसिद्धः ॥ तत्सुतौ सा. आसदेव । लक्ष्मीधरौ । आसदेवसुत सा० नेमड । आभट । माणिक । सलषण । लक्ष्मीधरसुतास्तु थिरदेव । गुणधर । जगधर (*) भुवणाभिधानाः । ततः साहुनेमडपुत्र । सा. राहड । जयदेव । सा. सहदेवाख्याः । तत्र सा. हडपुत्र जिणचन्द्र । दूलह । धणेसर । लाहड । अभयकुमार संज्ञा: । सा. जयदेव पुत्र वीरदेव । देवकु () मार । हालूनामान: । सा सहदेव पुत्रौ सा. खेढागोसलौ । इत्येवमादिसमस्तनिजकुं (कु) टुम्बसमुदायसहितेन । सा. सहदेवेन सु (शु) द्धश्रद्धया कर्म्मनिर्ज्जरार्थमियं कारिता । शिवमस्तु ॥ (श्री अर्जुह-प्रायीन-चैन-तेजसंछोर, सेजां उप०, ५० १४०-१४१) દેવકુલિકા ૩૯ र्द. ।। संवत १२९१ वर्षे मार्गशीर्ष मासे श्री अर्बुदाचले महं. श्री [ : ]पालकारितलूणसीहवसहिकाभिधान श्रीनेमिनाथचैत्ये श्रीअभिनंदन श्रीनेमिनाथदेव श्रीसां(शां)तिदेवकुलिका बिंबदंडकलसा (शा) दिसहिता । श्रीना ()गपुरवास्तव्य । सा. वरदेव आशी(सी)त् यन्नाम्ना वरहुडिया इत्याम्नाय : प्रसिद्धः । तत्सुतौ सा० आसदेवलक्ष्मीधरौ । आसव नेमड आभटः माणिक सलषण । लक्ष्मीधरसुतास्तु । थिरदेव। गुणधर । जग (*)धर भुवणाभिधाना: । तत: सा॰ नेमड पुत्र | सा॰ राहड जयदेव । सा. सहदेवाख्याः । तत्र साहु राहड पुत्र । जिणचंद्रख्याः । दूलह । धणेसर । लाहड अभयकुमारसंज्ञा: । सा. जयदेवपुत (त्र) वीरदेव देवकुमार हालूनामान[:] (*) सा. सहदेवपुत्रौ खेढागोसलौ इत्येवमादिसमस्तनिजकुंटुं (कुटु)म्बसमुदायसहितेन । सा॰ राहड पुत्र | जिणचंद्र धणेश्वर । लाहड । माता वरी नाईक । वधु । हरियाही श्रेयोर्थं शुद्ध श्रद्धया कर्म्मनिर्ज्जरार्थं इयं कारिता । (सेशन, सेजां उप५, ५० १४४-१४५) For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ५० સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર દેવકુલિકા ૩૮ (१) ॐ स्वस्ति सं[वत्] १२९६ वर्षे वैशाखसुदि ३ श्रीश@जयम(२) हातीर्थे महामात्यश्रीतेज[ : ]पालेन कारित नंदीस( श्व )रवर[ चैत्ये] (३) पश्चिममण्डपे श्रीआदिनाथबिंबं देवकुलिका दंडक(४) लसा(शा)दिसहिता तथा इहैव तीर्थे महं [0] श्रीवस्तुपालका(५) रित श्रीसत्यपुरीयश्रीमहावीरे बिंबं खत्तकं च । इही(है)व (६) तीर्थे शैलमयबिंब द्वितीयदेवकुलिकामध्ये खत्तक(७) द्वय श्रीऋषभादि चतुर्विंशतिका च । तथा गूढमण्डपपूर्वद्वा(८) रमध्ये खत्तकं मूर्तियुग्मं तदुपरे(रि) श्री आदिनाथबिंबं श्री(९) उज(ज्ज )यंते श्रीनेमिनाथपादुका मंडपे श्रीनेमिनाथबि(१०) बं खत्तकं च । इहैव तीर्थे महं [0] श्री वस्तुपालकारित श्री(११) आदिनाथस्याग्रत(तो) मंडपे श्रीनेमिनाथबिंबं खत्तकं च । (१२) श्री अर्बुदाचले श्रीनेमिनाथचैत्यजगत्यां देवकुलि- , (१३) काद्वय षट्(ड्)बिंबसहितानि । श्रीजावालिपुरे श्रीपा(१४) र्श्वनाथचैत्यजगत्यां श्रीआदिनाथबिंबं देवकुलिका . (१५) च । श्रीतारणगढे श्रीअजितनाथगूढमंडपे श्री आ(१६) दिनाथबिंबं खत्तकं च । श्री अणहिल्लपुरे हथीयावापी(१७) प्रत्यासन्न(न्ने) श्रीसुविधिनाथबिंबं तच्चैत्यजीर्णोद्धारं च ॥ (१८) वीजापुरे देवकुलिकाद्वयं श्रीनेमिनाथबिंबं श्रीपा(१९) र्श्वनाथबिंबं च । श्री...(मू)लप्रासादे कवलीखत्तकद्वये ॥ (२०) श्रीआदिनाथश्रीमुनिसुव्रतस्वामिबिंबं च । लाटाप(२१) ल्यां श्रीकुमारविहारजीर्णोद्धारे श्रीपार्श्वनाथस्याग्र(२२) त(तो) मंडपे श्रीपार्श्वनाथबिंबं खत्तकं च ॥ श्री प्रह्लादनपु(२३) रे श्रीपाल्हणविहारे श्रीचंद(द्र )प्रभस्वामिमंडपे खत्तक For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખ પર દૃષ્ટિપાત (२४) द्वयं च । इहैव जगत्यां श्रीनेमिनाथस्याग्रत(तो) मंडपे (२५) श्रीमहावीरबिंबं च । एतत् सर्व(व) कारितमस्ति || श्रीनाग(२६) पुरीय वरहुडीया साहु, नेमड सुत सा. राहड । (२७) भ्रा. जयदेव भ्रा. सा. सहदेव तत्पुत्र. संघ. सा. । (२८) षे( खे )ढा भ्रा. गोसल सा. जयदेव सुत. सा. वीरदे(२९) व देवकुमार हालूय सा. राहड सुत. सा. जिणचंद्र (३०) धंणेश्वर अभयकुमार लघुभ्रातृ. सा. लाहडेन (३१) निजकुटुंबसमुदायेन इदं कारितं । प्रतिष्ठितं (३२) श्रीनागेन्द्रगच्छे श्रीमदाचार्य विजयसेनसूरि[भिः] । (३३) श्रीजावालिपुरे श्रीसौवर्णगिरौ श्रीपार्श्वनाथजगत्यां (३४) अष्टापदमध्ये ष(ख)त्तकद्वयं च ॥ लाटापल्यां श्रीकुमरवि(३५) हारजगत्यां श्रीअजितस्वामिबिंबं देवकुलि(३६) का दंडकलस(श)सहिता । इहैव चैत्ये जि(३७) नजु(यु)गलं श्रीशांतिनाथ श्रीअजितस्वामि (३८) एतत् सर्वं कारापितं ॥ (३९) श्री अणहिल्लपुरप्रत्यासन्न चारोपे (४०) श्री आदिनाथबिंबं प्रासादं गूढमंड(४१) प छ चउकिया सहितं सा. राहड (४२) सुत सा. जिणचंद्र भार्या सा. चाहि(४३) णिकुक्षिसंभूतेन संघ सा. दे(४४) वचंद्रेण पितामाता आत्मश्रेयो(४५) र्थं क(का)रापितं (तं) ॥ (मेन, सेमis उ५२, पृ. १४२-१४४) र्द ॥ संवत् १२९३ वर्षे मार्गसुदि १० श्रीनागपूरीय वरहुडि संतानीय सा. नेमड पुत्र सा. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૨ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર सहदेवेन स्वपुत्रस्य सौ । सुहागदेवि(वी) कुक्षिसंभूत सा. षे( खे )ढा गोसलेन(लयोः) बृहद्भ्रातृ सा. राहड पुत्र जिनचंद्रेण च स्वस्य स्वमातृवडी नाम्न्याश्च श्रेयोर्थं श्रीसंभवनाथबिंब(बं) करापित(तं) । प्रतिष्ठित(तं) । श्री विजयसेनसूरिभिः ॥ (४न, is, ३४५, पृ. १३८) द. ॥ सं [वत्] [१२]९३ [वर्षे] मार्गसु[दि] १० श्रीनागपूरी[य] वरहुडिसंतानीय सा. नेमड पुत्र सा. राहड पुत्र जिण(न)चंद्र पुत्र देवचंद्रेण । दादीमात्रा चाहिणि श्रेयो [0] श्री आदिनाथबिंबं [कारितं] (४न, uis 3४६, पृ. १३८) द. ॥ सं[वत्] [१२]९३ मार्गसुदि १० श्रीनागपुरी[य] वरहुडिसंतानीय सा. नेमड पुत्र सा. जयदेव पुत्र सा. वीरदेव देवकुमार हालू स्वमातृ जाल्हणदेवि(वी) आत्मश्रे[योऽर्थं] श्रीमहावीरबिंबं कारापितं ॥ सु(शुभं भवतुः(तु) (४न, Avis 3४७, पृ. १४०) संवत् १२९३ [वर्षे] मार्गसुदि १० श्रीनागपुरीय वर डिसंतानीय सा. नेमड पुत्र सा. राहड पुत्र सा. धणेस( नेश्व )र लाहडेन श्रीअभिनंदननाथबिंबं मातृ नाइ(यि) किः । धणे(ने)श्वर । भार्या धण(न) श्री स्वात्मनो(न)श्च श्रेयोऽर्थं कारिता(त) प्रतिष्टिता(ष्ठितं) नागेन्द्रगच्छे श्रीविजयसेनसूरिभिः ॥ (४न, सेमis 343, पृ. १४४) र्द ॥ सं [०] १२९३ [वर्षे] मार्गसुदि १० श्रीनागपुरीय वरहुडिसंतानीय सा. नेमड पुत्र सा. राहडः पुत्र लाहडेन स्वभार्या लष्म(खम) श्री श्रेयार्थं श्रीनेमिनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीविजयसेनसूरिभिः ॥ सु(शु) भं भवतू(तु) ॥ __(मे४न, uis 3५४, पृ० १४४) १५७ देववंदनकादिप्रकरपुस्तिका सं. १२९० [खंभात, शांतिनाथ भंडार ] देववंदणवंदणकं समाप्तम् ॥ छ । संवत् १२९० वर्षे माघ वदि १ गुरु दिने । वरहुडिया नेमड सुत साहु सहदेव पुत्र सा. पेढा गोसलेन मातृ सौभाग्यदेवी श्रेयोऽर्थं लिखापितम् । शुभं भवतु लेखकपाठकयोः ॥ लिखितं विजापुरे । लिखापितं लाहडेन । लिखितं पंडित अमलेण ॥ छ ।। __ १८८ भगवतीसूत्रवृत्ति सं. १२९८ [खंभात, शांतिनाथ भंडार ] संवत् १२९८ फागुण सु. ३ गुरौऽद्येह वीजापुरे पूज्य श्रीदेवचंद्रसूरिश्रीविजयचंद्रसूरिव्याख्यानतः संसारासारतां विचित्य सर्वज्ञोक्तं शास्त्रं प्रमाणमिति मनसि ज्ञात्वा सा. राहडसुत जिणचंद-धणेसर-लाहड सा. सहदेवसुत सा. षेढासंघवी गोसलप्रभृति कुटुंबसमुदायेन चतुर्विधसंघस्य पठनार्थं वाचनार्थं च लिखापितमिति । For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત १९५ पंचांगीसूत्रवृत्ति सं० १३०१ [ खंभात, शान्तिनाथ भंडार ] संवत् १३०१ वर्षे फागुण दि १३ शनौ अद्येह वीजापुरे वरहुडिया सा. राहडसुत सा. खेढा गोसल जिणचंद्र सा. लाहडेन कुटुंबसमुदायेन पंचांगीसूत्रवृत्तिपुस्तकं ठ अरसीहेण लिखितम् ॥ छ ॥ उभयं ११२८० ॥ छ ॥ संवत् १३०१ वर्षे फागुण वदि १३ शनौ इहैव प्रल्हादनपुरे श्रीनागपुरीय श्रावकैः पोषधशालायां सिद्धांतशास्त्रं पूज्य श्रीदेवेन्द्रसूरि-श्रीविजयचंद्रसूरि - उपाध्याय श्रीदेवभद्र- गणेर्व्याख्यानतः संसारासारतां विचित्य सर्वज्ञोक्तं शास्त्रं प्रमाणमिति मनसा विचित्य श्रीनागपुरीयवरहुडियासंताने सा. आसदेवसुत साहुनेमडसुत राहड जयदेव सा. सहदेव तत्पुत्र संघ सा. खेढा संघ सा. गोसल सा. राहडसुत सा. जिणचंद्र धणेसर लाहड देवचंद्रप्रभृतीनां चतुर्विधसंघस्य पठनार्थं वाचनार्थं चात्मश्रेयोर्थं पंचांगीसूत्रवृत्तिपुस्तकं लिखापितमिति ॥ छा । वरहुडिया साधु, राहडसुत सा. लाहडेन श्रेयोऽर्थं व्यवहार द्वितीयखंडं लिखापितमिि ॥ छ ॥ संवत् १३०९ वर्षे भाद्रपद सुदि १५ ॥ अस्तीह श्रेष्ठपर्वप्रचयपरिचितः क्ष्माभृदाप्तप्रतिष्ठः, सच्छायश्चारुवर्णः सकलसरलतालंकृतः शस्तवृत्तः । पल्लीवालाख्यवंशो ́ जगति सुविदितस्तत्र मुक्तेव साधुः, साधुव्रातप्रणंता वरहुडिरिति सत्ख्यातिमान् नेमडोऽभूत् ॥१॥ तस्योच्चैस्तनया विशुद्धविनयास्तत्रादिमो राहडो, जज्ञेऽतः सहदेव इत्यभिधया लब्धप्रसिद्धिर्जने । उत्पन्नो जयदेव इत्यवहितस्वान्तः सुधर्मे तत स्तत्राद्यस्य सदा प्रिया प्रियतमा लक्ष्मीः तथा नाइकिः ॥२॥ • आद्याया जिनचंद्र इत्यनुदिनं सद्धर्मकर्मोद्यतः, पुत्रश्चाहिणी संज्ञिता सहचरी तस्य त्वमी सूनवः । ज्येष्ठोऽभूत् किल देवचंद्र इति यो द्रव्यं व्ययित्वा निजं, सत्तीर्थेषु शिवाय संघपतिरित्याख्यां सुधीर्लब्धवान् ॥३॥ नामंधराख्योऽथ महाधराख्योऽतो वीरधवलाभिध - भीमदेवौ । पुत्री तथा धाहिणी नामिकाऽभूत् सर्वेऽपि जैनांहिसरोजभृंगाः ॥४॥ श्रीदेवभद्रगणिपादसरोरुहालेर्भक्त्यानमद् विजयचंद्रमुनीश्वरस्य । देवेन्द्रसूरिगुरोः पदपद्ममूले तत्रान्तिमौ जगृहतुर्यतितां शिवोत् ॥५॥ ૫૩ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ पx સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર नाइकेस्तु सुता जातास्तत्र ज्येष्ठो धनेश्वरः । खेतूनाम्नी प्रिया तस्य अरिसिंहादयः सुताः ।।६।। द्वैतीयीकः सुसाधुश्रुतवचनसुधास्वादनातृप्तचित्तः, श्रीमज्जैनेन्द्रबिम्बप्रवर जिनगृहप्रोल्लसत्पुस्तकादौ । सप्तक्षेत्र्यां प्रभूतव्ययितनिजधनो लाहडो नामतोऽभूत्, लक्ष्मीश्रीरित्यभिख्या सुचरितसहिता तस्य भार्या सदार्या ॥७॥ अभयकुमाराभिख्यस्तृतीयोऽजनि नंदनः । यो दधे मानसं धर्मश्रद्धा संबंधबंधुरम् ॥८॥ धर्मे सहाया सहदेवसाधोः सौभाग्यदेवीति बभूव जाया । .. पुत्रौ च खेढाभिध-गोसलाख्यौ प्रभावको श्रीजिनशासनस्य ॥९॥ किंच । यौ कृत्वा गुणसंघकेलिभवनं श्रीसंघमुच्चस्तरां, श्रीशजय-रैवतप्रभृतिषु प्रख्याततीर्थेषु च । न्यायोपार्जितमर्थसार्थनिवहं स्वीयं व्ययित्वा भृशं, लेभाते सुचिराय संघपतिरित्याख्यां स्फुटां भूतले ॥१०॥ आद्यस्य जज्ञे किल षींवदेवी नाम्ना कलत्रं सुविवेकपात्रम् । तथा सुता जेहड-हेमचंद्र-कुमारपालाभिध-पासदेवाः ॥११॥ अभवद् गोसलसाधोर्गुणदेवीति वल्लभा । नंदनो हरिचंद्राख्यो देमतीति च पुत्रिका ॥१२॥ जयदेवस्य तु गृहिणी जाल्हणदेवीति संज्ञिता जज्ञे । पुत्रस्तु वीरदेवो देवकुमारश्च हालूश्च ॥१३।। शुभशीलशीलनपरा अभवंस्तेषामिमाः सर्मिण्यः । विजयसिरी-देवसिरी-हरसिणिसंज्ञा यथासंख्यम् ॥१४॥ एवं कुटुंबसमुदय उज्ज्वलवृषविहितवासनाप्रचयः । सुगुरोः गुणगणसुगुरोः सुश्राव सुदेशनामेवम् ॥१५।। (આ પછી આવતો ભાગ જરૂરી ન હોઈ ઉદ્ધત કર્યો નથી.) For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ વરડિયા વંશવૃક્ષ વરદેવ આસદેવ લક્ષ્મીધર ૧ નેમડ ૨ આભડ ૩ માણિક ૪ સલખણ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત - ૧ રાહડ ૨ જયદેવ = જાલ્ડણદેવી ૩ સહદેવ = સુહાગદેવી | (સૌભાગ્યદેવી) ૧ થિરદેવ ૨ ગુણધર ૩ જગદેવ ૪ ભુવણ For Personal & Private Use Only લક્ષ્મી = T = નાયક ૧ વરદેવ ૨ દેવકુમાર ૩ હાલૂ ૧ જિનચંદ્ર = ચાહિણિ ૨ દૂલહ ૩ ધણેશ્વર = ખેતૂ ૪ લાહડ = લખીશ્રી ૫ અભયકુમાર (ધનેશ્વર) | (લક્ષ્મીશ્રી) ૧ સં. દેવચંદ્ર ૧ અરિસિંહ ૨ નામધર ઇત્યાદિ સં. ખેઢા = ખીચદેવી ૩ મહીધર પુત્રો ૧ જેહડ ૪ વીરધવલ ૨ હેમચન્દ્ર ૫ ભીમદેવ ૩ કુમારપાલ ૬ ધોહિણી ૪ પાસવ સં. ગોસલ = ગુણદેવી ૧ હરિશ્ચન્દ્ર ૨ દેમતી ૫૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ટિપ્પણો : ૧. આ શિલાલેખો ઉપરાંત કેટલાક શિલ્પખંડો પણ ત્યાંથી મળેલા. (જુઓ અહીં ટિપ્પણ ક્રમાંક ૨.) શ્રી અત્રિ પોતાના લેખની પાદટીપ ક્રમાંક ૧માં નોંધે છે : “પ્રસ્તુત શિલ્પ-ખંડો અને શિલાલેખોની પ્રાપ્તિનાં સ્થળ અને કારણો બાબત લેખકના તાજેતરમાં પ્રસિદ્ધ થનાર અન્ય લેખમાં યોગ્ય માહિતી આપવામાં આવેલી હોઈ અહીં પુનરાવર્તન નથી કર્યું." શ્રી અત્રિનો એ સંદર્ભસૂચિત લેખ "A collection of some Jain Stone Images from Mount Girnar els ès Bulletin of the Museum and Picture Gallery, Baroda, Vol XX માં p. 51-59 પર છપાયો છે. ત્યાં ગિરનાર પરના નૈમિનાથાદિ જૈન મંદિરો ફરતા કોટની વાત કર્યા બાદ શ્રી અત્રિએ આ પ્રમાણે નોંધ મૂકી છે : 'In 1959 some work was undertaken in this region, by the authorities of the Jain Śvetämbara Temples, and in the process some part of the wall round the shrines was demolished. There were reports that about the same time, some images were unearthed., On instructions given by the Archaeological survey of India the author of this article collected 13 iterns shown below for being placed in the Junagadh Museum." (Ibid., p. 51.) (વિશેષ નોંધ ઃ આ અંગ્રેજી અવતરણોમાં આવતી શ્રી અત્રિની બે પાદટીપો અહીં જરૂરી ન હોઈ ટાંકી નથી.) શ્રી અત્રિનાં ધનો પરથી આ શિલાલેખો દીવાલના ચણતરમાંથી નીક્ળ્યા છે એવો અર્થ નથી થતો પણ મને લાગે છે કે એ દીવાલ પાડતાં તેની પૂરણીમાંથી નીકળ્યા હોવા જોઈએ, યા તો ત્યાંનાં મંદિરોના પ્રાંગણની ફ૨શબંધી ખોલતાં તેમાં જમીનમાં દટાયેલ હોય ને પ્રગટ થયા હોય. પહેલી સંભાવના વિશેષ રહેલી છે. ૨. જુઓ આગળની પાદટીપમાં ટાંકેલું શ્રી અત્રિના લેખનું અંગ્રેજી અવતરણ, તેમ જ વિગત માટે “A Collection," pp. 51-52. ૩. “ગિરનારના,” સ્વાધ્યાય, પુ ૫, અંક ૨, પૃ. ૨૦૫, ૪. લાડની આગળ સાહુ શબ્દ લેખમાં આપ્યો લાગતો નથી. શ્રી અત્રિની વાચનામાં એ નથી એટલે કોતરનાર કે મુત્સદ્દો ઘડનારનું એ સ્ખલન છે. ગુજરાતી ટીકામાં શ્રી અત્રિ “ખેઢા લાઇડ' એમ એક સાથે વાંચે છે અને એ બન્નેને તેઓ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ માને છે કે ગુજરાતમાં આજે પ્રચલિત નામ લખવાની રીત પ્રમાણે ખેઢા દીકરો ને લાહડ બાપ એમ માને છે તે સ્પષ્ટ થતું નથી : (જુઓ “ગિરનારના,’' પૃ. ૨૦૮.) ૫. જ્યાં વધારે કુટુંબીજનો સુકૃત સાથે સંકળાયેલાં હોય ત્યાં પહેલાં પ્રતિમા-પ્રતિષ્ઠાની વિગતો આપી પછી સમસ્ત કુટુંબીજનોનાં નામ જોડવાની પ્રથા આબૂના કેટલાક જૈન શિલાલેખોમાં અને અન્યત્ર જોવા મળે છે. આ મુદ્દો બહુ અગત્યનો ન હોઈ અહીં એવા લેખોની સૂચિ કે સંદર્ભ તુલનાર્થે ટાંકવાની જરૂર નથી. ૬. આ વિશે હું લેખના અંત ભાગે સુચન કરીશ. 9. See A. K. Majumdar, Chaulukyas of Gujarat, Bombay 1956, pp. 177. ૮. Ibid., pp. 178. ૯. અહીં એ બધા સંદર્ભોની સૂચિ આપીશ નહીં. આખરે એ મુદ્દો આ લેખમાં કહેવાની અસલી વાતને ખાસ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત ઉપકારક નથી. ૧૦. મંત્રી તેજપાળના લૂણવસહીપ્રાસાદના મૂલનાયકની પ્રતિષ્ઠા પણ તેમણે જ કરી છે. વસ્તુપાલના સેરિસાના પ્રતિમાલેખોમાં પણ વિજયસેનસૂરિ જ પ્રતિષ્ઠાકર્તા છે. ૫૭ ૧૧. અહીં એ બધા સંદર્ભોની યાદી આપીશ નહીં. આ અગાઉ સ્વાધ્યાય પુ૰ ૪, અંક ૩માં શ્રી હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રીના સહલેખન સાથેનો મારો લેખ “વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ’’ એ શીર્ષક નીચે પ્રકાશિત થયો છે. આ ગ્રંથમાં પણ તે સમાવી લેવામાં આવ્યો છે. તેમાં જુદા જુદા સ્રોતોમાંથી માહિતી એકત્ર કરી શત્રુંજય, ગિરનાર આદિ સ્થળોએ વસ્તુપાલ-તેજપાલના સુકૃતોની સૂચિ આપી છે, ત્યાં આ ‘સત્યપુરમંડન વીર'ના મંદિરની વાત અને એને આનુષંગિક અન્ય હકીકતોની નોંધ લીધી છે. તાજેતરમાં એ વિષય પર પ્રાપ્ત થયેલું નવું સ્રોત તે શત્રુંજય પરથી સમારકામમાં વાઘણપોળમાંથી મળી આવેલ મંત્રીબાંધવનો પ્રતોલીનો લેખ છે. તેમાં પણ આ ‘સત્યપુરવીર'નો ઉલ્લેખ છે. જુઓ આ પ્ર મુનિશ્રી પુણ્યવિજયજી, “પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા પ્રશસ્તિ લેખો,” શ્રી મહાવીર જૈન વિદ્યાલય મહોત્સવ અંક, મુંબઈ ૧૯૬૮, પૃ. ૩૦૬-૩૦૮. ', ૧૨. જુઓ અમારો ઉ૫૨ કથિત “વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ’વાળો લેખ, પૃ ૩૧૭. એ નોંધ જિનહર્ષગણિના વસ્તુપાલચારિત્ર (સં. ૧૪૯૭ / ઈ. સ. ૧૪૪૧) ઉપરથી ત્યાં લીધેલી. ૧૩. વિજાપુરમાં જિન વાસુપૂજ્યનું પણ એક દેવાલય હતું. સં. ૧૩૨૮ / ઈ. સ. ૧૨૭૨માં શ્રી કુમારગણિએ રચેલી અભયદેવચરિતની સંસ્કૃત પ્રશસ્તિમાં પ્રસ્તુત જિનાલયના ઉપલક્ષમાં એ કાળ આસપાસ જુદા જુદા શ્રેષ્ઠીઓએ કરાવેલી દેવકુલિકાઓના ઉલ્લેખ છે ઃ (જુઓ, અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈનતીર્થ સર્વસંગ્રહ ભાગ પહેલો, ખંડ પહેલો, અમદાવાદ ૧૯૫૩, પૃ॰ ૯૨.) સં. ૧૩૧૭ / ઈ સ ૧૨૬૧માં એ મંદિર પર ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિએ સુવર્ણધ્વજદંડલશ ચઢાવ્યાની વાત લક્ષ્મીતિલક ઉપાધ્યાયે રચેલ શ્રાવકધર્મપ્રકરણની પ્રશસ્તિના આધારે પં. અંબાલાલ શાહે નોંધી છે : (જુઓ જૈનતીર્થ, પૃ॰ ૯૨). હવે જો આ મંદિર ઈ. સ. ૧૨૬૧ પૂર્વનું હોય તો પેઢા અને લાહડે કરાવેલ દેહરીઓ કદાચ આ વાસુપૂજ્યસ્વામીના પ્રાસાદના ઉપલક્ષમાં પણ હોવાની ત્રીજી શક્યતા ઊભી થાય છે. વિજાપુરના કયા જિનાલયમાં તેમણે દેરીઓ કરાવી તેનો જરા સરખો ઇશારો શિલાલેખોમાંથી મળતો નથી. ૧૪. જુઓ, મુનિરાજ શ્રી જયંતવિજયજી, શ્રી અર્બુદ-પ્રાચીન-જૈનલેખ સંદોહ (આબૂ-ભાગ બીજો), ઉજ્જૈનવડોદરા વિ. સં. ૧૯૯૪, પૃ. ૧૩૯-૧૪૫, શિલાલેખ ક્રમાંક ૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૫૦, ૩૫૨, ૩૫૩, ૩૫૪ અને ૩૫૫. પબાસણના કુલ ૬ લેખો હોવા જોઈએ પણ પાંચ મળ્યા છે. તેના ખુલાસામાં મુનિશ્રી જયંતવિજયજી નોંધે છે કે ‘છઠ્ઠી મૂર્તિના પરિકરની ગાદી નષ્ટ થઈ ગઈ હશે, અથવા બીજે ક્યાંય આપી દેવામાં આવી હશે; તેથી તે જગ્યાએ લેખ વિનાની પરિકરની નવી ગાદી પાછળથી સ્થાપન થયેલી છે એટલે આ કુટુંબનો એક લેખ અહીંથી નષ્ટ થયો છે.” (એજન, પૃ ૪૩૫). અહીં આ તમામ લેખોનું સંકલન ઉપર્યુક્ત લેખ સંદોહ પરથી પરિશિષ્ટમાં તુલનાર્થે આપ્યું છે. અહીં એ યાદ દેવડાવું કે ગિરનારના શિલાલેખમાં આબૂના નેમિનાથચૈત્યની જગતી પર બે દેવકુલિકાઓ અને તેમાં કુલ ૬ પ્રતિમાઓ ભરાવ્યાનો ઉલ્લેખ છે : આબૂના શિલાલેખ ક્રમાંક ૩૫૨માં ૫ણ એ જ વાત કહી છે. ૧૫. જુઓ લેખ સંદોહ૰, લેખાંક ૩૫૦, પૃ. ૧૪૦-૧૪૧, અને અહીં પરિશિષ્ટ. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ૧૬. એજન લેખાંક ૩૫૫. ૧૭. એજન લેખાંક ૩૪૫. ૧૮. એજન લેખાંક ૩૫૩. ૧૯ એજન લેખાંક ૩૫૪. ૨૦. એજન લેખાંક ૩૪૬-૩૪૭; ને જુઓ અહીં પરિશિષ્ટ. આ લેખોમાંથી કયા દેરી ૩૮માં અને કયા ૩૯માં છે તે વિશે મુનિશ્રી જયંતવિજયજીએ સ્પષ્ટતા નથી કરી. દેરી ચણાવ્યાના લેખો સં૧૨૯૧ના છે, જ્યારે અંદરની મૂર્તિઓના લેખો સં ૧૧૯૩ના છે. આથી એમ જણાય છે કે કોઈ કારણસર પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં સારો એવો વિલંબ થયેલો. ૨૧. એજન લેખાંક ૩૫૨; જુઓ અહીં પરિશિષ્ટ. ૨૨. ફેર એટલો છે કે આબુના લેખમાં ત્યાં એક નહીં પણ બે દેવકુલિકાની વાત કરી છે : “નેમિનાથ' ઉપરાંત પાર્શ્વનાથ'ની પણ. ૨૩. ગિરનારના “વસ્તુપાલવિહાર'માંથી મળેલા સામંતસિંહ-સલક્ષણસિંહના સં. ૧૩૦૫ ઈસ. ૧૨૪૯ના પ્રતિમાલેખનો ઉલ્લેખ કરી, અને પોતાના લેખમાં ચર્ચલ ગિરનારથી અગાઉ પ્રાપ્ત થયેલા સં. ૧૨૪૪ / ઈ. સ. ૧૨૮૮ના લેખ ક્રમાંક ૨ માં આવતા ચાહડ નામ તરફ ધ્યાન દોરી શ્રી અત્રિ લાહડની પિછાન અંગે આ પ્રમાણે અવલોકન કરે છે* “ “લાહડ’ ફરી એક વાર ઉપરના બીજા લેખ(સં. ૧૨૪૪)માં ઉલ્લેખિત “આહડનું અને ઉદયનપુત્ર “વાહડ કે “ચાહડ'નું સ્મરણ કરાવે છે.” “ઈસુની તેરમી શતાબ્દીના તુલ્યકાલીન એક સાલ વિનાના એક લેખમાં ઉલ્લેખિત “ચાહડ'અને પ્રસ્તુત “લાહડ વચ્ચે જ અભેદ હોય તો ઉપર્યુક્ત સામંતસિંહ તેનો પ્રપૌત્ર થયો તે એક મજાનો સંયોગ છે.” (“ગિરનારના,” પૃ. ૨૦૮.) * શ્રી અત્રિએ ત્યાં એમની પાદટીપ ૧૭ મૂકી D. B. Diskalkarના “Inscriptions of Kathiawad,” t India, Vol I-II Inscription, No. 18, pp. 695નો હવાલો આપ્યો છે. ૨૪. આ ગ્રંથપ્રશસ્તિ મૂળ ડૉ. પિટર્સનના ત્રીજા રિપોર્ટ pp. 60 and 73 ઉપર પ્રગટ થયાનું અને પોતે મુનિશ્રી જિનવિજયજીસંપાદિત પ્રાચીન જૈન લેખસંગ્રહના બીજા ભાગના અવલોકનમાં જોયાનું મુનિશ્રી જયંતવિજયજીએ નોંધ્યું છે : (જુઓ લેખસંદોહ૦, પૃ. ૪૪૮) પછીથી મુનિશ્રી જિનવિજયજીએ પુરાતન સમયનિશ્વિત નપુસ્તકપ્રશસ્તિસંપ્રદ (Singhi Series No. 18), મુંબઈ ૧૯૪૩માં એ મોટી અને બીજી ત્રણ નાની ગ્રંથપ્રશસ્તિઓ સમાવિષ્ટ કરી છે. અહીં પરિશિષ્ટમાં તે સૌના મૂળ પાઠ અવતાર્યા છે. ૨૫. સરખાવો લેખસંદોહ૦, પૃ. ૪૪૯-૪૫૦. ૨૬. એ ચારમાં સૌથી મહત્ત્વના તો જિનવિજયજીના ક્રમાંક ૨૯ના છે. જુઓ છેલ્લે પરિશિષ્ટ. ૨૭. લેખસંદોહ, પૃ. ૪૫૧. ૨૮. લેખસંદોહ, લેખાંક ૩૩૨ અને ૩૩૪. * શ્રી અત્રિ “વસ્તુપાલવિહાર'ના સુપ્રસિદ્ધ છ શિલાલેખોનો ઉલ્લેખ કરી રહ્યા છે. * ગિરનારનો આ વરહડિયા કુટુંબનો સં૧૨૯૯નો લેખ. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત २८. तथा सचिवेश्वरवस्तुपालेन इह स्वयंनिर्मापित श्रीशत्रुंजयमहातीर्थावतार श्रीमदादितीर्थंकर श्री ऋषभदेवस्तंभनकपुरावतार श्रीपार्श्वनाथदेवसत्यपु () रावतार श्री महावीरदेवप्रशस्तिसहित-कश्मीरावतार श्रीसरस्वती मूर्ति देवकुलिका चतुष्ट-जिनयुगल-अम्बाऽवलोकना - शाम्ब- प्रद्युम्नशिखरेषु श्रीनेमिनाथदेवालंकृत-देवकुलिकाचतुष्टय तुरगाधिरूढस्वापितामह महं. ठ. श्रीसोम - निजपितृ ठ. श्रीआशराज मूर्तिद्वितयचारुतोरणत्रय - श्रीनेमिनाथ (★) देवआत्मीयपूर्वजाऽग्रजा-ऽनुज - पुत्रादिमूर्तिसमन्वितमुखो ध्घाटनक-स्तंभ श्री अष्टापद महातीर्थप्रभृति अनेककीर्तनपरम्पराविराजिते श्रीनेमिनाथदेवाधिदेव विभूषित श्रीमदुज्जयंतमहातीर्थे आत्मनस्तथा स्वधर्मचारिण्यां प्राग्वाटज्ञातीय ठ॰ श्रीकान्हडपुत्र्याः ठ. राणुकुक्षिसंभूताया महं. श्रीललितादेव्यां () पुण्याभिवृद्धये श्रीनागेन्द्रगच्छे भट्टारक श्रीमहेंद्रसूरिसंताने शिष्य श्रीशांतिसूरिशिष्य श्री आणंदसूरि श्री अमरसूरिपट्टे भट्टारक श्रीहरिभद्रसूरिपट्टालंकरणप्रभुश्रीविजयसेनसूरिप्रतिष्ठित श्रीअजितनाथदेवादिविंशतितीर्थंकरालंकृतो ऽयमभिनवः समंडपः श्री सम्मेतमहातीथवितारप्रासादः कारितः ॥ (*) આ લેખનો ઉતારો ‘વસ્તુપાલવિહાર’ના ‘અષ્ટાપદ'વાળા' મંડપના ત્રણ સમાન લેખોમાંથી એકનો છે. ‘સમ્મેતશિખર’ જેમાં છે તે મંડપના ત્રણ લેખોમાં ‘અષ્ટાપદ’ શબ્દ અને ‘સમ્મેતશિખર’શબ્દનાં સ્થાનો ઉલટાવ્યાં - છે ઃ અને તેમાં વસ્તુપાલ-તેજપાલની તુરગારૂઢ મૂર્તિઓ(વસ્તુપાળે) મુકાવેલી એવી હકીકત મળે છે. આ शिलाले जो सौ प्रथम James Burgessil Antiquities of Kathiawar and kutch, Aswi II, London 1876मां प्रसिद्ध थयेला पछीना नारो खेमांथी वायनाना पाठी उद्धारता रह्या छे. ३१. येनोज्जयन्तगिरिमण्डननेमिचैत्ये नाभेय-पार्श्वजिनसद्मयुगं व्यधायि । अन्तः स्वयंघटितनाभिज- नेमिनाथ- श्रीस्तम्भनेशगृहमप्युदधारि हारि ॥६०॥ ૫૯ 30. श्रीस्तम्भनाख्यपुरतीर्थपतिं विधाव्य शत्रुञ्जयाचलजिनं च स उज्जयन्ते । ११ - २९, पृ. ९. મુનિશ્રી ચતુરવિજયજી દ્વારા સમ્પાદિત આ ગ્રંથ શ્રી જૈન આત્માનન્દ સભા-ગ્રંથરત્નમાલામાં વિ. સં. ૧૯૭૪માં ભાવનગરથી પ્રસિદ્ધ થયો છે. दुखो मुनिप्रवर श्री पुण्यविश्य सूरि, सुकृतकीर्तिकल्लोलिन्यादि०, पृ० ३८. ३२. विशेषके रैवतकस्य भूभृत: श्रीनेमिचैत्ये जिनवेश्मसु त्रिषु । श्रीवस्तुपालः प्रथमं जिनेश्वरं पार्श्वं च वीरं च मुदा न्यवीविशत् ॥८५॥ (सेशन पृ० २८.) 33. दुखो सहीं पाहटीय २८. ૩૪. વસ્તુપાલના ગિરનાર પરના ‘પાર્શ્વનાથ’ તેમ જ ‘સત્યપુર’નાં મંદિરોનો ૧૫મી શતાબ્દીમાં આમૂલફૂલ ઉદ્ધાર थ गयो छे. ૩૫. ‘કીર્તનાત્મક પ્રવૃત્તિઓ,’સ્વાધ્યાય, પુ ૪, અંક ૩ માં અમે ગિરનાર પરના મંત્રી બંધુઓના સુકૃતની વિસ્તૃત યાદી રજૂ કરેલી તેમાં પણ અમે એ ત્રણે મંદિરો એકબીજાથી વેગળાં જ બતાવ્યાં છે. (એજન પૃ. ૩૦૯-૩૧૦). ૩૬. જુઓ, પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, રાણકપુરની પંચતીર્થી, શ્રી યશોવિજય જૈનગ્રંથમાળા, ભાવનગર વિ સં २०१२ से १८, ५० ११२. 33. ठुञ्जो R. Narsimhachar, The Lakshmidevi Temple at Doddagaddavalli, MAS No For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ६० સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર III, Bangalore 1919, pp. 7. * આ લેખ માટે જુઓ આચાર્ય, ગિરજાશંકર વલ્લભજી, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ બીજો , મુંબઈ 1935, Quiz १८७, पृ. १५४ એ લેખનો મૂળપાઠ આ પ્રમાણે છે : वस्तुपालविहारेण हारेणेवोज्वलश्रिया उपकंठस्थितेनायं शैलराजो विराजते ।। श्रीविक्रम संवत् १२८९ वर्षे आश्विन वदी १५ सोमे महामात्य श्रीवस्तुपालेन आत्मश्रेयोर्थं पश्चाद्भागे श्रीकपर्दियक्षप्रासादस्समलंकृतः श्रीश@जयाव[ तार ]श्रीआदिनाथप्रासादग्रतो वामपक्षे स्वीयसद्धर्मचारिणी-महंश्रीललितादेविवि श्रेयौर्थं विंशतिजिनालंकृतः श्रीसम्मेतशिखरप्रासादस्तथा दक्षिणपक्षे द्वि. भार्यामहंश्रीसोखुश्रेयोर्थं . चतुर्विंशतिजिनोपशोभितः श्री अष्टापदप्रासादः० अपूर्वघाटरचनारुचितरमभिनवप्रासाद चतुष्टयं निजद्रव्येण कारयांचके 3८. वस्तुपालि वर मंति भुयणु कारिउ रिसहेसरु । अठ्ठावय-सम्मेयसिहरवरमंडपु मणहरु ॥१५॥ कउडिजकखु मरुदेवि दुह वि तुंगु पासाइउ । धम्मिय सिंह धुणंति देव वलिवि पलोइउ ॥१६।। -रेवंतगिरिरास, द्वितीयं कडवं (मुनिप्रवर श्री पुष्यविश्य सूरि, 'सुकृतकीर्तिकल्लोलिन्यादि' पृ. १०१.) 3८. वत्थुपाल मंतिणा सित्तुज्जावयार भवणं अठ्ठावय-समंउ मंडवो कवडिहजकख-मरुदेवीपासाया य काराविआ.... "रैवतगिरिकल्प", विविधतीर्थकल्प.. આગ્રંથ મુનિશ્રી જિનવિજયજીએ સિંઘી જૈનગ્રંથમાં ગ્રંથાંક ૧૦ તરીકે પ્રસિદ્ધ કર્યો છેઃ શાંતિનિકેતન વિસ. १८८१. ४०. वस्तुपालविहारस्या पृष्टोनुत्तर सन्निभं कपर्दीयक्षायतनमकारय य यंकृति ६-७० ३. (વસ્તુપાલચરિતના સંપાદક, પ્રસિદ્ધિસ્થાન અને પ્રસિદ્ધ કર્યાનું વર્ષ દુર્ભાગ્યે મારી નોંધમાં પ્રાપ્ત નથી.) પંદરમી શતાબ્દીના છેલ્લા ચરણમાં રચાયેલ રત્નસિંહસૂરિ શિષ્યની “શ્રી ગિરનારતીર્થમાળા'માં પણ આ જ &ीत छे. वस्तुपालि मंतीसरि सेतुजउजिलि आणिउ भवदहि सेतुज निरुवम रिसह जिणिदो; डांवर श्री समेतसिहगिरि जिमणइ अष्टापद नवलीपरि. वीस य वीस जिणिंदो. १२ यक्षराज कवडिल तिहिं पूष्ठिई माता मरुदेवा गजपूठिइ, चंद्रप्रभ प्रणमेसो. (જુઓ શ્રી વિજયધર્મસૂરિ, પ્રાચીનતીર્થમાળા-સંગ્રહ, ભાગ ૧લો, ભાવનગર સં. ૧૯૭૮, પૃ૦ ૩૫) વિશેષ લેખ પૂર્ણ થયા બાદ ત્રિપુટી મહારાજનો જૈન પરંપરાનો ઇતિહાસ, ભાગ રજો (શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાળા ગ્રંક ૫૪, અમદાવાદ ૧૯૬૦), સંદર્ભ માટે ઉપલબ્ધ થયો. તેમાં મુનિ ત્રિપુટીએ વરદુડિયાવંશ પર કંઈક વિસ્તારથી વિવરણ કરેલું જોવા મળ્યું (એજન પૃ. ૩૯૦-૩૯૨). તેમાંની કેટલીક બાબતો અહીં ઉદ્ધરેલ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખ પર દૃષ્ટિપાત ૬૧ ગ્રંથપ્રશસ્તિ(ક્રમાંક ૨૯)માં મૂળે કહેલી છે, પણ તે આબુ—ગિરનારના લેખોના કાળ પછી બનેલી જણાતી હોઈ તેમ જ લેખની મૂળ ચર્ચાને વિશેષ લાભદાયી ન હોઈ અહીં તેનો સારભાગ આપવો જરૂરી નથી માન્યો. * વતીઝ (તેમ જ માવ્ય) કોઈ શબ્દ યા શબ્દસમૂહનાં અપૂર્ણ વા અશુદ્ધ રૂપ છે. એમાંથી સીધી રીતે કોઈ અર્થ તારવવો મુશ્કેલ છે. શ્રી અત્રિએ નથી એમ વાંચ્યું છે; અને નાથી શબ્દ પર એમના આગળ ઉપરના ગુજરાતી લેખનભાગમાં ટીકારૂપે થોડું કહ્યું છેઃ (જુઓ “ગિરનારના,” પૃ૨૦૮) શિલાલેખની આગળની ભી પંક્તિમાં આવતો શબ્દ વૈ સાથે ૧૦મીનો પહેલો અક્ષર 1 ને જોડી નથી જુદું પાડવું સયુક્તિક લાગે છે. જૈન નથી એટલે કે શુદ્ધ સંસ્કૃત અનુસાર ત્યાં ચૈત્ય ન ત્યાં હોવું અભિપ્રેત છે. શ્રી અત્રિએ આ સ્થળે ધો(% ?) એમ વાંચ્યું છે. પણ ટુ એ . હોવું ઘટે. આગળ સા જોડી []દુ. થળેશ્વર વાંચીએ તો શબ્દનો બંધ બેસી જાય છે. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે તીર્થરાજ ઉજ્જયંતગિરિ પર જુદા જુદા સ્રોતોમાં પ્રકાશિત કેટલાક મહત્ત્વપૂર્ણ અભિલેખોનું થવું ઘટે તેટલું મૂલ્યાંકન થયું નથી. તેનાં કારણોમાં મૂળ લેખોની દોષપૂર્ણ વાચનાઓ, સંપાદકો અને સંકલનકારોમાંથી કેટલાકના જૈન સાહિત્ય અને ઐતિહાસિક પરંપરાઓના જ્ઞાનનો અભાવ, અને ગવેષણા ચલાવવાને બદલે કેવળ એમને જરૂરી લાગ્યું તેટલા પ્રમાણમાં અને ઉપલક દૃષ્ટિએ સમજાયું તે પ્રમાણે, અનુવાદ વા ભાવાર્થ આપી સંતોષ પકડવાની વૃત્તિ હોય તેમ લાગે છે. અહીં આથી નવેક જેટલા વિશેષ મહત્ત્વ ધરાવતા અભિલેખોની, શક્ય હતું ત્યાં પુનર્વાચના કરી, વિશેષ અન્વેષણા સહિત વિચારણા કરીશું. સ્થાપના-મિતિ ધરાવતા આ લેખને શ્રી છો. મ. અત્રિ પ્રકાશમાં લાવ્યા છે. અત્યંત ટૂંકા એવા આ ત્રણ પંક્તિમાં કોરાયેલા લેખનું વર્ષ સં. ૧૧૯૪ / ઈ. સ. ૧૧૩૮નું છે; અને ગિરનારગિરિ પર અદ્યાવધિ પ્રાપ્ત લેખોમાં કદાચ સૌથી પ્રાચીન છે. કાળની દષ્ટિએ તે ચૌલુક્યાધિપ જયસિંહદેવ સિદ્ધરાજના સૌરાષ્ટ્ર પર સ્થપાઈ ચૂકેલ શાસન અંતર્ગત આવે છે. લેખ આ પ્રમાણે છે : सं ११९४ वर्षे ठ. थेहासुत ठ. जसयोगस्य । ઠક્કર જસયોગ (યશયોગ) કોણ હતા, શું હતા, અને કયા કારણસર આ લેખ કોતરવો પડ્યો છે તે જણાવ્યું નથી. લેખ સોલંકીયુગમાં મળે છે તેવા, પ્રાચીન પાળિયા પદ્ધતિના પ્રસ્તરફલક પર કોરેલ છે. લેખના ઉપરના ભાગમાં, તકતીમાં, અશ્વારૂઢ પુરુષની આકૃતિ પૂર્ણભાસ્કર્તમાં ઉઠાવેલી (ચિત્ર “1'), નીચે બાજુમાં છત્રધર એમના મસ્તકને છત્રછાયા કરી રહેલો દર્શાવ્યો છે. લેખમાં જો કે કહ્યું નથી, તો પણ આ ખાંભી સં૧૧૯૪માં ઠકુર જયોગના સંભવતયા ગિરિનારગિરિ પર થયેલ આકસ્મિક યા અન્ય કારણસર મરણ (કે સલ્લેખનાથી પ્રાપ્ત કરેલ મરણ?) ઉપલક્ષે જિન નેમીશ્વરના મંદિરના પરિસરમાં કે તેની આસપાસમાં કયાંક ખોડી હશે તેવું અનુમાન થઈ શકે. ‘ઠક્કર' સંજ્ઞા ધરાવતા જસયોગ એ યુગના કોઈ જૈન રાજપુરુષ હશે : પણ તેમના વિશે ઉપલબ્ધ સ્રોતોમાંથી પ્રકાશ લભ્ય બનતો નથી. (૨) આ લેખની વાચના બર્જેસ-કઝિન્સ દ્વારા અપાયેલી છે. પ્રસ્તુત લેખ નેમિનાથ જિનાલયની જગતના ઉત્તર પ્રતોલી-દ્વારની આંતરભિત્તિના એક પાષાણ પર અંકિત હતો; For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉજજયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૬૩ પણ સાંપ્રત કાળે સમારકામ દરમિયાન ત્યાં રહેલા લેખો ધરાવતા પથ્થરો અસ્તવ્યસ્ત થયા છે, જેના પરિણામે આજે તો આ મહત્ત્વપૂર્ણ લેખ ગાયબ થયો છે. આથી મૂળ બર્જેસ-કઝિન્સે આપેલી વાચના પર આધાર રાખવો પડ્યો છે. લેખમાં કેટલેક સ્થળે કયાંક ક્યાંક ખાલાં છે તેમાં શક્ય હતું તેટલા સાધાર-સતર્ક (ચોરસ કસમાં) પૂરણી કરી, લેખના તાત્પર્યને સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે : ઉપલબ્ધ પાઠ આ પ્રમાણે છે : ....राजदेव प[ति] सिध( द्ध) चक्रपति શ્રી નધિદેવ [ જ્યા]વિન[રા].... પર વરાયતન પિતfમ (?)...વાતેના [येन] केन उपायेन जादवकुलतिलक...तीर्थंकर શ્રીનેમિનાથપ્રસાઃ ..૩. શ્રી ૨ ૩. વાત... સૂત્ર [૧] વિક્રમ મારુતિ... લેખનો સાલ બતાવતો ભાગ તે કાળે નષ્ટ થઈ ચૂક્યો હશે, યા વાંચી શકાયો નહીં હોય. લેખનો પૂરો અર્થ સમજવો તો અસંભવિત છે; પણ “સિધચક્રપતિ' (સિદ્ધચક્રવર્તી) શ્રી જયસિંહદેવનું શાસન તે વખતે ચાલતું હતું એ તો તદ્દન સ્પષ્ટ છે. બીજો મહત્ત્વનો ઉલ્લેખ કરાયતન' (કર્ણાયતન)નો છે. નાગેન્દ્રગચ્છીય આચાર્ય વિજયસેનસૂરિના રેવંતગિરિરાસુ (આ. ઈ. સ. ૧૨૩૨) અનુસાર ખેંગારને હણ્યા બાદ સિદ્ધરાજે અહીં સજ્જનને સોરઠનો દંડનાયક બનાવેલો, જેણે નેમિનાથના પુરાણા મંદિરનું નવનિર્માણ સં૧૧૮૫ | ઈ. સ. ૧૧૨૯માં કરાવેલું. પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવક ચરિત (સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮) અનુસાર નવનિર્માણ પૂર્વે નવ વર્ષથી (એટલે કે ઈ. સ. ૧૧૨૦થી) સોરઠ દેશ સજજનના અધિકારમાં હતો. સિદ્ધરાજના સોરઠ વિજયની મિતિ ઇતિહાસજ્ઞોએ ઈસ. ૧૧૧૫ની માની છે. ચૌદમા-૧૫મા શતકના પ્રબંધોમાં પ્રસ્તુત જિનાલયનું અભિધાન સિદ્ધરાજ પિતૃ કર્ણદેવ પરથી કર્ણવિહાર' રાખેલું એવું જે કથન મળે છે તેનું આ સમકાલિક અભિલેખ પૂર્ણતયા સમર્થન કરી રહે છે. નેમિનાથના મંદિરની દેવકુલિકાઓની હારમાળામાં પરોવેલ ઉત્તર તરફની પ્રતોલીની અંદરની ભીંતમાં આ લેખ આજ પણ મોજૂદ છે; એને (સ્વ) ભગવાનલાલ ઇન્દ્રજીએ (વાચના દીધા સિવાય) ઈ. સ. ૧૧૨૦ (સં. ૧૧૬૬)નો, સજ્જન મંત્રીનું નામ દેતો, લેખ માની લીધેલો અને વિશેષમાં તેને દક્ષિણ દ્વારમાં કંડારેલ હોવાનું બતાવેલું. પણ આ તમામ ધારણાઓ બ્રાંત છે. તે પછી બર્જેસ દ્વારા તેમ જ બર્જેસ કઝિન્સ દ્વારા એમ બે વાર તેની For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર વાચના છપાયેલ છે; બન્નેમાં પાઠાંતર પણ છે, અને પાઠવાચના પણ ક્યાંક કયાંક દોષપૂર્ણ છે. લેખમાં આવતા મુનિઓને તેઓ ઓળખી શક્યા નથી; પણ (સ્વ) પં. લાલચંદ્ર ગાંધી દ્વારા તેની યથાર્થ સ્પષ્ટતા થયેલી છે. છેલ્લા સમારકામમાં લેખના બેમાંથી એક પથ્થરને કાપવામાં આવ્યો છે અને લેખ ધરાવતા પથ્થરો પણ આડાઅવળા ગોઠવ્યા છે. આથી વાંચવામાં મુસીબત ઊભી થવા અતિરિક્ત લેખની છયે પંકિતના છેલ્લા ત્રણ-ચાર અક્ષરો ઊડી ગયા છે : આથી અમારી અને બર્જેસાદિની વાચના મેળવીને નીચે તેનો સંશુદ્ધ પાઠ આપીએ છીએ : श्रीमत्सूरिधनेश्वरः समभवन्नी शीलभ(ट्टा?द्रा )त्मजः शिष्यस्तत्पदपंकजे मधुकर क्रीडाकरो योऽभवत् । शिष्यः शोभितवेत्र नेमिसदने श्रीचंद्रसूरि...त... श्रीमद्रेवतके चकार शुभदे कार्य प्रतिष्ठादिकम् ॥१॥ श्री सनातमहामात्य पृष्टार्थविहितोत्तरः भे समुदभूतवशा સેવવાડ નનાન્વિત: I . ૧૨ (૭૨૦) ૬ in આમાં પહેલી વાત એ છે કે સજ્જન મંત્રીને તેમાં નામ જ નથી. ત્યાં “સાત મહામાત્ય” જ વંચાય છે. બીજી વાત એ છે કે ત્યાં લેખનું વર્ષ સં. ૧૧૭૬ નહીં પણ ૧૨૭૬ જેવું વંચાયેલું; પણ શ્રીચંદ્રસૂરિની સમય-મર્યાદા જોતાં ત્યાં ત્રીજો અંક કાં તો શૂન્ય(૧૨૦૬) કે બહુ બહુ તો એકનો અંક (૧૨૧૬) હોવો ઘટે''. “૭” અંક, કોરનાર સલાટે ભ્રમવશ વા પ્રમાદવશ કોર્યો લાગે છે. આમ લેખ ઈ. સ. ૧૧૫૦ અથવા ઈ. સ. ૧૧૬૦નો હોવો ઘટે. શ્રી ચંદ્રસૂરિની ઘણીક સાહિત્યિક રચનાઓ ઉપલબ્ધ છે. આચાર્યપદ પૂર્વે તેમનું નામ પાર્શ્વદેવગણિ' હતું અને તેમની કૃતિઓ સં. ૧૧૬૯ | ઈ. સ. ૧૧૧૩થી લઈ સં. ૧૨૨૮ ઈ. સ. ૧૧૭૨ સુધીના ગાળામાં મળે છે. પ્રસ્તુત કૃતિઓ પરથી સ્પષ્ટ છે કે તેમનો મુનિવંશ પ્રસિદ્ધ ચંદ્રકુલના આમ્નાયમાં હતો; અને ત્યાં તેમણે પોતાની જે ગુરુપરંપરા આપી છે તે ગિરનારના શિલાલેખ મુજબ મળી રહે છે. તદનુસાર એમની ગુર્વાવલી આ પ્રમાણે બને છે : ચંદ્રકુલ શીલભદ્રસૂરિ ધનેશ્વરસૂરિ શ્રીચંદ્રસૂરિ આબૂ-દેલવાડાના વિમલવસહીમાં દેવકુલિકા ક્રમાંક ૧૪ની ભીંતે જે લેખો કંડારેલા છે તેમાં સં. ૧૨૦૬ | ઈ. સ. ૧૧૫૦નો મંત્રી પૃથ્વીપાલના સમુદ્ધાર સંબદ્ધ જે અભિલેખ કોરેલ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ઉજજયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે છે ત્યાં સંઘ સહિત શીલભદ્રસૂરિની(શિષ્ય-પરંપરા)માં થયેલા શ્રી ચંદ્રસૂરિનો શ્રીશીત પદરીનાં શિષ્ય: શ્રીચંદ્રસૂરિપદ ! એવો પ્રારંભમાં ઉલ્લેખ છે. આ શ્રીચંદ્રસૂરિ તે ગિરનારના અભિલેખવાળા શીલભદ્રસૂરિ પ્રશિષ્ય શ્રીચંદ્રસૂરિથી અભિન્ન જણાય છે. આબૂની તીર્થયાત્રા મિતિ—ઈ. સ. ૧૧૫૦ને લક્ષમાં લઈએ તો એમના દ્વારા ગિરનાર પર થયેલ પ્રતિષ્ઠાદિક કાર્યો અને એમના ગિરનારના લેખની મિતિ ઈ. સ. ૧૧૫૦ કે મોડી હોય તો ૧૧૬૦ હોવાની સંભાવના બલવત્તર બને છે. લેખ કુમારપાળના સમયનો છે તેટલું ચોક્કસ. “સંગાત મહામાત્ય” કોણ હતા તેમના વિશે ઉપલબ્ધ સ્રોતોમાંથી કંઈ જ માહિતી મળી શકતી નથી. નેમિનાથ મંદિરથી પાછળ કથિત ઉત્તર તરફના પ્રતોલી દ્વારમાં એક અન્ય પ્રાચીન લેખ પણ કંડારેલ છે, જેની અપભ્રષ્ટ ભાષાને કારણે તેમ જ તેમાં નિર્દેશિત સ્થળ તેમ જ વાસ્તુ પરિભાષા ન સમજી શકવાને લીધે તેનું અર્થઘટન ઠીક રીતે કરવામાં આવ્યું નથી. એ લેખની તપાસ કરતાં એની પણ ત્યાંના બીજા લેખોની માફક જ દુર્દશા થયેલી જોવા મળી. આથી બર્જેસે કરેલી વાચના સાથે વર્તમાને ખૂબ જ ખંડિત થયેલ લેખની અમારી વાચના મેળવી નિમ્નાનુસાર પાઠ રજૂ કરીએ છીએ : संवत १२१५ वर्षे चैत्र शुदि ८ रवावद्येह श्रीमदुज्जयन्ततीर्थे जगती समस्त देवकुलिकासत्क छाजाकुवालिसंविरण संघवि ठ. सालवाहण प्रतिपत्या सू. जसहड (ठ. पु.?) सावदेवेन परिपूर्णाकृता ॥ तथा ठ. भरतसुत ठ. पंडि[त] सालवाहणेन नागजरिसिया (?नागमोरिझरिया) परितः कारित [भ]ाग चत्वारि बिंबीकृत कुंड कर्मी तरतदधिष्ठात्री श्री अंबिकादेवी प्रतिमा देवकुलिका च निष्पादिता ।। ભાષા વિભ્રષ્ટ હોવા છતાં અર્થ તો સમજાય છે જ : “સંવત્ ૧૨૧૫ (ઈ. સ. ૧૧૫૯)ના ચૈત્ર શુદિ આઠમને રવિવાર(ના દિને) (અઘેહ) ઉજ્જયંતતીર્થ (નેમિનાથના મંદિર)ની જગતી (પર) બધી જ દેવકુલિકાઓ(નું બાંધકામ) (છાજા, છાદ્ય, છજ્જા), (કુવાલી, કપોતાલિ કેવાળ) અને સંવરણા (‘સવિરણ', સામરણ) સમેત સંઘવિ (સંઘપતિ) ઠક્કર સાલવાહણ (શાલિવાહન)ની નિગાહમાં સૂત્રધાર (જસડ યશ ભટ)ના (પુત્ર) (સાવદેવે શર્વદેવે) પૂરું કર્યું. (તથા) ઠક્કર (ભરત)ના પુત્ર (ઉપર્યુક્ત) ઠક્કર પંડિત (સાલવાહણે શાલિવાહને) નાગમોરઝરાને ફરતી ચાર મૂર્તિઓ સહિત કરેલ કુંડના છેડે તેની અધિષ્ઠાત્રી અંબિકાદેવીની પ્રતિમા દેવકુલિકા સહિત નિપજાવી (નિષ્પાદિતા, કરાવી).” મૂળ સંપાદક બર્જેસ-કઝિન્સ તો વાસ્તુના પારિભાષિક શબ્દો અનુવાદમાં છોડી જ દીધા છે, અને અનુવાદ પણ બહુધા ભ્રાંતિમૂલક છે'". (સ્વ) મુનિ જિનવિજયજીએ તેમાં જરાતરા સુધારો કર્યો છે; For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર પણ તેઓ પણ “કુવાલિ” અને “સંવિરણ ઇત્યાદિનો અર્થ સમજી શક્યા નથી. જ્યારે અન્ય સંકલનકાર (સ્વ) ગિરજાશંકર આચાર્ય બર્જેસાદિની જૂની ભ્રાંતિઓને યથાતથ જાળવી રાખી છે. લેખમાં આવતા “નાગઝરા'નો ઉલ્લેખ ગિરનાર અનુલક્ષે ઈસ્વીસના ૧૫મા શતકમાં યાત્રી મુનિઓ દ્વારા લખાયેલ અનેક ચૈત્ય પરિપાટીમાં આવે છે, અને ત્યાં તેનું સ્થાન ગજેન્દ્રપદ-કુંડ' (હાથી પગલાના કુંડ) સમીપ હતું. પ્રસ્તુત લેખનો પથ્થર નેમિનાથના મંદિરની પૂરણીમાંથી નીકળેલો. આ નિષેદિકા પરના લેખની વાચના શ્રી છો અત્રિએ સાર્થ-સટિપ્પણ પ્રગટ કરી છે. પણ શ્રી અત્રિના, અને અમે કરેલ વાચના તેમ જ અર્થઘટનમાં સારું એવું અંતર છે. સાત પંક્તિમાં કોરેલો લેખ નીચે (ચિત્ર “ર”) મુજબ છે : सं [0] १२४४ वैशाख सुदि ३ वादींद्र श्रीआनंदसूरिशिष्य श्रीप्रभानंदसूरयः सपादलक्षात् सहोदरसंघः सेनापति श्रीदूदेन सह यात्रायामागच्छतः सुरधारायां सुरसदन ययुः । त(म? भृ?) + I : : ° “સેનાપતિ દૂધ સાથે સપાદલક્ષ(ચાહમાનોના શાકંભરી દેશ)ના સંઘ સહિત (ઉજ્જયંતગિરિની) યાત્રાર્થે આવેલ, વાદીન્દ્ર આનંદસૂરિના શિષ્ય પ્રભાનંદસૂરિ સુરધારા પર સં. ૧૨૪૪ (ઈ. સ. ૧૧૮૮) વૈશાખ સુદ ત્રીજના દિને કાળધર્મ પામ્યા (સુરતનું ય:), તેમનું (આ મૃત્યુ-સ્મારક છે ?)” લેખમાં કહેલ પ્રભાનન્દસૂરિ કોણ હતા તે વિશે પ્રાપ્ત સ્રોતોમાંથી કોઈ સૂચન મળતું નથી. લેખમાં તેમના ગચ્છ વિશે કહેવામાં આવ્યું નથી; પણ ગુરુ આનંદસૂરિ માટે “વાદીન્દ્ર” વિશેષણ લગાવ્યું છે તે જોતાં તો તેઓ નાગેન્દ્ર ગચ્છમાં થયેલા પ્રસિદ્ધ “વાદી આનંદસૂરિ હોવા ઘટે. આનંદસૂરિને (અને તેમના સતીર્થ અમરચંદ્રસૂરિને) તેમની નાની ઉંમરમાં, પણ જબરી નૈયાયિક વિદ્વત્તા અને વાદશક્તિને કારણે “વ્યાઘશિશુક”, (અમરસૂરિને સિંહશિશુક”)નું બિરુદ જયસિંહદેવ સિદ્ધરાજે આપેલું. પ્રભાનંદસૂરિના ગુરુ વાદીન્દ્ર આનંદસૂરિનો સંભાવ્ય સમય, અને નાગેન્દ્રગચ્છીય વાદી આનંદસૂરિની સમયસ્થિતિ જોતાં એ બંને આચાર્યો અભિન્ન જણાય છે. પ્રભાનંદસૂરિની મરણ-તિથિ (ઈ. સ. ૧૧૮૮) ચૌલુક્ય ભીમદેવ દ્વિતીયના શાસનકાળ અંતર્ગત આવે છે. જે “સુરધારા” સ્થાન પર પ્રભાનંદસૂરિ (કદાચ વૃદ્ધાવસ્થા, ગિરનારનો આકરો ચઢાવ, અને એથી થાકને કારણે, કે પછી સંથારો કરીને) દેવલોક પામેલા તે સંભવતઃ હાલનું ગૌમુખી ગંગાવાળું સ્થાન, કે પછી કદાચ હાથી પગલાં પાસે કુંડમાં પડતી જલધારાનું સ્થળ હશે. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉજજયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે હાલ સંગ્રામ સોનીના કહેવાતા મંદિરના મંડપમાં મુકાયેલ (પણ મૂળે નેમિનાથની ભમતીમાં હશે તે) નંદીશ્વરદ્વીપના પટ્ટ (ચિત્ર ‘૩') પરના લેખની વાચના તો ઠીક છે પણ એનો અર્થ કોઈ જ સમજયું હોય એમ લાગતું નથી ! મૂળ લેખ દત્તાત્રેય બાલકૃષ્ણ ડિસ્કnકરે સંપાદિત કરેલો", ને તે પછી (સ્વ) આચાર્યના સંકલનમાં તે સ્થાન પામ્યો. શ્રી અત્રિએ પણ તેનો ઉલ્લેખ કર્યો છે. લેખ પટ્ટના ઉપરના ભાગમાં બે ખૂણામાં કોતરાયેલ છે. ડાબી બાજુનો ખૂણો ખંડિત થતાં ચારેક પંક્તિઓના પ્રારંભના અક્ષરો નષ્ટ થયા છે. છતાં એકંદરે લેખની મુખ્ય વાતો સમજવામાં કઠણાઈ નડતી નથી. કારણ વિનાની કઠણાઈ તો લેખનો અર્થ ખોટી રીતે ઘટાવવાને કારણે ઊભી થઈ છે; એટલું જ નહીં, લેખ પર વિશ્વાસ ન રાખી શકાય તેવો પણ અભિપ્રાય વ્યક્ત થયો છે, જેનું નિરસન અહીં આગળની ચર્ચામાં થશે. લેખ આ પ્રમાણે છે : [સ્વતિ: સંવત] []૧ર૬ વર્ષે વેણ સુર ૨૨ શુકે | વિપૂ[i] [શ્રીમા ]વ: શ્રીમાતાન્વય વર્ષ ! મુદ્રાં[૨]+++ગતે ચંદ્રમા રૂર્વ III कुमारपालदेवस्य चौलुक्यान्वयभास्वतः । प्रताप इव धौरे(ये ?य) सच्चक्रावहनोद्यमः ॥२॥ स दंडनायकोत्तंसस्तत्पुत्रोऽभयदा (ह्वः) । fનનpળીતસદ્ધર્મ (+૫૬(2)૨)નશવિર: રૂા. जनाशाभूतराजीनां वसंतस्तत्सुतोऽजनि । ख्यातो वसंतपाला[ख्यो] राजलक्ष्मी विभूषितः ॥४॥ नंदीश्वर वरद्वीप जैन बिंबान्यलंकरत् । जनकश्रेयसे सोयं जगद्देव प्रबोधतः ॥५॥ श्रीचंद्रसूरिसच्छिष्य श्रीजिनेश्वरसद्गुरोः । देवेंद्रसूरिभिः शिष्यैः द्वीप एषदे प्रतिष्ठितः ॥६॥ द्वीपोयं नंदतां तावदुज्जयंताहवे गिरौ । जगत्यामुदितौ यावत्सूर्यचंद्रमसाविमौ ॥७।। લેખોરંભે પટ્ટસ્થાપનાની મિતિ (સં.) ૧૨૫૬ ( ઈ. સ. ૧૨00) જેઠ સુદી ૧૩ને શુક્રવારની આપી છે. પછી ૭ શ્લોકમાં કારાપકની વંશાવલી તથા પ્રતિષ્ઠાપક આચાર્યની For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ગુર્નાવલી આપી છે : યથા : “શ્રીમલિ અન્વયમાં (શ્રીમાળી જ્ઞાતિમાં) (સરોવરને વિશે ?) પ્રકાશમાને ચંદ્રમા સમો, અને ચૌલુક્ય વંશના આદિત્ય સમાન “કુમારપાળદેવ'ના (શાસક)ચક્રને ધારણ કરી વહન કરવામાં તત્પર એવો ‘(આમ્ર)દેવ' નામનો દંડનાયક થયો. તેને જિન પ્રણીત સદ્ધર્મ રૂપી ચંદ્ર સમાન “અભયદ નામક પુત્ર થયો. તેને રાજલક્ષ્મીથી વિભૂષિત (જનાશાભૂતરાજીનાં ?) વસંત સમો ‘વસંતપાલ” નામનો પુત્ર થયો. તેણે જગદેવ'ના અનુરોધથી પિતા(અભયદ)ના શ્રેય માટે (બાવન) જિનબિંબ યુક્ત મોટો નંદીશ્વર દ્વીપ(નો પટ્ટ)' કરાવ્યો. “શ્રીચંદ્રસૂરિના શિષ્ય “જિનેશ્વર(સૂરિ)' જેના સદ્ગુરુ છે તે દેવેન્દ્રસૂરિએ આ આનંદકારી વા માંગલિક (નંદીશ્વર)દીપ(પટ્ટ)ની પ્રતિષ્ઠા “ઉજ્જયંત નામના પર્વત પર કરી, જે સૂર્ય-ચંદ્ર પ્રકાશે ત્યાં સુધી જગતને ઉદિત કરતો રહે.” પટ્ટનો કારાપક કુમારપાલના કોઈ દેવાંત નામક શ્રીમાલકુલના દંડનાયકનો પૌત્ર વસંતપાલ છે. કુમારપાલના જૈન દંડનાયકોમાં દેવાંત નામધારી બે શ્રીમાળી દંડનાયકો હતા : એક તો ઉદયન મંત્રીનો પુત્ર આદ્મભટ કિંવા આમ્રદેવ, જેણે ભૃગુકચ્છમાં સુવિદ્યુત મુનિસુવ્રત જિનના મંદિરનો પુનરુદ્ધાર કરી નવું બંધાવ્યું; બીજો તે મહત્તમ રાણિગ સુત આંબાક, જેણે કુમારપાળની આજ્ઞાથી ગિરનાર પર ચડવાની પાજા કરાવી. આ આંબાક ઉર્ફે આમ્રદેવનો, અને તેના દ્વારા કરાવેલ “પઘા”નો, ઉલ્લેખ સિદ્ધરાજ તેમ જ કુમારપાળની સભાના મહાકવિ શ્રીપાલના પુત્ર કવિવર સિદ્ધપાલે રચેલી કોઈ પ્રશસ્તિમાંથી સોમપ્રભાચાર્યના જિન ધર્મપ્રતિબોધ (સં. ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫)માં તેમના ગિરનાર પાજા-સંબંધીના વિવરણમાં ટાંક્યા છે. સોમપ્રભાચાર્યના કથન અનુસાર કુમારપાળે રાણિગપુત્ર(આમ્ર)ને “સુરાષ્ટ્રાધિપતિ' (સોરઠનો દંડનાયક) બનાવી પ્રસ્તુત કાર્યાર્થે મોકલ્યો. વિજયસેનસૂરિના રેવંતગિરિરાસમાં પણ કુમારપાળે આંબાકને સોરઠનો દંડનાયક બનાવીને મોકલેલો એને તેણે ત્યાં પાજા કરાવી એવું કથન છે. પછીના લેખક તપાગચ્છીય જિનમંડનના કુમારપાલચરિત્ર(સં. ૧૪૯૨ | ઈ. સ. ૧૪૩૬)માં પણ એ જ પ્રમાણે નોંધાયેલ છે, અને સ્વયં આંબાકના પણ સં. ૧૨૨૨ અને સં. ૧૨૨૩(ઈ. સ. ૧૧૬૬-૬૭)ના તત્સંબદ્ધ લઘુ અભિલેખો ગિરનાર પર જ છે. અમને તો લાગે છે કે ગિરનાર તીર્થમાં નંદીશ્વરદ્વીપ-પટ્ટ કરાવનાર વસંતપાલનો પિતામહ “દંડનાયક–દેવ” અન્ય કોઈ નહીં પણ રાણિગ સુત મહંતો આંબાક અપરનામ દંડનાયક આમ્રદેવ જ હોવો ઘટે. ગિરનાર સાથે સંબંધ એને હતો, લાટના દંડનાયક અને ઉદયન મંત્રીના પુત્ર આપ્રદેવને નહીં. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉજજયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે પટ્ટ-કારાપક વસંતપાલનું વંશવૃક્ષ આ પ્રમાણે નીપજી શકે છે : શ્રીમાલવંશ (મહત્તમ રાણિગ) દંડનાયક (આમ્ર)દેવ (મહંતો આંબાક) અભયદ વસંતપાલ પ્રતિષ્ઠાપક આચાર્ય દેવેન્દ્રસૂરિને (જો તેમણે પોતે આ લેખનો છંદોબદ્ધ મુસદ્દો તૈયાર કર્યો હોય તો) સારી સંસ્કૃત કાવ્ય-રચના કરતાં આવડતી હતી તેવી પ્રતીતિ થતી નથી ! લેખમાં એમણે પોતાના ગચ્છ વિશે કશું કહ્યું નથી; પણ ગુર્નાવલી નીચે મુજબ આપી છે, જેના પરથી એમના ગચ્છની ઓળખ કરવા પ્રયત્ન કરીશું. શ્રીચંદ્રસૂરિ જિનેશ્વરસૂરિ દેવેન્દ્રસૂરિ (સં. ૧૨૫૬ | ઈસ. ૧૨00) “શ્રીચંદ્ર” નામ ધરાવતા અનેક સૂરિવરો થઈ ગયા છે; અને “જિનેશ્વર” નામધારી પણ ત્રણ-ચાર આચાર્ય જાણમાં છે; જ્યારે દેવેન્દ્ર અભિયાનક રાજગચ્છીય તેમ જ તપાગચ્છીય ઇત્યાદિ મુનિઓ પણ એટલા જ સુવિદ્યુત છે, પણ “શ્રીચંદ્ર' સાથે જેના શિષ્યનું નામ “જિનેશ્વર” હોય તેવી એક જ ક્રમાવલી જાણમાં છે; તે રાજગચ્છીય પ્રભાચંદ્રસૂરિના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮)ની પ્રાંતપ્રશસ્તિમાં મળે છે. પ્રશસ્તિની ગુર્નાવલી તો લાંબી છે; તેમાં પ્રભાચંદ્રાચાર્યના ત્રીજા પૂર્વજ જિનેશ્વર અને ચોથા શ્રીચંદ્રસૂરિ કહ્યા છે. (ત્યાં જિનેશ્વર પછી કેટલાક સમય માટે તેમના ગુરુબંધુઓ પધદેવ અને જિનદત્ત પણ આચાર્ય પદે રહ્યા હશે તેવો ભાસ થાય છે.) એક અન્ય સહાયકર્તા મુદ્દો એ છે કે શ્રીચંદ્રસૂરિના ગુરુબંધુ વાદીન્દ્ર ધર્મસૂરિનો સમય લગભગ ઈ. સ. ૧૧૨૦-૧૧૮૦ના અરસાનો છે. આમ નંદીશ્વરપટ્ટના પ્રતિષ્ઠાયક દેવેન્દ્રસૂરિની સમયસ્થિતિ જોતાં તેમનું સ્થાન પ્રસ્તુત રાજગચ્છમાં હોવું ઘટે અને For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ 90 સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર તે નીચે મુજબ હોઈ શકે ? રાજગચ્છ શ્રી ચંદ્રસૂરિ પધદેવ જિનદત્ત જિનેશ્વરસૂરિ પૂર્ણભદ્રસૂરિ દેવેન્દ્રસૂરિ (સં. ૧૨૫૬ | ઈસ. ૧૨૦૦, નંદીશ્વરદ્વીપપટ્ટ) ચંદ્રપ્રભસૂરિ પ્રભાચંદ્રાચાર્ય (સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮). નંદીશ્વરપટ્ટના કારાપકના મંત્રી વંશ તેમ જ પ્રતિષ્ઠાપક આચાર્યના ગચ્છ સંબંધી નિર્ણય થઈ જતાં લેખ સંબંધ મુખ્ય ગવેષણા તો પૂરી થાય છે : પણ પૂર્વના લેખકોના આ અભિલેખ પરનાં મંતવ્યો વિશે અહીં જોઈ જવું જરૂરી છે. (સ્વ) ગિરજાશંકર આચાર્યનું કથન (કંઈક અંશે ડિસકળકરના અંગ્રેજીનો તરજૂમો યથાર્થ રૂપેણ ન કરવાને કારણે) અનેક દૃષ્ટિએ કઢંગું બન્યું છે : જેમકે પ્રસિદ્ધ ગિરનારની ટેકરી ઉપર સંગ્રામ સોનીના મંદિરથી વાયવ્યમાં નંદીશ્વરની મૂર્તિના ગોખલાની બન્ને બાજુએ આ લેખ કોતરેલ છે.”૨૪ ગિરનારને “ટેકરી” ભાગ્યે જ કહી શકાય; અને ત્યાં “નદીશ્વરની મૂર્તિ” (શિવના નંદીનું પુરુષાકાર સ્વરૂપ) નહીં પણ “નંદીશ્વરદ્વીપ”નો પટ્ટ અભિપ્રેત છે ! અને લેખ ગોખલાની બન્ને બાજુએ નહીં પણ પટ્ટના ઉપરના બન્ને ખૂણે કંડારેલો છે. અને પટ્ટ ગૂઢમંડપમાં છે ! ડિસકળકરે કે આચાર્યે લેખની અંદરની વસ્તુનું યંત્રવત આલેખન કરવા સિવાય કોઈ જ વિચારણા ચલાવી નથી. બીજી બાજુ શ્રી અત્રિનું કહેવું છે કે “It refers to Kumarapala in 1200 A. D. when Bhimadeva II was ruling over Gujarat. Shri G. V. Acharya has correctly drawn the attention of readers to this inconsistency. This inscription too cannot be relied upon.”૨૭ આમાં ધ્યાનમાં રાખવા જેવું પહેલું તથ્ય એ છે કે લેખની મિતિ ૧૨૦૦ છે તેની ના નહીં, પણ લેખમાં કુમારપાલનું નામ આપ્યું છે તે પટ્ટકારાપક વસંતપાલના પિતામહ દંડનાયક (આમ્ર)દેવના સંદર્ભમાં છે, લેખના સમયના સંદર્ભમાં, કે કારાપક વસંતપાલના સંદર્ભમાં નહીં. બીજી વાત એ છે કે અત્રિ કહે છે તેવી તો કોઈ “અપ્રસ્તુતતા'' તરફ આચાર્ય નિર્દેશ નથી કર્યો. એમણે તો એટલું જ કહ્યું છે કે “લેખ વિ. સં. ૧૨૫૬નો એટલે ભીમ રાજાના સમયનો છે પણ તેનું નામ લેખમાં આપ્યું નથી.”૨૮ એવા તો ભારતમાં For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે અને ગુજરાતમાં અનેક લેખો–સેંકડો–છે જેમાં પ્રવર્તમાન શાસનકર્તાનું નામ દીધું ન હોય. તે મુદ્દાનું ચકાસણીમાં કોઈ જ મહત્ત્વ નથી. ગુજરાતના એક, મંત્રીવંશ સંબંધ આ લેખ નવું અજવાળું પાથરતો હોઈ મૂલ્યવાન છે. (७) શ્રી અત્રિએ ગિરનારથી પ્રાપ્ત થયેલા નવીન લેખોમાં એક વાઘેલા સમયનો— સં. ૧૨૯૯ (ઈ. સ. ૧૨૪૩)નો તેજપાળ મંત્રીના કાળનો એક અભિલેખ પ્રકટ કરેલો ૩૦. મૂળ અભિલેખ જોવાનો અવકાશ પ્રાપ્ત ન થયો હોવા છતાં પ્રસ્તુત લેખની વાચના કેટલાક સુધારા સાથે, અને તેની વિગતોના ખરા અર્થ સાથે સંપ્રતિ લેખના પ્રથમ લેખકે એક વિસ્તૃત ચર્ચાત્મક લેખ લખ્યો હતો. ત્યાર બાદ સન્ ૧૯૭૭માં શ્રી લક્ષ્મણ ભોજક અને સાંપ્રત લેખની પ્રત્યક્ષ વાચના કરી, તેમાં શ્રી અત્રિની વાચનાઓમાં અગાઉ જે જે સુધારાઓ સૂચવેલા તે સૌ સાચા ઠરવા ઉપરાંત કેટલાંક ખાલાંઓ અને અન્ય ખામીઓ પણ દૂર કરી શકાઈ. લેખની સાચી અને શક્ય હતી તેટલી વાચના હવે અહીં રજૂ કરીએ છીએ : [पं० १] संवत्र १२९९ फागु सुदि ३ श्री उजयंतमहातीर्थे [पं० २] महामात्य श्रीवस्तुपालविहारे महं श्रीतेजपाल आदे[पं० ३] शेन साः षेढा लाहडेन श्रीनेमिनाथबिंबं षतकं च कारितं [पं. ४] प्रतिष्ठितं श्रीविजयसेणसूरिभिः ॥ श्रीशāजयमहा[पं. ५] [तीर्थे] श्रीआदिनाथबिंबं देवकुलिका डंडकलसादि सहिता [पं. ६]...बती-महं श्रीवस्तुपालकारित श्रीसाचउरदेवकुले महामा[पं. ७]...श्रीमहावीरबिं षातकं च श्रीअर्बुदाचलेमहामा [पं. ८]त्य श्रीतेजपालकारित श्रीनेमिनाथचैत्यजगत्यां देवकुलि[पं. ९]का० २ बिंबं ६ सपरिगरा श्रीजावालिपुरे श्रीपारस्वनाथदेव चै[पं० १०] त्यजगत्यां देवकुलिका श्रीरिषभनाथबिंबं वीजापुरे श्री ने[पं० ११] [मिनाथ ]बिंबं देवकुलिका डंडकलसादिसहिता [पं० १२] श्रीपल्हादनपुर [वास्तव्य वर] हुडिया साहु. ने [पं० १३] [मड].........साहु. षेढा सा. [पं० १४].........डघणेस्वर लघु [पं० १५]........भवत् For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર અભિલેખ વસ્તુપાળ-તેજપાળના સમકાલિક વરહડિયા કુટુંબે ગિરનાર પર (અને અન્યત્ર કરેલ) સુકૃતોની (અમુકાંશે અપભ્રષ્ટ સંસ્કૃતમાં) નોંધ લે છે. સંપ્રતિ લેખના પ્રથમ લેખકના મૂળ લેખમાં તેની પૂરેપૂરી અને સાધાર ચર્ચા થઈ ચૂકી હોઈ, તેને પૂર્ણતયા બહાલ રાખવાની નોંધ સિવાય અહીં વિશેષ કહેવું અનાવશ્યક છે. (<) ઉદયન મંત્રીના દ્વિતીય પુત્ર ચાહડના પુત્ર પદ્મસિંહના (ચાર પૈકીના) બે પુત્રો, મહત્તમ સામંતસિંહ તથા મહામાત્ય સલક્ષણસિંહે, ઉજ્જયંતગિરિ ૫૨ સં. ૧૩૦૫(ઈ. સ. ૧૨૪૯)માં પિતૃશ્રેયાર્થે પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યાનો લેખ ધરાવતું પબાસણ વર્તમાને વસ્તુપાલવિહારમાં ગર્ભગૃહમાં મૂલનાયક મલ્લિનાથની પ્રતિમાની ગાદીરૂપે બહુ પાછળના સમયે સ્થાપી દેવામાં આવ્યું છે. કાંટેલાના પ્રસ્તુત મહત્તમ સામંતસિંહના સં૰ ૧૩૨૦ | ઈ. સ. ૧૨૬૪ના લેખ અનુસાર તેમણે રૈવતાચલ (ગિરનાર) ૫૨ નેમિનાથના પ્રાસાદના ઉપરના ભાગે પાર્શ્વનાથના બિંબવાળો પ્રાસાદ કરાવ્યાનો જે ઉલ્લેખ છે તે જોતાં પ્રસ્તુત સં૰ ૧૩૦૫નો ચર્ચા હેઠળનો ગિરનારનો લેખ તે પાર્શ્વનાથપ્રાસાદના મૂળનાયકની પ્રતિમાનો જ અસલી લેખ માનવાનો રહે છે. મૂળ લેખ આ પ્રમાણે છે : ૭૨ १ ॥१०॥ संवत १३०५ वर्षे वैषाख शुदि ३ शनौ श्रीपत्तनवास्तव्य श्रीमालज्ञातीय ठ० चाहड सुत मह [०] पद्मसिंहपुत्र ठ० पृथ्वीदेवी अंगज [મહા]નુન મહં. શ્રી સામંતસિંહ २ |तथा महामात्यश्रीसलखणसिंहाभ्यां श्री पार्श्वनाथबिंबं पित्रोः श्रेयसेऽत्र कारितं [1] ततो बृहद्गच्छे श्रीप्रद्युम्नसूरिपटोद्धरश्रीमानदेवसूरिशिष्य श्रीजयानंद [ सूरिभि: ] પ્રતિષ્ઠિત [1] શુભં ભવતુ ॥ આ સિવાય કદાચ આ જ મંદિરનો મૂળ હશે તેવો, પિપ્પલગચ્છના ધનેશ્વરસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિ વિરચિત પ્રશસ્તિ ધરાવતો, લગભગ ૨૭ પદ્યોવાળા પણ અતિ ખંડિત લેખમાં પણ આ પરિવાર સંબંધી, અને એમનાં સુકૃતોની નોંધ લેતી કેટલીક વાતો અસ્પષ્ટ રૂપે જળવાઈ રહી છે. તેમ જ કા૨ાપકનું ટૂંકાવેલું વંશવૃક્ષ ઉપરના લેખને, અને અહીંની એ ખંડિત મોટી પ્રશસ્તિ અને કાંટેલાના કુંડના લેખના આધારે નીચે મુજબ બને છે : – For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૭૩ શ્રીમાલકુલ (ઉદયન મંત્રી) ચાહડ પદ્ધસિંહ = પૃથિવીદેવી (માહણસિંહ) મહંતો સામંતસિંહ (સં.૧૩૨૦ | ઈ. સ. ૧૨૬૪) મહામાત્ય સલક્ષણસિંહ (સં. ૧૩૦૫ | ઈ. સ. ૧૨૪૯) (સ્વ) મુનિ જિનવિજયજીએ તથા સ્વ. રામલાલ મોદીએપ (અને કંઈક અંશે મોહનલાલ દલિચંદ દેશાઈએ") ઉદયન મંત્રીના વંશ વિશે વિસ્તારપૂર્વક અને ઉપયોગી ચર્ચા કરેલી હોઈ અહીં તે વિશે પુનરુક્તિ અનાવશ્યક છે. પણ પ્રતિષ્ઠાપક આચાર્ય વિશે એ ત્રણે વિદ્વાનો જ નહીં મૂળ સંપાદક બર્જેસે, તેમ જ ડિસકળકરે પણ, મૌન સેવ્યું છે; તેથી અહીં તેમને વિશે કંઈક કહેવા ધાર્યું છે. મહત્તમ ધાંધલે કરાવેલ અને પ્રસ્તુત જયાનંદસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ, નેમિનાથ મંદિરની ભમતીના નંદીશ્વરપટ્ટના સં૧૨૮૨ | ઈ. સ. ૧૨૨૬ના લેખમાં એ જ ગુર્નાવલી આપેલી છે. જયાનંદસૂરિના ગુરુના ગુરુ પ્રદ્યુમ્નસૂરિ તે જ છે કે જેમણે વાદસ્થલ નામક ગ્રંથમાં આશાપલ્લીના ઉદયનવિહારની પ્રતિમાઓ યતિ દ્વારા પ્રતિષ્ઠિત થયેલી હોઈ અપૂજ્ય હોવાના ખરતરગચ્છીય અભિપ્રાય સામે બચાવ કરેલો. પ્રદ્યુમ્નસૂરિ સુવિશ્રુત બૃહદ્ગચ્છીય વાદીન્દ્રદેવસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિના શિષ્ય હતા. અને આશાપલ્લીના ઉદયનવિહાર સાથે સંકળાયેલા હોય તેમ લાગે છે. કદાચ તે જ કારણસર ઉદયન મંત્રીના પ્રપૌત્રોને પણ પ્રદ્યુમ્નસૂરિની શિષ્યશાખા પ્રતિ પરંપરાગત ભક્તિભાવ અને અનુરાગ રહ્યાં હોય, જેને કારણે પ્રસ્તુત શાખાના જયાનંદસૂરિએ ગિરનાર પરની સામંતસિંહ-સલક્ષણસિંહ દ્વારા કારિત પાર્શ્વનાથના મંદિરની પ્રતિષ્ઠાવિધિ સંપન્ન કરી હોય. ગિરનારના આ પરિવારના ઉપરકથિત ખંડિત પ્રશસ્તિ લેખમાં વળી પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય રૂપે જયાનંદસૂરિના પટ્ટધર દેવસૂરિનું નામ છે. કદાચ આ પ્રશસ્તિલેખ પાર્શ્વનાથ જિનાલયને બદલે ગિરનાર પર ઉદયન મંત્રી પરિવારે કરાવેલ કોઈ બીજા મંદિરના ઉપલક્ષમાં હોય. સાહિત્યિક તેમ જ અભિલેખીય પ્રમાણોના આધારે ગિરનાર પરના સંબંધ કર્તા બૃહદ્ગચ્છીય પ્રતિષ્ઠાપક આચાર્યોની ગુર્નાવલી નીચે મુજબ બને છે : For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર બૃહસ્થ (વાદીન્દ્ર દેવસૂરિ) (મહેન્દ્રસૂરિ) પ્રદ્યુમ્નસૂરિ માનદેવસૂરિ જયાનંદસૂરિ (સં.૧૨૮૨ | ઈ. સ. ૧૨૨૬; સં. ૧૩૦૫ | ઈ. સ. ૧૨૪૯) (દ્વિતીય) દેવસૂરિ (લેખની મિતિ નષ્ટ) તીર્થાધિપતિ નેમીશ્વરના મંદિર-સમુદાયના દક્ષિણ દ્વાર સમીપની પશ્ચિમ તરફની દેહરીની ભીંતમાં લગાવેલ આ ખંડિત લેખની પ્રથમ વાચના બર્જેસ કઝિન્સ અને ફરીને ડિસકળકર દ્વારા થયેલી છે. લેખ ચૂડાસમા સમયનો, રાજા મહીપાલદેવના સમયનો છે; જો પ્રસ્તુત રાજા મહીપાલદેવ પ્રથમ હોય તો તો ઈસ્વીસન્ની ૧૪મી શતાબ્દીના બીજા ત્રીજા દશકના અરસાનો હશે", પણ દ્વિતીય મહીપાલદેવના સમયનો હોય તો તે ૧૫મા શતકના ત્રીજા ચરણના અરસાનો હશે. લેખના ખંડિત થયેલા અંશને અહીં અમે શક્ય બન્યો તેટલો પૂરો કરવાની કોશિશ કરી છે અને તેમાં આવતા “કારાપક”ના વિષયમાં થોડી ચર્ચા કરી છે. ૨ ૨૦ની સ્વતિ શ્રીવૃતિ + + + + + ૨ નમ: શ્રીનેમિનાથાય ન + +[સં૨૪૬૪ ૨] ३ । वर्षे फाल्गुन शुदि ५ गुरौ । श्री [यादवकुल] ४ ॥ तिलक महाराज श्रीमहीपाल[देव राज्ये सा०] ५ । वयरसीह भार्या फांउं सुत सा[०सालिग] ૬ I સુત સાં સાં ] સ0 મેતા મેતા [તેવી ? ગં] ७ ॥ ज सुत रूडी गांगी प्रभृति [श्रीधर्म] ૮ | નાથ પ્રસાર [t] ઋારિત (:) | પ્રતિષ્ઠિતં શ્રી ચંn For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉજજયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૭૫ ૧ / ટૂ મૂરિ તત્પદે શ્રીમુનસિંદ [સૂરિ ઉપ:] ૨૦ ................ન્ય ત્રય..... પંદરમી શતાબ્દીના મધ્યભાગના અરસામાં રચાયેલી બે પૃથફ પૃથફ ગિરનારચૈત્ય પરિપાટીઓમાં આવતા ઉલ્લેખો પરથી અમે ચર્ચા હેઠળના લેખનાં ખાતાં પૂર્યા છે, જેમકે સં. ૧૫૦૯ | ઈસ. ૧૪૫૩ પછી તુરતમાં રચાયેલી, બૃહતપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની ચૈત્યપરિપાટીમાં આ પ્રમાણે ઉલ્લેખ છે' : ઉસવાલ સાલિગ મેલાગરિ ધરમનાથ થાપીય વર જિણહરિ, પણમિસુ સુભ પરિણામ; ૨૦ અને બીજો ઉલ્લેખ છે એક અન્ય ચૈત્યપરિપાટીમાં : યથાર : મેલાસાહ તણી દેહરીઈ ધર્મનાથનઈ નમતાં જઈઈ સૂલદુવારિ થાકણુએ સાતમી સવાલાખી ચુકીધર; ૧૭ શિલાલેખમાં પણ કારાપકોમાં “સા મેલા”નું નામ છે; જો કે તેના બાપનું નામ ઊડી ગયું છે; અને તીર્થકરના નામમાં “નાથ” ભાગ રહ્યો છે, આગલો ભાગ નીકળી ગયો છે. ઉપર ટાંકેલ બંને સંદર્ભોના આધારે, તેમ જ પ્રસ્તુત દેહરી મૂલદ્વાર (પ્રતોલી) નજીક, અને સવાલખી ચોકી પાસે, યાને નેમિનાથના પૂર્વ તરફના સ્તંભયુક્ત પ્રદ્વાર પાસે ક્યાંક હતી તે ધ્યાનમાં રાખતાં, અને લેખ પણ નેમિનાથના મંદિરના બહારના દખ્ખણાદા પરિસરમાં નોંધાયો છે, એમ બધી વાત વિચારતાં એમ લાગે છે કે સંદર્ભગત લેખ ઓસવાળ વંશના “સાધુ સાલિગ અને તેના પુત્ર “સાધુમેલા'એ (મેલાગરે) બંધાવેલ જિન ધર્મનાથની કુલિકા સંબંધનો છે. ચૈત્યપરિપાટીઓના સમયને લક્ષમાં લેતાં પ્રસ્તુત દેરી ૧૫મા શતકના મધ્યભાગ પૂર્વે બંધાઈ ચૂકી હોવી જોઈએ. લેખમાં પ્રતિષ્ઠાપક આચાર્ય મુનિસિંહસૂરિનો ગચ્છ બતાવ્યો નથી; પણ પાટણના કનાસાના પાડાના મોટા દેરાસરમાં મૂળનાયક શાંતિનાથના ગભારાની સં. ૧૪૯૪ ઈ. સ. ૧૪૩૮ના લેખવાળી શ્રેયાંસનાથની ધાતુમૂર્તિમાં પ્રતિષ્ઠાપક રૂપે સિદ્ધાંતિક-ગચ્છના મુનિસિંહસૂરિનું નામ છે. અમને લાગે છે ગિરનારવાની પ્રતિમાના ઉપર ચર્ચિત લેખના કારાપક મુનિસિંહસૂરિ આ મુનિ હોઈ. ગિરનાર પર સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૩૮ના અરસામાં ત્રણેક મોટાં જિનમંદિરો–ખરતરવસહી, કલ્યાણત્રય, અને પૂર્ણસિંહ વસતી–બંધાયેલાં. તે જોતાં, અને મહિપાલદેવ(દ્વિતીય)નો પણ એ જ સમય હોઈ પ્રસ્તુત લેખ સં. ૧૪૯૪(ઈ. સ. ૧૪૩૮)ના અરસાનો હશે. સંભવ છે કે મુનિસિંહસૂરિના ગુરુનું નામ શ્રીચંદ્રસૂરિ હોય. (લેખમાંદ્ર સૂરિ ભાગ અવશિષ્ટ છે.) કારાપકોનું વંશવૃક્ષ લેખ અનુસાર આ પ્રમાણે સમજાય છે : For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર (સા)વયરસિંહ = ફાઉ સા. (સાલિગ) સાટ સાઈ સા. સાઈઆ સા મેલા ( મેલા દેવી ?) રૂડી ગાંગી ગિરનાર પર કેટલાક અન્ય પણ ચર્ચાસ્પદ અભિલેખો છે; પણ અહીં લંબાણ ભયે તે છોડી દીધા છે. સંભ્રાંતિ નિવારણ લેખ પૂર્ણ થઈ ગયા બાદ ગિરનાર પરના કેટલાક અભિલેખોની હસ્તી સંબંધી અર્વાચીન જૈન લેખકો દ્વારા અજ્ઞાનપણે ફેલાવાતા સંભ્રમ બાબતમાં અહીં ધ્યાન દોરવું આવશ્યક સમજી, થોડીક વિશેષ ચર્ચા, જૈન પરિભાષામાં કહીએ તો “ચૂલિકા”રૂપે (પરિશિષ્ટ રૂપે) કરવા ધાર્યું છે. આવાં ભ્રાંત લેખનો, ખાસ કરીને તો તીર્થનાયક નેમિનાથના મંદિરના ઉપલક્ષમાં રહેલ અભિલેખો સંબંધમાં જોવા મળે છે. (૧) મુનિ નિત્યાનંદવિજયજીએ શ્રીરૈવતગિરિ-સ્પર્શના, શ્રી આત્મ કમલ-દાન-પ્રેમજંબુસૂરિ જૈન ગ્રંથમાળા મણકો ૪૭, સુરેન્દ્રનગર વિસં. ૨૦૨૦ / ઈસ. ૧૯૬૪, પૃ. ૧૨૬ તથા પુનઃ પૃ. ૧૭૧ પર નોંધ કરી છે, તદન્વયે નેમિનાથ ભગવાનના રંગમંડપના ત્રણ થાંભલાઓ પર અનુક્રમે સં૧૧૧૩ વર્ષનો નેમિનાથ મંદિર બનાવ્યાનો, સં. ૧૧૩પનો પ્રતિષ્ઠા સંબદ્ધ, અને ઈ. સ. ૧૨૧૮માં દેવાલયો સમરાવ્યાનો ઉલ્લેખ છે. (૨) મુનિ નિત્યાનંદવિજયથી ૧૧ વર્ષ પૂર્વે ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ પણ જૈન તીર્થ સર્વ સંગ્રહ ભાગ ૧, અમદાવાદ ૧૯૫૩, પૃ ૧૨૧ ઉપર) આવી જ વાત નોંધે છે; તે માટે તેઓ દોલત્તચંદ પુ. બરોડિયાના ગિરનાર માહાભ્યના “ઉપોદ્ધાત” પૃ. ૨૧નો (કઈ ભાષામાં (હિન્દી ?) ક્યાંથી, અને કયા વર્ષમાં પુસ્તક છપાયું તેની નોંધ કર્યા સિવાય હવાલો દે છે. (૩) પં. અંબાલાલ શાહથી ચાર વર્ષ પૂર્વે મુનિ ન્યાયવિજયજી(જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાલા: પુષ્ય ૩૮ મહેસાણા ૧૯૪૯, પૃ.૧૧૯)માં લખે છે કે : “રંગમંડપમાં એક થાંભલા પર સંત ૧૧૧૩ના જેઠ ૧૪ દિને નેમીશ્વર જિનાલય કરાવ્યાનો, બીજા થાંભલા પર સં૧૧૩૫માં પ્રતિષ્ઠા કરાવ્યાનો, ત્રીજામાં ૧૧૩૪માં દેવાલય સમરાવ્યાનો લેખ છે. તથા ત્યાં પૃ૦ ૧૨૦ પર નોંધ્યું છે કે રંગમંડપના પૂર્વ તરફના થાંભલામાં For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે નીચે પ્રમાણે લેખ છે. સંવત્ ૧૬૩ વર્ષે મેઢ માસે ૨૪ દ્રિને શ્રીમન્નેનીશ્વર જિનાલય: ઋરિતા વળી, બીજા સ્તંભમાં આ પ્રમાણે કોરેલું છે કે સંવત્ ૧૬૩૧ વર્ષે પ્રતિષ્ઠા વારિતારા ત્રીજા સ્તંભમાં લખે છે કે સં૧૩૩૫માં મંદિરજીનો જીર્ણોદ્ધાર કરાવ્યો.” (૪) મોહનલાલ દલીચંદ દેશાઈ (જૈન સાહિત્યનો, મુંબઈ ૧૯૩૨, પરિચય. પૃ. ૧૪૫) નેમિનાથ મંદિરના ઉપલક્ષમાં નોંધે છે કે “એક થાંભલા પર સંત ૧૧૧૩ના જેઠ ૧૪ દિને નેમીશ્વર જિનાલય કરાવ્યું ને બીજા થાંભલા પર સં૧૧૩૫માં પ્રતિષ્ઠા કરાવી, ને ત્રીજામાં સં. ૧૩૩૪માં દેવાલય સમરાવ્યું એમ લખે છે.” (૫) આ બધી ગેરસમજણનું મૂળ બર્જેસની મૂળ નોંધ પૂરી ન સમજવાને કારણે ઉપસ્થિત થઈ છે. (થોડોક ગોટો તો ખુદ બર્જેસે પણ વાળ્યો છે !) ( gz Report on Antiquities., p. 166; cf. also his Visit to Somnath, Girnar in May 1869, Reprint Varanasi 1976, p. 38.) બર્જેસ ત્યાં લખે છે: “The largest temple is that of Neminatha......and bears an inscription on one of the pillars of the mandapa, stating, that it was repaired in A. D. 1278.” The temple is of very considerable age,.....”(Infra) “It bears on two of the pillars of the mandap inscriptions dated 1275, 1281, and 1278, relating to donations of wealthy Sravakas for the daily worship of the Jina.” બર્જેસ અને કઝિન્સ નેમિનાથ જિનાલયના ઉપર કથિત સાલોવાળા, નેમિનાથ જિનાલયના સ્તંભોવાળા સંદર્ભગત ત્રણે લેખોની વાચના સભાગ્યે પ્રકાશિત કરી છે. (Revised List., pp 352-353). તદનુસાર લેખોની મિતિઓ નીચે મુજબ છે : () સં. ૧૩૩૩ વર્ષે જયેષ્ઠ વદિ ૧૪. (વ) સં. ૧૩૩૫ વર્ષે વૈશાખ સુદિ ૮. (૧) સં. ૧૩૩૯ વર્ષે જયેષ્ઠ સુદિ ૮. આ સિવાય પટ્ટશાલાના સ્તંભ પર પણ એક લેખ છે. () સં. ૧૩૩૪ વૈશાખ વદિ ૮. આધુનિક જૈન લેખકો જેને સંત ૧૧૧૩ વર્ષનો જેઠ માસ ૧૪નો લેખ માની બેઠા છે તે ઉપર્યુક્ત સં. ૧૩૩૩નો જયેષ્ઠ વદિ ૧૪નો જ લેખ છે! તેમાં નેમીશ્વર જિનાલય કરાવ્યાની વાત હોવાને બદલે ખરતરગચ્છીય જિનપ્રબોધસૂરિના ઉપદેશથી ઉચ્ચાપુરીના શ્રાવકોએ નેમિનાથની પૂજાદિ અર્થે કરેલાં ધન-દાનનો ઉલ્લેખ છે ! વળી જે લેખને તેઓ સં. ૧૧૩પનો ઘટાવે છે તે વસ્તુતયા સં. ૧૩૩પનો છે, અને તે પણ પ્રતિષ્ઠાને બદલે ધવલક્કક(ધોળકા)ના શ્રાવક બિલ્ડણે નેમિનાથની પૂજાથે કંઈ દાન આપ્યું હશે તેની નોંધ લેતો (ખંડિત) લેખ છે. જેને સં૧૧૩૪માં મંદિર સમરાવ્યાનો લેખ માન્યો છે તે સં. ૧૩૩૪નો, દક્ષિણ તરફની For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર હારની દેલકુલિકાની પટ્ટશાલાના દક્ષિણ પ્રવેશ પાસેના સ્તંભ પર છે, અને એ અતિ ખંડિત લેખમાં દાનોની જ હકીકત અભિપ્રેત છે, પુનરુદ્ધારની નહીં. અસલમાં જ્યાં મંદિર જ સજ્જન મંત્રી દ્વારા સં ૧૧૮૫ / ઈ સ ૧૧૨૯માં નવેસરથી બન્યું છે ત્યાં સં ૧૧૧૩, સં ૧૧૩૪ અને સં. ૧૧૩૫ના લેખો હોવાની વાતને સ્થાન જ ક્યાં છે ? એ જ પ્રમાણે ઈ. સ. ૧૨૧૮માં જીર્ણોદ્ધાર થયાની ગલત વાતનો આધાર તો બર્જેસે સંભ્રમથી ઈ. સ. ૧૨૭૮માં જીર્ણોદ્ધારની જે વાત લખી છે તેનો વિશેષ વિભ્રમ, અને ત્યાં ત્રીજા અંકનો વિપર્યાસ માત્ર છે ! ઈ. સ. ૧૨૭૮ / સં. ૧૩૩૪ના લેખમાં ઉપર કહી ગયા તેમ જીર્ણોદ્વારની વાત જ નથી ! ७८ કર્નલ ટૉડથી ચાલતી આવતી એક બીજી મહાન્ ભ્રમણા તે સં. ૧૨૧૫ ચૈત્ર શુદિ ૮ના રોજ પંડિત દેવસેન-સંઘના આદેશથી જૂનાં મંદિરો કાઢી નાખી તેને સ્થાને નવાં કરાવ્યાની વાત, જેનો પહેલો ભોગ બર્જેસ બન્યા, અને બર્જેસ પછીના કેટલાયે લેખકો ગતાનુગત અનુસર્યા ! સં. ૧૨૧૫ ચૈત્રવદિ ૮નો (નેમિનાથની ઉત્તર-પ્રતોલીમાં) લેખ છે ખરો; પણ તેમાં જૂનાં મંદિરો કાઢી નાખી નવાં કર્યાની વાત નથી; ત્યાં નેમિનાથને ફરતી દેવકુલિકાઓનાં બાંધકામ પૂરાં થયાની હકીકત નોંધાયેલી છે. એ કાળે ત્યાં બાજુમાં રહેલ સં૰ ૧૨(૭?૦?)૬ના શ્રીચંદ્રસૂરિવાળા લેખમાં “રૈવતક” “દેવચંડ’(દેવચંદ, દેવચંદ્ર, દેવસેન નહીં) અને પ્રતિષ્ઠાદિક કાર્યોની વાતો કહી છે. એ જોતાં અમને લાગે છે કે કર્નલ ટૉડ જે જૈન યતિને સાથે લઈ ગયેલા તેને કાં તો જૂની લિપિ પૂરી વાંચતા આવડતી નહીં હોય, યા તો એણે જે વાતચીતમાં કંઈ કહ્યું હશે તે ટૉડ પૂરું સમજ્યા નહીં હોય; અને એમ ખોટી રીતે સમજી બેઠેલ, બે પડખોપડખ રહેલ શિલાલેખોની વિગતોને તેમણે વિચિત્ર રીતે ભેળવી મારી છે. “સં ૧૨૧૫ ચૈત્ર વદ ૮” અને “પંડિત” શબ્દો (પંડિત સાલવાહણ પરથી) એક લેખમાંથી લીધા; ને બીજા શિલાલેખના દેવચંદને દેવસેન બનાવી “સંગાત મહામાત્ય”ના “સંગાત”ને બદલે “સંઘ” વાંચી બધું એકમેકમાં જેમ ઘટ્યું તેમ જોડી દીધું ! ને દેવકુલિકા બનાવ્યાની સાદી વાત જૂનાને કાઢી નવાં મંદિરો બનાવ્યાની વાત બની ગઈ ! ટૉડના આવા બીજા સંભ્રમને, સં. ૧૩૩૯ / ઈ. સ. ૧૨૮૩ જ્યેષ્ઠ સુદ ૧૦ના રોજ રેવતાચલનાં જૂનાં મંદિરો કાઢી નવાં થયાની વાતને, બર્જેસ સાચી માનીને ચાલે છેTM; પણ સં૰૧૩૩૯નો લેખ જ્યેષ્ઠ સુદિ ૮નો છે, ૧૦નો નહીં; અને તે દાન પ્રસંગનો છે તે વિશે અહીં ઉપર ચર્ચા થઈ ચૂકી છે. નેમિનાથના પરિસરમાં પુનરુદ્ધાર કે જીર્ણોદ્ધાર સંબદ્ધ એક પણ લેખ વાસ્તવિક રીતે નોંધાયો નથી, અને છે પણ નહીં. ગિરનાર પરના અભિલેખોમાં સોલંકી-વાઘેલા કાળની સમાપ્તિ સુધીના વસ્તુતઃ કેટલા, કઈ સાલના છે તે અહીં તાલિકામાં સંક્ષિપ્ત રૂપે રજૂ કરીએ છીએ; તેના સંદર્ભથી લાંબા ચાલેલ સંભ્રમોનું નિવારણ થઈ શકશે. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૭૯ સિદ્ધરાજયુગ વર્ષ વિગત વર્તમાન સ્થાન સંપાદક / સંકલનકાર સં. ૧૧૯૪ ઠ૦ જસયોગની ખાંભી જૂનાગઢ મ્યુઝિયમ છો. મઅત્રિ; ફરીને મધુસૂદન ઢાંકી, અને છેલ્લે અહીં મધુસૂદન ઢાંકી અને લક્ષ્મણ ભોજક (વર્ષ નષ્ટ) સિદ્ધચક્રવર્તી જયસિંહ એકકાળે નેમિનાથ બર્જેસ અને કઝિન્સ; સંકલન દેવના શાસન કાળનો જિનાલયની ઉત્તર જિનવિજય; આચાર્ય; પુન પ્રતોલીમાં વંચના ઢાંકી અને ભોજક (હાલ ગાયબ) કુમારપાલયુગ સં.૧૨૧૫ ઠક્કર (૫૦) સાલવા- નેમિનાથની ઉત્તર બર્જેસ; બર્જેસ અને હણનો નેમિનાથની દેવ પ્રતોલીમાં(હાલ અસ્ત કઝિન્સ; સંકલન જિન કુલિકાઓનું કામ પૂર્ણ વ્યસ્ત અને નુકસાન વિજય, આચાર્ય, પુનર્વાચના થયા બાબતનો લેખ પામેલ હાલતમાં) ઢાંકી અને ભોજક સં.૧૨(૭? શ્રીચંદ્રસૂરિનો નેમિનાથની ઉત્તર બર્જેસ; બર્જેસ અને (૦) ૬ ૧૨ પ્રતોલીમાં(હાલ અસ્ત કઝિન્સ; સંકલન જિનવિજય, (૧?)૬ વ્યસ્ત અને નુકસાન આચાર્ય, પુનર્વાચના પામેલ હાલતમાં) ઢાંકી અને ભોજક (વર્ષ નષ્ટ) બૃહદ્ગચ્છીય વિજય ગિરનાર પર લક્ષ્મણ ભોજક સિંહ રમૂરિ વિરચિત ખંડિત પ્રશસ્તિ; કુમારપાળનું નામ ત્રણ સ્થાને આવે છે. સં. ૧૨૨૨ મહંતો આંબાકનો ખબુતરીખાણનો બર્જેસ અને કઝિન્સ સં.૧ ૨૨૩ મહંતો આંબાકનો ખબુતરીખાણનો બર્જેસ અને કઝિન્સ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ભીમદેવ(દ્વિતીય)નો સમય સં.૧૨૩૬ શ્વેતાંબર જૈનમુનિનો કહેવાતા સંપ્રતિરાજાના મધુસૂદન ઢાંકી અને સ્મરણ-સ્તંભ (નિષે- મંદિરના ગૂઢમંડપની લક્ષ્મણ ભોજક દિકા) : અતિ ખંડિત દક્ષિણ ચોકીનો સ્તંભ સં. ૧૨૪૪ પ્રભાનંદસૂરિની જૂનાગઢ મ્યુઝિયમ અત્રિ, પુનર્વાચના ઢાંકી અને નિદેષિકા ભોજક સં.૧૨૫૬ દંડનાયક (આમ્ર)દેવના હાલ સગરામ સોની- ડિસકળકર; સંકલન પૌત્ર વસંતપાલ કારિત ના કહેવાતા મંદિરના આચાર્ય; પુનર્વાચના ઢાંકી નંદીશ્વરદ્વીપપટ્ટનો લેખ મંડપમાં. અને ભોજક સં.૧૨૭૫ કુંજરાપદ્રીય-ગચ્છના નેમિનાથ જિનાલયના મોદદેશાઈ દ્વારા ઉલિખિત શાંતિસૂરિનો લેખ ગૂઢમંડપમાં પણ અઘાવધિ અપ્રકાશિત સં.૧ ૨૭૬ ગુમાસ્તાના મંદિરમાં, ઢાંકી અને ભોજક અતિ ઘસાયેલ વાઘેલા યુગ સં.૧૨૮૭ મહત્તમ ધાંધલ કારિત નેમિનાથ મંદિરની નંદીશ્વરદ્વીપપટ્ટ પરનો પશ્ચિમ તરફની ભમતી. સં.૧ ૨૮૮ વસ્તુપાલપ્રશસ્તિ વસ્તુપાલવિહાર લેખ સં.૧૨૮૮ વસ્તુપાલપ્રશસ્તિ વસ્તુપાલવિહાર સારાભાઈ નવાબ (અપૂર્ણ વાચના); પુનર્વાચના ઢાંકી અને ભોજક બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ પુણ્યવિજયજી બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ પુણ્યવિજયજી બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ પુણ્યવિજયજી સં.૧ ૨૮૮ વસ્તુપાલપ્રશસ્તિ વસ્તુપાલવિહાર For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૮૧ સં. ૧૨૮૮ વસ્તુપાલપ્રશસ્તિ વસ્તુપાલવિહાર બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ પુણ્યવિજયજી સં૧૨૮૮ વસ્તુપાલપ્રશસ્તિ વસ્તુપાલવિહાર બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ પુણ્યવિજયજી સં. ૧૨૮૮ વસ્તુપાલપ્રશસ્તિ વસ્તુપાલવિહાર બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ પુણ્યવિજયજી મિતિવિહિન, વસ્તુપાલ અને લલિતા- વસ્તુપાલવિહાર બર્જેસ; સંકલન જિનવિજય દેવીની મૂળે આરાધક મૂર્તિના ગોખલા પર મિતિવિહિન, વસ્તુપાલ અને સોનુ- વસ્તુપાલવિહાર બર્જેસ; સંકલન જિનવિજય દેવીની આરાધક મૂર્તિના ગોખલા પર મિતિવિહિન, વસ્તુપાલ અને લલિતા- વસ્તુપાલવિહાર બર્જેસ દેવીની મૂર્તિ બાબતનો ભારપટ્ટ પર લેખ મિતિવિહિન, વસ્તુપાલ અને સોનુ- વસ્તુપાલવિહાર બર્જેસ દેવીની મૂર્તિના ભારપટ્ટ પરનો લેખ સં. ૧૨૮૯ ટૂંકી વસ્તુપાલ પ્રશસ્તિ રાજલવેજલ ગુફાની બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; પૂર્વ તરફ સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ પુણ્યવિજયજી For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સં. ૧૨૮૯ ટૂંકી વસ્તુપાલ પ્રશસ્તિ ખબુતરી ખાણ (અતિખંડિત) સં. ૧૨૯૦ મહત્તમ ધાંધલનો સં. ૧૨૯૯ વડિયા કુટુંબનો પ્રશસ્તિ લેખ સં. ૧૩૦૫ ઉદયન મંત્રી વંશજ (સંભવતઃ સં ૧૩૦૫ (સમ્મેતશિખરપટ્ટ)નો સામંતસિંહ અને મહામાત્ય સલક્ષણસિંહનો મૂલનાયક પાર્શ્વનાથના પબાસણનો લેખ સં. ૧૩૧૯ અપૂર્ણ અને ખંડિત સં ૧૩૩૦ અર્જુનદેવ વાઘેલાના સમયનો સૂત્રધાર હરિપાલને પ્રદત્ત અધિકાર સંબંધી ઉપર્યુક્ત પરિવારની મોટી (પણ અતિખંડિત પ્રશસ્તિ) સં ૧૩૩૩ દાન સંબંધી સં.૧૩૩૯ સં. ૧૩૩૪ દાન સંબંધી સં ૧૩૩૫ દાન સંબંધી દાન સંબંધી નેમિનાથની ઉત્તર તરફની ભમતી જૂનાગઢ મ્યુઝિયમ (મૂળ વસ્તુપાલવિહારમાં) વસ્તુપાલવિહાર ગર્ભગૃહમાં હાલ મલ્લિનાથ-મૂલનાયક નીચેની ગાદીરૂપે ગિરનાર (મૂળ પાર્શ્વનાથનાં મંદિરમાં?) સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય ઢાંકી અને ભોજક ગિરનાર નેમિનાથ જિનાલય ગૂઢમંડપ ગિરનાર નેમિનાથ જિનાલય, ગૂઢમંડપ અત્રિ; પુનર્વાચના ઢાંકી; પુનવિચના ઢાંકી તથા ભોજક બર્જેસ અને કઝિન્સ; ડિસકળ કર; સંકલન જિનવિજય; આચાર્ય; વિશેષ ચર્ચા ઢાંકી અને ભોજક For Personal & Private Use Only બર્જેસ અને કઝિન્સ; સંકલન તથા ચર્ચા જિનવિજય; પુનવાંચના ડિસકળકર. ડિસકળક૨ ડિસકળકર; સંકલન આચાર્ય બર્જેસ-કઝિન્સ; સંકલન જિન વિજય નેમિનાથ મંદિરના પટ્ટશાલાના સ્તંભ પર નેમિનાથ જિનાલય બર્જેસ-કઝિન્સ; સંકલન જિન વિજય ઢાંકી અને ભોજક નેમિનાથ જિનાલય બર્જેસ-કઝિન્સ; સંકલન જિન વિજય Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે આ તાલિકામાં, જાણમાં છે તે તમામ લેખોને કાલક્રમાનુસા૨ ગણતરીમાં લઈ લીધા છે. તે હિસાબે સિદ્ધરાજ-કુમારપાળ સમય પૂર્વેનો એક પણ લેખ અઘાધિ પ્રાપ્ત નથી થયો. (સાહિત્યના તેમ જ પ્રતિમાઓના અલબત્ત પ્રાચીનતર એવાં કેટલાંક પ્રમાણો છે). અને વાઘેલાયુગની સમાપ્તિ બાદના ઘણાખરા લેખ ચૂડાસમા યુગના, છેલ્લા રાજા રા'માંડલિક સુધીના કાળના છે; તે પછી કોઈ કોઈ મોગલ, અને ત્યારબાદ બ્રિટિશ (યા નવાબી) યુગના છે. દિગંબર સંપ્રદાયના થોડાક લેખો જોવા મળ્યા છે, પણ તે સૌ ૧૫મી તેમ જ ૧૭મી શતાબ્દી અને બાદના છે. જ્યારે બ્રાહ્મણીય સંપ્રદાયને અનુલક્ષ તો એક પણ અભિલેખ અદ્યાપિ મળ્યો નથી, કે પર્વત પર બ્રાહ્મણીય મંદિરો હોવાનાં સાહિત્યિક કે પુરાતત્ત્વનાં પ્રમાણો ઉપસ્થિત નથી, પ્રાપ્ત થયાં નથી. (ગિરનાર પરના તમામ સાહિત્યિક ઉલ્લેખો—આગમિક, જૈન-પૌરાણિક, તીર્થનિરૂપણાત્મક—સાહિત્ય (કલ્પો, તીર્થમાળાઓ, ચૈત્યપરિપાટીઓ, રાસો, વિવાહલાઓ, ઇત્યાદિના) અને સ્તોત્રો, સ્તવો ઇત્યાદિ—ના તેમ જ ઉપલબ્ધ અભિલેખો, દેવાલય નિર્માણો, યાત્રા-વિષયક અને સલ્લેખના આદિના ઉલ્લેખોના પરિપ્રેક્ષ્યમાં, અને મૂળ સ્રોતોને સાંગોપાંગ ઉżકિત કરવા સાથેની શિલ્પ-સ્થાપત્યની વિસ્તૃત ચર્ચા લેખકના ચિત્ર “મહાતીર્થ ઉજ્જયંતગિરિ'માં આવનાર હોઈ અહીં આથી વિશેષ કહેવાનો આયાસ કર્યો નથી. ટિપ્પણો : ૧. જુઓ ‘ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ શિલાલેખો,” સ્વાધ્યાય, પુપ, અંક ૨, પૃ. ૨૦૪-૨૧૦, ૨. શ્રી અત્રિ લેખ આ પ્રમાણે વાંચે છે : (૧) સં ૨૨ (૬) વર્ષે. (૨) ૪. પેન્ના (લ્લા ?) સુત (૩) ૐ નસના પ્ર (૬ ?)સ્ય || ૩.Cf. C. M. Atri “A Collection of Some Jain Stone Images from Mount Girnar," Bulletin of the Museum and Picture Gallery, Baroda, Vol. XX1, Baroda 1968, pl. XLIII, Fig. 3. ૮૩ ૪. અત્રિ પ્રસ્તુત રાજપુરુષની સ્મારક પ્રતિમાને ‘‘ગુજરાતી દાનેશ્વરી’”ની ‘‘દાતામૂર્તિ’ ઘટાવે છે (પૃ. ૨૦૪). પણ દાતામૂર્તિ(એટલે કે આરાધક મૂર્તિ)ને મધ્યકાલીન પશ્ચિમ ભારતમાં પ્રાયઃ અંજલિહસ્તમાં વા માલાધરરૂપે રજૂ કરવાની પ્રથા હતી. 4. Revised List of the Antiquarian Remains in Bombay Presidency, Vol. VIII, p. 356, No. 17. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર આ લેખ પ્રાચીન જૈન નૈરવ સંપ્રદ (ભાગ બીજો) (સંગ્રા–સંપાજિનવિજય), પ્રવર્તક શ્રી કાંતિવિજય જૈન ઇતિહાસમાળા પુષ્પ છઠું, જૈન આત્માનંદ સભા-ભાવનગર, ભાવનગર ૧૯૨૧, અંતર્ગત પૃ. ૭૩ પર લેખાંક ૬૨ રૂપે સંકલિત કર્યો છે; પણ ઉપર્યુક્ત બન્ને ગ્રંથ આજે દુષ્માપ્ય બન્યા હોઈ અહીં તેનું કેટલાક ખૂટતા શબ્દો સાથેનું પુનર્મુદ્રણ ઉપયોગી નીવડશે. ६. इक्कारसयसहीउ पंचासीय वच्छरि । नेमिभुवणु उद्धरिउ साजणि नरसेहरि ॥९॥ (gil C. D. Dalal, Pracina-Gurjara Kavyasamgraha Part I, Gaekwad's Oriental Series, No. 13, First ed., Baroda 1920; Reprint 1978, p. 4; તથા મુ. પુણ્યવિજયસૂરિ, સુવાર્તિઋત્વિચાતિચારિ વસ્તુપાત્રપ્રાપ્તિ સંપ્રદ, સિંઘી જૈન ગ્રંથમાલા (ગ્રંથાંક ૫) મુંબઈ ૧૯૬૧. પૃ. ૧૦૧. 9. Ed. James M. Campbell, Gazetteer of the Bombay Presidency, Vol. 1, Pt. 1, "History of Gujarat," Bombay 1896, p. 177. C. Report on the Antiquities of Kathiawad and Kacch (1874-75), Archaeological Survey of Western India, Reprint, Varanasi 1971, p. 167. ૯. Revised List., Ins. No. 14, p. 355. ૧૦. “સિદ્ધરાજ અને જૈનો,” ઐતિહાસિક લેખ-સંગ્રહ, શ્રી સયાજી સાહિત્યમાળા, પુષ્ય ૩૩૫, વડોદરા, ૧૯૬૩, | પૃ. ૧૧૯-૧૨૦. ૧૧. એજન. ૧૨. એજન તથા મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૨૪૩ ૨૪૪. ૧૩. જુઓ મુનિ જયંતવિજય, શ્રી અબ્દ-પ્રાચીન-જૈન-લેખસંદોહ (આબૂ-ભાગ-બીજો), શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા ૫૦૪૦, લેખાંક ૭૨, જાલોર ૧૯૬૬, ઉજજૈન વિસં. ૧૯૯૪ (ઈસ. ૧૯૩૮), “માવૂ-નૈનનૈg-સંપ્રદ,'' પૃ. ૩૪૭, લેખાંક ૩૮. તથા પ. કલ્યાણ વિજયજી ગણિ, પ્રવશ્વ-પરિનતિ. 98. Cf. Burgess, Report on Antiquities., p. 167. And Burgess & Cousins, Revised List., p. 356. ૧૫. એજન ૧૬. પ્રાચીન , “અવલોકન” પૃ૮૦. ૧૭. ગુજરાતના ઐતિહાસિક લેખો, (ભાગ રજો), શ્રી ફાર્બસ ગુજરાતી સભા ગ્રંથાવલિ ૧૫, મુંબઈ ૧૯૩૫, પૃ. ૫૧. ૧૮. બૃહત્તપાગચ્છીય રત્નાકરસૂરિની પરંપરાના જયતિલકસૂરિની સંપ્રતિ ગ્રંથમાં પ્રકાશિત, ઈસ્વીસન્ના ૧૪માં શતકના પ્રારંભની “ગિરનાર ચૈત્ય પ્રવાડી (સં. સ્વ. અગરચંદ નાહટા અને મધુસૂદન ઢાંકી)માં ૨૪મી કડીમાં For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે નીચે મુજબ ઉલ્લેખ છે નાગમોરી ઝિરિ આગલિ કુંડ જ ગયંદમઈ પાલક પિંડ જ ઇંદ્રમંડપ સૌ અંગો-૨૪ આ ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ છે કે બર્જેસે જેની નાગરિસિરિયા એવી વાચના કરી છે તે અસલમાં ‘નાગમોરિઝિરિયા’’ હોવું જોઈએ. (અમે તે સુધારો લેખ અંતર્ગત સૂચવ્યો છે.) નાગમોર એક દૈતવ રૂપે જૈન મધ્યકાલીન સાહિત્ય અને શિલ્પમાં પ્રસિદ્ધ છે. પંદરમા શતકના મધ્યભાગની તપાગચ્છીય રત્નસિંહ સૂરિશિષ્યની ગિરનારતીર્થમાલા અંતર્ગત પણ આ પ્રમાણે ઉલ્લેખ છે : ઇંદ્રમંડપ ગજપદ સિદ્ધિ નાગોરિ કુંડ જિહાં જિન તિાં કરું સેવ સુન્ની લિખિત. ૧૯ ૮૫ (સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાગ ૧ લો, ભાવનગર સં૰ ૧૯૭૮ ( ઈ. સ. ૧૯૨૨), પૃ ૩૬). તથા તપાગચ્છીય મુનિસુંદર સૂરિ-શિષ્ય હેમહંસગળિની ગિરનારÅત્યપરિપાટી(આ. સં. ૧૫૧૫ આ ઈ. સ ૧૪૫૯)માં નીચે મુજબ ઉલ્લેખ છે : નાગોરઝિરિ ઇદ્રમંડપ પેખિએ આવું દો । જોઈએ કુંડ ગઇંદમુ એ છત્રસિલા તસુ હેઠિ।૨૮॥ (સંહ પંડિત બેચરદાસ જીવરાજ દોશી, પુરાતત્ત્વ, ૧-૩, એપ્રિલ ૧૯૨૩, પૃ ૨૯૬). ૧૯. ‘ગિરનારના,’’ પૃ- ૨૦૪-૨૦૫. ૨૦. શ્રી અત્રિએ ઠક્કુર જસયોગવાળા લેખનું ચિત્ર તો પ્રગટ કર્યું છે (Cf. “A Collection, pl. XLIII, Fig. 3), પક્ષ આ સ્મરલ-સ્તંભનું ચિત્ર પ્રકાશિત નથી કર્યું. ૨૧. Poona Orientalist, Vol 1, No.4, p. 45. ૨૨. ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ જો, “પુરવણીના લેખો” (૧૫૭ ઈ), મુંબઈ ૧૯૪૨, પૃ ૧૯૧ ૧૯૨. ૨૩. “A Collection.,” p. 57. ૨૪. મુનિ શ્રી જિનવિજયજી આ બધા સ્રોતોમાંથી મૂળ સંદર્ભો ટાંક્યા છે ઃ જુઓ । પ્રાચીન, “અવલોકન” પૃ. ૮૧ ૮૩. ૨૫. Revised list., Ins. 27 and 30, p. 359; અને પ્રાચીન, લેખાંક ૫૦-૫૧, પૃ॰ ૭૦; તથા “અવલોકન” પૃ ૮ ૧-૮૩, For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ૨૬. ગુજરાતના , ભાગ ૩જો , પૃ. ૧૯૧. 20. “A Collection.,” p. 57. ૨૮. આચાર્ય, પૃ. ૧૯૧. ૨૯. લેખમાં અલબત્ત તિથિ વાર અને ખ્રિસ્તાદ માસ તારીખમાં ફરક છે તે તરફ ડિસાળકરે અને એમને અનુસરીને આચાર્યજીએ ધ્યાન દોર્યું છે : પણ લેખ બનાવટી જણાતો નથી. ૩૦. “ગિરનારના,” પૃ ૨૦૫ અને તે પરનું વિવેચન પૃ૦ ૨૦૬-૨૦૮. ૩૧. “ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત ” સ્વાધ્યાય ૫૦ ૮, અંક ૪, પૃ. ૪૬૯-૪૮૯. ૩૨. જુઓ “અર્જુનદેવનો કાંટેલાનો શિલાલેખ,” ગુજરાતના, ભાગ ૩જો, પૃ૨૦૪-૨૦૭. સંદર્ભકર્તા શ્લોક આ પ્રમાણે છે : તથા પ્રાવીન, “અવલોકન” પૃ૦ ૮૬. रैवताजलचूलै च श्रीनेमिनिलयाग्रतः प्रांशुप्रासाद प्रस्थापि बिंबं पार्श्वजिनेशतः ॥१०॥ ૩૩. Revised list, No. 23, p. 358; પ્રાર્થન, લેખાંક ૫૩, પૃ.૭૧ તથા “અવલોકન” પૃ. ૮૪-૯૬; D. B. Diskalkar, Inscriptions of Kathiawad; (Reprinted from New Indian Antiquary, No. I-I (1938-41) Bombay, p.691; ગુજરાતના, ભાગ ૩જો , લેખાંક નં ૨૧૦, પૃ. ૪૨. ૩૪. પ્રાર્થન, પૃ. ૮૪-૯૬. ૩૫. “મંત્રી ઉદયન અને તેનો વંશ,” સ્વ. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ ભાગ-૨, અમદાવાદ ૧૯૬૫, પૃ. ૧૦૦-૧૧૯. ૩૬. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૨૬૮-૨૭૧ તથા પૃ૦ ૪૦૨-૪૦૩. ૩૭. આ સંદર્ભમાં જુઓ અહીં અન્ય લેખ “ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો.” લેખાંક ૨. ૩૮. Revised List., Ins, 11, pp. 353-354. 36. Diskalkar, Inscriptions., No. 30, p. 736. ૪૦. આ બાબતમાં ડિસકળકરનું આમ માનવું છે : I think the King Mahipala in this inscription is probably the first of the three.” (Ibid.) He dates the first to V. S. 1364-87 (A. D. 1308-31), the second to V. S. 1452-56 (A. D. 1396-1400), and the third to V. S. 1506-27 (A. D. 1450-71). પણ વિમલનાથ જિનાલયની પ્રતિષ્ઠા સમયે (ઈ. સ. ૧૪૫૩માં) રા’મંડલિક(દ્વિતીય)શાસન ચાલતું હતું, અને આ મંડલિકનો પિતા મહિપાલદેવ (દ્વિતીય) હતો તેમ પ્રસ્તુત જિનાલયના કારાપકોની પ્રશસ્તિને આધારે સિદ્ધ છે, તેનું શું? ૪૧. સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા સંગ્રહ, ભાગ ૧લો, ભાવનગર સં. ૧૯૭૮ (ઈ. સ. ૧૯૨૨), પૃ8 ૩૬. ૪૨. આ ગ્રંથમાં પ્રકાશિત સંઘવી શવરાજવાળી ચૈત્ય-પરિપાટી. લેખમાં સા. મેતા પછી પુનઃ મેના શબ્દ છે. એ નામ એની ભાર્યાનું “મેલાદેવી” રૂપ હોઈ શકે. અહીં આવી કલ્પના કરવા માટે એ યુગના બે સમાંતર દાખલાઓ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ટાંકીશું. વિસં. ૧૪૫૫(ઈ. સ. ૧૩૯૯)માં શ્રીમાળી “મેલિગ” શ્રાવકે પાર્શ્વનાથચરિતની પ્રતિલિપિ કરી છે, તેની પ્રશસ્તિમાં તેની પત્નીનું નામ “મેલાદેવી” આપ્યું છે. (જુઓ, મુનિ જિનવિજય, નૈનપુસ્તકપ્રતિસંપ્રદ, સિંઘી જૈન ગ્રંથમાલા, મુંબઈ ૧૯૪૩, પ્રશસ્તંક ૪૪, પૃ. ૪૫.) બીજો દાખલો પણ પ્રસ્તુત સંકલનમાં પૃ. ૧૪૮ પર ક્રમાંક ૩૯૪માં નોંધાયો છે. સં. ૧૪૯૨ (ઈ. સ. ૧૪૩૬)માં આવશ્યકબૃહદવૃત્તિની નકલ કરાવનાર રાજમંત્રી સજ્જનપાલની માતાનું નામ “મેલાદે” આપ્યું છે. 83. Report on Antiquities., p. 169. ૪૪. Ibid. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો મહાતીર્થ ઉજ્જયંતગિરિના અદ્યાવધિ અપ્રકટ રહેલ પ્રતિમા તથા પટ્ટાદિના લેખો વિશે સાંપ્રત લેખમાં મૂળ વાચના સમેત વિસ્તારથી કહીશું. સન્ ૧૯૭૩ તથા પુનઃ સન્ ૧૯૭૭ની વસંત ઋતુમાં પર્વત પરનાં મંદિરોનાં કરેલાં સર્વેક્ષણો દરમિયાન પ્રાપ્ત થયેલા ચૌદેક જેટલા અદ્યાવધિ અજ્ઞાત અભિલેખો સાંપ્રત લેખમાં સવિવરણ પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત ઐતિહાસિક (સાહિત્યિક, અભિલેખીય) પ્રમાણ અનુસાર ઉજ્જયંતપર્વત ગિરનારગિરિ ઉત્તર મધ્યકાળ સુધી તો કેવળ જૈન તીર્થરૂપે જ રહ્યો હોઈ ત્યાંથી પ્રકાશમાં આવેલા તમામ લેખો જૈન દેવાલયો અનુલક્ષિત જ છે અને નવપ્રાપ્ત લેખોથી પણ એ પરિસ્થિતિમાં કશો ફરક પડતો નથી. | ગિરનાર પરના થોડાક લેખોની (વાચના લીધા વિના) અંગ્રેજ સેનાનાયક જેમ્સ ટોડ દ્વારા પ્રાથમિક પણ અત્યંત સંદિગ્ધ, ભેળસેળિયા અને ગડબડગોટાળાયુક્ત નોંધ લેવાઈ છે'. (ટોડે જેની સહાયતાથી આ લેખો વાંચ્યા હશે તેનું મધ્યકાલીન લિપિવિષયક જ્ઞાન તેમ જ લેખની અંદરની વસ્તુની લાંબી સમજ હોય તેમ જણાતું નથી. ભારતીય અભિલેખવિદ્યાના અને ઇતિહાસ-લેખનના આરંભકાળે અનભિજ્ઞ લોકો પાસેથી ઝાઝી આશા પણ ભાગ્યે જ રાખી શકાય. તત્કાલીન ભાષા સમજવાની કઠણાઈને કારણે પણ ટંડે પોતે સમજ્યા હશે તેવું લખ્યું હશે.) આથી ટૉડની નોંધો પર બિલકુલ ઇતબાર રાખી શકાય તેમ નથી. ટૉડ પછી પં. ભગવાનલાલ ઇન્દ્રજીએ તીર્થનાયક જિન નેમિનાથના મંદિર(એમના કથન અનુસાર)ના દક્ષિણ દ્વારા અંદરના સં. ૧૧૭૬ / ઈ. સ. ૧૧૨૦ના લેખ પર વાચના દીધા સિવાય થોડી શી ચર્ચા કરી છે, જો કે આવા સમર્થ વિદ્વાનું પણ પ્રસ્તુત લેખને ન તો સારી રીતે વાંચી શક્યા છે કે ન તો તેનું હાર્દ સમજી શક્યા છે. આ સંબંધમાં આ ગ્રંથમાં જ આના પછી આવતા લેખમાં વિશેષ ચર્ચા કરી છે.) ઇન્દ્રજી પછી જેમ્સ બર્જેસે ગિરનારનાં મંદિરો આવરી લેતા સર્વેક્ષણ-અહેવાલમાં વસ્તુપાળના સં૧૨૮૯ | ઈ. સ. ૧૨૩૧-૩૨ની મિતિના છ પ્રશસ્તિ લેખોમાંનો એક, તે ઉપરાંત શાણરાજની પ્રશસ્તિનો અપૂર્ણ લેખ અને અન્ય નાના મોટા છ એક લેખો પ્રગટ કર્યા છે : પણ બર્જેસ દ્વારા પ્રકાશિત કેટલાક લેખોના પાકોમાં વાચનાદોષો (અને અર્થ સમજવામાં ક્ષતિઓ) રહી ગયાં છે; શાણરાજની પ્રશસ્તિનો યથાર્થકાળ જ્ઞાત ન થવાથી તેના અર્થઘટનમાં, તેમ જ ચૂડાસમા વંશ સંબંધી ઐતિહાસિક તારવણીઓ દોરવામાં, બર્જેસ જબ્બર ભૂલથાપ ખાઈ ગયેલા. (બર્જેસના આ ભૂલભરેલા લખાણથી થયેલી દિબ્રાન્તિમાંથી પછીના વિદ્વાનોએ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉજયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો મહદંશે મુક્તિ મેળવી લીધી છે.) તત્પશ્ચાત્ બર્જેસ અને કઝિન્સ એમના મુંબઈ મહાપ્રાંતના પ્રાચ્યાવશેષોની બૃહદ્રસૂચિ ગ્રંથમાં આગળના બર્જેસે આપ્યા છે તે ક્યાંક ક્યાંક પાઠાંતર છે), અને ૧૩ જેટલા બીજા લેખો પણ સમાવી લીધેલા". આ પછી દત્તાત્રય ડિસકળકરે કાઠિયાવાડના અભિલેખોની એક લેખમાળા Poona Orientalistમાં શરૂ કરેલી (જે પછીથી પુસ્તકાકારે પ્રગટ થયેલી છે.), જેમાં બર્જેસ-કઝિન્સે અગાઉ આપી દીધેલ ચારેક લેખો અતિરિક્ત અન્ય ચારેક નવીન લેખોની વાચના એવં ભાવાર્થ આપ્યાં છે. બર્જેસ અને બર્જેસ-કઝિન્સે આપેલા લેખોમાંથી ચૂંટી કાઢેલા અઢારેક જેટલા લેખો (સ્વ) મુનિશ્રી જિનવિજયજીએ પોતાના પ્રાચીન જૈન શિલાલેખોના સંકલન ગ્રંથમાં આવરી લીધા છે”, અને તેના પર કેટલુંક ટિપ્પણ પણ કર્યું છે. તે પછી એક વર્ષે આચાર્ય વિજયધર્મસૂરિએ એક પિત્તળના પરિકરના કાઉસ્સગીયાના લેખ (સં. ૧૫૨૩)ની વાચના એમની ચર્ચાના સંદર્ભમાં આપેલી. ત્યારબાદ (સ્વ) ગિરજાશંકર વલ્લભજી આચાર્યે પણ ગુજરાતના શિલાલેખો સંબંધી તેમના બૃહદ્ સંકલન ગ્રંથના ભાગ -૩માં બર્જેસ-કઝિન્સે પ્રકાશિત કરેલ, તથા ડિસાળકરે સંપાદિત કરેલ ગિરનાર-પ્રાપ્ત લેખોમાંથી ૧૭ જેટલા લેખો સમાવિષ્ટ કર્યા છે. આ પછી ગિરનારના બે વિશેષ લેખોની વાચના (એક અલબત્ત અપૂર્ણ) સારાભાઈ મણિલાલ નવાબે પોતાના જૈન તીર્થો અને સ્થાપત્ય વિષયક ગ્રંથમાં દીધી છે. ત્યાર પછીના તરતનાં વર્ષોમાં તો ગિરનારના અભિલેખો વિશે ખાસ નોંધપાત્ર પ્રવૃત્તિ થઈ હોવાનું અમને જ્ઞાત નથી; પણ જૈન દેવાલયો ફરતા દેવકોટના સમારકામમાંથી પ્રાપ્ત થયેલ શિલ્પખંડાદિ અવશેષોમાંથી ત્રણ પરના અંકિત લેખોની વાચના છો. મઅત્રિએ આપેલી છે, જેમાંથી એક પર–વરહુડિયા કુટુંબની પ્રશસ્તિની વાચનામાં—સુધારા સૂચવી પુનઃ અર્થઘટન સહિતવિસ્તૃત ચર્ચા સાંપ્રત લેખક દ્વારા થયેલી છે. અમારા માનવા મુજબ નીચે આપીએ છીએ તે લેખો અદ્યાપિપર્યન્ત પ્રકાશમાં આવ્યા નથી; છતાં અમારી જાણ બહાર રહેલા કોઈ સ્રોતમાં તેમાંથી કોઈક પ્રગટ થઈ ચૂક્યો હોય તો અમારા ભવિષ્યનાં પ્રકાશનોમાં તેની ઉચિત નોંધ લેશું. અહીં રજૂ થાય છે તેમાંથી થોડાકની સંયોગાનુસાર પૂરી વાચના થઈ શકી નથી, જેનાં કારણો તેવા કિસ્સાઓના સંદર્ભમાં દર્શાવ્યાં છે. (૧) આ લેખ કહેવાતા સંપ્રતિ રાજાના (વાસ્તવમાં સં. ૧૫૦૯ | ઈ. સ. ૧૪૫૩માં વ્યવહારી શાણરાજ વિનિર્મિત વિમલનાથ-જિનના મંદિરના) ગૂઢમંડપના દક્ષિણ દ્વારની For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ચોકીમાં વાપરેલ, ને અત્યારના મંદિરથી પુરાણા એવા સાદા સ્તંભમાં નીચે કોરેલ મુનિમૂર્તિની નીચે ખોદાયેલો ચાર પંક્તિનો લેખ જેટલો વાંચી શકાય છે તેટલો આ પ્રમાણે છે : સંવત ૧૨૩૬ ચૈત્ર સુદ્ધિ ૨૧ શ્રી સૂરિ...ઉજ્જયંતગિરિ પર જૈન મુનિઓ સલ્લેખનાર્થે આવતા એવાં સાહિત્યિક પ્રમાણો છે. આ સ્તંભ કોઈ સૂરિના સં. ૧૨૩૬ / ઈ. સ. ૧૧૮૦માં થયેલ નિર્વાણ બાદનો, તેમની નિષેદિકા' રૂપે ઊભો કર્યો જણાય છે. (આવા સાધુમૂર્તિઓ ધરાવતા બીજા પણ બેએક સ્તંભોના ભાગ દેવકોટથી ઉપર અંબાજીની ટૂક તરફ જતા માર્ગની બંન્ને બાજુએ જડી દીધેલા જોવાય છે.) સંપ્રતિ લેખ ચૌલુક્યરાજ ભીમદેવ દ્વિતીય (ઈ. સ. ૧૧૮૬-૧૨૪૨)ના શાસનકાળના પ્રારંભના ચોથા વર્ષમાં પડે છે. (૨) વસ્તુપાલવિહારની પાછળની ભેખડ પર સ્થિત આ લેખ હાલ ગુમાસ્તાના મંદિર તરીકે ઓળખાતા (મૂળ વસ્તુપાલ મંત્રી કારિત મરુદેવીના) મંદિરના મૂળનાયકની ગાદી પર છે; પણ પુષ્કળ કચરો જામેલ હોઈ સં૧૨૭૬ વર્ષે | સુદિ ૪....એટલું જ સ્પષ્ટ વાંચી શકાયું છે. (ઈ. સ. ૧૨૨૦નો આ તુલ્યકાલીન લેખ વસ્તુપાલ-તેજપાલના નિર્માણોથી પૂર્વનો છે. અહીં મૂળે તે નેમિનાથના મંદિર અંતર્ગત ક્યાંક હશે.) તીર્થપતિ જિન નેમિનાથની પશ્ચિમ તરફની ભમતીમાં શ્વેત આરસના નંદીશ્વરપટ્ટ (ચિત્ર “૧) પર બે પંક્તિમાં આ લેખ કોતરાયેલો છે; યથા : [पं. १ ] ९ सं. १२८२ फागुण व २ शुक्रे प्राग्वाट ठ. राजपालसुत महं. धांधलेन बांधव उदयन वाघा तथा भार्या सिरीसुत सूमा सोमा सीहा आसपाल तथा सुता जाल्ह नासु प्रभृति निजगोत्रमात्रुय श्रेयसे नंदीश्वरजिनबिम्बा - [पं. २ ] नि कारापितानि ॥ बृहद्गच्छीय श्रीप्रद्युम्नसूरि-शिष्यः श्रीमानदेवसूरिपदप्रतिष्ठित श्री जयानंदसूरिभिः प्रतिष्ठतानि । छ ॥ शुभं भवतु ॥ पुरिषमूर्ति. स्त्रीमूर्ति. महं. धांधलमूर्तिः ठ. कान्हडसूता महं. धांधलभार्या महं. सिरीमूत्तिः । ઈ. સ. ૧૨૨૬ના તુલ્યકાલીન આ લેખમાં ઉલિખિત મહંધાંધલ (જેઓ કદાચ મંત્રી મુદ્રા ધારણ કરતા હશે), તેમના વિશે વિશેષ માહિતી હાલ તો ઉપલબ્ધ નથી. રૈવતાચલાધીશ નેમિજિનના મંદિરની ઉત્તર તરફની ભમતીમાં અને ઉત્તર નિર્ગમપ્રતોલીની ભમતીમાં પડતી ભીંતને અઢેલીને લગાવેલ “વીસ વિહરમાન જિન'ના મનાતા For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો પટ્ટની નીચે આ પ્રમાણેનો ત્રણ પંક્તિમાં લેખ કોર્યો છે. (ચિત્ર ‘૨'). આ લેખની અપૂર્ણ વાચના સારાભાઈ નવાબે પૂર્વે પ્રકાશિત કરેલી૫. અહીં અમે તે લેખનો ઉપલબ્ધ પૂરો પાઠ આપીએ છીએ : सं॰ १२९० आषाढ श्रु ८ भोमे प्राग्वाट ठ. राजपाल ठ. देमति सुत महं. धांधलेन स्वभार्या महं. सिरी [१] तत्पितृतः कान्हड ठ- णू सुत सूमा सोमा सीहा आसपाल सुता जाल्ह रूपिणि महतरा શ્રીમુવ+ [૨] [સમ્મેતશિવરપટ્ટ:] ારિત:। પ્રતિષ્ઠિત: શ્રી [નયાનંવમૂરિ]મિ:[૨] આ પટ્ટના કારાપક, આગળ અહીં આઠ વર્ષ અગાઉ નંદીશ્વરદ્વીપપટ્ટ સ્થાપનાર, મહત્તમ ધાંધલ અને તેમનો પરિવાર છે; આગળ લેખાંક ‘૪’માં કહેલ કેટલાકનાં નામો અહીં પણ મળે છે. પ્રતિષ્ઠાપક આચાર્ય અગાઉ કહ્યા છે તે જયાનંદસૂરિ હશે તેવું અમારું અનુમાન છે. પટ્ટ જો કે તેમાં કંડારેલ વીસ જિનની સંખ્યાને કારણે વીસ વિહરમાન (સીમંધરાદિ મહાવિદેહ ક્ષેત્રના પ્રવર્તમાન) જિન હોવાનું માની લેવામાં આવ્યું છે; પણ બે કારણસર અમને તે સમ્મેતશિખરનો પટ્ટ હોવાનું લાગે છે. તેમાં પહેલું એ કે અંકિત વીસ જિનોમાં ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ (નાગફણા-છત્રાંકિત) છે; અને પ્રત્યેક જિનને શિખરયુક્ત પ્રાસાદમાં પ્રતિષ્ઠિત હોય તેમ દર્શાવ્યા છે, જે તેમની મૂર્તિઓની સમ્મેતશિખર ૫૨ મુક્તિ પામેલ ૨૦ જિનોના દેવકુલો વિશે સ્થાપનાનો ભાવ ૨જૂ કરે છે. આ તથ્યો લક્ષમાં લઈ અમે પંક્તિ બેમાં સંદર્ભગત સ્થાને ખૂટતા આઠ અક્ષરો ‘સમ્મેતશિખરપટ્ટઃ' હશે તેમ માન્યું છે. બંન્ને લેખોમાં અપાયેલી કારાપક સંબંધી માહિતી એકઠી કરતાં આ પદો સ્થાપનાર મહત્તમ ધાંધલનું વંશવૃક્ષ નીચે મુજબ આકારિત બને છે ઃ ૪ + ણુ = ૪. કાન્હડદે ૮. રાજપાલ = દેમતિ પુત્રી મહં સિરી =મહં ધાંધલ (પુત્રો) સૂમા સોમ ઉદયન (પુત્રીઓ) સીહા આસપાલ જાલ્ટ નાસુ ૯૧ For Personal & Private Use Only રૂપિણી વાઘા મહત્તરા શ્રીમુદ + Page #103 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર જિન નેમિનાથના મંદિરના દક્ષિણ દિશાના પ્રતોલી-નિર્ગમત્ક્રારની નજીકના કાળમીંઢ પથ્થરના એક સ્તંભ પર આ ઘણો જ ઘસાઈ ગયેલો સં ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮નો લેખ મળે છે. તેમાં મહત્ત્વની વાત એ છે કે જીર્ણદુર્ગ (ઉપરકોટ), અસલી જૂનાગઢના ઉપકંઠમાં, દુર્ગની પશ્ચિમે મંત્રી તેજપાળે ઈ. સ. ૧૨૩૨ આસપાસમાં (આજે જૂનાગઢ રૂપે ઓળખાતું) “તેજલપુર” નામક શહેર વસાવ્યાની વાત જે ઈસ્વીસના ૧૪મા-૧૫મા શતકના જૈન પ્રબંધાત્મક સાહિત્યમાં, તેમ જ એ જ કાળમાં રચાયેલી ચૈત્ય-પરિપાટીઓમાં મળે છે, તેનો અહીં પ્રથમ જ વાર, અને ઉપલબ્ધ સાહિત્યિક પ્રમાણોથી પ્રાચીન એવો અભિલેખીય ઉલ્લેખ મળે છે. લેખ નીચે મુજબ છે : સંવત ૨૩૩૪ વર્ષે વૈસાવ વઃિ ૮ રવાવ (?)...[] દેહ....... •••••••••••••••••••••••••••••••••••••••••• ......... નાર્થ....... શ્રૌતેનપુર... ..ક્ષેત્રપાન....................... श्रीदेवकीयक्षेत्रे प्राग्वाटज्ञाती ठ. श्री -माल महं आल्हणदेव्या श्रेयोर्थं વીગડેને......માર્યા .......... ....શ્રીદેવી માંડ[T] .........શ્રીતીર્થે શ્રીમતિજ્ઞા તી ........ ... .......રિતી હવે પછીના લેખો સોલંકી-વાઘેલાયુગની સમાપ્તિ બાદના છે. પીળા પાષાણ પર કંડારેલ સં ૧૩૬૧ | ઈ. સ. ૧૩૦પનો લેખ નેમિનિના ગૂઢમંડપમાં વાયવ્ય ખૂણાના ગોખલામાં ગોઠવેલ છે. લેખ ઉજ્જયંત મહાતીર્થ પર ચતુર્વિશતિ પટ્ટની સ્થાપના સંબંધી છે : For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉજજયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો ૯૩ યથા : संवत १३६१ ज्येष्ठ शुदि ९ बुधे श्रीमालज्ञातीय ठ. तिहुणा सुत [पं. १] महं, पदम महं. वीका महं हरिपालप्रभृतिभि: श्री उज्जयंतमहातीर्थे [पं. र] निज पितृपितामह मातामह भ्रातृ स्वसृ श्रेयोर्थं चतुर्विंशतिपट्टः का [पं. ३] रितः । प्रतिष्ठितः श्रीनेमिचंद्रसूरि शिष्य श्री जयचंद्रसूरिभिः । શુi Hવતું આ સમસ્ત છે. પટ્ટના કારાપકો તથા પ્રતિષ્ઠાપક સૂરિના ગચ્છ વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી. સં. ૧૪૯૪ | ઈ. સ. ૧૪૩૮નો આ લેખ એક પુરુષ અને પાંચ સ્ત્રીઓની આરાધક પ્રતિમા સમૂહ ધરાવતા પીળા ફલક પર નીચેના ભાગમાં કોરેલ છે : યથા : સા સા ] થાળી | દાહૂ ! I (Tી 2) | નાથી I (વાદ્રી ?) [ સંવત ૨૪૨૪ વર્ષે श्री श्रीमालन्यातीअ श्रेष्ठी करमण भार्या करमादे सुत सारंग भार्या सहित [१] उलगिसहा [२] પંદરમી શતાબ્દીના એક ચૈત્ય-પરિપાટીકાર હાથીપગલા જવાના માર્ગે “સારંગ જિણવર”ને નમ્યાનો ઉલ્લેખ કરે છે તે જિન આ સાહુ સારંગના કરાવેલા હશે? પ્રસ્તુત જિનનો નિર્માણકાળ આથી ઈ. સ. ૧૪૩૮ના અરસાનો અંદાજી શકાય. આ જ સાલમાં અહીં જિનકીર્તિસૂરિ દ્વારા, સમરસિંહ-માલદે દ્વારા નિર્મિત, “કલ્યાણત્રય' પ્રાસાદની પ્રતિષ્ઠા થયેલી. પ્રસ્તુત સૂરિ દ્વારા વર્ષ અજ્ઞાત) અહીં પૂનિગ-વસહીની પણ પ્રતિષ્ઠા થયેલી, જે પણ મોટે ભાગે આ ૧૪૩૮ની સાલમાં કે તેની સમીપના વર્ષમાં હોવાનું અનુમાન થઈ શકે. ( આ વિષય પર જુઓ અહીં લેખકનો “ગિરનારસ્થ કુમારવિહારની સમસ્યા” નામક લેખ.). જિન નેમિનાથના ગૂઢમંડપમાં હાલ જોવા મળતા પીળા પાષાણના જિનચતુર્વિશતિપટ્ટ (૩૮" x ૨૧")ની નીચે આ સં. ૧૪૯૯ | ઈ. સ. ૧૪૪૨-૪૩નો ટૂંકો લેખ છે : યથા : __ [पं. १ ] सं. १४९९ वर्षे फागुण सुदि १२ सोमे ओसवाल ज्ञातीय सा. समरसिंहेन સો........તેવયુતે ચતુર્વિ. [૫. ૨] પ રિત: પ્રતિ. શ્રી સોમસુરભૂમિ: લેખનું મહત્ત્વ તેમાં આવતા પ્રતિષ્ઠાપક આચાર્ય-રાણકપુરના જગપ્રસિદ્ધ નલિની ગુલ્મ ચતુર્મુખમહાવિહાર તેમ જ દેવકુલપાટક(મેવાડ-દેલવાડા)માં પ્રતિષ્ઠા કરનાર તપગચ્છાલંકર યુગપ્રધાન આચાર્ય-સોમસુંદરસૂરિને કારણે વધી જાય છે. સોમસુંદરસૂરિ ગિરનારની યાત્રાએ ગયાના સાહિત્યિક ઉલ્લેખો છે.... અને સમરસિંહ તે કદાચ કલ્યાણત્રયના મંદિરને સં૧૪૯૪માં નવું કરાવનાર બે ઓસવાળ કારાપકો (સમરસિંહ-માલદે) પૈકીના એક હશે. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર (૯) આ લેખ તથાકથિત સંપ્રતિરાજાના મંદિરના ગૂઢમંડપમાં જળવાયેલી એક શ્વેત આરસની જિન પ્રતિમા પર નીચેના હિસ્સામાં કંડારાયેલો છે : યથા : [. ૨] . ૨૪ [૧] વર્ષે મધ , ર શુ સૂરત વામિ શ્રી શ્રી - [पं. २ ] मालज्ञातीय श्रे. भाई आख्येन भा. रुडी सु. श्रे झांझणं प्रमुख कुटुंब [३] युतेन श्रीविमलनाथबिंबं कारित प्रतिष्ठितं वृद्धतपापक्षे श्रीरत्नसिंहसूरिभिः।। આ લેખનો ઉલ્લેખ (સ્વ) મુનિ શ્રી દર્શનવિજયજીએ કર્યો છે, પણ ત્યાં વાચના આપી નથી. વર્ષના છેલ્લા બે અંક વંચાતા નથી; પણ મુનિશ્રીએ સં. ૧૫૦૯ વર્ષ જણાવ્યું છે, જે લેખમાં આવતા પ્રતિષ્ઠાપક આચાર્યરૂપે શ્રી રત્નસિંહસૂરિના નામને કારણે લખ્યું હશે; કેમ કે પ્રસ્તુત સૂરિવરે આ મંદિરમાં મૂળનાયક જિન વિમલનાથની પ્રતિષ્ઠા સં. ૧૫૦૯માં કરાવેલી તેવું સમકાલિક સાહિત્યિક પ્રમાણ છે°; પરંતુ સાંપ્રત મૂર્તિ જિન વિમલનાથની હોવા છતાં, અને તેની પ્રતિષ્ઠાની મિતિ સં. ૧૫૦૯ હોવાનો સંભવ હોવા છતાં ૧, પ્રસ્તુત પ્રતિમા આ મંદિરના મૂલનાયક વિમલનાથની અસલી પ્રતિમા નથી લાગતી; કેમ કે આની પ્રતિષ્ઠા તો “સૂરયત (સૂરત) નિવાસી શ્રીમાળી કુટુંબે કરાવી છે; જ્યારે મંદિર ખંભાતવાસી શ્રેષ્ઠી શાણરાજ અને ભુંભવનું કરાવેલું હોઈ તેમનાં નામ ત્યાં હોવા ઘટે. વળી મૂળનાયકનું બિંબ પિત્તળનું હતું, છતાં લેખમાં અન્યથા મંદિરના પ્રતિષ્ઠાપક બૃહતપગચ્છનાયક રત્નસિંહસૂરિનું નામ મળતું હોઈ આ લેખ એક મૂલ્યવાન ઐતિહાસિક દસ્તાવેજ બની જાય છે. (૧૦) સગરામ સોનીના કહેવાતા મંદિરની જગતી પરની (અને મૂળ મંદિરની પાછળની) દેવકુલિકામાં એક આદિનાથના ચોવિસી પટ્ટ પર સં૧૫(O?)૯નું વર્ષ અંકિત છે જેની પ્રતિષ્ઠા આગમગચ્છના કોઈ (દેવેન્દ્ર ?) સૂરિની કરેલી હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે : યથા स्वस्ति संवत १५(०?)९ वर्षे वैशाख वदि ११ शुक्रे वीसलनगर-वास्तव्य श्री श्रीमालज्ञाती श्रे. लषमण भार्या [लीटी १] लषमादे सु. मेघावामणकमण भा. जागू श्रीआदिनाथबिंबं कारित ગામ છે [નીટી-૨] પ્રતિષ્ઠિત શ્રીટે- (સૂરિ?) fમ: [તી. રૂ] પ્રતિમા વિસલનગર(વિસનગર)ના શ્રીમાળી શ્રાવકોએ ભરાવેલી છે. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉજજયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો ૯૫ (૧૧) આ લેખ રત્નસિંહસૂરિના શિષ્ય ઉદયવલ્લભસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત, મૂળ ગભારામાં વર્તમાન મૂળનાયકની બાજુમાં રહેલ, પીળા પાષાણની પ્રતિમા પર છે. લેખમાં જિનનું નામ આપ્યું નથી, તેમ જ લાંછન સ્પષ્ટ રીતે દેખાતું ન હોઈ ઓળખ શક્ય નથી બની. [पं. १] सं १५१९ वर्षे वै. व ५ शु [पं. २] सा. अमरा भा. अहिवदे सुता हीरु का. प्र. [पं. ३] श्री उदयवल्लभसूरिभिः હાલ મૂળનાયક રૂપે પૂજાતી, પણ જિન નેમિનાથની શ્યામ પ્રતિમા પર પણ સં. ૧૫૧૯નો (રામંડલિકના શાસનનો ઉલ્લેખ કરતો) લેખ છે૨૨ અને બીજો સં૧૫૨૩ | ઈ. સ. ૧૪૬૭નો મૂળનાયક જિન વિમલનાથના ભોંયરામાંથી મળી આવેલ પિત્તળમય પરિકર પર છે, જે રત્નસિંહસૂરિ તેમ જ ઉદયવલ્લભસૂરિના ઉપદેશથી કરાવવામાં આવેલું, અને તેની પ્રતિષ્ઠા ઉદયવલ્લભસૂરિના શિષ્ય જ્ઞાનસાગરે કરેલી. (પરિકર પિત્તળનું હોઈ, અસલી મૂળનાયક વિમલનાથની પ્રતિમા પણ પિત્તળની હોવાનો પૂરો સંભવ છે.) આ સિવાય થોડાક ઈસ્વીસની ૧૮-૧૯મી શતાબ્દીના શ્વેતાંબર લેખો, તેમ જ કેટલાક દિગંબર સંપ્રદાયના ૧૫-૧૭મી શતાબ્દીના લેખો જોવામાં આવ્યા છે, જેનો અહીં સમાવેશ કર્યો નથી. ટિપ્પણો: 9. Travels in Western India, reprint, Delhi 1971, Nos. XI(1-3) and XII (1-4), pp. 504-512. 2. Ed. James M. Campbell, Gazetteer of the Bombay Presidency, Vol.1, Pt. 1, “History of Gujarat," Bombay 1896, p. 177. 3. Report on the Antiquities of Kathiawad and Kacch (1874-75), Archaeological Survey of Western India. Reprint, Varanasi 1971; pp. 159-170. આ સિવાય બર્જેસના Memorandum on the Antiquities at Dabhoi, Ahmedabad, Than, Junagadh, Girnar and Dhank, London 1875માં પ્રારંભિક નોંધો છે. ૪. કે. કા. શાસ્ત્રીના ચૂડાસમા વંશ સંબંધના લેખોમાં આ સ્પષ્ટતા વરતાય છે. 4. “Inscriptions of Girnar," Revised List of the Antiquarian Remains in the Bombay Presidency, Vol VIII. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર . “Inscriptions of Kathiawad," New Indian Antiquary, Vols. 1-III, Poona 1934| 1941. ૭. પ્રવીન જૈન ભૈરવ સંપ્રદ (દ્વિતીય મા'), પ્રવર્તક શ્રી કાંતિવિજયજી જૈન ઇતિહાસમાળા, પુષ્પ છઠું, જૈન આત્માનંદ સભા-ભાવનગર, ભાવનગર ૧૯૨૧, પૃ. ૪૭-૭૪. ૮. એજન, પૃ. ૬૯-૧૦). ૯. પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ (ભાગ ૧લો) શ્રી યશોવિજયજી જૈન ગંથમાલા, ભાવનગર સં. ૧૯૭૮ (ઈ. સ. ૧૯૨૨), પૃ. ૫૭. ૧૦. ગુજરાતના ઐતિહાસિક લેખો (ભાગ રજો), શ્રી ફાર્બસ ગુજરાતી સભા ગ્રંથાવલિ ૧૫, મુંબઈ ૧૯૩૫, પૃ. ૫૧, પ૬, અને ૧૫૪; તથા પ્રસ્તુત ગ્રંથનો ભાગ ૩જો, ફા. ગુસ0 ગ્રં ૧૫, મુંબઈ ૧૯૪૨, પૃ. ૧૪, ૧૯, ૨૩, ૯૮, ૩૨, ૩૦, ૪૨ ; તથા એજન, “પુરવણીના લેખો”, પૃ ૧૯૧, ૨૧૦, ૨૫૪, તેમ જ ૨૫૭-૧૫૮. 99. Jaina Tirthas in India and Their Architecture, Shri Jaina Kala Sahitya Samsodhaka Series 2, English series Vol II, Ahmedabad 1944, p. 34. ૧૨. “ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ લેખો” સ્વાધ્યાય પુ. ૧, અંક ૨, પૃ. ૨૦૪-૨૧૦. તથા “A Collection of Some Jaina Images from Mount Girnar," Bulletin of the Museum and Picture Gallery, Baroda, Vol XX, pp. 34-57, Fig. 3 (pl XLIII). ૧૩. “ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત,” સ્વાધ્યાય, પુ. ૮, અંક ૪, પૃ. ૪૬૯-૪૮૯. ૧૪. જેમ કે પૂર્ણતલગચ્છીય સુપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્યના પ્રગુરુના પ્રગુરુ યશોભદ્રસૂરિએ (ઈસ્વીસન્ના દશમા શતકના અંતભાગે) ગિરનાર પર સંથારો કર્યાનો ઉલ્લેખ પ્રસ્તુત ગચ્છના દેવચંદ્રસૂરિના શાંતિનાથચરિત્ર (પ્રાકૃત : સં. ૧૧૬૦ ઈ. સ. ૧૧૦૪), તથા હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ઠિશલાકાપુરષચરિત્ર(૧૨મી શતાબ્દી મધ્યભાગ)ની પ્રાંત-પ્રશસ્તિ, ઈત્યાદિ સાહિત્યમાં મળે છે; તથા થારાપદ્રગચ્છીય વાદિવેતાલ શાંતિસૂરિએ ઉજ્જયંતગિરિ પર સં. ૧૦૯૬ ઈ. સ. ૧૦૪૦માં પ્રાયોપવેશન કર્યાનો પ્રભાવકચરિતમાં નિર્દેશ થયો છે. 94. Nawab, Jaina Tirthas., p. 34. ૧૬. નવાબે આ પટ્ટને “વીસવિહરમાન”નો માન્યો છે તે ભૂલ જ છે. ૧૭. સંઘવી શવરાજવાળી આ ગ્રંથમાં સંપાદિત(મધુસૂદન ઢાંકી, વિધાત્રી વોરા)માં આવો ઉલ્લેખ છે. (અહીં આ સંકલનમાં તે પુનર્મુદ્રિત કરી છે.) ૧૮. સંઘપતિ ગણરાજ તથા સંઘપતિ શ્રીનાથની સાથે સોમસુંદરસૂરિ ઓછામાં ઓછું બે વાર તો યાત્રાર્થે ગિરનાર ગયેલા : (જુઓ મોદઇ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૪૫૬, ૪૫૮, ઇત્યાદિ.) ૧૯. જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા પુષ્પ ૩૮મું, અમદાવાદ ૧૯૪૯, પૃ. ૧૨૭. ૨૦. તપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની ૧૫મા શતકના મધ્યના અરસામાં રચાયેલી ગિરનાર-તીર્થમાળામાં નીચે For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ઉજજયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો મુજબ ઉલ્લેખ છે : સામી વિમલનાથ તિહિ ગાજઈ નિરૂમલ સોવનમય તનું છાજઈ, રાજઈ મહિમ નિધાન; ચિંતામણિ શ્રીપાસ જિસેસર સુરતરૂ અજિતનાથ તિર્થેસર, બિહુપરિ સોવન વાન, ૧૫ પીતલમય જિન પ્રતિમા બહુવિધ સમવસરણિ શ્રીવીર ચતુર્વિધ પૂજુ પુણ્ય નિધાન; પનરનવોત્તર ફાગણ માસિઇં, વંદુ નાં સસિ ભાણ. ૧૬ (સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાવનગર સં૧૯૭૮ | ઈ. સ. ૧૯૧૨, પૃ. ૩૫.) આ પ્રમાણને હિસાબે મૂળ પ્રતિમા સોને રસેલ કે ચકચકિત પિત્તળની હશે. એમાં કહેલ પિત્તળના મહાવીરના સમવસરણનો મોટો ખંડિત ભાગ ભોંયરામાંથી પ્રાપ્ત થયો છે. આ વિમલનાથનો પ્રાસાદ ખંભાતના શ્રેષ્ઠી શાણરાજ તથા ભુંભવે કરાવેલો. તેમાં પિત્તળની પ્રતિમા હોવાનું તપાગચ્છ હેમહંસગણિની ગિરનાર ચૈત્યપરિપાટીમાં નોંધાયું છે યથા: (શો? શા)ણગર પ્રાસાદિ બિંબ પિત્તલમઈ ઠાવિઅ ૨૮” (જુઓ. પં. બેચરદાસ જીવરાજ દોશી, પુરાતત્ત્વ, ૧ ૩ એપ્રિલ ૧૯૨૩, પૃ. ૨૯૬.) ૨૧. શાણરાજ ભુંભવની મૂળ પ્રશસ્તિ ખંડિત રૂપે મળતી હોઈ તેમાં પ્રતિષ્ઠાનું જે નિશ્ચિત રૂપે વર્ષદીધું હશે તે પ્રમાણ લુપ્ત થયું છે. 22. gal Diskalkar, Inscriptions., p. 120. ૨૩. વિજયધર્મસૂરિ, પૃ. ૫૭, પાદટીપ. ઋણસ્વીકાર અહીં પ્રકટ કરેલ બન્ને ચિત્રો American Institute of Indian Studies, Varanasi Centre,ના ચિત્રકાશમાંથી પ્રાપ્ત થયાં છે. પ્રસ્તુત સંસ્થાના સહાય અને સૌજન્યનો અહીં સ્વીકાર કરું છું. ચિત્રસ્થ બન્ને પટ્ટો અગાઉ સારાભાઈ નવાબના ઉપર સંદર્ભ સૂચિત ગ્રંથમાં Plate 33, Figs 73-74 રૂપે પ્રગટ થઈ ચૂક્યાં છે; પણ એ પુસ્તક અલભ્ય હોઈ ચિત્રોને અહીં સંદર્ભ-સુવિધાર્થે પુનઃપ્રકાશિત કરવાનું યોગ્ય માન્યું છે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ગુજરાતની વિવિધલક્ષી વાસ્તુપ્રણાલીનો મધ્યકાલીન ભારતીય સ્થાપત્યના મહોદધિને સમૃદ્ધ કરવામાં ગણનાપાત્ર કહી શકાય એવો ફાળો રહ્યો છે. ગુજરાતના રાજવંશો, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, અને બહુજનસમાજે ગૂર્જરધરાને વાસ્તુકૃતિઓથી શણગારવામાં કોઈ કચાશ રાખી નહોતી. આ વિપુલ પ્રશ્રયના પ્રતાપે એની વિશિષ્ટ સ્થાપત્યશૈલી પણ પૂર્ણ વિકાસ સાધી રહી; સારાયે પશ્ચિમ ભારતમાં વ્યાપ્ત એવી આ પ્રાણવાન મરુગૂર્જર પ્રથા પોતાની આંતરિક શક્તિ, એને અનુલક્ષીને રચાયેલા વાસ્તુગ્રંથોનું શિસ્તપૂર્ણ નિયમતંત્ર, તેમ જ સતત મળેલા પ્રશ્રય અને પોષણના પ્રતાપે આજ દિવસ સુધી ટકી રહી છે. વિધર્મી શાસનના કારણે ઉત્તરાપથમાં ઘણે સ્થળે જ્યારે દેવાલય સ્થાપત્યની ગ્લાનિ થઈ ત્યારે ગુજરાત અને રાજસ્થાનમાં એનો દીપ નિષ્કપ જલતો રહ્યો. પશ્ચિમ ભારતની આ આલંકારિક અને કલાપૂર્ણ વાસ્તુપરંપરાની જ્યોતને અબાધિત, અવિરત ઉત્તેજન આપી પ્રકાશિત રાખી એની રક્ષા કરનાર, એની રચનાઓના મર્મજ્ઞ અને પ્રશંસક, એની પ્રગતિના પુરસ્કર્તા અને પોષક તો હતા એ કાળે થયેલા કલિકાલકુબેર મંત્રીશ્વર વસ્તુપાલ અને એમના લઘુબંધુ વાણિજયવીર રાજપુરુષ તેજપાલ. ગુજરાતની સ્વાધીનતા અને સંસ્કૃતિના સમર્થ સંરક્ષક, એની અસ્મિતાના અઠંગ આરાધક, દુર્જય રણવીર છતાંયે ધર્મવીર, સ્વધર્મનિષ્ઠ છતાંયે સર્વધર્મસમદર્શી, શ્રી અને સરસ્વતીના સમાન લાડીલા સચિવેશ્વર વસ્તુપાલ અને ધર્મધુરંધર તેજપાલનાં સદ્ધર્મકૃત્યોની સવિસ્તર નોંધ એમના સમકાલીન પ્રશંસકો અને વિદ્યાશ્રિતોએ રચેલાં કાવ્યો અને પ્રશસ્તિઓ તેમ જ ચરિત્રચિત્રણમાંથી વિગતે મળી આવે છે. ઉત્તરકાલીન લેખકો પણ વસ્તુપાલ-તેજપાલની ધર્મવિષયક પ્રવૃત્તિઓનું સવિસ્તર, કેટલીક વાર અતિશયોક્તિભર્યું, વર્ણન કરતાં ચૂક્યા નથી. એ તમામ ગ્રંથસાધનોનાં નિરીક્ષણ, પરીક્ષણ, અને વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થતી અંતિમ અને વિશ્વસ્ત માહિતીના આધારે એટલું ચોક્કસ નિશ્ચિત થાય છે કે એમણે નિર્માણ કરાવેલ પ્રાસાદો અને પ્રતિમાઓ, વાપીઓ અને જલાશયો, પ્રાકારો અને પ્રકીર્ણ રચનાઓની સંપૂર્ણ યાદી સ્તબ્ધ કરે એવી વિસ્તૃત અને વિગતપૂર્ણ છે. સમ્રાટો પણ સવિસ્મય લજ્જિત બન્યા હશે એટલી વિશાળ સંખ્યામાં વાસ્તુ અને શિલ્પની રચનાઓ આ મહાન બંધુઓ દ્વારા થયેલી છે. અગાઉ કોઈ એક લેખમાં આ મહત્ત્વપૂર્ણ વિષય પર પૂર્ણ અને તલસ્પર્શી આલોચના થયેલી જાણમાં ન હોઈ અહીં એની વિગતવાર ચર્ચા કરવા વિચાર્યું છે. આ રસપ્રદ વિષય પર પ્રકાશ પાડનાર સાધનોમાં મુખ્યત્વે નીચેનાં ગ્રંથ અને પ્રશસ્તિ રચનાઓનો આધાર અહીં લેવામાં આવ્યો છે : (૧) કવિ સોમેશ્વરકૃત કીર્તિકૌમુદી (ઈ. સ. ૧૨૨૧ આસપાસ), (૨) જયસિંહસૂરિરચિત શકુનિકાવિહારપ્રશસ્તિ' (ઈ. સ. ૧૨૩૦ પૂર્વે), (૩)-(૪) નાગેન્દ્રગચ્છીય ઉદયપ્રભ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ સૂરિવિરચિત ધર્માભ્યુદય મહાકાવ્ય(ઈ. સ. ૧૨૩૦ પૂર્વે) તથા સુકૃતકીર્તિકલ્લોલિની (ઈ સ ૧૨૩૨ પૂર્વે), (૫) અરિસિંહકૃત સુકૃતસંકીર્તન (ઈ સ ૧૨૩૧ પૂર્વે), (૬) નરેન્દ્રપ્રભસૂરિરચિત ‘વસ્તુપાલપ્રશસ્તિ’(મોટી), (૭) વિજયસેનસૂરિષ્કૃત રેવંતગિરિરાસુ (ઈસ્વી ૧૨૩૨ બાદ) (૮) પાલ્હણપુત્રકૃત આબુરાસ, (૯) બાલચંદ્રકૃત વસંતવિલાસ, (ઈ. સ. ૧૨૪૦ પશ્ચાત્), (૧૦) મેરુતુંગાચાર્યકૃત પ્રબંધચિંતામણિ (ઈ. સ. ૧૩૦૯), અને (૧૧) જિનહર્ષગણિ વિરચિત વસ્તુપાલચરિત્ર (ઈ. સ. ૧૪૪૧). આ સિવાયના ગ્રંથો-જેવા કે જિનપ્રભસૂરિરચિત કલ્પપ્રદીપ (૧૩મી-૧૪મી શતાબ્દી), રાજશેખરસૂરિનો પ્રબંધકોશ (ઈ. સ. ૧૩૪૯), અને મુનિશ્રી જિનવિજયજી સંપાદિત પુરાતન પ્રબંધસંગ્રહના ૧૩થી ૧૫મી શતાબ્દીના લેખનોમાં જણાવેલી કેટલીક નોંધોના અપવાદો બાદ કરતાં બાકીનાની વિગતો તપાસતાં ઘણી વાર વ્યવહારુ શક્યતાઓની પરિસીમાઓ વટાવી જતી હોઈ અહીં તેને બહુ લક્ષમાં લેવામાં આવી નથી; જ્યારે ઉપર કહી તે ૧૧ રચનાઓમાં અપાયેલી નોંધો સમતોલ, અન્યોન્ય પ્રામાણિત, પૂરક અને પ્રતીતિકર, તેમ જ કેટલીક વાર ઉપલબ્ધ ઉત્કીર્ણ લેખોના આધારો ૫૨ નિઃશંક પુરવાર થતી હોઈ અહીં એને જ પ્રમાણભૂત માનવામાં આવી છે. આ સિવાય ઉત્તરાકાલીન લેખકોએ વસ્તુપાલ-તેજપાલને અનુલક્ષીને લખેલા રાસમાંથી કેટલીક ઉપયોગી લાગી તે માહિતીનો પણ અહીં-સમાવેશ કર્યો છે. તેમાં હીરાણંદ (ઈ. સ ૧૪૨૯), લક્ષ્મીસાગર (ઈ સ ૧૪૫૨ પશ્ચાત્), પાર્શ્વચંદ્ર (ઈ. સ. ૧૫૪૧), સમયસુંદર (ઈ. સ. ૧૬૨૬), અને મેરુવિજય(ઈ. સ. ૧૬૬૫)ની કૃતિઓ પ્રમુખ રૂપે ગણી શકાય. આ વાઙયિક સાધનો ઉપરાંત ગિરનાર અને આબુ પરની બે મોટી પ્રશસ્તિઓના શિલાલેખોમાં અપાયેલી વિગતો તેમ જ શત્રુંજય, આબુ, અણહિલ્લવાડ પાટણ, ખંભાત, નગરા, સેરિસા, તારંગા, ધોળકા, ગણેશર, અને પ્રભાસમાંથી પ્રાપ્ત થયેલા પ્રકીર્ણ લેખોની માહિતીને પણ અહીં સમાવી લેવામાં આવી છે. વસ્તુપાલ-તેજપાલનાં ધર્મલક્ષી સુકૃત્યોનું સમગ્રાવલોકન કરતાં એ મહામના મંત્રીઓની દાનશીલતાનો પ્રવાહ જૈન અને બ્રાહ્મણધર્મનાં ધર્મસ્થાનો પરત્વે તેમ જ ધાર્મિક અને જનોપયોગી વાસ્તુનિર્માણ તરફ નિષ્પક્ષ રીતે, પૂર્ણ ઔદાર્યથી, એકધારો વહ્યો છે. આ સુકૃત્યો કરતી વખતે આ સહૃદયી, પ્રેમાળ મંત્રીઓ પોતાના ભાઈભાંડુઓ, પૂર્વજો, ગુરુજનો, સગાંસંબંધીઓ, મિત્રો અને સમકાલીન રાજપુરુષોને પણ ભૂલ્યા નથી. આ તમામ સુકૃત્યરચનાઓનું વિશ્લેષણ કરતાં આ પ્રમાણે વર્ગીકરણ થાય છે : નાગરિક વાસ્તુમાં (૧) નગર નિર્માણ, (૨) વરણ વિધાન : જ્ઞ તટાક, આ કુંડ, રૂ વાપી, ર્ફે કૂપ, ૩ પ્રપા, ૐ તક્રમંડપિકા. અને સાથે જ દેવાલયાદિ વાસ્તુકર્મણામાં (૩) પ્રાસાદ નિર્માણઃ મૈં જૈન, આ બ્રાહ્મણીય, રૂ મુસ્લિમ; (૪) દેવકુલિકાદિ નિર્માણઃ મૈં જૈન, ઞ સ્તંભ, રૂ પ્રતિહસ્તક, રૂં ઉત્તાનપટ્ટ, (૫) 22 For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર સુવર્ણદંડકલશાધિરોપણ, (૬) સંચારપાજા નિર્માણ, તેમ જ (૭) જીર્ણોદ્ધારો : આ જૈનમંદિરો, મા બ્રાહ્મણીય મંદિરો, અને (૮) પ્રતિમા–પ્રતિષ્ઠા, 5 જૈન (જિન, સરસ્વતી, યક્ષીયક્ષાદિ), મા બ્રાહ્મણીય દેવતાઓ, ર્ આરાધક મૂર્તિ; તદુપરાંત (૯) અન્ય ઇમારતો આ પૌષધશાલા, મા બ્રહ્મશાલા, રૂ ધર્મશાલા, શું થશાલા, ૩ સત્રાગાર, 5 મઠ અને (૧૦) શેષઃ શુલ્કમંડપિકા, આ હટ્ટિકા, અને રૂ વાટિકા. ગ્રંથોમાં સૌથી વિશેષ વિગતો વસ્તપાલચરિત્રમાં અપાયેલી છે, જ્યારે પ્રશસ્તિઓમાં અલંકારમહોદધિના અંતે નરેન્દ્રપ્રભસૂરિએ આપેલી પ્રશસ્તિ સૌથી મોટી અને વિગતપૂર્ણ છે. જુદાં જુદાં સ્થળોએ વસ્તુપાલ-તેજપાલે કરાવેલ સુકૃત્યોની અહીં રજૂ કરવામાં આવી રહેલી હકીકતો બહુધા મૂળ કૃતિઓની અસલ શબ્દરચનાઓને પ્રામાણિક રહીને કરવામાં આવી છે. (૧) શત્રુંજય શ્વેતાંબર જૈન તીર્થોમાં અગ્રણી એવા આ દેવાત્મા સમા પુનિત, પ્રાચીન, પર્વતીય તીર્થ પર વસ્તુપાલને અપાર ભક્તિ, પ્રીતિ, અહોભાવ હતાં. એની એણે સાડાસાત વાર યાત્રા કરેલી. છેલ્લી યાત્રા અધૂરી રહી અને મહાયાત્રા બની. અહીં એણે ઘણાં સુકૃત કરાવેલાં. શત્રુંજયના દક્ષિણ શૃંગ પર મંત્રીશ્વર ઉદયનના પુત્ર વામ્ભટ્ટે ઈસ૧૧૫૭માં પુનર્નિર્માણ કરાવેલ ભગવાન્ સમો મણિકાંચનમય પૃષ્ઠપટ્ટ અને મુખભાગે શાતકુંભમય તોરણ કરાવ્યાં. એ પ્રાસાદના ત્રણે મંડપો પર જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી મહારત્નવત ત્રણ સુવર્ણકલશો પૌત્ર પ્રતાપસિંહના કલ્યાણ અર્થે ચઢાવ્યાં. એના પ્રવેશદ્વારમાં આરસનું મોટું તોરણ કરાવ્યું; તેમ જ એની સન્મુખે ઉભયમુખી લક્ષ્મીની મધ્યમૂર્તિવાળું તોરણ કરાવ્યું. એની સમીપમાં પ્રશસ્તિ સહિત બે ચતુષ્કિકાઓ કરાવી; તેમ જ ત્યાં લુસિંગ અને મલ્લદેવની અશ્વારૂઢ મૂર્તિઓ જુદી મંડપિકાઓમાં કરાવી; અને ઉત્તર-દક્ષિણે ચાર ચાર ચતુષ્કિકાઓ કરાવી. નાયના આ મહામંદિરની સામે પ્રત્યેક દ્વારે તોરણયુક્ત ઇન્દ્રમંડપ કરાવ્યો. તેમાં ભીમદેવ (?)", મહામંડલેશ્વર વિરધવળ, અને રાણી જૈતલદેવીની દ્વિપારૂઢ મૂર્તિઓ કરાવી; જયારે પોતાની અને તેજપાલની તુરગારૂઢ મૂર્તિઓ ઉપરાંત લલિતાદેવી(?)", સાત ગુરુજનો, પૂર્વજો , સંબંધીઓ અને મિત્રવર્યમંત્રી યશોવીર(?)ની મૂર્તિઓ મુકાવી. આ ઉપરાંત આદિનાથના એ મૂલચૈત્યના વામપક્ષે દ્વિતીય પત્ની સોબુકાના શ્રેયાર્થે ભૃગુકચ્છવિભૂષણ શ્રી મુનિસુવ્રતસ્વામીનું સમવસરણ, અશ્વાવબોધચરિત્ર, અને શકુનિકાચરિત્રપટ્ટ સહિતનું મંદિર કરાવ્યું. સત્યપુરમંડન મહાવીરના એ મંદિરને છેડે, પ્રવેશમાર્ગે, બે તોરણવાળું વાઝેવી(ભારતી)નું મંદિર કરાવ્યું. આ ત્રણે મંદિરો પર પ્રતાપસિંહના કલ્યાણ માટે કાંચન-કલશો મુકાવ્યા. ભૃગુપુરાવતારના મંદિરમાં પ્રપિતામહ ચંડપ્રસાદના શ્રેયાર્થે અજિતનાથ અને સંભવનાથના બિબ મુકાવ્યાં તેમ જ પોતાની અને સોબુકાની મૂર્તિ મુકાવી. એ શકુનિચૈત્યની પાછળ સ્વર્ગીય બંધુ મલ્લદેવના For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૦૧ શ્રેયાર્થે ઉત્તેગ તોરણ સહિત અષ્ટાપદ તીર્થ કરાવ્યું આટલામાં જ પોતાના અને લલિતાદેવીના શ્રેયાર્થે સ્ફટિકના ધારવાળી ઉત્તરમુખી બે દેવકુલિકાઓ કરાવી. એ સિવાય ગિરનારના ચાર કૂટ–અંબા, અવલોકના, શાંબ અને પ્રદ્યુમનના શિખરાવતાર, હેમદંડકલશયુક્ત મંદિરો સાથે રૈવતાધીશ નેમિનાથનું ચૈત્ય કરાવ્યું તેમ જ સ્તંભનકાધિપ પાર્શ્વનાથનું મંદિર કરાવ્યું. એક ઉત્સવમંડપ કરાવ્યો. જિનમાતા મરુદેવીના મંદિર પર હેમદંડ સહિત કલશ મુકાવ્યો. તીર્થરક્ષક કપર્દીયક્ષના પુરાતન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. એમાં વામપક્ષે તોરણ કરાવ્યું અને અંતરાલના ગોખલામાં પાર્શ્વનાથની મૂર્તિ કરાવી તેમ જ ત્યાં પરિધિમાં આરસની જગતી કરાવી. જગતીમાં મત્તવારણ મંડિત ઉત્તુંગ તોરણ કરાવ્યું. આદિનાથના આ દેવાલયસમૂહ ફરતો પ્રતોલીયુક્ત પ્રાકાર કરાવ્યો. (અહીં યુગાદિદેવના મંદિર પાસે શિલ્પીએ ઘડેલી સ્વર્ગીય માતા કુમારદેવીની પ્રતિમા જોઈ આદ્રહૃદયી મંત્રીશ્વરની આંખોમાં આંસુ આવેલાં.) શત્રુંજયના (ઉત્તર શૃંગ પર આવેલા) શાંતિનાથના પ્રાચીન મંદિર પર પાંચ શાતકુંભ (સુવર્ણકલશ) મુકાવ્યા અને એના મંડપમાં સાત દેવકુલિકાઓ કરાવી; તેમ જ સાત જયસ્તંભો આરોપ્યા. આટલામાં કયાંક ગજપદકુંડ પણ કરાવ્યો. મોઢેરપુરાવતાર મહાવીરના મંદિરમાં પોતાની આરાધક મૂર્તિ મુકાવી. શત્રુંજય પર પોતે કરાવેલાં દેવસ્થાનોના ખર્ચનિભાવ માટે વીરધવલ પાસે તામ્રશાસન કરાવી અર્કપાલિત (અંકેવાળિયા) ગામ સમર્પણ કરાવ્યું. શત્રુંજયને અનુલક્ષીને લઘુબંધુ તેજપાલે પણ કેટલાંક સુકૃત્યો કરાવેલાં જેની નોંધ હવે જોઈએ. એણે શત્રુંજય પર ચડવાની પાજ (સંચારપાજા) કરાવી. આદિનાથના શૃંગની સામે અનુપમાદેવીના શ્રેય માટે અનુપમાસરોવર કરાવ્યું. એના ઉપકંઠ અને કુંડ વચ્ચેના તટ પર વાટિકા કરાવી. ત્યાં અંબાલય, કપર્દીભવન અને પદ્યબંધ (પગથિયા) કરાવ્યાં. ઇન્દ્રમંડપ પાસે નંદીશ્વરદ્વીપચૈત્ય કરાવ્યું. પોતાની સાત ભગિનીઓના કલ્યાણ અર્થે સાત દેવકુલિકાઓ કરાવી. બંધુ મલ્લદેવની બે વિધવા પત્નીઓ–લીલુ અને પાન–અને એમના પુત્ર પૂર્ણસિંહ અને પૌત્ર પેથડના શ્રેયાર્થે ત્યાં બીજી ચાર દેવકુલિકાઓ કરાવી. મંત્રી યશોરાજ(યશોવીર ?)ના શ્રેયાર્થે ત્રણ દેવકુલિકાઓ કરાવી. પોતાની અને અનુપમાદેવીની આરસની બે મૂર્તિઓ કરાવી. શંખેશ્વરાવતાર પાર્શ્વનાથની મૂર્તિ કરાવી. છેલ્લે વસ્તુપાલના સ્મરણમાં સ્વર્ગારોહણ પ્રાસાદ કરાવ્યો. ઈ. સ. ૧૩૧૩ દરમિયાન થયેલાં ખંડન અને ત્યારપછીના જીર્ણોદ્ધાર, ખાસ કરીને ૧૬મી શતાબ્દીના કર્માશાના જીર્ણોદ્ધાર દરમિયાન શત્રુંજય પરની વસ્તુપાલ-તેજપાલ નિર્મિત સ્થાપત્યકૃતિઓનો અન્ય પ્રાચીન દેવાલયો સાથે સર્વથા વિનાશ થયો હોવાનું જણાય છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર (૨) પાદલિપ્તપુર શત્રુંજયની તળેટીમાં વાભટ્ટ-પ્રપા પાસે અને પાલીતાણાની સીમમાં વસ્તુપાલે લલિતાદેવીના શ્રેયાર્થે લલિતાસર કરાવ્યું. એના સેતુ પર રવિ, શંકર, સાવિત્રી અને વીરજિનનાં ધામો કરાવ્યાં. જિનપૂજન માટે કુસુમવાટિકા તેમ જ પ્રપા અને વસતી કરાવ્યાં. પાલીતાણાગામમાં મહાવીરનું મંદિર કરાવ્યું અને ત્યાં કુમારવિહાર (વસ્તુતયા ત્રિભુવનવિહાર) પર હેમકુંભ અને ધજા ચડાવ્યાં. (૩) ગિરનાર શત્રુંજય પછીનું તરતનું મહત્ત્વ ધરાવતા પુરાણપ્રસિદ્ધ રૈવતાચલ–ગિરનાર–પર પણ વસ્તુપાલે મહત્ત્વનાં સુકૃત્યો કરાવેલાં. અહીં ઈસ. ૧૧૨૯માં સોરઠના દંડનાયક સજ્જન દ્વારા નવનિર્મિત તીર્થનાયક ભગવાન નેમિનાથના મંદિરના પશ્ચિમ તેમ જ ઉત્તર અને દક્ષિણ દ્વારે તોરણો કરાવ્યાં. એના ગૂઢમંડપ આગળની ત્રિક(મુખમંડ૫)માં ડાબીજમણી બાજુએ પિતા તથા પિતામહની અથારૂઢ મૂર્તિઓ કરાવી, તેમ જ ત્યાં પિતાના શ્રેયાર્થે અજિત અને શાંતિજિનની કાયોત્સર્ગ પ્રતિમાઓ કરાવી. સંકડાશ ટાળવા અહીં ઇન્દ્રમંડપ પણ કરાવ્યો. મંડપ પર કલ્યાણકલશો મુકાવ્યાં. નેમિનાથના આ પ્રશસ્ય જિનભવનના અંતભાગે (પાછળ, પૂર્વમાં) પૂર્વજોની પ્રતિમાઓ અને પ્રશસ્તિ સહિત કાશ્મીરાવતાર દેવી સરસ્વતીની કુલિકા કરાવી. આ સિવાય વસ્તુપાલે અહીં કેટલાંક મહત્ત્વનાં નવાં મૌલિક મંદિરો પણ કરાવેલાં. એમાં સ્વશ્રેયાર્થે શત્રુંજયાવતાર ઋષભદેવનું મંદિર, તેને વામપક્ષે જોડેલો લલિતાદેવીની પુણ્યવૃદ્ધિ અર્થે કરાવેલ, પૂર્વજોની મૂર્તિ સાથેનો, વિશાતી જિનાલંકૃત સમેતશિખર મંડપ અને દક્ષિણ પક્ષે સોખુકાના શ્રેયાર્થે કરાવેલ અષ્ટાપદતીર્થ સમેત વસ્તુપાલવિહાર' નામે ઓળખાતું, ઈ. સ. ૧૨૩રમાં પૂર્ણ થયેલું, ઝૂમખું મુખ્ય અને મહત્ત્વનું છે. આદિનાથના એ મંદિરમાં પોતાના પૂર્વજોના શ્રેયાર્થે અજિતનાથ અને વાસુપૂજ્યનાં બિંબ મુકાવ્યાં. એના મંડપમાં ચંડપની મૂર્તિ, વીર જિનેન્દ્રનું બિંબ, અને અંબિકાની મૂર્તિ કરાવ્યાં; ત્યાં ગર્ભગૃહના દ્વારની ડાબીજમણી બાજુએ પોતાની અને તેજપાલની ગજારૂઢ મૂર્તિઓ કરાવી. અષ્ટાપદના મંડપમાં કુમારદેવીની અને ભગિનીની મૂર્તિ કરાવી. આ ત્રણે પ્રાસાદનાં ત્રણ તોરણ કરાવ્યાં. આ વસ્તુપાલવિહારની પૃષ્ઠ કપર્દીયક્ષનું મંદિર કરાવ્યું. ઋષભદેવની માતા મરૂદેવીનું મંદિર અને તેમાં જિનમાતાની ગજારૂઢ મૂર્તિ કરાવી. આ ઉપરાંત સ્તંભનપુરાવતાર પાર્શ્વનાથનું મંદિર કરાવ્યું. અહીં પણ વસ્તુપાલે સત્યપુરાવતાર મહાવીરનું મહિમાસ્વરૂપ મંદિર બંધાવેલું. નેમિનાથની પ્રતિમા અને આત્મીય, પૂર્વજ, અનુજ, પુત્રાદિની મૂર્તિઓ સહિતનો એક સુખોદ્ધાટનક કે મુખોદ્ઘાટનક સ્તંભ કરાવ્યો. ઉત્તર બાજુએ પિતા આસરાજ અને પિતામહ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૦૩ સોમની અશ્વારૂઢ મૂર્તિઓ કરાવી. જિનમઠની પ્રપા કરાવી અને ત્રણ દેવકુલિકાઓ કરાવી. શિવાચૈત્યમાં પોતાની, પોતાની પત્નીની, તેજપાળ અને એની ભાર્યાની મૂર્તિ મુકાવી. અંબાશિખરે અંબિકાસદનનો નવો મંડપ કરાવ્યો. અંબિકાનું આરસનું પરિકર કરાવ્યું. અહની દેવકુલિકા કરાવી. અહીં ચંડપના શ્રેયાર્થે નેમિનાથની મૂર્તિ તથા ચંડપ, મલદેવ, તેજપાળ અને પોતાની મૂર્તિઓ કરાવી. અવલોકનાશિખરે ચંડપ્રસાદની પુણ્યવૃદ્ધિ અર્થે નેમિજિનની પ્રતિમા તેમ જ ચંડપ્રાસાદની અને પોતાની પ્રતિમા મુકાવી. પ્રદ્યુમનશિખરે સોમના શ્રેયાર્થે નેમિજિનની મૂર્તિ તથા સોમની અને તેજપાળની મૂર્તિ મુકાવી. શાંબશિખરે પિતા આસરાજના કલ્યાણ અર્થે નેમિનાથની પ્રતિમા તેમ જ આસરાજ અને કુમારદેવીની પ્રતિમા મુકાવી. તેજપાળે ગિરનાર ઉપર તો માત્ર “કલ્યાણત્રય સંજ્ઞક નેમિનાથનું મંદિર બંધાવ્યાના ઉલ્લેખો છે. એ મંદિરનો સમરસિંહ-માલદેએ ઈ. સ. ૧૪૩૮માં આમૂલચૂલ ઉદ્ધાર કરેલો અને હાલ તે સંગ્રામસોનીના મંદિર તરીકે ઓળખાય છે. વસ્તુપાલે કરાવેલા પાર્શ્વનાથના ચૈત્યને સ્થાને સંપ્રતિ રાજાના મંદિરના નામે ઓળખાતું શાણરાજ અને ભુંભવે ઈ. સ. ૧૪૫૩માં બંધાવેલું મંદિર ઊભું છે; જ્યારે સત્યપુરવીરને સ્થાને નરપાલ સંઘવીએ ઈ. સ. ૧૪૩૮ના અરસામાં મહાવીરનું નવીન જ મંદિર બંધાવ્યું જે હાલ મેલકવસહી તરીકે ઓળખાય છે. અંબિકાના મંદિરનો પણ શ્રેષ્ઠી સોમલે ઈસ. ૧૪૬૮માં પૂર્ણરૂપે ઉદ્ધાર કરેલો છે. છતાં વસ્તુપાલની મુખ્યકૃતિ “વસ્તુપાલ-વિહાર' હજુ અસ્તિત્વમાં છે. નેમિનાથના મંદિરની પાછળ એ મંદિર આવેલું છે. તેમાં પણ જો કે મંડપોની છતો, સંવરણા, અને ગર્ભગૃહનાં શિખર ૧૫મી શતાબ્દીમાં નવેસરથી બંધાયાં લાગે છે. આ મંદિરમાં જ સંવત્ ૧૨૮૮ના વર્ષવાળી વસ્તુપાલની ૬ મોટી અને મહત્ત્વપૂર્ણ શિલાલેખપ્રશસ્તિઓ લગાવેલી છે. આ દેવાલય ગુજરાતના સ્થાપત્યની એક અણમોલ કૃતિ ગણાય છે. ડુંગર ઉપરના સ્થાપત્ય ઉપરાંત ગિરનારની તળેટીમાં તેજપાલે ગઢ સહિત તેજલપુર વસાવેલું. તેમાં મમ્માણી ખાણના પથ્થરમાંથી ઘડેલી પાર્શ્વનાથની પ્રતિમા સહિત આસરાજવિહાર કરાવ્યો. આ ઉપરાંત ત્યાં વસતી, સંઘેશગૃહ, સત્રાગાર, વાપી, અપા, અને નવહટ્ટ કરાવ્યાં. પાર્શ્વનાથની પૂજા માટે ઉદ્યાન કરાવ્યું; અને માતાના નામથી કુમારસરોવર કરાવ્યું. વસ્ત્રાપથમાં ભવનાથનો ઉદ્ધાર કરાવ્યો. ત્યાં આગળ કાલમેઘ ક્ષેત્રપાલ સ્થાપ્યા અને આશ્વમંડપ કરાવ્યો. તેજપાલની આ તમામ કૃતિઓ (કદાચ કુમારસરોવર સિવાય)* કાળબળે નષ્ટ થઈ ચૂકી છે. ભવનાથ મહાદેવનો અંદરનો જૂનો ભાગ હજુ ઊભો છે. તે તો મૈત્રકકાલ જેટલો છે. * તળાવ દરવાજા બહાર આવેલાં આ તળાવમાં હવે વસાહત બની ગઈ છે. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર (૪) વામનસ્થળી મંત્રી તેજપાળે વંથળીમાં વસતી કરાવી અને ગામના પ્રાંતરમાં વાપી કરાવી. (૫) દેવપત્તન વસ્તુપાલે અહીં પુરાતન ચંદ્રપ્રભજિનના મંદિરના અંત ભાગે પૌષધશાલા સહિત અષ્ટાપદપ્રાસાદ બંધાવ્યો. એક બીજી પૌષધશાલા પણ કરાવી અને આવક માટે અદૃશાલા અને ગૃહમાલા કરાવી આપ્યાં. ભગવાન સોમનાથની રત્નખચિત મુંડમાળા રાજા વિરધવળના સંતોષ માટે કરાવી. સોમનાથના મંદિર આગળ તેજપાલે પોતાની કીર્તિ માટે ડુંગર જેવા બે હાથી અને એક ઘોડો કરાવ્યા. દ્વિજના વેદપાઠ માટે બ્રહ્મશાલા અને સત્રાગાર કરાવ્યાં. તેજપાળે આદિનાથનું મોટું મંદિર કરાવ્યું. અનુપમાદેવીએ ઈ. સ. ૧૨૩૪માં મહાવીરના બિંબની પ્રતિષ્ઠા કરાવી. વસ્તુપાલે કરાવેલા અષ્ટાપદના સ્તંભો અને સુંદર છત હાલ અહીંના જુમ્મા મસ્જિદના પ્રવેશમંડપમાં છે; જયારે તેજપાલવાળા આદિનાથ મંદિરના સ્તંભો અને મંડપની છત માઈપુરી મસ્જિદમાં છે''. (૬) કુહેડીગ્રામ તપોધનો માટે વસ્તુપાલ અભિરામ (આરામ? આશ્રમ ?) કરાવ્યો. (૭) કોડિયનારિ કોડીનારમાં વસ્તુપાલે નેમિનાથચૈત્યને ચંચધ્વજથા શાભિત કર્યું. આબકાના મદિરનો ઉદ્ધાર કરી તેના પર હેમકલશ ચઢાવ્યો. (૮) અજાહરપુર | ઉના પાસેના અજારાગ્રામમાં મંત્રીશ્વર વસ્તુપાલે જિનાધીશ(પાર્શ્વનાથ ?)ના મંદિરનો ઉદ્ધાર કરી તેના શિખર પર કાંચનકલશ મુકાવ્યો. નિત્યપૂજા અર્થે ગામની બહાર વાટિકા અને વાપી કરાવ્યાં. (૯) મધુમતી મહુવામાં જાવડી શ્રેષ્ઠીએ કરાવેલ વીરમંદિર પર વસ્તુપાલે ધજા અને હેમકુંભ મુકાવ્યાં. (૧૦) તાલધ્વજપુર તળાજામાં વસ્તુપાલે ઋષભદેવનો પ્રાસાદ કરાવ્યો. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૦૫ (૧૧) અર્કપાલિત પાલીતાણા ક્ષેત્રની નજીક આવેલા ઉત્તર મધ્યકાળમાં અંકીપલિય નામે કે અત્યારે અંકેવાળિયાના નામે ઓળખાતાં ગામમાં વસ્તુપાલે જનકની ધર્મવૃદ્ધિ માટે શ્રી વીરજિનનું મંદિર કરાવ્યું. માતૃપુણ્યાર્થે પ્રપા, પિતૃપુણ્યાર્થે સત્ર, સ્વશ્રેયાર્થે વસ્તુપાલસરોવર અને ગામલોકોના કલ્યાણ માટે શિવમંદિર અને પાથાવાસ કુટિ પણ કરાવ્યાં. (૧૨) વલભી વલભીપુરમાં મલ્લદેવના શ્રેયાર્થે વસ્તુપાલે ઋષભપ્રભુના મંદિરનો ઉદ્ધાર કર્યો; કૂપ, સુધાકુંડ, અને પ્રપા કરાવ્યાં. (૧૩) વિરેજયગ્રામ અહીં વસ્તુપાલ વિહાર કરાવ્યો, તેમ જ યાત્રિકોની સગવડ માટે સત્ર અને પ્રપા કરાવ્યાં. સંઘને ઊતરવા માટે પ્રતોલી સહિત સ્થાન કરાવ્યું. પાંચ મઠ કરાવ્યા. (૧૪) વાધાકભંડપદ્ર (વાળાક પંથક ?)માં વસ્તુપાલે વટકુપમંડપિકા કરાવી. (૧૫) કલિગુંદીગ્રામ તેજપાળે અહીં પ્રપા અને વાપી કરાવ્યાં, વસ્તુપાલે તેની ડાબી બાજુએ ગાંગેયનું કલશયુક્ત મંદિર કરાવ્યું. (૧૬) વર્ધમાનપુર વસ્તુપાલે વઢવાણમાં વર્ધમાનજિનેશનો હેમકુંભદંડવિભૂષિત બાવન જિનાલયવાળો પ્રાસાદ કરાવ્યો. સંઘરક્ષા માટે દુર્ગ કરાવ્યો. વીરપાલદેવના (મહાવીરના ?) પુરાતન દેવાલયનો ઉદ્ધાર કરાવ્યો. વાપી કરાવી અને બે સત્રાગારો કરાવ્યાં. આ મંદિરો કાળના ગર્ભમાં વિલીન થઈ ગયાં છે. (૧૭) ધવલકક્ક વિરધવલના સમયમાં ધોળકા વાઘેલાઓનું પાટનગર હતું. અહીં વસ્તુપાલે શત્રુંજયાવતાર શ્રી નાભિજિનેશનો વિશાલબિંબપ્રતિષ્ઠિત, સુવર્ણકલશયુક્ત, ચતુર્વિશતિ પ્રાસાદ તેમ જ કપર્દીયક્ષનું મંદિર કરાવ્યું. પૌષધશાલા કરાવી, મુનિઓ માટે બીજી વસતી પણ કરાવી. રાણકભટ્ટારકના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો તથા વાપી અને પ્રપા કરાવ્યાં. તેજપાલે અહીં For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ઉજ્જયંતાવતાર શ્રી નેમિનાથનો “કૈલોક્યસુંદર'પ્રાસાદ કરાવ્યો. અહીંની ટાંકા મસ્જિદમાં આ પૈકીના કેટલાક અવશેષો હોવા જોઈએ. વસ્તુપાલના મૂલમંદિરનું સ્થાન ધોળકામાં બતાવવામાં આવે છે, પણ વર્તમાન મંદિર પ્રમાણમાં અર્વાચીન છે. (૧૮) ધંધુક્કક વસ્તુપાલે ધંધુકામાં ચતુર્વિશતિબિંબ અને વીરજિન સહિત અષ્ટાપદ ચૈત્ય કરાવ્યું. કુમારવિહારનો ઉદ્ધાર કરી એમાં મૂલનાયકની પ્રતિષ્ઠા કરી અને શિખર પર હેમકુંભ મુકાવ્યાં. તેજપાલે અહીં મોઢવસતિમાં પાંચાલિકા(પૂતળી)વાળો રંગમંડપ કરાવ્યો. એ ઉપરાંત અહીં ત્રણ ધર્મશાલા, બે વિદ્યામઠ અને ત્રણ સત્રાગાર કરાવ્યાં. ધંધુકા અને હડાલાના પ્રાંતરમાં વીરવળના સુકૃત માટે પ્રપા સહિત વાપી કરાવી. - સૌરાષ્ટ્ર પ્રદેશમાં કરાવેલ સુકૃત્યોના અવલોકન બાદ હવે લાટમાં તેમણે કરાવેલ કૃતિઓની નોંધ જોઈએ. (૧૯) ગણેશ્વર વસ્તુપાલ અહીં ઈ. સ. ૧૨૩૫માં ગણેશ્વરના મંદિરનો મંડપ કરાવ્યો. (૨૦) નવસારિકા નવસારીમાં તેજપાલે બાવન જિનાલયયુક્ત પાર્શ્વનાથનો પ્રાસાદ કરાવ્યો. (૨૧) ઘણદિવ્યાપુરી ગણદેવીમાં તેજપાલે નેમિચેત્ય કરાવ્યું. (૨૨) ઝીઝરીઆ ગ્રામ તેજપાલે (ઝગડિયામાં?) પ્રાસાદ, સરોવર અને વાપી કરાવ્યાં. (૨૩) ભૃગુકચ્છ અહીં ઉદયનમંત્રીના પુત્ર આમભટ્ટે ઈ. સ. ૧૧૬ ૬માં પુનર્નિર્માણ કરેલા પ્રસિદ્ધ શકુનિકાવિહારમાં ૨૫ દેવકુલિકાઓ પર હેમદંડ સહિત કલ્યાણકુંભ મુકાવ્યા. મંદિરનું પ્રતોલી-નિર્ગમ દ્વારા તારતોરણ સહિત નવું કરાવ્યું. ગૂઢમંડપમાં પોતાના અને લલિતાદેવીના શ્રેયાર્થે પરિકરયુક્ત અજિતનાથ અને શાંતિનાથની પ્રતિમાઓ તેમ જ તેની (કોડે?) દક્ષિણમાં પોતાની અને લલિતાદેવીની મૂર્તિ કરાવી. એ શકુનિચૈત્યના મુખ પાસે આરસની બે દેવકુલિકાઓ કરાવી. (તેમાં ?) પાર્શ્વનાથ અને મહાવીરનાં બિંબ મુકાવ્યાં. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૦૭ મુનિસુવ્રતસ્વામીની ધાતુની મૂર્તિ કરાવી. જાંબુનદ (સોનાની) અને ધાતુની ૨૦ જિન પ્રતિમાઓ પણ કરાવી. આ ભૃગુપુરમાં ચાર ચેત્યો તેમ જ વાપી, કૂપ, અને અપાયુક્ત અભેદ્ય દુર્ગ કરાવ્યો. ગામ બહાર પુષ્પવન કરાવ્યું. તેજપાલે અહીં લેપમયી મૂર્તિઓ કરાવી, તેમ જ યુગાદીશના મંદિર પર હેમમહાધ્વજ ચડાવ્યો. ત્યાં ઉત્તર અને દક્ષિણે એમ બે દેવકુલિકાઓ કરાવી. ત્રણ કાંચનકુંભ પધરાવ્યા. સ્નાત્રપીઠ પર ધાતુબિંબ પધરાવ્યાં. નાગેન્દ્રાદિ (નાગેન્દ્ર ગચ્છ આદિના?) મુનિઓની લેખમયી પ્રતિમાઓની પોતાના ગુરુ (વિજયસેનસૂરિ ?) દ્વારા પ્રતિષ્ઠા કરાવી. (૨૪) વડકૃષણપલ્લિ વસ્તુપાલે અહીં(વટફૂપ ?)ના બે ચૈત્યોમાં (અનુક્રમે) નાભેય અને નેમિનાથના બિંબની પ્રતિષ્ઠા કરાવી. સુવ્રતસ્વામીના ચૈત્યમાં હેમબિંબ મુકાવ્યું. (૨૫) શુક્લતીર્થ વસ્તુપાલે સત્રાગાર કરાવ્યું. (૨૬) વટપદ્ર વડોદરામાં તેજપાલે પાર્થજિનેન્દ્રનો અંદરોપમ વિશાળ પ્રાસાદ કરાવ્યો. (૨૭) વત્કાટપુર (આકોટા ?)માં આદિનાથના મંદિરનો તેજપાલે ઉદ્ધાર કરાવ્યો. (૨૮) અસોવનગ્રામ " તેજપાલે અહચૈત્ય કરાવ્યું. (૨૯) દર્ભાવતી ડભોઈ વાઘેલાઓની પ્રિય ભૂમિ હતી. અહીં મંત્રીપુંગવોએ કેટલાંક મહત્ત્વનાં સુકૃત્યો કરાવેલાં. વસ્તુપાલે અહીંના વૈદ્યનાથ મંદિરના ૨૦ સુવર્ણ કલશો (પૂર્વે માલવાનો સુભટવર્મન હરી ગયેલો તેના સ્થાને) નવા કરાવી મુકાવ્યા. એના ગર્ભગૃહની બહારની ભીંતમાં વરધવલ, જૈતલદેવી, મલ્લદેવ, પોતાની તથા તેજપાલની મૂર્તિ કરાવી. દિનપતિ(સૂર્ય)ની પણ મૂર્તિ મુકાવી. ઉત્તરદ્વાર પાસે તોરણ કરાવ્યું. કાંચનકુંભથી શોભતી બે ભૂમિકાવાળી વૃષભંડપિકા (નંદીમંડપિકા) કરાવી. એ મંદિરના અગ્રભાગમાં તેજપાલે જૈનમંદિર કરાવ્યું ને એના પર સુવર્ણના નવ કલશ મુકાવ્યા. ત્યાં પ્રશસ્તિ મુકાવી. સ્વયંવર મહાવાપી કરાવી. કૈલાસ પર્વત સમા તોરણયુક્ત, સુવર્ણકુંભાંકિત પૂર્વજમૂર્તિયુક્ત (૧૭૧ દેવકુલિકાઓના પરિવાર સાથે ?) For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર પાર્શ્વજિનેશ્વરના ચૈત્યની રચના કરાવી. ત્યાં વલાનકમાં ગજરૂઢ, રજતપુષ્પમાલાધારી માતા કુમારદેવીની પ્રતિમા મુકાવી. નગર ફરતો વિવિધભંગી વપ્ર (દુર્ગ) કરાવ્યો. રેવોર્સંગમે (વરધવલના નામથી ?) વીરેશ્વર દેવનું મંદિર કરાવ્યું. કુંભેશ્વર તીર્થમાં સંપસ્વી મંડપ કરાવ્યો. અત્યારે તો ડભોઈમાં વૈદ્યનાથ મહાદેવ કે પાર્શ્વનાથના મંદિરનો પત્તો નથી. વૈદ્યનાથ મંદિર સામે જે જૈનમંદિર હશે, કદાચ તેના અવશેષો ત્યાંના મહાલક્ષ્મીના નવા મંદિરમાં વપરાયા લાગે છે. ત્યાં લલાટબિંબ તરીકે દ્વારશાખામાં જિનમૂર્તિ છે. ડભોઈના કિલ્લાનાં ત્રણ દ્વારોનાંદોદ, વડોદરા, અને મહુડી–તેજપાલે બંધાવેલાં લાગે છે; જ્યારે પૂર્વ તરફની ગઢકાળિકાના મંદિરવાળી હીરાભાગોળ તો ત્યાંના પ્રશસ્તિલેખ અનુસાર વીસળદેવ વાઘેલાએ ઈ. સ૧૨૫૩માં બંધાવી છે. કલાની દૃષ્ટિએ આ ધારો કેવળ ગુજરાતના જ નહીં, સારાયે ભારતના ગૌરવ સમા છે. (૩૦) પાવકગિરિ પાવાગઢ પર તેજપાલે અહંતદેવ(સંભવનાથ)નો ગજાથનર પીઠાંક્તિ સર્વતોભદ્રપ્રસાદ (ચૌમુખ પ્રાસાદ) તેમ જ આદિજિનેશ, અજિતનાથ, અને અર્બદનાગનાં મંદિરો કરાવ્યાં. નેમિનાથ અને અંબિકાનાં મંદિરોનો ઉદ્ધાર કર્યો. પાવાગઢનાં આ તમામ મંદિરો સર્વથા નષ્ટ થયાં છે. એના પર રહેલાં સાત જૈન મંદિરો તો ૧૫મી શતાબ્દીના અને પૂર્વ તરફનાં ઝૂમખાનાંઓ હવે દિગંબર સંપ્રદાયના કબજામાં આવી ગયાં છે. ' (૩૧) સ્તંભનક શેઢી નદીને કિનારે, થાંભણામાં, સ્તંભન પાર્શ્વનાથનું પ્રાચીન પ્રતિભાવાળું મંદિર હતું. એના શિખર પર વસ્તુપાલે કાંચનકુંભ અને દંડ મુકાવ્યાં, એના ગૂઢમંડપમાં નાભેય અને નેમિનાથની, અને જગતીમાં સરસ્વતીની પ્રતિમા કરાવી. મંદિર ફરતો નગાકાર પ્રાકાર કરાવ્યો. વાપીનો ઉદ્ધાર કરાવી બે પ્રપા કરાવી. (૩૨) સ્તંભતીર્થ ગુજરાતમાં અણહિલવાડપાટણ પછીનું સૌથી મોટું જૈન કેન્દ્ર તો હતું ખંભાત. અહીં સચિવેશ્વર વસ્તુપાલે મોકળે મને સદ્ધર્મકૃત્ય કર્યા છે. અહીં પોતાની પત્નીના કલ્યાણાર્થે મથુરાભિધાન અને સત્યપુરાભિધાનનાં જિનાલયો કરાવ્યાં. વલાનક અને ત્રિક, મોઢા આગળ પ્રતોલી, મઠ તથા અટ્ટમાં ૬ જિનબિંબની રચના કરી. અષ્ટમંડપ (અષ્ટાપદ મંડપ ?) સહિત આરસના ઉત્તાનપટ્ટ અને ધારપત્રયુક્ત બાવન જિનાલય કરાવ્યું. તેના પર બાવન પ્રૌઢ ધ્વજદંડ અને ઘટ મુકાવ્યાં. ત્રણ તોરણવાળી પાંચાલિકા(પુતળી)ની શ્રેણી કરાવી. ત્યાં પિતાના શ્રેયાર્થે For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીત્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૦૯ શત્રુંજય અને ગિરનારના પ્રતિહસ્તક (પટ્ટ) કરાવ્યા ને એની આવક માટે બે હટ્ટિકા, ચાર ગૃહવાટિકા અને એક વાટિકા આપ્યાં. અહીંના પ્રાચીન શાલિગ જિનાલયના ગૂઢમંડપનો ઉદ્ધાર કરાવ્યો. એના ગર્ભગૃહના દ્વારે ખત્તકમાં પોતાની અને તેજપાલની મૂર્તિ મુકાવી; લક્ષ્મીધરના શ્રેયાર્થે એની પરિધિમાં અષ્ટાપદનો ઉદ્ધાર કરાવ્યો. રાણક શ્રીઅંબડ અને વૈરિસિંહના પુણ્યાર્થે એની બાજુના ચૈત્યમાં બે અર્ધબિંબ મુકાવ્યાં. ઋષભસ્વામીના કુમારવિહારમાં મૂલનાયક કરાવ્યાં, એના ૭૨ સુવર્ણકુંભદંડ સહિત નવાં કરાવ્યાં તથા બંને બાજુએ દેવકુલિકા કરાવી. મહાવીર અને પાર્શ્વનાથની "ણ પ્રતિષ્ઠા કરાવી. પૌત્ર પ્રતાપસિંહની અને એના નાનાભાઈની પુણ્યવૃદ્ધિ માટે અનુક્રમે નિર્ગમન દ્વાર અને વલાનકના પ્રવેશમાં એમ બે અતિકુલિકાઓ કરાવી. ઓસવાલગચ્છીય પાર્શ્વનાથનાં જિનાલયોમાં પોતાની અને તેજપાલની મૂર્તિ કરાવી; એના મોક્ષપુરદ્વારે તોરણના સ્તંભ પાસે મલદેવની અને પોતાના કલ્યાણ માટે યુગાદિદેવની અને પોતાની પત્નીના શ્રેયાર્થે નાભેય અને વીરની મૂર્તિઓ કરાવી; વિશેષમાં એના ગૂઢમંડપમાં બે કાયોત્સર્ગ જિન કરાવ્યાં. થારાપદ્રગથ્વીય શાંતિનાથ જિનાલયના વલાનક, ત્રિક, અને ગૂઢમંડપનો ઉદ્ધાર કરાવ્યો. (પ્રસ્તુત મંદિરમાં?). કેલિકા ફઈ, ફુઆ ત્રિભુવનપાલ, અને પોતાના શ્રેયાર્થે અનુક્રમે સંભવનાથ, અભિનંદન જિન અને શારદાનાં બિંબ પટ્ટશાલામાં કરાવી પ્રતિષ્ઠિત કર્યા. શત્રુંજયાવતારના મંદિરમાં નેમિનાથ અને પાર્શ્વનાથની બે દેવકુલિકાઓ કરાવી. ક્ષપણાઈવસતિકાનો ઉદ્ધાર કરાવ્યો; એમાં ચંદ્રપ્રભનું બિંબ મુકાવ્યું. મઠ અને બે અટ્ટ કરાવ્યાં, રોહડીચૈત્યમાં અજયસિંહની મૂર્તિ કરાવી, અને એના કલ્યાણાર્થે નાભેયની મૂર્તિ કરાવી. બ્રહ્માણગચ્છીય નેમિનાથના જિનાલયમાં આદિનાથની દેવકુલિકા કરાવી. સંડેરગચ્છીય મલ્લિનાથ-જિનાલયે લલિતાદેવીના શ્રેય માટે સીમંધર પ્રભુ અને (એના) વિશાળ મંડપમાં દેવકુલિકા સહિત યુગંધર, બાહુ, સુબાહુ અને જિનાધિપ સ્થાપ્યાં. ભાવડાચાર્યગચ્છીય પાર્શ્વજિનેશનો જિનત્રય નામક પ્રાસાદનો ઉદ્ધાર કર્યો. ચાહડવિહારનું વલાનક કરાવ્યું; એમાં વચમાં ધાતુમય બિંબ મુકાવ્યું. આસરાજવિહારે પિત્તળનું સમવસરણ કરાવ્યું. સ્વ-કુલસ્વામી (કુલદેવ ?)ના મંદિર આગળ રંગમંડપ કરાવ્યો. તેજપાલે તેમાં માતાના શ્રેયાર્થે અરિષ્ટનેમિની પ્રતિમા મુકાવી, જૈન સાધુઓના નિવાસ માટે એક પૌષધશાલા કરાવી. મુનિઓ માટે બીજી પાંચ વસતી કરાવી. - ખંભાતમાં વસ્તુપાલે કેટલાક બ્રાહ્મણ મંદિરોને અનુલક્ષીને પણ સુકૃત કરાવેલાં જેમકે વીરધવલના શ્રેયાર્થે વૈદ્યનાથ મંદિરનો ઉદ્ધાર કરાવ્યો; એનો અખંડપદ મંડપ કરાવ્યો; એમાં મલ્લદેવની મૂર્તિ મુકાવી, ત્યાં સમીપમાં પૌત્ર પ્રતાપસિંહના કલ્યાણ અર્થે બન્ને બાજુ ગવાક્ષવાળી પ્રપા કરાવી. ભીમેશ્વરના મંદિર પર કળશ અને ધ્વજદંડ ચઢાવ્યા; એના ગર્ભગૃહમાં પોતાની તથા તેજપાલની મૂર્તિ કરાવી; એની જગતીમાં વટસાવિત્રી-સદન સહિત For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર લલિતાદેવીની મૂર્તિ કરાવી. લોલાકૃતિ દોલા તથા મેખલા-વૃષ કરાવ્યાં. પોતાના અને પોતાના બંધુના શ્રેયાર્થે તક્ર-વિક્રય વેદિકા-સ્થાન કરાવ્યું. બકુલાદિત્યના મંદિર આગળ સુધામંડપ કરાવ્યો. ત્યાં મંદિર આગળ ઉત્તાનપટ્ટ કરાવ્યો. (ફરસબંધી કરાવી) યશોરાજ નામક શિવાલય કરાવ્યું. વીરધવલના ઉલ્લાસ માટે ઇંદુમંડલિ શિવાલય કરાવ્યું. નગરના ઉપકાર માટે કૃષ્ણનું ઇંદિરા સહિત મંદિર કરાવ્યું. દ્વિજરાજ માટે બ્રહ્મપુરી કરાવી અને તેર વાટિકા આપી. ષટ્કર્મનિરત બ્રાહ્મણોને શાસન કરાવી રામપલ્લડિકા ગ્રામ આપ્યું. કૂપ, આરામ, પ્રા, તટાક, વાટિકા, બ્રહ્મપુરી અને શૈવમઠની રચના કરાવી. જલસ્થલ (બંદર) પર આવતા વણિજો(વેપા૨ીઓ)ની સગવડ માટે શુલ્કમંડપિકા (જકાતની માંડવી) કરાવી. મહિસાગર સંગમે શંખ સાથેના યુદ્ધના સમયે રણમાં પડેલ રાજાઓના કલ્યાણાર્થે ભુવનપાલશિવના મંદિરમાં દશ દેવકુલિકાઓ કરાવી. એની જગતીમાં ચંડિકાયતન અને રત્નાકરનું મંદિર કરાવ્યું. (૩૩-૩૪) આશાપલ્લી અને કર્ણાવતી સુલતાન અહમદશાહ દ્વારા સ્થાપિત અહમદાબાદ(અમદાવાદ)ના સ્થાને યા બાજુમાં આ બન્ને નગરો સોલંકીયુગમાં વિદ્યમાન હતાં. અહીં ખાસ તો તેજપાલે જ સુકૃતો કરાવ્યાં લાગે છે. એણે અહીં (આશાપલ્લીમાં) હેમકુંભાવલીયુક્ત આરસનું નંદીશ્વરાવતાર ચૈત્ય કરાવ્યું. શત્રુંજયાવતારના પ્રાસાદ પર હેમધ્વજા ચઢાવી. ઉદયનવિહારમાં બે ખત્તક કરાવી પોતાના પુત્રના શ્રેયાર્થે વી૨ અને શાંતિજિનની પ્રતિમા સ્થાપી. શાંતુવસતીમાં માતાના પુણ્યોદય માટે મૂલનાયક કરાવ્યા. વાયટીયવસતીમાં પણ માતાના કલ્યાણ માટે મૂલનાયક કરાવ્યા. કર્ણાવતીમાં વિંશતિજિનાલય પર હેમકુંભ ચડાવ્યા. (૩૫) કાશહૃદ ૧૧૦ અમદાવાદની નજીકના કાસીન્દ્રામાં વસ્તુપાળે અંબાલય કરાવ્યું અને તેજપાળે નાભેય ભવનનો ઉદ્ધાર કર્યો. (૩૬) પત્તન ગુજરાતના ગરવા પાટનગર પાટણમાં તો અનેક દેવમંદિરો હતાં. સ્તંભતીર્થની જેમ અહીં પણ પૂર્વે રચાઈ ગયેલા કેટલાયે પ્રાસાદોની હકીકત પરોક્ષ રીતે જાણવા મળે છે. અન્ય ગ્રંથોમાંથી આ પ્રાસાદોના અસ્તિત્વ વિશે આધારભૂત માહિતી મળતી હોઈ જિનહર્ષે આપેલી હકીકતો કેટલી ચોક્કસ છે એનો ખ્યાલ આવે છે. અહીંનાં સુકૃતો મોટે ભાગે તેજપાલે કરાવેલાં જણાય છે. પંચાસરા-પાર્શ્વનાથનો આમૂલચૂલ ઉદ્ધાર કરાવી, એમાં મૂલનાયક સ્થાપી, એ પ્રાસાદને હેમકુંભથી વિભૂષિત કર્યો. ગજ, અશ્વ, નરથરની રચનાવાળો ભગવાન For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૧૧ શાંતિનાથનો ૭૨ દેવકુલિકાયુક્ત આસરાજવિહાર કરાવ્યો; એના પર કુલ ૭૭ સુવર્ણ કલશો ચઢાવ્યા. તે પ્રાસાદની ડાબી બાજુ કુમારદેવીના પુણ્યાર્થે અજિતસ્વામીનું ચૈત્ય કરાવ્યું; એમાં કુમારદેવીની ગજારૂઢ મૂર્તિ મુકાવી. કુમારવિહારચૈત્ય પર સાત તામ્રકલશ ચઢાવ્યા. આહડદેવના ચૈત્યમાં મુખમંડપ કરાવ્યો અને તે મંદિરમાં નેમિનાથની ધાતુપ્રતિમા પધરાવી, કોરંટવાલગચ્છીય ચૈત્યમાં ચંદ્રપ્રભજિન કરાવ્યા. ખંડેલવાલવસતીમાં કાયોત્સર્ગ જિનયુગ્મ કરાવ્યું. શાંતૂવસતિકાનો જીર્ણોદ્ધાર કરાવી તેના પર હેમકુંભ ચઢાવ્યો. મલ્લિનાથ જિનાધીશના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો. (મુ ? ઉઈકેશવસતીમાં મોટું (જિન)બિંબ કરાવ્યું. વીરાચાર્ય-જિનાગારમાં ગજશાલા કરાવી. તેમાં અષ્ટાપદાવતારનું ઉન્નતચૈત્ય કરાવ્યું. રાજવિહાર પર નવા કાંચન કલશ કરાવ્યા. મૂલનાથજિન(મૂલવસતિકાપ્રાસાદ)નો કલશ કરાવ્યો. શીલશાળી મુનિઓ માટે (૧૦૦?) ધર્મશાળા કરાવી. નાગેન્દ્રગચ્છના સાધુઓ માટે ત્રણ મજલાવાળો ઉપાશ્રય કરાવ્યો; ત્યાં સત્રાલયની શ્રેણી કરાવી. (૩૭) બાઉલા ગ્રામ તેજપાલે અહીં નેમિનાથનું મંદિર કરાવ્યું. (૩૮) વડનગર વડનગરમાં તેજપાલે આદિજિનેશના પ્રાસાદનો સમુદ્ધાર કર્યો. આ મૂળ મંદિર દશમાં શતકના મધ્યભાગમાં અને એની સામેની બે દેવકુલિકાઓ દશમા શતકના અંતભાગે થયેલી. મૂળમંદિરના વેદિબંધ સુધીનો ભાગ કાયમ રાખી ઉપલો તમામ ભાગ તેમ જ ગૂઢમંડપ અને ત્રિક તેજપાળે નવેસરથી કરાવેલાં. મૂળમંદિરનો જંઘાથી ઉપરના સમસ્ત ભાગનો ૧૮મી શતાબ્દીમાં ફરીને ઉદ્ધાર થયો છે. (૩૯) વ્યાધ્રપલ્લિ | વાઘેલાઓની જન્મભૂમિ વાઘેલમાં પૂર્વજોએ કરાવેલ જિનમંદિરનો ઉદ્ધાર કરાવ્યો. (૪૦) નિરીન્દ્રગ્રામ વોળા નામના વાલીનાથ(વ્યંતર વલભીનાથ)ના મંદિરનો ઉદ્ધાર કર્યો. (૪૧) સીહુલગ્રામમંડલ શ્રી વીર-જિનના મંદિરમાં કશુંક કરાવ્યું. (૪૨) ગોઘા ગોધરામાં ચાર (જિન)વેશ્મ કરાવ્યાં; ગિરીન્દ્ર સમો ઉત્તુંગ ગજ-અન્ય રચનાંકિત ચતુર્વિશતિ અજિતસ્વામી તીર્થેશનો પ્રાસાદ તેજપાળે કરાવ્યો. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર (૪૩) મંડલિ માંડલમાં આદિજિનેન્દ્રની વસતી કરાવી. મોઢ અવસતીમાં મૂળનાયક પધરાવ્યા. કુમારજિનાલયનો ઉદ્ધાર કરાવ્યો. (૪૪) શંખેશ્વર અહીં સુપ્રસિદ્ધ પાર્શ્વનાથના ચૈત્યનો ઉદ્ધાર કરી તે નવું કરાવ્યું. તેની દેવકુલિકાઓ પર હેમકુંભો મુકાવ્યા. (૪૫) સેરિસક સેરિસામાં મળેલાં પબાસણોના લેખોના આધારે પાર્શ્વનાથભવનમાં મલ્લદેવ અને પુણ્યસિંહના પુણ્યાર્થે નેમિ અને વીર ખત્તકમાં સ્થાપ્યાં. આ સિવાય (મૂલ)ચૈત્ય પર કાંચનકુંભ મુકાવ્યા. ચાર ચતુષ્કિકાઓ કરાવી અને ધર્મશાળાનો ઉદ્ધાર કર્યો. જિનપૂજન અર્થે વાપી અપાયુક્ત વાટિકા આપી. અપાયુક્ત સત્રાગાર કરાવ્યું. (૪૬) પ્રહ્નાદનપુરા પાલણપુરમાં જિનવેમ્ભ પર હેમકુંભ મુકાવ્યાં. વામપત્તકમાં મોટું બિંબ મુકાવ્યું. ત્યાં બલાનકનો ઉદ્ધાર કર્યો. પોતાના પુણ્ય માટે (વસ્તુપાળે ?) વસતી કરાવી. (૪૭) ભીમપલ્લી ભીલડિયામાં સુવર્ણકુંભયુક્ત પાર્શ્વનાથના ઉન્નત મંદિરનું નિર્માણ કરાવ્યું. ગૌરીશંકર સંયુક્ત રાણકેશ્વરપ્રાસાદ (વરધવળ શ્રેયાર્થે હશે ?) કરાવ્યો. (૪૮) કર્કરાપુરી | કાકરમાં આદિ-જિનેશનો પ્રાસાદ કરાવ્યો તથા નરેન્દ્રની (ભીમદેવની કે વીરધવળની ?) અને પોતાની ધાતુનિર્મિત પ્રતિમાઓ (વસ્તુપાળે) ખત્તકે સ્થાપી. (૪૯) આદિત્યપાટક ચૈત્ય અને ધાતુબિંબ કરાવ્યાં. (૫૦) વાય(ડ?)ગ્રામ (વાયડ ?)માં વીર જગનૂરુ (જિનમહાવીર)ના ચૈત્યનો ઉદ્ધાર કર્યો. (૫૧) સૂર્યપુર For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૧૩ ભાસ્વતવેમનો ઉદ્ધાર કર્યો. વેદપાઠીઓ માટે બ્રહ્મશાલા કરાવી. એક, વિદ્યાર્થીઓ માટે, અને બીજું સાર્વજનિક, એમ બે સત્રાગાર કરાવ્યાં. (૫૨) થારાપદ્ર થરાદમાં કુમારવિહારના સહોદર સમું નવીન જૈનમંદિર કરાવ્યું. જિનાગારમાં તેજપાળે અનુપમાદેવીના શ્રેયાર્થે મૂળનાયકની સ્થાપના કરી. (૫૩) ઉમારસીજગ્રામ વસ્તુપાળે પ્રપા અને પાન્થકુટિ કરાવી, બદરકૂપમાં પ્રપા કરાવી. (૫૪) વિજાપુર શ્રી વીર અને નાભેયનાં જિનાલયો હેમકુંભાંકિત કર્યો. (૫૫) તારંગા કુમારવિહારમાં નાભેય અને નેમિતિન ખત્તકમાં પ્રતિષ્ઠિત કર્યા, જેના લેખો મોજૂદ છે. ગુજરાતને અડીને આવેલ અબ્દમંડલ અને સત્યપુર(સાંચોરોમંડલ એ સમયે સોલંકીઓના આધિપત્ય નીચે હતાં; તે પ્રદેશની નગરીઓમાં પણ વસ્તુપાલે યા તેજપાળે તીર્થ સુકૃત્યો કરાવેલાં. (૫૬) ચંદ્રાવતી (તેજપાળે ?) પોતાના પુણ્ય માટે વસતી કરાવી. (૫૭) અર્બુદગિરિ | બન્ને બાજુ હૃદ સહિત પદ્યા કરાવી. દડેશ વિમલના મંદિરમાં મલદેવના શ્રેયાર્થે મલ્લિનાથની પ્રતિષ્ઠા (ઈ. સ. ૧૨૨૨) ખત્તકમાં કરાવી. જિનેંદ્રભવન ૨૪ સુવર્ણ દંડકલશથી અલંકૃત કર્યું. પ્રદ્યુમન, શાંબ, અંબા અને અવલોકનાનાં શિખરોની અવતારરૂપ કુલિકાઓ કરાવ્યાં. તેજપાળે આરસના અદ્યપર્યત ઊભા રહેલા જગવિખ્યાત લુણવસહી મંદિરની ઈ. સ. ૧૨૩૨માં રચના કરી અને મૂલપ્રાસાદ, ગૂઢમંડપ, ત્રિક, રંગમંડપ, વલાનક અને ૪૮ દેવકુલિકાઓથી એને શણગાર્યું. આ ઉપરાંત વસ્તુપાળ તેમ જ તેજપાલે અચલેશ્વરવિભુના મંડપનો તેમ જ શ્રીમાતાના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો. (૫૮) સત્યપુર For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર સાંચોરનાજિન (મહાવીર)ના મંદિરમાં દેવકુલિકાયુગ્મ કરાવ્યું. (પૂર્વે) હરણ કરાયેલા ચંદ્રપ્રભનું અધિવાસન કર્યું. રાજસ્થાનના સુદૂરના પ્રદેશોમાં પણ મંત્રી વસ્તુપાળ તીર્થધામો કરાવ્યાના ઉલ્લેખ વસ્તુપાળચરિતમાં મળી આવે છે. (૫૯) નાગપુર નાગોરમાં સત્રાલય શરૂ કરાવ્યું. પાર્શ્વનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ચતુર્વિશતિ જિનાલય કરાવ્યું. (૬૦) શંખપુર શાંતિનાથનું મંદિર કરાવ્યું. શાંબવસતીમાં નાભેયનું ભવન કરાવ્યું. (૬૧) દેવપલ્લી જિનચૈત્ય કરાવ્યું. (૬૨) ખેટ(ક) ખેડનગરમાં જિનચૈત્ય કરાવ્યું. (૬૩) (જા?)વટનગર નવું નેમિશ્ન કરાવ્યું. (૬૪) ખદિરાલય વસ્તુપાળ નાભેય-જિનેંદ્રનું મંદિર કરાવ્યું; અને તેજપાળે ત્રિશલાદેવીનું ભવન કરાવ્યું. (૬૫) ચિત્રકૂટ ચિતોડમાં પહાડી પર અરિષ્ટનેમિનું જિનાગાર કરાવ્યું, જે પછીથી “સમિઢેશ્વર' શિવાલયમાં પરિવર્તિત થયું છે. જિનહર્ષની નોંધો પરથી એમ જણાય છે કે વસ્તુપાળે મહારાષ્ટ્ર, મધ્યભારત, અને છેક દિલ્હી સુધી તીર્થધામો કરાવેલાં. (૬૬) નાસિક્યપુર નાસિકના જિનવેમ્ભમાં ખત્તકમાં જિનબિંબ કરાવ્યાં. (૬૭) વસંતસ્થાનક અવંતિ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ જિનાલયના ખત્તકમાં જિનબિંબ મુકાવ્યાં. (૬૮) સૂર્યાદિત્યપુર ઋષભપ્રભુનું મંદિર કરાવ્યું. (૬૯) ગોપગિરિ ગ્વાલિયરમાં જિનમૂર્તિ સ્થાપી. આમસરોવરની પાળે શાંતિજિનાલય કરાવ્યું. પોતાના હિત માટે ધર્મચક્ર સહિતનું ધાતુબિંબ કરાવ્યું. ૧૧૫ (૭૦) યોગિનીપુર દિલ્હીમાં ગોમટાકારઅર્હત્(બાહુબલી)નું ઉન્નત ચૈત્ય કરાવ્યું. સમ્મેતશિખરથી લાવેલ વજ્રબિંબ અને ચક્રેશ્વરી મહાદેવી સ્થાપ્યાં. જિનહર્ષનાં કેટલાંક વિધાનો તદ્દન સ્પષ્ટ નથી; જેમ કે આશાપલ્લી પાસે કે કોઈ બીજે સ્થળે, મોટે ભાગે તો વસ્તુપાળે, પોતાના નામથી નગર વસાવી તેમાં તીર્થાધિપ વર્ધમાન જિનેશનું હેમકુંભવાળું નગોપમ દેવાલય કરાવેલું ને ત્યાં વીરધવલના સુકૃત્ય માટે ગજ, વાજિ અને નરથ૨વાળા બ્રહ્માનો પ્રાસાદ કરાવ્યો. જિનહર્ષે નોંધેલી હકીકતો આમ તો શંકાથી પર છે પણ દ્વારકાના ઉપલક્ષમાં કહેલી વાતો અત્યંત વિવાદાસ્પદ ગણવી જોઈએ. જિનહર્ષ કહે છે કે તેજપાળે (?) ગોમતીસાગર સંગમે ઉત્તુંગ નેમિચૈત્ય કરાવ્યું, હવે આ સ્થાને તો દ્વારકાધીશ શ્રીકૃષ્ણનું મંદિર છે. સાંપ્રતકાળે જૈનોમાં એવી માન્યતા છે કે આ મંદિર નેમિનાથનું હતું અને જો એમ હોય તો એ તેજપાળની (?) કૃતિ ઠરે, પણ દ્વારકાધીશના મંદિરના મૂલપ્રાસાદ તેમ જ કપિલીનો ભાગ તો સિદ્ધરાજના સમય જેટલાં પુરાણાં છે અને એમાં સ્પષ્ટ રીતે જ વૈષ્ણવ શિલ્પચિહ્નો છે. એનું આયોજન પણ બ્રાહ્મણીય પ્રથાને અનુસરે છે, બ્રાહ્મણધર્મીઓનો જૈનો પર એક આક્ષેપ એ છે કે તેઓ કેટલાંક બ્રાહ્મણ તીર્થધામોને અસલમાં જૈન હતાં તેવું મનાવે છે. હવે હકીકત એ છે કે વર્તમાન દ્વારકામાં જૈન પ્રતિમાઓના કોઈ અવશેષો મળતા જ નથી, તો પછી જિનહર્ષે આવી નોંધ કેમ કરી હશે ? આ સંબંધે વિચારતાં એમ લાગે છે કે દ્વારકાધીશનું મંદિર નેમિનાથનું હોવાની માન્યતા ૧૫મી શતાબ્દીમાં પણ જૈનોમાં પ્રચલિત હશે અને એ આધારે જિનહર્ષે દ્વારકાધીશના મંદિરનું નામ પાડ્યા સિવાય ગોમતીસાગર સંગમે તેજપાલ (?) નિર્મિત નેમિચૈત્યની વાત લખી હોય અથવા તો દ્વારકાધીશના મંદિરની સામેના ભાગમાં બાજુમાં ક્યાંક કદાચ હોય પણ ખરું. પણ એનું કંઈ જ નક્કર પ્રમાણ નથી એ આશ્ચર્યજનક ગણાય. દ્વારકાધીશ અને રુક્મિણીનાં પુરાણાં મંદિરો જળવાઈ રહે તો નેમિનાથનું જબરું મંદિર સર્વથા નષ્ટ થઈ જાય તેમ માનવું તર્ક સુસંગત For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર લાગતું નથી. જિનહર્ષ વધુમાં નોંધે છે કે શંખોદ્ધારદ્વીપમાં તેજપાળે પ્રથમાઈનું મંદિર કરાવ્યું અને વીરધવલના શ્રેયાર્થે શંખેશ્વરનો ઉદ્ધાર કરાવ્યો. આ વાતોમાં તથ્ય હોઈ શકે છે. અહીં એકત્ર કરેલી આ વિષય પરની માહિતી ઉપરાંત પણ આ બન્ને બંધુઓનાં અન્ય સુકૃત્યો હશે જે અંગે ભવિષ્યમાં સામગ્રી ઉપલબ્ધ થશે તો પુરવણીરૂપે એક લેખ આપવા લેખકોનો સંકલ્પ છે. ટિપ્પણો : ૧. વસ્તુપાલ અને લલિતાદેવીના પુત્ર જૈત્રસિંહનો આ પુત્ર હશે? ૨. કેટલાક પ્રશસ્તિકારોનાં કથન અનુસાર ઇંદિરાની; અર્થ એક જ છે. ૩. આખંડલ મંડપ, કેટલાક પ્રશસ્તિકારોનાં કથન અનુસાર : અર્થ એક જ છે. ૪. જિનહર્ષે અહીં નિજનાયક શબ્દનો વિનિયોગ કર્યો છે. ૫. જિનહર્ષે કરેલ “નિજદેતા”નો શું અર્થ કરવો? ૬. ગોખલા સમજવાના. ૭. જાહૂ, માઉ, સાઉ, ધનદેવી, સોહગા, વયજુ અને પૌલા. ૮. જાબાલિપુર(જાલોર)ના રાજા ઉદયસિંહના મંત્રી યશોવીર વસ્તુપાલના મુરબ્બી મિત્ર હતા. બન્ને વચ્ચે અગાંધ મૈત્રી હતી એટલે યશોવરના કલ્યાણ માટે શત્રુંજય પર વસ્તુપાલે પ્રતિમાઓ ભરાવી હોય તો એ બનવાજોગ ૯. જૈત્રસિંહે તેજપાલના સ્મરણાર્થે ચાન્દોન્માનપુરમાં ગજઅશ્વની રચનાવાળો પ્રાસાદ કરાવ્યાનું જિનહર્ષ નોધે છે. આ પ્રાસાદ પણ સ્વર્ગારોહણપ્રાસાદ સમજવાનો. સ્વર્ગારોહણપ્રાસાદ સંબંધમાં એક સંશોધનાત્મક લેખ શ્રી પ્રભાશંકર સોમપુરા અને સાંપ્રત લેખક દ્વારા સ્વાધ્યાયમાં છપાઈ ચૂક્યો છે. ૧૦. અંબાજીના દેવાલયવાળું ‘અંબા’ શિખર તો એ નામથી આજે પણ ઓળખાય છે, પણ અવલોકના, શાંબ, અને પ્રદ્યુમ્ન શિખરોનાં નામ બદલાઈ જઈ આજે તો ગોરખનાથ, દત્તાત્રય, અને ઓઘડનાથના, નામથી પરિચયમાં ૧૧. વસ્તુપાલ-તેજપાલના પ્રભાસમાં કરાવેલ જૈનમંદિરની ચર્ચા આ અગાઉ “સ્વાધ્યાય' પુસ્તક, અંક ૩- (અક્ષય તૃતીયા, વિ. સં. ૨૦૨૨)માં “પ્રભાસપાટણનાં પ્રાચીન જૈનમંદિરોએ શીર્ષક તળેના સચિત્ર લેખમાં વિસ્તારથી આ લેખના લેખકો કરી ચુક્યા છે. (જુઓ અહીં એ પુનર્મુદ્રિત લેખ.) ૧૨. કહેડીગ્રામ તેમ જ લેખમાં આવતાં બીજાં કેટલાંક પ્રાચીન ગામોનાં અર્વાચીન નામો અંગે વાઘેલા યુગ પર મહાનિબંધ લખી પીએચ.ડી.ની ઉપાધિ મેળવનાર શ્રી નવીનચંદ્ર આચાર્ય સંશોધન કરી રહ્યા હતા. પછીથી એ પુસ્તક છપાઈ ગયું હતું. ૧૩. વટેમાર્ગુઓ માટે રસ્તા ઉપર હશે. ૧૪. ભરૂચ પાસે ઝઘડિયા એ ઝાંઝરિયા કદાચ હોઈ શકે. જિનહર્ષે આપેલા રામક્રમમાં તે બેસે છે ખરું? For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણરાય” ‘કલ્યાણત્રય' સંજ્ઞાનો સામાન્ય અર્થ છે જિનેશ્વરદેવનાં “પંચકલ્યાણક” માંનાં ત્રણ. વિશેષ અર્થમાં, અને વિશિષ્ટ સંદર્ભમાં, તે ૨૨મા તીર્થંકર ભગવાન્ નેમિનાથના ઉર્જયત, ઉન્જિલ, ઉજ્જત, ઉર્જન્સ એટલે કે ઉજ્જયન્તવા ઊર્જયન્તના ઊર્જયત-પર્વત (પછીથી રૈવતપર્વત, રૈવતગિરિ, સંપ્રતિ ગિરનાર પર્વતો પર થયેલા “દિક્ન' (દીક્ષા), “નાણ (કેવલજ્ઞાન), અને ‘નિસીહિ' વા “નિવ્વાણ' (નિઃસહી, નિર્વાણ) એ કલ્યાણકોનું ‘ત્રયક'. આગમિક સાહિત્યના આધારે મધ્યયુગમાં “કલ્યાણત્રયથી આ અર્થવિશેષ જ અભિપ્રેત હોય તેમ લાગે છે. - ઉપરકથિત ત્રણ કલ્યાણકોના વિભાવને પ્રતીક રૂપે, પૂજનાર્થે પાર્થિવ રૂપે, પ્રસ્તુત કર્યાના મધ્યકાલીન સાહિત્યમાંથી મળી આવતા ઉલ્લેખો, તેમ જ વાસ્તવિક શિલ્પિક રચના રૂપે દષ્ટાંતો, આપણે આગળ ઉપર જોઈશું તેમ, ૧૩મા શતકથી લઈ ૧૫મા શતક સુધીના ગાળામાં મળી આવે છે. પણ કલ્યાણત્રયની સાંપ્રત કાળે વિદ્યમાન એ પુરાણી રચનાઓ અદ્યાવધિ ઓળખી શકાઈ નથી; જે થોડીક રચનાઓ બચી છે, અને ઉપલબ્ધ છે, તે આજે તો ભળતા નામે જ પરિચયમાં છે. આથી સાંપ્રત લેખમાં તેની મધ્યકાલીન-ઉત્તર મધ્યકાલીન વાઘયિક, તથા મળે ત્યાં અભિલેખીય સાક્ષ્યોના આધારે ખરી પિછાન સિદ્ધ કરી તે પર વિશેષ વિવરણ કરવા વિચાર્યું છે. જ્ઞાત સાહિત્યમાં ‘કલ્યાણત્રયની સંરચના-સંબદ્ધ સૌ પ્રથમ ઉલ્લેખ આપણને તેજપાળ મંત્રીએ ગિરનાર પર કરાવેલા “કલ્યાણત્રય'ના ભવનની વાતમાંથી મળે છે. મંત્રીશ્વર વસ્તુપાળ અને લઘુબંધુ તેજપાળના કુલગુરુ, નાગેન્દ્રગથ્વીય આચાર્ય વિજયસેનસૂરિએ સં. ૧૨૮૮ / ઈ. સ. ૧૨૩૨માં ગિરિરાજ પર બંધુદ્ધયે કરાવેલ જિનભવનાદિની પ્રતિષ્ઠા કર્યા પછી થોડા સમય બાદ, અપભ્રંશ ભાષામાં રૈવતગિરિરાસુ નામક–ઐતિહાસિક દૃષ્ટિએ અતિ મૂલ્યવાન-રચના કરી છે. તેમાં વરિષ્ઠ બંધુ વસ્તુપાળે કરાવેલી, ગિરિવર પરની જિનાયતનાદિ રચનાઓ ગણાવ્યા બાદ, ઉમેર્યું છે કે “તેજપાળે ત્યાં ત્રિભુવનજનરંજન, ગગનાઝલગ્ન (આભને આંબતું), કલ્યાણત્રય' નામનું ઊંચું ભવન કરાવ્યું" યથા : तेजपालि निम्मविउ तत्थ तिहुयणजणरंजणु ! कल्याण(उत?तय) उतुंगुं भूयणु बंधिउ गयणंगणु ॥१७।। ગિરિસ્થ પ્રસ્તુત જિનભવનનો નિર્દેશ સં૧૩૨૦ | ઈસ. ૧૨૬૪ આસપાસ તપાગચ્છીય ધર્મકીર્તિ ગણિ(પછીથી ધર્મઘોષસૂરિ)એ સંસ્કૃતમાં રચેલ શ્રી ગિરનારકલ્પમાં પણ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર મળે છે; ત્યાં (પર્વતની) “મેખલા' (ધાર) પાસે મંત્રી તેજપાળે “કલ્યાણત્રયચૈત્ય’ કરાવ્યાની વાતનો ઉલ્લેખ છે : कल्याणत्रयचैत्यं तेजःपालो न्यवीविशन्मन्त्री । यन्मेखलागतमसौ गिरिनारगिरीश्वरो जयति ॥२८॥ ચૌદમા શતકના પૂર્વાર્ધમાં, કલ્પપ્રદીપકાર જિનપ્રભસૂરિએ તેમના પ્રાકૃતમાં રચેલ રેવતગિરિકલ્પમાં પણ ડુંગર પરનાં જિનભવનોના સંદર્ભમાં (મોટે ભાગે તો વિજયસેનસૂરિના આધારે) ઉપરની હકીકતની નોંધ લીધી છે : तेजपालमंतिणा कल्लाणत्तयचेइअं कारिअं । જિનપ્રભસૂરિના સમકાલિક મેરૂતુંગાચાર્ય વિરચિત સુવિખ્યાત ગ્રંથ પ્રબંધચિંતામણિ (સં. ૧૩૬૫ ઈસ૧૩૦૯) અંતર્ગત “વસ્તુપાલ-તેજપાલ પ્રબંધ”માં મંત્રીશ્વર વસ્તુપાળે સવારના પહોરમાં ઉજ્જત પર આરોહણ કરી, શૈવેય(શિવાદેવી સૂનુ = નેમિનાથ)ની અર્ચના કરી, પોતે નિર્માવેલ “શત્રુંજયાવતાર'ના મંદિરમાં પ્રભાવના કરી, તે પછી “કલ્યાણત્રય'માં અર્ચના કરી એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે; જો કે ત્યાં પ્રસ્તુત ચૈત્ય તેજપાળે કરાવેલું હતું, કે તે નેમીશ્વરનું હતું, તે તથ્યોની નોંધ લેવામાં આવતી નથી. યથા - प्रातरुज्जयन्तमारुह्य श्रीशैवेयक्रमकमलयुगलममलमभ्यर्च्य स्वयंकारित श्रीशत्रुञ्जयावतारतीर्थे प्रभूतप्रभावनां विधाय, વાત્ર ચૈત્ય વર્ચસપર્યાવિમિતપવિતીમાવર્ય, સમી.....(ફત્યાદ્રિ): આ ઉલ્લેખ પછીથી એક પાછોતરો, પણ અન્યથા વસ્તુપાલ-તેજપાલના કાળને સ્પર્શતો, સંદર્ભ હર્ષપુરીયગચ્છના રાજશેખરસૂરિના ચતુર્વિશતિપ્રબંધ કિંવા પ્રબંધકોશ (સં. ૧૪૦૫ | ઈસ. ૧૩૪૯) અંતર્ગત મળે છે, જેમાં મંત્રીશ્વરે ગિરનાર પર દર્શન કરેલ દેવધામોમાં “કલ્યાણત્રય'નો પણ સમાવેશ કર્યો છે યથા : तत्राऽप्यष्टाहिकादिविधिः प्रागिव । नाभेयभवन-कल्याणत्रय-गजेन्द्रपदकुण्डान्तिकप्रासाद-अम्बिका-शाम्ब-प्रद्युम्नशिखर तोरणादिकीर्तन दर्शनैर्मन्त्री सङ्घश्च नयनयोः स्वादुफलमार्पिपताम् । આ પછીના કાળ સંબંધી ઉલ્લેખ સં૧૩૯૩ | ઈ. સ. ૧૩૩૭ના અરસામાં પૂર્ણ થયેલ, બૃહદ્ ખરતરગચ્છગુર્નાવલીના ઉત્તરાર્ધમાં મળે છે : સં. ૧૩૨૬ / ઈ. સ. ૧૨૭૦માં ખરતરગચ્છીય આચાર્ય દ્વિતીય જિનેશ્વરસૂરિએ સંઘ સહ ગિરનારની યાત્રા કરેલી ત્યારે ગિરિવર પર થયેલી ધાર્મિક ક્રિયાઓમાં જુદાં જુદાં જૈન તીર્થાયતનોની માલા પહેરાવવાની For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” ૧૧૯ ઉછામણીમાં “કલ્યાણ (જ)ય”ની માલા સા રાજદેવભાતૃ ભોલાકે ૩૧૧ દ્રમ્પની બોલીથી પહેરી હોવાનો ઉલ્લેખ છે. પ્રસ્તુત કલ્યાણત્રય’ તે મંત્રી તેજપાળે કરાવેલ ચૈત્ય જ હોઈ શકે. સં. ૧૩૬૭(ઈ. સ૧૩૧૧)માં ભીમપલ્લી(ભીલડીયા)થી સંઘ સહિત તીર્થયાત્રાએ નીકળેલ ખરતરગચ્છીય યુગપ્રવર જિનચંદ્રસૂરિ (તૃતીય) ગિરનાર ગિરિસ્થ “કલ્યાણત્રયાદિ તીર્થાવલિ-બિરાજમાન “અરિષ્ટનેમિને નમસ્કાર્યાનો અને એ રીતે “કલ્યાણત્રય સંબંધી પ્રસ્તુત ગુર્નાવલીમાં એક વિશેષ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે : યથા : समस्तविधिसंघेन च कलिताः, प्रतिपुरं प्रतिग्रामं निःशङ्कं गीत - नृत्यवाद्यादिना जिनशासनप्रोत्सर्पणायां विजृम्भमाणायां क्रमक्रमेण सुखंसुखेन श्रीशत्रुञ्जयालङ्कारत्रैलोक्यसार समस्ततीर्थपरम्परापरिवृतं प्रविहितसुरासुरनरेन्द्रसेवं श्रीनाभेयदेवम्, श्रीउज्जयन्ताचलशिखरमण्डनं समस्तदुरितखण्डनं सौभाग्यकमलानिधानं यदुकुलप्रधानं कल्याणकत्रयादिनानातीर्थावलिविराजमानं श्रीअरिष्टनेमिस्वामिनं च नूतनस्तुतिस्तोत्रविधानपूर्वकं परमभावनया सकलसंघसहिताः श्रीपूज्या महता विस्तरेणावन्दिषत । અહીં ઉલ્લેખ તો અલબત્ત પ્રાસંગિક છે, અને કલ્યાણત્રય' વિશે કોઈ અધિક માહિતી સાંપડતી નથી; પણ ગિરનાર પર નેમિનાથના મહિમ્ન મંદિર અતિરિક્ત બીજા કોઈ મંદિરનો ઉલ્લેખ કરવાને બદલે “કલ્યાણત્રયનો કર્યો છે, જેમાંથી પ્રસ્તુત ચૈત્યની રૈવતતીર્થ સાથેની સંગતતા સિદ્ધ થવા અતિરિક્ત તેનું મહત્ત્વ તે કાળે સ્થપાઈ ચૂક્યું હશે એવું પણ કંઈક સૂચન મળી રહે છે. - ઈસ્વીસના ૧૪મા શતકમાં આગળ વધતાં કેટલાક મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો સાંપ્રત વિષય અનુષંગે, વિશેષ કરીને ‘કલ્યાણત્રયની રચના કેવી હતી તે પાસાં પર પ્રકાશ વેરનાર, પ્રાપ્ત થાય છે. મોટે ભાગે તો રાજગચ્છીય વાદીન્દ્ર ધર્મઘોષસૂરિના આમ્નાયમાં થયા હશે તે જ્ઞાનચંદ્રના નવપ્રાપ્ત સંસ્કૃત ભાષા નિબદ્ધ ગિરનાર ચૈત્યપરિપાટી સ્તવન (પ્રાય: ઈ. સ. ૧૩૨૦-૧૩૨૫)માં પ્રસ્તુત જિનાલયમાં ત્રણભૂમિયુક્ત (રચનામાં) ચતુરાનન (ચતુર્મુખ) અને અંજનાભ (શ્યામલ) એવા નેમિનાથને નમ્યાનો ઉલ્લેખ છે : कल्याणत्रय-जिनालय भूत्रयेपि नेमि नमामि चतुराननमंजनाभं ॥११॥ આ ઉલ્લેખથી “કલ્યાણત્રયચૈત્યમાં ત્રણ ભૂમિવાળી રચના હતી અને તેમાં ચારે દિશાએ નેમિનાથની શ્યામલ પ્રતિમાઓ હતી તે વાતની પ્રથમ જ વાર સ્પષ્ટતા મળે છે. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર આ પછી ૧૪મા શતકના ત્રીજા ચરણમાં, ખરતરગચ્છાચાર્ય નિકુશલસૂરિના શિષ્ય વિનયપ્રભોપાધ્યાય, સ્વરચિત અપભ્રંશ “તીર્થમાલાસ્તવનમાં ગિરનારતીર્થ પર વાંદેલ જિનાલયોમાં વસ્તિગ(વસ્તુપાલ)ના “આદિ પહો' (શત્રુંજ્યાવતારચૈત્યના આદિપ્રભુ)નો, કલ્યાણત્રય” નેમિનિનો, અને (વસ્તુપાલ કારિત) અષ્ટાપદ તથા સમેતગિરિ તથા ગિરનારના સાંબ, પ્રદ્યુમ્ન, અને અવલોકના શિખર પરનાં જિનબિંબોનો સમાવેશ કરે છે : वस्ति(ग)वसहीं हिं आदि पहो । कल्याणत्रये नमवि जिणनेमि अष्टापद सम्मेतगिरे । वंदउ मे तित्थ जिणबिंब सांब-पज्जुन अवलोयगिरे ॥२१॥ આ ઉલ્લેખ પણ “કલ્યાણત્રય'માં નેમિજિન મૂળનાયક રૂપે હતા તે વાતને વિશેષ ટેકો મળે છે. વિનયપ્રભોપાધ્યાયની એક અન્ય (પણ સંસ્કૃત) રચના, ચૈત્યપરિપાટીસ્તવનમાં પણ, પ્રસ્તુત ચૈત્યનો ઉલ્લેખ છે, અને ત્યાં તેને “કલ્યાણત્રિતય’ સંજ્ઞા આપી શકે છે, જો કે ત્યાં બીજો કોઈ વિસ્તાર કર્યો નથી : યથા : प्रासादान्तर-जैन-देवगृहिकामध्यस्थितांस्तीर्थपान् नाभेयं वर वस्तुपालभवने सम्मेतकाष्टापदे कल्याणत्रितयेऽवलोकशिखरे श्रीतीर्थपानां गु(ग)णं श्री रैवतगिरौ नमामि च तथा प्रद्युम्नसाम्बौ भजे ॥२४॥ આ પછી સોએક વર્ષની અંદર રચાયેલ, તપાગચ્છીય જિનહર્ષગણિના સુપ્રસિદ્ધ ચરિત્ર ગ્રંથ વસ્તુપાલચરિત્ર' (સં. ૧૪૯૭ | ઈ. સ. ૧૪૪૧) અંતર્ગત ગિરનારગિરિ પર મંત્રીશ્ચય કરાવેલ સુકૃતોની અપાયેલી વિસ્તૃત સૂચિમાં “કલ્યાણત્રિતયનું નેમિનાથનું ઊંચું પથ્થરનું ભવન તેજપાળે કરાવ્યાની નોંધ લેવાયા ઉપરાંત, પ્રસ્તુત જિનાલયમાં નેમીશ્વરસ્વામી ત્રણરૂપે બિરાજતા હોવાની વાત કહી છે, યથા : श्रीनेमिनाथभवनं कल्याणत्रितयसंज्ञया विहितम् । तेजपालः सचिवो विदधे विमलाश्मभिस्तुङ्गम् ॥७३०॥ सप्तशत्या चतुःषष्ट्या, हेमगद्याणकैनवम् । तन्मौलौ कलशं प्रौढं न्यधादेष विशेषवित् ।।७३१।। तत्र नेमीश्वरः स्वामी त्रिरूपेण स्वयं स्थितः । प्रणतो दुर्गति हन्ति, स्तुतो दत्ते च निर्वृतिम् ।।७३२।। આ બધા ઉલ્લેખોથી એટલું તો સ્પષ્ટ છે કે, (ઈ. સ. ૧૨૩૨ પશ્ચાતુ) મંત્રી તેજપાળે For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” ૧૨૧ ‘કલ્યાણત્રય', “કલ્યાણકત્રય', વા “કલ્યાણત્રિતય' સંજ્ઞક નેમિનાથનો અમરચિત ઉત્તેગ પ્રાસાદ કરાવેલો, જેમાં રેવતતીર્થના અધિનાયક નેમિજિનની “ત્રણ રૂપે” એટલે કે ત્રણ ભૂમિમાં (એવં પ્રત્યેક ભૂમિએ) ચતુર્મુખ રૂપે પ્રતિષ્ઠા કરાવેલી. આ ઉપરથી પ્રથમ દૃષ્ટિએ એટલું તો સમજી શકાય તેમ છે કે, “કલ્યાણત્રય' એ જિન નેમિનાથનાં ત્રણ કલ્યાણકોને મૂર્ણ ભાવે રજૂ કરતી કોઈક પ્રતીક-રચના હશે, અને તેમાં કલ્યાણની “ત્રણ” સંખ્યા બરોબર જિનનાં ત્રણ રૂપો બેસાડ્યાં હશે. (આ “ત્રણ રૂપો'થી શું વિવક્ષિત છે તેની વિશેષ સ્પષ્ટતા અહીં આગળ ઉપર થશે.) તેજપાળ મંત્રી કારિત આ “કલ્યાણત્રય' પ્રાસાદનો સં. ૧૪૯૪ | ઈ. સ. ૧૪૩૮માં ઓસવાલ સોની સમરસિંહ અને વ્યવહારી માલદેવે આમૂલચૂલ ઉદ્ધાર કરાવેલો. પ્રસ્તુત પુનરુદ્ધાર બાદ, ૧૫મા શતકમાં લખાયેલી ઓછામાં ઓછી આઠેક જેટલી ગિરનારતીર્થલક્ષી ચૈત્યપરિપાટીઓમાં “કલ્યાણત્રય'નાં જે વર્ણન-વિવરણ મળે છે, તે સાંપ્રત સંદર્ભમાં પ્રસ્તુત સંરચનાના સ્વરૂપને સ્પષ્ટાયમાન કરવામાં ઉપકારક હોઈ, અહીં હવે તે એક પછી એક જોઈશું. તેમાં સૌ પ્રથમ લઈશું એક અનામી કર્તાની ૧૫મા શતકમાં રચાયેલી “શ્રી ગિરનાર શ્રી શત્રુંજય ચૈત્યપરિપાટી. તેમાં આવતો ઉલ્લેખ સંક્ષિપ્ત છે; તે, “કલ્યાણત્રય” રચના નેમિજિનનાં “દીક્ષા', “જ્ઞાન”, અને નિર્વાણ કલ્યાણકોના પ્રતીકરૂપે હોવાના તર્કને, સમર્થન આપે છે : યથા : કલ્યાણતય નેમિજિણ દિખત્રાણ નિવ્વાણ ૧દો. આ પછી ૧૬મા શતકના પ્રારંભની એક અનામી કર્તાની અદ્યાવધિ અપ્રકટ ગિરનાર ચૈત્ય પ્રવાડી વિનતિમાં પણ ‘કલ્યાણત્રયમાં ‘ત્રણ રૂપે નેમિ' બિરાજમાન હોવાનો નિર્દેશ કર્યો છે : કલ્યાણતુ નિરખીઈ હરખીય ચિત્ત અપાર ત્રિહરૂપે નેમિ પૂજઈ સફલ હૂઈ સંસારિ, ૨૫ પંદરમા શતકના ત્રીજા ચરણમાં મૂકી શકાય તેવી અન્ય અજ્ઞાત કર્રક ગિરનારચૈિત્યપરિપાટીઝમાં “કલ્યાણત્રયનો સમરસિંહે ઉદ્ધાર કરાવ્યાનું, અને ત્યાં નેમિકુમાર ત્રણરૂપે' બિરાજતા હોવાનું, તેમ જ મંદિરને “સધર' (એટલે કે થાંભલાવાળો) “મેઘનાદ મંડપ હોવાનું કહ્યું છે : યથા : કલ્યાણરાય પેખીઈ એ સમરસિંહ કીધુ ઉધાર; ત્રિહરૂપે જઈ નેમિકુમાર મેઘનાદમંડપ સધર. ૨૬ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨. સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર પંદરમા શતકના ઉત્તરાર્ધમાં થયેલા ખરતરગચ્છીય હરિકલશની ચૈત્યપરિપાટીમાં પણ (ગિરનાર પર) ત્રણ ભૂમિમાં કલ્યાણકમાં રહેલા જિનને નમ્યાનો ઉલ્લેખ છે". ત્રિતું ભૂમિ કલ્યાણઈ જિણ નમંતિ ll૧૨ા આ પછી જોઈએ તપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્ય કૃત ગિરનારતીર્થમાલા (સં. ૧૫૦૯-૧૫૨૩ | ઈ. સ. ૧૪૫૩-૧૪૬૭ આસપાસ) ૧૬. તેમાં ત્રણભૂમિ'માં કાયોત્સર્ગરૂપે બિરાજમાન નેમિની પ્રતિમાઓને નમ્યાનો ઉલ્લેખ છે : કલ્યાણત્રય નિહભૂમિઠિય કવિ કાસગિ કવિ પ્રતિમા સંઠિય નેમિ નમેસિ સુરંગો I/૧૭ હવે જોઈએ તપાગચ્છનાયક, યુગપ્રધાન સોમસુંદરસૂરિના શિષ્ય હેમહંસગણિની સં. ૧૫૧૫ | ઈ. સ. ૧૪૫૯ના અરસામાં રચાયેલી ગિરનાર ચૈત્તપ્રવાડિ૧૭. તેમાં કલ્યાણત્રયવિહાર' સોની સમરસિંહ અને માલદેવ્યવ્યવહારિએ ઉદ્ધાર્યાની વાત કરતાંની સાથે પ્રસ્તુત રચનામાં ચારે દિશામાં ત્રણ ભૂમિ'માં બાર મૂલનાયકની મૂર્તિઓ હોવાનું, અને તેમાં પ્રથમ એટલે કે કેવળ નીચેની ભૂમિએ કાયોત્સર્ગે (ખજ્ઞાસને) રહેલા નેમિકુમારને ઉલ્લેખ કર્યો છે. આગળ ચાલતાં “દીક્ષા, જ્ઞાન, નિર્વાણ' એ ત્રણ કલ્યાણકોનો ઉલ્લેખ કરી, મંદિરમાં રહેલી એક જીર્ણ પ્રતિમાની વાત કરી, મંદિરના વિશાળ “મેઘમંડપ'નો ઉલ્લેખ કરીને કહ્યું કે ઓસવાલ વંશી સમરસી-માલદેવે એનો સં૧૪૯૪ | ઈ. સ. ૧૪૩૮માં ઉદ્ધાર કરાવ્યો : યથા : હિવ કલ્યાણરાય-તણઈ નિરમાલડિએ જાઈ જઈ પ્રાસાદિ. ૨૪ ધનધન સોની સમ(૨)સિંહ માલદે વ્યવહારિઆ જૈહિં કલ્યાણરાય-વિહાર-ઉદ્ધાર કરાવિએ ચિહું દિસિ તિહું ભૂમીહિં મૂલનાયક તિહાં બાર કોસગિ રહિઆ પ્રથમ ભૂમિ સિરિ નેમિકુમાર ઘડતાં જસુ પાતલિ અંજલિઈ સવે ટલતા રોગ સેવિ સ્વામી પૂરવઈએ નિરમાલડિએ અનુદિન ભોગ-સંયોગ. ૨૫ દિખ-નાણ-નિવ્વાણ તિહાં સિરિ સોહઈ છત્ર જીરણ પ્રતિમા વામ પાસિ ધુરિ તાસુ સનાત્ર મંડપ સયલ વિસાલ મેઘમંડપ રુલિઆલ ઓસવંસિ શ્રી સમરસી માલદેવ મનરંગિ સંવત ચઉદ ચહેરાણવઈ નિરમાલડિએ ઉદ્ધરિઉ ઉત્તુંગ . ૨૬ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણરાય” ૧૨૩ આ માહિતી વિશદ અને વિસ્તૃત હોઈ મહત્ત્વની છે. મોટે ભાગે તો ઈસ્વીસના પંદરમા શતકના અંતિમ ચરણમાં રચાયેલી, ખરતરગચ્છીય ભાવહર્ષગણિના શિષ્ય રંગસારની ગિરનાર ગિરિ ચેત્યપરિપાટીમાં ૮, હેમહંસગણિવાળી પરિપાટીમાં કહેલી મુખ્ય મુખ્ય વાતોની પુષ્ટિ જોવા મળે છે : યથા : ધનધન સોનીવંશ પ્રભાવક, સમરસંઘ માલદે સુશ્રાવક જિણ કરી ઉદ્ધાર. ૧૪ તિણ ભૂમિપતિ જિણહર બારઈ કાઉસગ રહીયા નેમકુમાર પઢમ ભૂમિ પેખવિ સંવત ચઉદ ચઉરાણ (૧૪૯૪) વચ્છર, ઊધરિયા જિણભવણ મનોહર ભૂધર જેમ ઉZગ. ૧૫ આ વિશેષ પ્રમાણોના અન્વયો પરથી ‘કલ્યાણત્રય' વિશે અધિક નિષ્કર્ષ એ નીકળે છે કે, તે ચૈત્યની અંદર, ગર્ભગૃહમાં કોઈ ત્રણ મજલાવાળી ચૌમુખ રચના હતી, જેમાં ત્રણે માળની મળી મૂળનાયક નેમિનાથ ભગવાનની કુલ બાર મૂર્તિ હતી; અને વિશેષમાં નીચલે માળે રહેતી ચારે મૂર્તિ(ઓ), પાછળ ઉદ્ધત કરી તે ચૈત્યપરિપાટીમાં પણ કહ્યું છે તેમ, કાયોત્સર્ગરૂપે હતી; (ઉપરના બે માળમાં સ્થિત પ્રતિમાઓ પદ્માસનમાં હોવાનું વિવક્ષિત છે); અને આ ત્રણે માળની પ્રતિમાઓ નેમિનાથના ગિરનાર સંદર્ભિત ત્રણ કલ્યાણકોના પ્રતીકરૂપે હતી. સમરસિહ-માલદેવે ઉદ્ધરાવેલ “કલ્યાણત્રય-ચૈત્ય' ગિરનાર પર આજે પણ ઊભું છે; પણ તેનું મૂળ નામ વીસરાઈ જઈ, તે “સગરામ સોની (સંગ્રામસિંહ સોની)ના મંદિરના નામે ખોટી રીતે ચડી ગયું છે. અલબત્ત પ્રસ્તુત મંદિરના સંગઠનમાં તેજપાળે કરાવેલ મૂળ જિનભવનને તો કોઈ જ ભાગ રહ્યો હોય તેમ દેખાતું નથી. વિશેષમાં મંદિરનું શિખર પણ ૧૫મી સદીનું હોવાને બદલે ૧૯મા સૈકાનું (આ ઈ. સ૧૮૦૩નું) આધુનિક અને કઢંગું છે; અન્યથા તેમાં ૧૫મી શતાબ્દીના મળતા વર્ણન પ્રમાણે અનુક્રમે “મેઘનાદ” અને “મેઘમંડપ છે. અંદર જતાં જોઈએ તો ગર્ભગૃહની કોરણીવાળી ૧૫મા શતકની દ્વારશાખાને ખંભશાખામાં ઉચ્ચાલકો લઈ અસાધારણ ઊંચેરી બનાવી છે; ગર્ભાગારમાં વાસ્તવિક પીઠિકા નથી, પણ ભીંત સમાણી પાતળી પીઠ કરી, તેના પર નાની નાની, ૧૯મી સદીમાં પ્રતિષ્ઠાપેલ આધુનિક જિનમૂર્તિઓ છે. અંદરના ભાગમાં વચ્ચે છત વગરના માળ-મજલા કરીને, માળોના અંકન ભાગે પણ પાતળી પીઠ કરી, પ્રતિમાઓ બેસાડેલી છે : પણ દ્વારશાખાનાં ઊંચેરાં માન-પ્રમાણ જોતાં તેની અંદર કોઈ એવી રચના હોવી જોઈએ, જે એની પૂરી ઊંચાઈ સાથે કારમાંથી જ પેખી શકાય. આવી સંરચના તળભાગે પણ ઠીક મોટી હશે, અને તેની અંદર પ્રદક્ષિણા દેવા જેટલો અવકાશ રહેલો હશે; અને એ કારણસર તે ગર્ભગૃહની મધ્યમાં ખડી કરેલી હોવી જોઈએ. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર આવી સંરચના બીજી કોઈ નહીં પણ પરિપાટીકારોએ વર્ણવેલ ત્રણ માળવાળી, મજલે મજલે નેમિનાથની ચૌમુખ મૂર્તિ ધરાવતી કૃતિ હોવી જોઈએ, જે અન્ય કોઈ નહીં પણ નેમીશ્વરદેવનાં ‘કલ્યાણત્રય’ની પ્રતીક રચના જ હોવી ઘટે. (પંદરમા શતકના ઉત્તરાર્ધમાં વર્ણિત પ્રસ્તુત રચના મૂળ તેજપાળના સમયની હતી, કે પુનરુદ્વારમાં નવીન કરી હશે તેનો નિર્ણય તો આજે થઈ શકે તેમ નથી.) ૧૨૪ સાહિત્યિક પ્રમાણોના આધારે ‘કલ્યાણત્રય’ની સંરચના વિશે એટલું તો જાણી-કલ્પી શકાય છે : પણ તે રચના તાદશ કેવી દેખાતી હશે, તેના ઉદયમાં ત્રણ મજલા પાડી ચૌમુખ કેવી રીતે ગોઠવ્યાં હશે, તેનું કોઈ પ્રત્યક્ષ ઉદાહરણ મળે તો વિશેષ સમજણ પડે. સદ્ભાગ્યે આવી એક રચના વિદ્યમાન છે, અને તે પણ મંત્રી તેજપાળ કારિત ! એ છે અર્બુદિગિર પર મંત્રીવરે કરાવેલ યાદવ નેમિનાથના જગસ્ત્યાત લૂણવસહિકાપ્રાસાદના આરસમય બાવન જિનાલયમાં, મૂળપ્રાસાદના પૃષ્ઠભાગે આવેલ હસ્તિશાલામાં. અહીં હસ્તિશાલાના મધ્યબિંદુએ ક૨વામાં આવેલ પ્રતિમાન્વિત, ત્રણ તબક્કા, બતાવતી, નીચે કાયોત્સર્ગમાં ઊભેલા ચતુર્દિશામાં ખડ્ગાસન જિન, તે પછી સહેજ અંદર ખેંચેલો અને ઊંચાઈમાં ઓછો કરેલો બીજો મજલો અને તે ઉપર ત્રીજો મજલો એમ તે બન્નેમાં ચોમુખ પદ્માસનાસીન પ્રતિમાઓ યુક્ત રચના છે (ચિત્ર ૧)૧૯. પ્રતિમાઓ શ્યામ વર્ણની હોઈ, તેમ જ વિશિષ્ટ લાંછનાદિ અન્ય લક્ષણો તેમાં ઉપસ્થિત હોઈ, તે સૌ નેમિનાથની હોવાનું સૂચિત થાય છે. વસહિકાનો મુખ્ય પ્રાસાદ પણ નેમિનાથનો છે, અને આ ‘કલ્યાણત્રય'ની રચના એ મધ્યના પ્રાસાદ કિંવા મૂલપ્રાસાદના પૂર્વ-પશ્ચિમ ગર્ભસૂત્ર સાથે મેળવેલી છે. આ સંરચના પર અલબત્ત કોઈ લેખ કોરેલ હોવાનું જાણમાં નથી. (સ્વ) મુનિવર કલ્યાણવિજયજીએ તેને ‘ત્રિખંડ ચૌમુખ' કહી સંતોષ માન્યો છે. (સ્વ) મુનિશ્રી જયંતવિજયજીએ તેનું વિશેષ વર્ણન કરી, તેની ‘મેરુગિરિ’ તરીકે ઓળખ કરી છે. એમણે કરેલ વિવરણ સંદર્ભપ્રાપ્ત હોઈ, અહીં પૂરેપૂરું ઉદ્ધૃત કરીશું : “હસ્તિશાળાની વચ્ચેના ખંડમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની પરિકરવાળી ભવ્ય અને મોટી પ્રતિમા એક બિરાજમાન છે. તેમની સન્મુખ શ્યામ વર્ણના આરસમાં અથવા કસોટીના પથ્થરમાં સુંદર નકશીથી યુક્ત મેરુ પર્વતની રચના તરીકે ત્રણ માળના ચોમુખજી છે. તેના ત્રણ માળમાં એ જ પાષાણની શ્યામ વર્ણની જિનમૂર્તિઓ છે. પહેલા માળમાં ચાર કાઉસગીઆ છે, બીજા અને ત્રીજા માળમાં ભગવાનની પર્યકાસનવાળી ચાર ચાર મૂર્તિઓ છે. કુલ બાર મૂર્તિઓ શ્યામવર્ણી અને પરિકરવાળી છે.’ ૨૧ દા૰ ઉમાકાન્ત શાહે પણ તેને ‘પંચમેરુ’ની રચના માની છે : યથા : For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણરાય” ૧ ૨૫ “Representations of Panch-meru mountains of different dvipas, showing a siddhayatana suggested by a four-fold Jina image on each tier, one above the other (in five tiers) and surmounted by a finial, are more common among the Digambaras. One such Panch-meru is also obtained in a Svetambara Shrine, in the Hastisala of the Luna Vasahi MT.Abu.” પરંતુ અહીં મજલા પાંચ નહીં, ત્રણ છે. ઉપર ઉદ્ધત મુનિશ્રી જયંતવિજયજીએ કરેલું વર્ણન આબૂની સંરચનાનું હોવા છતાં ગિરનાર પરના યાત્રિકો દ્વારા વર્ણિત “લ્યાણત્રય'નું આબેહૂબરૂપ હોવાનું પ્રતીત થાય છે. એ “પંચમેરુ'ની રચના હોય તો તે માટે કંઈ આધાર તો હોવો ઘટે; પણ “મેરુગિરિ'ની રચનામાં ઉપરના ચૌમુખને વાસ્તુશાસ્ત્ર મત પ્રમાણે સમવસરણ દેવામાં આવે છે; અને “પંચમેરુ કહેવા માટે વચ્ચે એક અને ચાર ખૂણે ચાર અન્ય મેરુની (ભલે વચલા કરતાં નાની)૨૩ અથવા, પ્રકારાંતરે ઉપરાઉપર પાંચ મજલાવાળી રચના હોવી ઘટે. અહીં એવી સંરચના નથી. આ તો આગળ જણાવ્યું તેમ, ગિરનાર પરના મંત્રી તેજપાળ કારિત કલ્યાણત્રય” ના “કલ્યાણત્રિતયના અગાઉ ચર્ચિત વર્ણનને હૂબહૂ મળતી રચના હોઈ, તેની ઓળખ હવે એ રીતે થવી ઘટે. એમ જણાય છે કે વરિષ્ઠ બંધુ વસ્તુપાળને શત્રુંજયાદ્રિમંડન યુગાદિ ઋષભદેવ પર વિશેષ મોહ અને અહોભાવ હતા; ને લઘુબંધુ તેજપાળને રૈવતાચલાધીશ ભગવાન નેમિનાથ પર અધિક પ્રીતિ હતી. કેમ કે વસ્તુપાળે ગિરનારગિરિ પર અને ધવલકક્ક(ધોળકા)માં શત્રુંજયાવતાર'નાં મંદિરો કરાવેલાં; તો તેજપાળે ગિરનાર પર નેમિજિનનો ‘લ્યાણત્રિતય વિહાર' અને અર્બુદગિરિ પર તેમ જ ધોળકામાં “ઉજજયંતાવતાર'નાં મંદિરો કરાવેલાં. આબુવાળું મંદિર નેમીશ્વરસ્વામીનું હોઈ, તેમાં “કલ્યાણત્રય'-ની રચના હોઈ, અને તે પણ ગર્ભગૃહ સાથે એકસૂત્રમાં મેળવેલી હોઈ, પ્રસ્તુત જિનાલયને “ઉજ્જયંતાવાર’ માનીએ તો સુસંગત છે. તેજપાળના પ્રસ્તુત રચના પ્રત્યેનાં ખાસ આકર્ષણ-વલણ-ઢળણ પણ તેની સ્થાપના અર્બુદગિરિ પર પણ કરવા પાછળ કામ કરી ગયાં હશે. ગિરનાર પર વસ્તુપાળે શત્રુંજયાવતાર' સાથે “અષ્ટાપદ' અને “સમેતશિખર'ની પ્રતીક રચનાનાં મંદિરો કરાવેલાં, તો તેજપાળે ત્યાં “કલ્યાણત્રયની પ્રતીક-રચનાનું ભવન કરાવ્યું. આમ બેઉ ભાઈઓને પ્રતીકરચનાઓ નિર્માવવા પ્રતિ પણ રસ રહ્યો હશે તેમ લાગે છે. ગિરનારના સં. ૧૨૮૮ | ઈ. સ. ૧૨૩૨ના મહામાત્ય વસ્તુપાલકારિત ‘વસ્તુપાલવિહાર'ના છ પ્રશસ્તિલેખોમાં લઘુબંધુ તેજપાળે ત્યાં કરાવેલા “કલ્યાણત્રય” પ્રાસાદનો ઉલ્લેખ નથી. એથી એમ માની શકાય કે પ્રસ્તુતે મંદિર સં ૧૨૮૮થી થોડું મોડું બન્યું હોય. ગિરનારના “કલ્યાણત્રય” પ્રાસાદના મંત્રી તેજપાળના સ્થાપનાના તેમ જ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર પ્રશસ્તિના લેખ, તેમ જ મૂલ સંરચના વિનષ્ટ થયાં છે; અને આભૂવાળા “કલ્યાણત્રય' પર આગળ કહ્યું તેમ કોઈ લેખ નથી ! તેમ મંદિરના પ્રશસ્તિલેખમાં પણ તેનો ઉલ્લેખ નથી ! સંભવ છે કે બંને સ્થળોના કલ્યાણત્રય એકકાલિક હોય, હવે પ્રશ્ન એ છે કે સાહિત્યિક અતિરિક્ત આવશ્યક એવું અભિલેખીય પ્રમાણ ‘કલ્યાણત્રય' સ્વરૂપ-નિર્ણય અંગે છે ખરું? આની શોધ કરતાં મને બે પ્રમાણો હાથ લાગ્યાં છે. એક તો છે રાણકપુરના “ધરણવિહાર'માં સં. ૧૪૯૭ / ઈસ. ૧૪૫૧નો અભિલેખ ધરાવતો “શ્રી શત્રુંજય શ્રીગિરનાર પટ્ટ.”૨૫ તેમાં ગિરનારવાળા ભાગમાં મૂળનાયક નેમિનાથની બાજુમાં એક પટ્ટી શું કરી, તેમાં ત્રણ ખંડ પાડી, નીચેના ખંડમાં કાયોત્સર્ગ જિનમૂર્તિ અને ઉપલા બે ખંડોમાં બેઠેલા જિનનાં રૂપ બતાવ્યાં છે, જે કલ્યાણત્રય” ચૈત્યનું સૂચન કરે છે (ચિત્ર ૨)*. બીજું છે કુંભારિયા (પ્રા. આરાસણ)ના નેમિનાથ ભગવાનના મંદિરમાં એક રથિકાબદ્ધ કાયોત્સર્ગ જિનમૂર્તિ અનેં તેને મથાળે ખંડમાં પર્યકાસને રહેલ જિનબિંબ ધરાવતું ફલક (ચિત્ર ૩), જેમાં નીચેની મૂર્તિની પાટલી પરના લેખમાં તે અરિષ્ટનેમિનાં બિંબ હોવાનું અને તેની પ્રતિષ્ઠા કલ્યાણત્રય'માં હતી તેવો નિર્દેશ મળે છે. સં. ૧૩૪૩ / ઈ. સ. ૧૨૮૭નું વર્ષ ધરાવતું આ શિલ્પ-પ્રતિમા-વિધાન તેજપાળની કૃતિઓ બાદ પ્રાયઃ ૫૫ વર્ષે તૈયાર થયેલું; અને અહીં પણ તે નેમિનાથના સંદર્ભમાં રચાયેલ હોઈ “કલ્યાણત્રય' અંગે થોડોક પણ વિશેષ ખ્યાલ આપી રહે છે. એ સંબંધમાં વિશેષ કશું કહેતા પહેલાં (મુનિ વિશાલવિજયજીએ પ્રગટ કરેલ) મૂળ લેખ અહીં જોઈ જવો ઉપયુક્ત છે : ॐ ॥ संवत् १३४३ वर्षे माघ शुदि १० शनौ प्राग्वाटान्वये श्रे. (*) छाहड सुत श्रे० देसल भार्या देल्ही तत्पुत्र लक्षमण (आ) (*) सधर देवधर सिरधर मयधर । तथा सिरधर માર્યા.... (૪) પુત્ર નસવ | ક્રિતીયપુત્રે 2. વેન માર્યો....(*)....નાથી નાતુ તત્પન્ન તૂળધવત વાધુ પૂવિ તપુત્ર વાસીદ પ્રકૃતિ ટુંવ સમુદ્ર સતિ ગાત્મના....(*) fપતુઃ श्रेयोर्थं कल्याणत्रये श्रीअरिष्टनेमिबिंबानि कारितानि । मंगलमस्तु समस्तसंघस्य । (*) श्रे० गांगदेवसुत ऊदलसुता लूणी भगिनि(नी) वयजू सहजू क....सति गांगीप्रभृति ॥ આરાસણના નેમિનાથ જિનાલયમાં રહેલ આ “કલ્યાણત્રય' સંબંધી બીજા પણ બે અભિલેખીય ઉલ્લેખ પ્રસ્તુત મંદિરમાં મળે છે, જેને પણ અહીં આવરી લઈશું. આ સંબંધનો પ્રથમ (સંવત્ વગરનો) લેખ મંદિરની (દવકુલિકાની ?) ભીંત પર આવેલો નોંધાયો છે. (વસ્તુતયા જે ગોખમાં આ “કલ્યાણત્રય' છે તેની જ થાંભલીની બેસણી પર તે લેખ છે.) જેમાં નવાંગવૃત્તિકાર ‘અભયદેવસૂરિ'ના સંતાનીય “શ્રીચંદ્રસૂરિએ “કલ્યાણત્રય'માં નેમિનાથનાં બિબોની પ્રતિષ્ઠા કરી તેવો ઉલ્લેખ છે : યથા : For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” कल्याणत्रये श्रीनेमिनाथबिंबानि प्रतिष्ठितानि नवांगवृत्तिकार श्रीमद् अभयदेवसूरिसंतानीय श्रीचंद्रसूरिभिः श्रे० सुमिग श्रे० वीरदेव० श्रेष्ठी गुणदेवस्य भार्या जयत श्री साहुपुत्र वईरा पुना लुणा विक्रम खेता हरपति कर्मट राणा कर्मटपुत्र खीमसिंह तथा वीरदेवसुत अरसिंह प्रभृतिकुटुंबसहितेन गांगदेवेन कारितानि....... (મુનિશ્રી વિશાલવિજયજી ‘કલ્યાણત્રય'નું “શ્રી નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણકોના દિવસોમાં ભરાવેલાં (મંદિર)નાં બિબોની પ્રતિષ્ઠા કરી “એવું અર્થઘટન કરે છે : (એજન પૃ૦ ૨૨); તે બરોબર નથી.) એમ જણાય છે કે અગાઉ કથિત સં ૧૩૪૩નાં ‘કલ્યાણત્રય'નો ઉલ્લેખ કરતા લેખમાં પ્રતિષ્ઠાપક આચાર્ય ‘શ્રીચંદ્રસૂરિ’નું નામ આપવું રહી ગયું હોઈ, તે માટે જુદો લેખ દેવાની જરૂરત ઊભી થઈ હશે. પ્રસ્તુત ‘ચંદ્રસૂરિ’નો સં ૧૩૪૪ / ઈ. સ. ૧૨૮૮માં ‘ઋષભદેવ’ની પ્રતિમા ભરાવ્યાનો એક અન્ય લેખ મંદિરમાં મોજૂદ છે : (એજન પૃ ૧૧૦). ૧૨૭ ‘નેમિનાથ’ મંદિરના રંગમંડપના, અને ‘કલ્યાણત્રય’વાળા ગોખલાની બાજુમાં રહેલા એક સ્તંભ પર સં૰ ૧૩૪૪ / ઈ. સ. ૧૨૮૮માં પ્રસ્તુત ‘કલ્યાણત્રય'ની પૂજા માટે ૧૨૦ ‘વિસલપ્રિયદ્રમ્મ‘ ભંડા૨માં અપાયાનો પણ લેખ છે, જે ઘટના તેની પ્રતિષ્ઠા પછી લગભગ દોઢેક વર્ષ બાદની છે : ओम् ॥ संवत् १३४४ वर्षे आषाढ सुदि पूर्णिमायां । देव श्री नेमिनाथचैत्ये श्रीकल्याणत्रयस्य पूजार्थं श्रे० सिरधर तत्पुत्र श्रे० गांगदेवेन वीसल प्रीयद्रमा (मा) णां १२० श्रीनेमिनाथदेवस्य भांडागारे निक्षिप्तं । वृद्धफल भोग (य) मासं प्रति द्रम ३ चटंति । पूजार्थं । आचंद्र જાતં યાવત્। શુભં ભવતુ શ્રીા (અહીં પણ વિશાલવિજયજી મંદિરમાં “ત્રણે કલ્યાણકોની પૂજા માટે” એવો અર્થ ઘટાવે છે તે બંધબેસતો નથી. અહીં કલ્યાણકોની પૂજાની વાત નથી, પણ ‘કલ્યાણત્રય’ના પ્રતીકરૂપ રચનાની પૂજાની વાત સમજવાની છે.) આ પ્રતિમા મુખમંડપની અસલ ચોકીઓથી પૂર્વ તરફની વધારેલી ચોકીમાં જાળીયુક્ત ભિત્તિને આધારે રથિકા સાથે ટેકવેલી છે; અને તે ચૌમુખ નહીં, એકમુખ છે; તેથી એક પ્રકારનો ‘કલ્યાણત્રય'નો ‘પટ્ટ' છે, ત્રણે પરિમાણોમાં વિસ્તરતી રચના નથી॰ (ચિત્ર ૩); વિશેષમાં તેમાં સૌથી ઉપરની ત્રીજી મૂર્તિ ગાયબ થઈ છે, પણ તેમ છતાં આયોજન સરસ લાગે છે. મંદિરના ઉપર ચર્ચિત અભિલેખોમાં કહેલ ‘કલ્યાણત્રય’ તે આ જ રચના છે. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર “કલ્યાણત્રય' અંગે કેટલાક વિશેષ સંદર્ભો પ્રાપ્ત થાય છે જે અહીં હવે રજૂ કરીશું. ગિરનાર પરના એક સંવત નષ્ટ થયેલા ખંડિત લેખમાં કલ્યાણત્રયનો આગળના વિશેષ લુપ્ત સંદર્ભમાં ઉલ્લેખ આવે છે स्वस्ति श्री धृतिनमः श्रीनेमिनाथाय जवर्षे फाल्गुन शुदि ५ गुरौ श्री (यादवकुल) तिलकमहाराज श्रीमहीपाल(देव विजयराज्ये) वयरसिंह भार्या फाउसुत सा (सालिग) સુત સી. સામા સી. મેના છેલ્લાં – जसुता रुडी गांगी प्रभृति (श्रीनेमि) नाथप्रसादः कारितः प्रतष्टि(ठतं श्रीचंद्र) द्रसूरि तत्पट्टे श्रीमुनिसिंह (सूरि) .....ચાપત્રય – (ત્તિ સૉ. મો૦ વૉટ છે. પૃ. ૨૪) આમાં વંચાયેલ..... “તિલક મહારાજ શ્રીમહીપાલ”..ભાગમાં મૂળ “(દ્િવત)તિન મહાગ શ્રી મહીપાત(વવિનય રાજે)” હોઈ શકે છે અને તો તે ચૂડાસમા રા’મહીપાલદેવ(પ્રથમ)ના સમયનો, અને મોટે ભાગે ઈસ્વીસની ૧૪મી શતાબ્દીના પ્રથમ ચરણનો, લેખ હોઈ શકે છે અને જે પ્રાસાદ કરાવેલો તે.....(નેમિ)નાથનો હોવો જોઈએ અને તો ત્યાં તૂટેલ ભાગ પછીથી આવતું “કલ્યાણત્રય' એ પ્રસ્તુત લેખમાં જેનાં નામ આવે છે તે શ્રાવક-શ્રાવિકાઓએ મંત્રી તેજપાળના “કલ્યાણત્રયમાંથી સ્વતંત્ર કરાવેલો હોવો જોઈએ. (હું માનું છું કે ચૈત્યપરિપાટીકારો તેમ જ સોમસૌભાગ્યકાવ્યના કર્તા પ્રતિષ્ઠાસોમ જેને લક્ષોબા કિંવા લખપતિ દ્વારા ગિરનારમાં કરાવેલ ચતુર્મુખ પ્રાસાદની વાત કરે છે તે ૧૫માં શતકના પ્રાસાદને સ્થાને અસલમાં આ મહીપાલદેવના સમયનો કલ્યાણત્રય પ્રાસાદ હશે. લક્ષીબાવાળો પ્રાસાદ હાલ મોજૂદ છે. અને તેમાં ચાર ઊંચી થાંભલીવાળી મઢુલી શી રચના છે, જેની અંતર્ગત મૂળે “કલ્યાણત્રય' હશે.) ગિરનાર, આબુ, કુંભારિયા સિવાય થોડાંક અન્ય સ્થળોએ પણ “કલ્યાણત્રય' હોવાનાં કેટલાંક સાહિત્યિક સાઢ્યો ઉપલબ્ધ છે. એક કાળે એવી એક પ્રતિષ્ઠા શત્રુંજયગિરિ પરની “ખરતરવસહી'(ઈ. સ૧૩૨૫)માં હતી, અને મેવાડમાં આવેલા ‘દેલવાડા' (દેવકુલપાટક)ની “ખરતરવસહી'માં પણ હતી; આ દેલવાડાના કલ્યાણત્રય” વિષયક બે અપ્રકટ અજ્ઞાતકફૂંક ૧૫મા સૈકાની ચૈત્યપરિપાટીઓમાંથી ઉદ્ધરણ અહીં ટાંકીશું : For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” ૧ ૨૯ तु (सुझदेवी ? मरुदेवी) गयवरि चडिया सिरि सत्तरिसउ चंग, पंचय पंडवगुरु सहियो कल्याणत्रय रंग; अठ्ठावय जगि सलहिय तिहूयणि तिलय समाण, ठामि ठामि वर पूतलीय जाणे करई वखाण....९ पडिमाठिय नमिविनमि नमि जंबूवृक्षविहार गुरु गुरुवलि वंदिय से जिणदत्तसूरि गणहार संभव अजिय जुहारिय से वासपूज्य फलसार खरतरवसही मनहर ओ माणतुंग अवतार....१० -श्री तीर्थचैत्तपरिपाटी અને खरतरभुवणि सिरि आदि जिणेसरं, कल्याणत्रयी जाईय अ; बावन्न देहरा पवर बिंबावली, अष्टापदि मन मोहीय . ३ -श्री तीर्थचैत्तपरिवाडी તદતિરિક્ત જેસલમેરની ખરતરવસહી, જે સં૧૪૬૯ | ઈસ. ૧૪૧૩ આસપાસ બનેલી, તેમાં સં. ૧૪૯૫ / ૧૪૩૯ સુધીના સિલસિલાબંધ લેખો મળે છે; ત્યાં “કલ્યાણત્રયની રચનાની નોંધ લીધી છે જે મહત્ત્વની હોઈ અહીં તેની ચર્ચા કરીશું : પં. અંબાલાલ શાહ અનુસાર “અહીં એક પીળા પાષાણનું સ્તૂપાકૃતિનું સુંદર સમવસરણ સં. ૧૫૧૮ના લેખવાળું છે. મધ્યમાં ઉપરાઉપરી ત્રણ ચૌમુખજી અને એક મોટી પાદુકા વિરાજમાન છે.”૩૪ પણ મૂળ अपम मा २यनाने त्या त्रय' ४४ छ : यथा :३५ (१) विक्रम संवत् १५१८ वर्षे श्री जेसलमेर महादुर्गे राउल श्रीचाचिगदेव विजयि राज्ये ऊकेश वंशे चोपडा गोत्रे सा० हेमा पुत्र पूना तत्पुत्र दीता तत्पुत्र पांचा तत्पुत्र सं० सिवराज सं० महिराज सं० लोला तद बांधवेन सं० ___(२) सुहवदे पुत्र सं० थिरा सं० महिराज भार्या महिगलदे पुत्र सहसा साजण सं० लोला भार्या लीलादे पुत्र सं० सहजपाल रत्नपाल सं० लाखण भार्या लखमादे पुत्र सिखरा समरा माला मोढा सोढा कउंरा पौत्र ऊधा श्रीवत्स सारंग सद्धा श्रीकरणं ऊगमसी सदारंग भारमल्ल सालिग सुरजन मंडलिक पारस प्रमुख परिवार सहितेन वा० कमलराज गणिवराणां सदुपदेशेन मातृरूपी पुण्यार्थं श्रीकल्याणत्रय । For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩) સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર (३) श्री सुमति बिंबानि कारितानि प्रतिष्ठितानि श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरि पट्टालंकार श्री जिनचंद्रसूरिभिः वा० कमलराज गणिवराणां शिष्य वा० उत्तमलाभ गणि प्रणमति । પ્રસ્તુત રચના અહીં ચિત્ર ૪માં રજૂ કરી છે. તે સં. ૧૫૧૮ | ઈ. સ. ૧૪૬૨ની હોવાની લેખથી નિશ્ચિત છે. કલ્યાણત્રયની રચના અર્થપૂર્ણ હોવા ઉપરાંત તેની વિભાવના અને અભિવ્યક્તિ મનોહારી અને પ્રભાવક હોઈ શકે છે, તે તથ્ય આબૂના દૃષ્ટાંત પરથી અને કુંભારિયાના ફલકાકાર ખંડ પરથી કળી શકાય છે. આ વિષયની પ્રતીક-રચના કરવાનો પ્રારંભ ક્યારે થયો હશે? વસ્તુપાલ-તેજપાલના સમય પૂર્વે તે થતી હોવાનો કોઈ ગ્રંથ કે અભિલેખનો આધાર મને હજી સુધી મળ્યો નથી. જિન નેમિનાથના ગિરનાર પર થયેલાં ત્રણ કલ્યાણકોની વાત તો આગમભાષિત હોઈ, પુરાતનકાળથી જાણીતી હતી. રૈવતગિરીશ્વર યાદવ નેમિનાથનું ત્યાં તીર્થસ્થાન પણ ઠીક ઠીક પ્રાચીન કાળથી અસ્તિત્વમાં હોવાના અલ્પ પણ નકારી ન શકાય તેવા નિર્દેશો છે : પણ જિનના કલ્યાણત્રય' જેવી કેવળ વૈભાવિક, અમૂર્ત પરિકલ્પનાને સંપૂર્ણ કરવાનો પ્રથમ જ વાર, અને એથી મૌલિક વિચાર તો કદાચ મંત્રી તેજપાળને અને એમની શિલ્પી-શ્રેણીને આવ્યો હોય તેવા તર્ક કરી શકાય. અન્ય વિશેષ પ્રાચીન પ્રમાણો લભ્ય ન બને ત્યાં સુધી તો એ યશ મંત્રીવર્ય તેજપાળને આપીએ તો ખોટું નથી ! પરિશિષ્ટ ગિરનાર પરનું કલ્યાણત્રય” ચૈત્ય તેજપાળ મંત્રીએ કરાવ્યાનાં સમકાલિક તેમ જ સમીપકાલિક લેખકોનાં પ્રમાણો ઉપર જોઈ ગયા છીએ; પણ બે કર્તાઓ એવા છે કે તેઓ પ્રસ્તુત ચૈત્યના નિર્માણનો યશ સચિવેશ્વર વસ્તુપાલને અર્પે છે. તેમાં એક તો છે કલ્પપ્રદીપ કિંવા વિવિધ તીર્થકલ્પના રચયિતા આચાર્ય જિનપ્રભસૂરિ. એમના સંસ્કૃતમાં રચાયેલા “શ્રી ઉજ્જયંતસ્તવ”માં સંબંધકર્તા પદ્ય નિમ્નાનુસારી છે : अत ओवात्र कल्याणत्रय-मन्दिरमादधे श्रीवस्तुपालोमन्त्रीश - श्चमत्कारित भव्यहृत् ॥६॥ -वि० ती० क० पृ० ७ (જિનપ્રભસૂરિએ તો ત્યાં “વસ્તુપાલવિહાર”માં રહેલ “અષ્ટાપદ”ની સામેની “સમેતશિખર”ની રચનાને “નંદીશ્વરદ્વીપ” માનવાની ભૂલ પણ કરી છે....) બીજો ગિરનાર સંબંધી ઉલ્લેખ પિપ્પલગચ્છીય હીરાણંદસૂરિના વસ્તુપાલરાસ(સં. ૧૪૮૫ | ઈ. સ. ૧૪૨૯)માં મળે છે ત્યાં પણ પ્રસ્તુત મતલબનું કહ્યું છે : યથા : For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” ૧૩૧ વેચીય બાર કોડિ વિવાહપ્પરિ, અસીય સહસ્ર લખ બાર; સમેયસિહર તીરથ અડ્રાય સિગંજય અવતારું, જિણ કલ્યાણત્રય પમુહ કરાવીય, અન્ન તિર્થે બહુ ચંગિ, સંઘાહિય વસ્તુપાલ ઈમ ચલ્લાઈ સેતુજ ગિરિવર શૃંગિ .૯૨ મંત્રીશ્વર વસ્તુપાળ મંત્રી તેજપાળના “મોટાભાઈ” હતા, મહામાત્ય પદે વિભૂષિત હતા, અને વિદ્વજ્જનોના આશ્રયદાતા, દાનેશ્વરી, ધર્મવીર તેમ જ અનેક દેવાલયાદિ સુકૃતોના કરાવનાર તરીકે તેમની ખ્યાતિ હોઈ, ઉપરકથિત બે કર્તાઓએ મંત્રીશ્વર વસ્તુપાલને “કલ્યાણત્રય”ના કારાપક માની લીધા હોય તે બનવાજોગ છે. પરંતુ ઉપર જોઈ ગયા તે ઢગલાબંધ સાઢ્યો, જેમાં સમકાલિક લેખક નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિ પણ સમાવિષ્ટ છે, તે જોતાં સદરહુ રચના નિઃશંક તેજપાલ નિર્માપિત હતી. ટિપ્પણો : ૧. પ્રાવીનપૂર્નરવ્યસંગ્ર૬, Pt. 1, Ed. C. D. Dalal, G.C.S. no. 13, first ed. Baroda 1920, sec. ed. Baroda 1978, p. 6; દ્વિતીય ડેવ; તથા સુતકીર્તિનિચાવિ વસ્તુપત્નપ્રતિસંપ્રદ, સંત પુણ્યવિજયસૂરિ, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રન્થાંક ૫, મુંબઈ ૧૯૬૧,પૃ. ૧૧૧, દ્વિતીય કડવું. ૨. મુનિ નિત્યાનંદવિજય, શ્રી રૈવતગિરિ-સ્પર્શના, શ્રી આત્મકમલ-દાન-પ્રેમ-જંબુસૂરિ-જૈનગ્રંથમાળા, મણકો ૪૭, આવૃત્તિ પહેલી, ડભોઈ વિસં. ૨૦૩૭(ઈ. સ. ૧૯૮૧), પૃ. ૯૨. ૩. વિવિધ તીર્થમા, પ્રથમ ભાગ, સંજિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રન્થાંક ૧૦, શાંતિનિકેતન ૧૯૩૪, પૃ. ૧૦. ૪. પ્રવિતામણિ, પ્રથમ ભાગ, સં. જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા ગ્રન્થાંક ૧, શાંતિનિકેતન ૧૯૩૩, - મૃ. ૧૦૧. ૫. પ્રવચોર, પ્રથમ ભાગ, સંજિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, શાંતિનિકેતન ૧૯૩૫, પૃ. ૧૧૬. ૬. વરત/છવૃદભુર્વાતિ, સં. આચાર્ય જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, ઝળ્યાંક ૪૨, મુંબઈ ૧૯૫૬, પૃ. ૫૩. ૭. એજન, પૃ૦ ૬૩. ૮. જુઓ “જ્ઞાનચંદ્રત સંસ્કૃત ભાષા-નિબદ્ધ શ્રી રૈવતતીર્થ સ્તોત્ર', સં. (સ્વ) અગરચંદ નાહટા | મધુસુદન ઢાંકી, Aspects of Jainology, Vol. II. Pt. Bechardas Doshi Commemoration Volume, Eds, M. A. Dhaky and Sagarmal Jain, Varanasi 1987, p. 113. (પ્રસ્તુત કૃતિ અને મૂળ લેખ આ સંગ્રહમાં પણ સમાવી લેવામાં આવ્યો છે.) ટિપ્પણો તૈયાર કરતે સમયે આ વિષયને સ્પર્શતો એક સમાંતર સંદર્ભ ધ્યાનમાં આવ્યો. ખરતરગચ્છીય જિનકીર્તિસૂરિની સંસ્કૃતમાં નિબદ્ધ ગિરનાર ચૈત્યપરિપાટીસ્તવન(પ્રાયઃ ઈસ્વી ૧૪૫૩ પછી તુરત જ)માં For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પણ કલ્યાણત્રયનો અને તેમાં રહેલા ત્રિરૂપધારી નેમિનાથનો ઉલ્લેખ છે ઃ યથા : कल्याणकाख्ये भवने विशाले यस्मिन्नवस्थात्रयरूपधारी । शिवातनुजो वितनोति भद्रं वन्दे सदा तं गिरिमुज्जयन्तम् ॥११॥ (સ્તોત્ર માટે જુઓ સ્તોત્રસમુન્દ્વય, સં. ચતુરવિજયમુનિ, મુંબઈ ૧૯૨૮, પૃ ૨૫૫). સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ૯. અઘાવધિ અપ્રકાશિત. લેખક દ્વારા તેનું સંપાદન થનાર છે. ૧૦. એજન. ૧૧. શ્રી ક્ષાન્તિસૂરિ-જૈન-ગ્રંથમાલા, ગ્રન્થાંક ૫, અમદાવાદ ૧૯૪૧, પ્રસ્તાવ ૬, પૃ ૧૦૨. ૧૨. પ્રસ્તુત કૃતિ પણ લેખક દ્વારા થોડાં વર્ષો પૂર્વે સંપાદનાર્થે તૈયાર થઈ ગઈ છે, નિગ્રંથના હવે પછીના અંકમાં પ્રગટ કરવા વિચાર્યું છે. ૧૩. “શ્રી ગિરનારચૈત્યપ્રવાડિવિનતિ”, સં વિધાત્રી વોરા, Aspects of Jainology, Vol. II, p. 144. ૧૪. “શ્રી ગિરનારચૈત્યપરિપાટિ”, સં૰ મધુસુદન ઢાંકી / વિધાત્રી વોરા, Aspects of Jainology, Vol. II, p. 136. ૧૫. (સ્વ) અગરચંદ નાહટાએ પ્રસ્તુત ચૈત્યપરિપાટીની નકલ લેખકને આપેલી; તેમાંથી ઉપરનું પદ્ય ઉષ્કૃત કર્યું છે. (લેખકને સ્મરણ છે કે પ્રસ્તુત ચૈત્યપરિપાટી નાહટાજીએ પછીથી કચાંક પ્રકાશિત કરી દીધી છે.) ૧૬. પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાગ ૧ લો સં૰ શ્રી વિજયધર્મસૂરિ, ભાવનગર સં. ૧૯૭૮ (ઈ સ. ૧૯૨૨), પૃ ૩૫. ૧૭. “ગિરનાર-ચૈત્યપરિપાટિ", સં. પં. બેચરદાસ દોશી, પુરાતત્ત્વ, ૧-૩, અમદાવાદ ૧૯૨૩, પૃ ૨૯૫. ૧૮. “રંગસાર કૃત ગિરનારચૈત્યપરિપાટી”, સં૰ (સ્વ) અગરચંદ નાહટા / પં બાબુભાઈ સવચંદ શાહ, Aspects of Jainology, Vol. II, p. 173. ૧૯. સાથે જ જુઓ મુનિ જયંતવિજયજી, આબૂ ભાગ પહેલો, શ્રી વિજયધર્મસૂરિ ગ્રંથમાળા,પુસ્તક ૧૦, ઉજ્જૈન ૧૯૩૩, પૃ ૧૧૬ સામેનું ચિત્ર. ૨૦. પં કલ્યાણ વિજયજી ગણી ‘‘આવું વેલાવાડા જે નૈન મંવિ,' પ્રવન્ધ-પારિઞાત, જાલોર ૧૯૬૬, પૃ॰ ૩૨૬. ૨૧. જયંતવિજયજી, આબૂ ભાગ પહેલો, પૃ ૧૧૬. ૨૨. U. P. Shah, Studies in Jain Art, Banaras 1955, p. 117. ૨૩. આવી રચના (અનુમાને ઈ. સ. ૧૩૨૦) શત્રુંજયના એક મંદિરમાં છે, જે વિષયે લેખક દ્વારા “શત્રુંજયગિરિની ખરતરવસહી’ નામક લેખમાં ચર્ચા થયેલી છે, જે નિગ્રંથના ચોથા અંકમાં પ્રગટ થના૨ છે. ૨૪. અલબત્ત, એ પ્રકારની રચનાની પ્રથા ખાસ તો દિગંબર સંપ્રદાયમાં પ્રચારમાં છે. ૨૫. જુઓ Shah, Studies., Plate xxiii, Fig. 59. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” ૧૩૩ ૨૬. વીસેક વર્ષ પહેલાં રૂબરૂ તપાસતાં તેમાં કલ્યાણત્રયના ભાવની નીચેની પટ્ટી પર ઘસાઈ ગયેલા અને ઝાંખા અક્ષરોમાં “કલ્યાણત્રય વંચાતું હોવાનું સ્મરણ છે. ૨૭. જુઓ મુનિ વિશાલવિજયજી, શ્રી આરાસણતીર્થ અપનામ શ્રી કુંભારિયાજી તીર્થ, શ્રી યશોવિજયજી ગ્રંથમાળા, ભાવનગર, ૧૯૬૧, પૃ. ૧૦૮, લેખાંક (૪૧). ૨૮. મુનિ વિશાલવિજયજી, શ્રી આરાસણ, પૃ. ૨૧, લેખાંક (૨). ૨૯. એજન, પૃ. ૩૧-૩૨, લેખાંક (૧૬). ૩૦. અત્યાર સુધી જોઈ વળેલ તમામ સાહિત્યિક, અભિલેખીય, અને તાદશ પ્રમાણમાં ત્રણ માળયુક્ત રચના જ અભિપ્રેત હોવાનું લેખકને જણાયું છે. અહીં નવતર રીતે “કલ્યાણત્રય” વિભાવને પટ્ટરૂપે ઘટાવ્યો છે. ૩૧. જુઓ પ્રવીર નૈન નૈવસંપ્રદ (દ્વિતીય મા) સંજિનવિજય, પ્રવર્તક શ્રીકાંતિવિજય જૈન ઇતિહાસમાલા, પુષ્ય છઠ્ઠ, ભાવનગર ૧૯૨૯, પૃ. ૭૪, લેખાંક ૬૩. ૩૨.જુઓ આ ગ્રંથમાં લેખક દ્વારા સંપાદિત કવિ દેપાલકત “ખરતરવસહી ગીત,” કડી ૩. ૩૩. હાલમાં લેખક દ્વારા સંપાદિત આ રચના પ્રકાશનાર્થે જઈ રહી છે. ૩૪. પંઅંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ ૧, (ખંડ બીજો) અમદાવાદ ૧૯૫૩, પૃ ૧૬૭. ૩૫. અગરચંદ નાહટા, વિનેર નૈન સંપ્રદ, કલક્તા વી. નિ. સં. ૨૪૮૨ (ઈ. સ. ૧૯૫૫), પૃ. ૩૮૪, લેખાંક ૨૦૦૨. નાહટાજીએ ત્યાં આ રચનાને “ત્રિભૂમિયા ચૌમુખ' કહી છે. ૩૬. ત્યાં ટેકરી પરનું નેમિનાથનું મંદિર ૧૧મી સદીનું છે. તેને લગતો પછીનો ઈ. સ. ૧૧૩૭નો તુલ્યકાલીન લેખ જ્ઞાત છે. ૩૭. જેમ ગિરનારના “વસ્તુપાલવિહાર (ઈ. સ. ૧૨૩૨)માં સ્થિત “સમેતશૈલ”ની રચના વસ્તુપાલે જ સૌ પ્રથમ કરાવી હોવાનું, એ વિભાવની પ્રતીકરૂપ રચનાને પહેલી જ વાર સંમૂર્ત કરાવી હોવાનું જણાય છે તે જ પ્રમાણે મંત્રી લઘુબંધુ તેજપાળે “કલ્યાણત્રય”ના વિભાગને પાર્થિવરૂપે પ્રથમ વાર સંભૂત કર્યો હોવાનો તર્ક થઈ શકે. ૩૮. કુંનવતાડત્ર, વસ્તુપાજોન વારિત્તે ऋषभः पुण्डरीकोऽष्टापदो नन्दीश्वरस्तथा ॥१२॥ –વિ. સી. જે. પૃ. ૭ ૩૯, “હીરાણંદ કૃત વસ્તુપાલ રાસ (સં. ૧૪૮૫),” સંભોગીલાલ જ સાંડેસરા, સ્વાધ્યાય, દીપોત્સવી અંક. સં. ૨૦૧૯, ઑક્ટો. ૧૯૬૩, પુ. ૧, અંક ૧, પૃ. ૨૬. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ઉજજયંતગિરિની “ખરતરવસહી” ઉજ્જયંતગિરિના અધિષ્ઠાતૃદેવ, જિન અરિષ્ટનેમિના પ્રાસાદની જગતના ઉત્તર દ્વારેથી ઊતરતાં હેઠાણ ભાગે ડાબી બાજુએ જ પહેલું મોટું મંદિર આવે છે તે વર્તમાને “મેકવસહી' વા “મેરકવસહી' કે “મેરકવશીનામે ઓળખાય છે પરંતુ આ અભિધાન ભ્રમમૂલક છે; કેમકે જે બે એક ચૈત્યપરિપાટીકારો “મેલાગર'(મેલા સાહ)ના મંદિરનો ઉલ્લેખ કરે છે તે મંદિર તો તેમના કથન અનુસાર “ધરમનાથ'(જિન ધર્મનાથ)નું હતું, કેવળ નાની દેહરી રૂપે જ હતું, અને તેનું સ્થાન નેમિનાથની જગતીના પૂર્વદ્યારની પાસે કયાંક હતું. જ્યારે આ કહેવાતી “મેલક વસહી' તો ઉત્તરદ્વારથી હેઠાણમાં રચાયેલ મોટું બાવન જિનાલય છે અને તે અષ્ટાપદ અને સંમેત શિખરના ભદ્રપ્રાસાદો, ગૂઢમંડપ, અને રંગમંડપની રચનાઓ ઉપરાંત “પંચાંગવીર' અને ‘નાગબંધ' ઇત્યાદિ ચમત્કૃતિભરી આકૃતિઓની કોરણીવાળી, તેમ જ અન્ય વાસ્તુશાસ્ત્રોક્ત પ્રકારોવાળી સરસ છતોથી શોભાયમાન મંદિર છે. પંદરમા શતકના ઉત્તરાર્થના ચૈત્યપરિપાટીકારો જે એક મંદિરનું ખૂબ હોંશપૂર્વક અને વિગતે વર્ણન કરે છે, તે સર્વ રીતે વર્તમાન મંદિરની રચના સાથે મળી રહે છે. એ વિષયે અહીં આગળ ઉપર જોઈશું. ચૈત્યપરિપાટીકારોએ આ મંદિરને સ્પષ્ટતયા “ખરતર-વસહી” કહ્યું છે અને તેના નિર્માતા તરીકે ભણસાલી નરપાલ સંઘવીનું નામ આપ્યું છે. પ્રસ્તુત ખરતર-વસહીની નિર્માણમિતિ ખરતરગચ્છીય ઉપાધ્યાય જયસોમ સ્વરચિત “જયસાગરોપાધ્યાય-પ્રશસ્તિમાં સં. ૧૫૧૧ | ઈસ. ૧૪૫૫ બતાવે છે; પરંતુ રાણકપુરના ધરણવિહારમાં સ્થિત, સં. ૧૫૦૭ | ઈ. સ. ૧૪૫૧માં બનેલા “શત્રુંજય-ગિરનાર શિલાપટ્ટ'માં પણ ગિરનાર પરની આ ખરતર-વસહીનું અંકન કરેલું હોઈ પ્રસ્તુત વસહી તે પૂર્વે બંધાઈ ચૂકી હોવી જોઈએ. આ મંદિર વિશે બીજી એક ખોટી કિંવદંતી–જે સાંપ્રતકાલીન શ્વેતાંબર જૈન લેખકો અન્વેષણ કર્યા વગર લખે જ રાખે છે–તે એ છે કે સજ્જન મંત્રીએ ટીપ કરીને તૈયાર રાખેલું નેમિનાથ મંદિરના નિર્માણ-ખર્ચ જેટલું દ્રવ્ય જયસિંહદેવ સિદ્ધરાજે ગ્રહણ ન કરતાં તેનો ઉપયોગ આ મંદિરને બંધાવવામાં થયો હતો; પણ આ મંદિર સંબદ્ધ કોઈ જ સમકાલિક કે ઉત્તરકાલિક ઉલ્લેખ આ માન્યતાનું સમર્થન કરતો હોવાનું જ્ઞાત નથી. મંદિરની શૈલી તો સ્પષ્ટતઃ ૧૫મા સૈકાની છે. મંદિરના મૂલગભારામાં વર્તમાન સં. ૧૮૫૯ ( ઈ. સ. ૧૮૦૩માં વિજય જિનેન્દ્રસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત સહસ્ત્રફણા-પાર્શ્વનાથ મૂલનાયક રૂપે વિરાજમાન છે; પણ ૧૫માં શતકમાં તો For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉજજયંતગિરિની ‘ખરતરવસહી' ૧૩૫ તેમાં સ-તોરણ પિત્તળની, સોનાથી રસેલ, “સોવનમય વીર'ની પ્રતિમા અધિનાયકરૂપે પ્રતિષ્ઠિત હતી; અને તેની અડખેપડખે શાંતિનાથ અને પાર્શ્વનાથની પિત્તળની કાયોત્સર્ગ પ્રતિમાઓ હતી તેવો ચૈત્યપરિપાટીકારોના કથન પરથી નિશ્ચય થાય છે. મૂલનાયકની પ્રતિમા “સંપ્રતિકારિત” હોવાનું તપાગચ્છીય હેમહંસગણિ, શવરાજ સંઘવીની યાત્રાનું વર્ણન કરનાર ચૈત્યપરિપાટીકાર, ખરતરગચ્છીય રંગસાર, તેમ જ કરણસિંહ પ્રાગ્વાટ પણ કહે છે. આ ઉપરથી આ મંદિર તે કાળે સંપ્રતિ રાજાનું મંદિર કહેવાતું હશે. પણ હાલમાં તો આ મંદિરની સામેની ધાર પર આવેલ, ખંભાતના શ્રેષ્ઠીવરો શાણરાજ અને ભુંભ ઈ. સ. ૧૪૫૯માં બંધાવેલ, અસલમાં જિન વિમલનાથના, મંદિરને સંપ્રતિ રાજાનું મંદિર હોવાનું કહે છે. પ્રસ્તુત ખરતરવસહીના બનાવનારાઓએ ઉપલબ્ધ જગ્યાનો બની શકે તેટલો ઉપયોગ કરી, તેમાં બાવન જિનાલયની તળછંદ લાઘવપૂર્વક સમાવી લીધો છે. ઘાટવાળા, પણ અલ્પાલંકૃત સ્તંભયુગ્મ અને દ્વારવાળી મુખચોકી વટાવી અંદર પ્રવેશતાં સૌ પહેલાં મુખમંડપ કિંવા અગ્રમંડપ આવે છે. તેમાં એક છતમાં “પંચાંગવીર અને બીજીમાં ‘વાસુદેવ-ગોપલીલા' (ચિત્ર ૪)નાં આલેખનો કંડારેલાં છે. (આમાં કલેવરોની મહમૂદ બિઘરાના આક્રમણ સમયે ખંડિત થયેલી મુખાકૃતિઓને સં. ૧૯૩૨ | ઈ. સ. ૧૮૭૬ના કેશવજી નાયકના જીર્ણોદ્ધાર સમયે ફરીને ઘડી વરસાવી મારી છે.) અહીં કેટલીક બીજી પણ સારી (અને વાસ્તુશાસ્ત્રોક્ત) છતો છે, જેમાંથી “નાભિમંદારક વર્ગની બે અહીં ચિત્ર ૧ અને ૩માં રજૂ કરી છે. મુખમંડપ વટાવતાં તેના અનુસંધાને કરેલ રંગમંડપમાં જોવાલાયક વસ્તુ છે તેનો સભા-પદ્મ-મંદારક' જાતિનો મહાવિતાન (ચિત્ર ૫). અહીં રૂપકંઠમાં કલ્યાણકોના, અને જિનદર્શને જતા લોકસમુદાયના દેખાવો કંડાર્યા છે. તે પછી આવતા ત્રણ “ગજતાળુ', અને ત્યારબાદ બહુ જ ઘાટીલા કોલ’ના પણ ત્રણ કરી લીધા છે, જેનાં પડખલાઓમાં સુરેખ રત્નોની ઝીણી કંડારશોભા કાઢી છે; અને વજશૃંગોમાં કમળપુષ્પો ભર્યા છે. આ થરો પછી ૧૬ લૂમા’ (લાંબસા)નો પટ્ટ આવે છે. તે પછી હોવી ઘટે તે) અસલી ‘પદ્ધશિલા' કિવા “લંબનને સ્થાને આધુનિક જીર્ણોદ્ધારમાં રૉમક શૈલીનું “લંબન' ખોસી, સોનાની થાળીમાં લોઢાની મેખ મારી છે ! આ મુખ્ય વલયાકાર મહાન્ પિતાનના બહારના પ્રત્યેક વિકર્ણવિતાનો(તરખૂણિયાઓ)માં મોટું અને માતબર ગ્રાસમુખ કોરેલું છે (ચિત્ર ૬), જેવું અગાઉ કુંભારિયાના મહાવીર જિનાલય (ઈ. સ. ૧૦૬૨)ના સોલંકીકાલીન સમાંતર દષ્ટાંતમાં પણ જોઈ શકાય છે. રંગમંડપ પછી “ચોકી કરેલી છે; પણ તેનું તળ ઊંચું લેવાને બદલે રંગમંડપના તળ બરોબર રાખવાથી વાસ્તુનો વિન્યાસ અને એથી આંતરદર્શનનો લય નબળો પડી જાય છે, For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર રસરેખાનો છંદ પણ વિલાઈ જાય છે. અહીં કેટલીક ઘુમટીઓ કરી છે : તેમાંની એકના નાભિચ્છેદ જાતિનો વિતાનનો ઉપાડ જીવંત ભાસતા અને સુશ્લિષ્ઠ હંસોની પંક્તિથી કર્યો છે (ચિત્ર ૨). રંગમંડપ તેમ જ છચોકીના સ્તંભોમાં થોડીક જ કોરણી કરેલી હોઈ, વિતાનોને મુકાબલે (અને વિરોધાભાસથી) તે સૌ શુષ્ક લાગે છે. છચોકીમાં “ગૂઢમંડપ'નું મુખ્ય કોરણીયુક્ત સપ્તશાખાદ્વાર પડે છે, જેના ઉંબરાનું આરસનું માણુ અલબત્ત આધુનિક છે. દ્વારની બંને બાજુએ, મથાળે “ઈલ્લિકાવલણ'ના મોડ યુક્ત, યક્ષ (ચિત્ર ૭) અને યક્ષીની મૂર્તિવાળા મઝાના મોટા ‘ખત્તક' (ગોખલા) કાઢ્યા છે. ગૂઢમંડપની બહારની ભીંત તત્કાલીન શિલ્પ-પરંપરાને અનુકૂળ અને વાસ્તુશાસ્ત્રોમાં વર્ણવી હશે તેવી, ઘાટ અને રૂપાદિ અલંકારયુક્ત રચના બતાવે છે. આમાં કુંભા’ પર યક્ષયક્ષીઓ-વિદ્યાદેવીઓ, અને “જંઘામાં દિક્યાલો, સુરસુંદરીઓ, અને ખગ્ગાસન જિનમૂર્તિઓ કંડારેલી છે, જેમાંની ઘણીખરી ખંડિત છે. અન્યત્ર ૧૫મા શતકની છે તેને મુકાબલે અહીંની કેટલીક મૂર્તિઓ–ખાસ કરીને દિક્ષાલાદિની મૂર્તિઓ–ના કામમાં લચકીલપણું જરૂર દેખાય છે, મૂર્તિઓ ખંડિત હોવા છતાં, ગૂઢમંડપની અંદરના ભાગમાં દીવાલોમાં ખત્તકો ગોખલાઓ કર્યા છે, તે પ્રાચીન છે. જો કે તેમાં અસલી મૂર્તિઓ રહી નથી પણ બત્તક પરના દેવતાપૂર્તિ ધરાવતું ઈક્લિકાવલ દર્શનીય છે. (ચિત્ર ૭); પણ મોટી ક્ષતિ તો મૂળ અલંકૃત વિતાનને હટાવી તે સ્થળે જીર્ણોદ્ધારમાં આધુનિક ઘુમ્મટ કરી નાંખ્યો છે, તે છે. ગૂઢમંડપનાં પડખાનાં (ઉત્તર-દક્ષિણ) ધારો જો કે મૂળ દ્વારને મુકાબલે ઓછી શાખાવાળાં હોવા છતાં તેમાં વેલનું કંડાર-કામ સુઘડ અને સુચારુ છે. મંદિરના મૂળ પ્રાસાદને ૧૬મા શતકના અંતે કે ૧૭મા સૈકાના પ્રારંભે આમૂલચૂલ દૂર કરી તેને સ્થાને નવો બનાવેલો છે; અને તેમાં રૂપકામને બદલે પટ્ટધંધો કર્યા છે, જેમાં વચ્ચેટ પુષ્પબંધમાં મોગલાઈ કારીગરીનો પરામર્શ વરતાય છે. અહીં જે નરપાલ શાહ કારિત પ્રાસાદ હતો તેનું (વાસ્તુશાસ્ત્રોક્ત) અભિધાન રત્નસિંહસૂરિશિષ્ય “શ્રીતિલક” જણાવે છે; ઉપાધ્યાય જયસોમ તેને “લક્ષ્મીતિલક” નામક “વરવિહાર' કહે છે. (વસ્તુતયા બન્ને અભિધાનો એકાર્યવાચી છે".) પણ પાછળ જોઈ ગયા તેમ આ પ્રાસાદના મંદિરની બહિરંગની મૂર્તિઓ ખંડિત થવાથી તેને પૂર્ણતયા કાઢી નાખી, શહેનશાહ અકબરના જમાનામાં નવો પ્રાસાદ કર્યો, જો કે ગૂઢમંડપને ખંડિત મૂર્તિઓ સાથે મૂળ અવસ્થામાં યથાતથા રહેવા દીધેલો. બિકાનેરના રાજાના મંત્રી, અકબર-માન્ય કર્મચંદ્ર બચ્છાવતે, ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિ(ચતુર્થીના ઉપદેશથી, શત્રુંજય-ગિરનારતીર્થમાં પુનરુદ્ધારાર્થે દ્રવ્ય મોકલેલું તેવી નોંધ મળે છે. કર્મચંદ બચ્છાવત ખરતરગચ્છની આમ્નાયના શ્રાવક હોઈ સ્વાભાવિક રીતે જ તેમનું દ્રવ્ય ગિરનાર પર For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિની ‘ખરતરવસહી’ તો “ખરતરવસહી’’ના ઉદ્ધારમાં વપરાયું હશે; અને પ્રસ્તુત ઉદ્ધારમાં ખાસ તો મૂલપ્રાસાદ નવો થયો તે જ ઘટના બની હશે તેમ જણાય છે. ૧૩૭ મંદિર ફરતી બાવન કુલિકાઓ છે. તેમાં ધ્યાન ખેંચે તેવી તો ત્રણ જ, અને મોટી, દેહરીઓ છે. તેમાં પણ ગૂઢમંડપના દ્વારસૂત્રે દક્ષિણે, ‘અષ્ટાપદ’ની રચના ધરાવતા, ભણસાલી જોગે કરાવેલ, ‘ભદ્રપ્રાસાદ’ અને એ રીતે ઉત્તર બાજુએ સંમેતશૈલ(વા નંદીશ્વર)ની રચનાઓને આરસથી મઢીને તેના મૂળ સ્વરૂપને નષ્ટ કર્યું છે. દક્ષિણ તરફના અષ્ટાપદવાળા ભદ્રપ્રાસાદની તો દીવાલો પણ નવી થઈ ગઈ છે; છતાં અહીં ધ્યાન ખેંચે તેવી, અને બહુમૂલ્ય કહી શકાય તેવી, એક અસલી સંરચના રહી ગઈ છે : તે છે તેનો ‘સભા-પદ્મ-મંદારક' જાતિનો વિતાન કિંવા કરોટક : (ચિત્ર ૧૨). અહીં રૂપકંઠમાં બહુ જ સરસ, સચેત ભાસતા ચક્રવાકોની આવલી કાઢી છે, અને આંતરે આંતરે ૧૬ વિદ્યાદેવીઓને ઊભવાના ૧૬ ઘાટીલા, તોડિકા સાથે સંલગ્ન એવા પ્રલંબ મદલ(ઘોડા) કર્યા છે (ચિત્ર ૮). (મહાવિદ્યાઓની મૂર્તિઓ અલબત્ત ખંડન બાદ દૂર કરવામાં આવી જણાય છે.) આ પછી ગજતાલુના ત્રણ સુઘટિત સ્તરો, અને તે પછી બે નવખંડા-ગાળે ગાળે પદ્મવાળા—કોલ(કાચલા)ના થર છે, જેના દર્શન ભાગની કોરણી, રંગમંડપના કોલ સદેશ છે. અને તે પછી, કરોટકના મધલા ભાગથી શરૂ થતી, પાંચ અણિયાળા અને સાદી પાંદડીથી કોરેલ અને ઝીણી કિનારીથી મઢેલ કોલના ક્રમશઃ સંકોચાતા પાંચ જાળીદાર થ૨વાળી, ખૂણે ખૂણે ને છૂટા છૂટા વેરેલ ચંપક પુષ્પ સહિતની અને કેન્દ્રભાગે લટકતા પદ્મકેસરયુક્ત મનોહર પદ્મશિલા કરી છે (ચિત્ર ૧૨). સામે ઉત્તર બાજુએ પ્રતિવિન્યાસે કરેલા સંમેતશૈલ (વા નંદીશ્વર) ભદ્રપ્રાસાદની મૂળ ભીંતો કાયમ છે તેમાં બહિરંગે વેદિબંધના કુંભ-કલશને મણિબંધ અને રત્નાલંકારથી ખૂબ શોભિત કર્યા છે : અને જંઘામાં પણ દેવરૂપાદિ કર્યાં છે : પણ તેમાંની ખંડિત થયેલ તે મુખાકૃતિઓ ઇત્યાદિ પુનરુદ્ધારમાં ટોચીને બગાડી માર્યા છે. અંદરના ભાગમાં જોઈએ તો અહીં પણ દર્શનીય વસ્તુ છે, પ્રાસાદનો સભા-પદ્મ-મંદારક કોટક (ચિત્ર ૯, ૧૦.) આ મહાવિતાનમાં ગજતાળુ અને કોલના થરો આમ તો રંગમંડપના થરો સદેશ છે. પણ થરોના તળભાગ વિશેષ અલંકૃત છે. રૂપકંઠમાં પંચ કલ્યાણક અને વિદ્યાધરોને બદલે તોડિકાની ટેકણવાળા ૧૬ મદલો કર્યા છે (ચિત્ર ૧૧). રૂપકંઠની નીચે, સામે ઉત્તર તરફના ભદ્રપ્રાસાદના વિતાનમાં, મણિપટ્ટિકા છે (ચિત્ર ૧૨); જ્યારે અહીં વેલની ભાત કાઢી છે. (ચિત્ર ૧૧). મહાવિદ્યાઓનાં બિંબ અહીં પણ અદૃષ્ટ થયાં છે; અને નીચેના બે ગજતાલુના થરોની પટ્ટીઓનાં તળિયાંના ભાગે પુષ્પાવલીને ત્રીજા થરે ઝીણી ઝીણી ઘંટિકાઓની શ્રેણી કરેલી છે (ચિત્ર ૧૧). રંગમંડપમાં છે તેમ અહીં પણ કરોટકના મધ્યભાગમાં ૧૬ લૂમાઓનો વલયાકાર ઊંડો પટ્ટ, અને તે પછી શરૂ થતી પશિલા દક્ષિણ ભદ્રપ્રાસાદના વિતાનની For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર પદ્મશિલાને મળતી જ છે; ફેર એટલો કે અહીં ચંપકને સ્થાને પોયણા પુષ્પનો છંટકાવ છે, અને કેન્દ્રભાગે પદ્મકેસરને બદલે કમળનો પુટ દીધો છે (ચિત્ર ૧૨). ૧૩૮ અષ્ટાપદ અને સંમેતશિખર કે નંદીશ્વર-દ્વીપના ભદ્રપ્રાસાદોના ક૨ોટકો જોતાં લાગે છે કે રંગમંડપની છતની મૂળ પદ્મશિલા પણ જો સાબૂત હોત તો તે પણ કેવી અદ્ભુત લાગત ! વસ્તુતયા ૧૫મી શતાબ્દીમાં ગિરનાર પરની ખરતરવહીની અને ત્યાં અન્યત્રે છતોમાં જે કામની સફાઈ, ઝીણવટ, નાજુકતા, અને નમનીયતા છે તેનો મુકાબલો નથી. એની સામે રાજસ્થાનમાં રાણકપુર, વ૨કાણા, હમ્મીરપુર, દેલવાડા (આબૂ, ખરતરવસહી) દેવકુલપાટક (મેવાડ-દેલવાડા), કેલવાડા, અને ચિત્તોડગઢમાં જોવા મળતું સમાંતર એવં સમકાલીન કામ ધીંગું, છીછરું, અને કલ્પનાવિહીન જણાય છે. (કંઈક અંશે જેસલમેરનાં બે’એક મંદિરોમાં આને મળતું કામ જોવા મળે છે, જેમકે સંભવનાથ અને ચંદ્રપ્રભ જિનાલયનાં દૃષ્ટાંતો.) દક્ષિણ તરફના ભદ્રપ્રાસાદમાં પટ્ટશાલાના સ્તંભાંતરમાં સુંદર કોરણીયુક્ત ખંડવાળી “અંધ” (અછિદ્ર) જાળી ભરાવેલી છે (ચિત્ર ૧૩). જ્યારે મૂલપ્રાસાદના ગર્ભસૂત્રે રહેલ પશ્ચિમ તરફના ભદ્રપ્રાસાદનું મોવાળ ખુલ્લું છે. ચૈત્યપરિપાટીકાર હેમહંસગણિ તેને ‘શત્રુંજયાવતાર’નો પ્રાસાદ કહે છે. તેના નિર્માતા વિશે જાણવા મળતું નથી. પર્વતની મેખલા(ધા૨)ને સાવ અડીને કરેલો આ ભદ્રપ્રાસાદ સાદો હોઈ શિલ્પની દૃષ્ટિએ તેમાં ખાસ ધ્યાન ખેંચે તેવું કશું નથી. (આ ત્રણે ભદ્રપ્રાસાદો અહીંની અન્ય દેહરીઓને મુકાબલે ઘણા મોટા છે.) દેવકુલિકાઓ(દેરીઓ)માં ખાસ ધ્યાન ખેંચે તેવું કશું નથી; (કેટલીક તો વચ્ચે ભીંતો કર્યા સિવાયની સળંગ છે.) આ સિવાય પશ્ચિમ તેમ જ ઉત્તર બાજુની દેહરીઓના ગભારાના, અને તેને લગતી પટ્ટશાલાઓના વિતાનો, તેમાંયે ભમતીના વાયવ્ય ભાગની પટ્ટશાલાના વિતાનો, ૧૫મા શતકની વિતાન-સર્જનકલાની પરાકાષ્ઠા દાખવી રહે છે. આમાંથી દશેક જેટલા ચુનંદા નમૂનાઓ અહીં મૂળ ચિત્રો સાથે અવલોકીશું. ચિત્ર ૧૬માં દર્શાવેલ સમતલ વિતાનમાં વચ્ચે કમલપુષ્પ કરી, ફરતી બે પટ્ટીઓમાં સદાસોહાગણ જેવા ભાસતા છ પાંખડીવાળાં ફૂલોની હાર કાઢી છે, (જેવા પછીથી અમદાવાદ પાસેની ઈ. સ. ૧૫૦૦૧૫૦૧માં બંધાયેલી સુપ્રસિદ્ધ અડાલજની વાવનાં શોભનાંકનોમાં મળે છે.) વચ્ચેના મોટા પદ્મવાળા ભાગની ચોરસાઈને રક્ષવા, અને એની લંબચોરસાઈ તોડવા, બે બાજુએ કુંજરાક્ષની પટ્ટીઓ કરી છે. તે પછી ઊપસતા ક્રમમાં સદાસોહાગણની ફરીને પટ્ટીઓ કરી છે. છેવટે ભારપટ્ટોને તળિયે ચારે બાજુ મોટાં પદ્મોની કોરણી કરી છે. ચિત્ર ૧૪માં ચોકોર પહોળી પટ્ટીમાં સામંજસ્યના વિન્યાસપદે ચોખંડી બાર કોલરૂપી લુમાઓ કરી છે, અને વચ્ચે ગજતાલુનો થર આપી ઊંડાણમાં એવું જ, પણ જરા મોટી કરી, મણિપટ્ટિકાથી બાંધેલ ચોરસક્ષેત્રમાં, ચોખંડી કોલરૂપી લોમા કર્યું છે (ચિત્ર ૧૪). આવા છંદની એક પરિવર્તનાયુક્ત, મૂળે ફરતાં મોટા આઠ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિની ‘ખરતરવસહી’ ચોખંડા કોલ અને વચ્ચોવચ ક્ષિપ્ત-પ્રક્રિયાથી કરેલ (નવખંડમાં ચોખંડ કોલ ઉતારેલ હશે તેવા) વિતાનનો વચલો ટુકડો માત્ર જ બચી ગયો છે (ચિત્ર ૧૫). ઉપરકથિત બે પ્રકારોનું વિશેષ વિકસિત દૃષ્ટાંત હવે જોઈએ. ચિત્ર ૧૭, ૧૯માં સમતલ પટ્ટમાં સામંજસ્ય-ન્યાસમાં ૨૫ પૂર્ણભદ્ર કોલના સંધાન ભાગે પદ્મ-પુષ્પોનો ઉઠાવ કરેલો છે; જ્યારે ચિત્ર ૧૭ અને ૧૯માં આવા કોલની સંખ્યા વધારીને પાંચ અને ચારનો ગુરુલઘુ-ક્રમ પ્રયોજ્યો છે અને તેમાં છેલ્લે ફરતાં અર્ધકોલની હાર કરી છે. કોલના સંધાન ભાગે છ પાંખડીવાળા બહુ જ સરસ સદાસોહાગણનાં, સજીવ ભાસતાં, મોટાં ફૂલો છાંટેલાં છે, જેમાંનાં ઘણાંખરાં દુર્ભાગ્યે ખંડિત થયાં છે. ચિત્ર ૨૦, ૧૮માં હારમાં પાંચ પાંચ કોલ ૨૦ લૂમા અને સંધાન ભાગમાં પદ્મપુષ્પ કરેલ છે જ્યારે એ જ વિભાવ, પણ ચતુષ્યંડી કોલ જ લૂમા અને વચ્ચેના ગળામાં વર્તુળ વચ્ચે મોટા કદનાં પદ્મ-પુષ્પો કોરેલ છે (ચિત્ર ૨૩). આ પ્રકારના છંદવિન્યાસનું આગળ વધેલું દૃષ્ટાન્ત તે કોલને સ્થાને, ૧૧૪૯=૯૯ કુંજરાક્ષો સમતલમાં ઉતારીને, તેના સંધાનભાગ ચાર પાંખડીઓનાં પુષ્પોથી ભરી લીધા છે (ચિત્ર ૨૧). એ જ હૈતવ (motif) અને ન્યાસનું ઝીણવટભર્યું, પરિવર્તિત રૂપ ચિત્ર ૨૨માં બતાવેલ સમતલ વિતાનમાં જોવા મળે છે. ત્યાં છેવટે ફરતી પુષ્પપટ્ટી કાઢી છે. ૧૩૯ ચિત્ર ૨૩માં ફરીને ચોખંડા કોલના ૫૪૪ના વિન્યાસે કરેલ સમતલ વિતાનમાં ગાળે ગાળે વર્તુલથી સીમિત કરેલ મોટાં પદ્મપુષ્પો ઠાંસ્યાં છે. ભમતીના બિલકુલ નૈઋત્ય ખૂણામાં રહેલા (ચિત્ર ૨૪) કોલના ઘટતા ક્રમમાં ઊંડા ઊતરતા જતા ચાર થરોથી સર્જાતી ચાર ઉત્ક્ષિપ્ત લૂમાઓના સંયોજનથી રચાતો આ પદ્મકનાભિચ્છંદ જાતિનો વિતાન તો સોલંકીયુગના કારીગરોને પણ સ્તબ્ધ કરી દે તેવો છે. પ્રત્યેક લૂમાની નાભિમાંથી નીકળતા અણિદાર પાંખડીનાં પદ્મફૂલ, અને છતના વચલા, ઊંચકાઈ આવતા બિંદુમાં કરેલ કોમળ પાંખડીઓથી સર્જાતાં કમળફૂલ, તેમ જ કર્ણભાગે ગ્રાસનાં મુખો અને ભદ્રભાગે ચંપાના પાનથી સોહતો આ વિતાન ૧૫મા શતકનાં સર્જનોમાં તો બેજોડ કહી શકાય તેવો છે. આ વિતાનમાં કર્ણે ગ્રાસમુખ અને ભદ્રે અર્ધપૌર્ણનાં શોભાંકન કોરેલાં છે. કોલના થરોના ઊંડા ઊતરતા જતા વિન્યાસથી સર્જાતા એક ક્ષિપ્ત-નાભિચ્છંદ જાતિના વિરલ વિતાનનું દૃષ્ટાંત ચિત્ર ૨૫માં જોવા મળશે. બહુભંગી કોલના એક પછી એક, ક્ષયક્રમથી, અંદર ઊતરતા જતા કુલ ૧૧ જેટલા થરોથી સર્જાતા આ વિતાનની તો સોલંકી કાળમાંયે જોડી જડતી નથી ! મંત્રીશ્વર ઉદયનના પુત્ર આમ્રભટ્ટ દ્વા૨ા નવનિર્મિત શકુનિકાવિહાર(ઈ. સ. ૧૧૬૬)માં આવા સિદ્ધાંત પર રચાયેલા અને ઘણા મોટા વિતાનો હતા; (હાલ તે ભરૂચની જુમા મસ્જિદમાં છે); પણ તેમાં પણ આટલા બધા પડોવાળા અને આવડી સંખ્યામાં થરો લેવાનું સાહસ શિલ્પીઓએ કર્યું હોવાના દાખલા જાણમાં નથી For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર (ચિત્ર ૨૫, ૨૬). ઘડીમાં વાદળાંનાં પટલોને પેલે પાર રહેલ લોકાલોકનો પાર પામવા મથતો લાગે, તો ઘડીમાં પાતાળ-પાણીમાં બાઝેલ શેવાળના એક પછી એક થરો વીંધીને તળિયાને આંબવા યત્ન કરતો હોય એવા વિતાનનું સમગ્ર ભારતમાં આજે તો આ એક માત્ર દૃષ્ટાંત છે ! ૧૪૦ વસ્તુપાળ-તેજપાળના સમયના, ભાતીગળ અને અતિરિક્ત સૂક્ષ્માતિસૂક્ષ્મ કોરણી કરનાર શિલ્પીઓ પણ જેના વખાણ કરે તેવો એક પદ્મનાભ જાતિનો ચેતોહર વિતાન ચિત્ર ૨૭માં રજૂ કર્યો છે. આની રચનામાં સૌ પહેલાં તો ભા૨ોટથી ઊંડા ઊતરીને સદા સોહાગણના ચેતનથી ધબકતાં, ફૂલોની કિનારી કરી, અંદર ચતુઃ છંદમાં ગજતાલુના થરવાળી, પછી વિશેષ ઊંડા ઉતારેલ ચોરસી ન્યાસના કોલનો થર લઈ, અંદર બનતા ભાંગાયુક્ત ક્ષેત્રમાં ચાર દળવાળી, બહુભંગી, ચાર ઉત્થિત લૂમાઓના સંયોજન, અને વચ્ચે ડૂબકી દેતી ક્ષિપ્ત લૂમાના આવિર્ભાવથી પ્રગટતા આ મનોરમ વિતાનનાં મૂળ તો સોલંકીકાળમાં છે; પણ દળદાર ચોટદાર કલ્પનામાં તો આની સામે આબૂ-દેલવાડાની જગવિખ્યાત વિમલવસહીના સૂત્રધારો પણ એક કોર ઊભા રહી જાય; અને તાકાતનો ભોગ આપ્યા સિવાય નિપજાવેલી સમગ્ર ઘાટની મુલાયમ સફાઈ, લૂમાઓના ઊપસતા કેન્દ્રનાં કમળોમાં અણિદાર પાંખડીઓમાં સિફતથી ઉતારવામાં આવેલ કુમાશ અને સાહજિક સજીવતાની સામે તો આરાસણના આરસને મીણની જેમ પ્રયોજી જાણનાર, દેલવાડાની લૂણવસહીના શિલ્પીઓ પણ અચંબો પામી ઊભા રહી જાય ! (ચિત્ર ૨૭). ગિરિરાજ ગિરનાર પર આવું બેનમૂન કામ કરી ગયેલા શિલ્પીઓનો મુકાબલો એમના જમાનામાં અન્ય કોઈ સ્થળોના ગજધરો નહીં કરી શક્યા હોય. પંદરમા શતકમાં આવા સર્વાંગસુંદ૨ વિતાનોની રચના થઈ શકે તે માનવું મુશ્કેલ બને છે ! પંદરમી શતાબ્દીના સમકાલીન અને સમીપકાલીન જૈન યાત્રી કવિઓ-લેખકોએ આ ખરતરવસહી વિશે જે નોંધો લીધી છે તે હવે જોઈએ. એમણે વર્ણવેલ મંદિર ગિરનાર પરના વર્તમાને અસ્તિત્વમાં નાનાં મોટાં વીસેક જિનાલયોમાં કેવળ આ કહેવાતી મેલક વસહી”ને જ લાગુ પડે છે. મૂળ કવિઓનાં કવિત વા શબ્દોમાં જ તે હવે જોઈએ : (૧) તપાગચ્છીય હેમહંસ ગણિની ૧૫મા શતકના મધ્યમાં રચાયેલી, ગિરનારચૈત્યપરિપાટીમાં યાત્રી ઓસવાલ સમરસિંહ માલદે દ્વારા વિ. સં. ૧૪૯૪ | ઈ. સ. ૧૪૩૮માં સમુદ્ધારેલ ‘કલ્યાણત્રય’ને (હાલમાં સગરામ સોનીના કહેવાતા મંદિરમાં) વાંદ્યા પછી, અને હાથી પગલાં તરફ વળતાં પહેલાં, નીચે મુજબ નોંધ કરે છે° : હવ જઈઇ નરપાલસાહ કારિઅ પ્રાસાદ | સંપ્રતિ નિવ કરાવિઅ વીર પિત્તલમય વાંદિ નંદીસર અઠ્ઠાવહ સેતુંજય અવતાર । ત્રિહું દિસિ થજી (થકી ?) જિણ નમઉં For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉજજયંતગિરિની “ખરતરવસહી' ૧૪૧ નિરમાલડિએ ચંદ્રગુફા મઝુઝારિ પારકા અહીં મંદિર નરપાલ સાહે કરાવ્યાનો, તેમાં સંપ્રતિ રાજાએ કરાવેલ પિત્તળની ' (મૂલનાયક) મહાવીરની મૂર્તિનો, તેમ જ ત્રણ દિશામાં (ભદ્રપ્રાસાદોમાં રહેલ) નંદીશ્વર, અષ્ટાપદ, અને શત્રુજયાવતારનો ઉલ્લેખ છે, મંદિરનું જે સ્થાન બતાવ્યું છે તે જોતાં, અને ભદ્રપ્રાસાદોની વિગત જોતાં તે વર્તમાને કહેવાતી “મેરકવશી” જ છે. (૨) ઉજ્જયંતશિખર પર (ગિરનાર પર) “લક્ષ્મીતિલક” નામનો મોટો વિહાર (જિનાલય) નરપાલ સંઘવીએ(ખરતરગચ્છીય) જિનરાજસૂરિના પટ્ટાલંકાર જિનભદ્રસૂરિના ઉપદેશથી સં૧૫૧૧માં કરાવ્યાનો ઉલ્લેખ ઈસ્વીસનના ૧૬મા શતકના અંતભાગે રચાયેલ પંડિત જયસોમની જયસાગરોપાધ્યાય પ્રશસ્તિમાં આ રીતે મળે છે. संवत् १५११ वर्षे श्री जिनराजसूरि पट्टालंकारे श्रीजिनभद्रसूरि पट्टालंकार राज्ये श्रीउज्जयन्तशिखरे लक्ष्मीतिलकाभिधो वरविहारः । नरपालसंघपतिना यदादि कारयितुमारेभे ॥ (૩) બૃહત્તપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્ય (કદાચ ઉદયવલ્લભસૂરિ કે પછી જ્ઞાનસાગરસૂરિ) સ્વરચિત ગિરનારતીર્થમાળામાં (ઈ. સ. ૧૪૫૩ બાદમાં) કલ્યાણત્રયના દર્શન પછી જે પ્રાસાદમાં જાય છે તે આ “મેરકવશી” જ છે; ત્યાં તેને નરપાલ સાહે સ્થાપેલ “શ્રીતિલકપ્રાસાદ” કહ્યો છે, અને તેમાં (મૂલનાયક) સોવનમય વીર હોવાની વાત કરી છે; અને તેમાં ડાબી જમણી બાજુએ અષ્ટાપદ અને સંમેતશિખરની રચના હોવાની વાત કહી છે : યથા : થાપી શ્રીતિલકપ્રાસાદિ હિંસાહ નરપાલિં પુણ્ય પ્રસાદિહિં, સોવનમય શ્રી વીરો; અષ્ટાપદ સંમેતસિહરહ્યું ડાવઈ જિમણિઈ બહુ જિણહરણ્યું, રચના અતિ ગંભિરો. ૧૮ કવિએ પ્રાસાદની રચનાને “અતિગંભિર' કહી છે તે યથાર્થ જ છે. (૪) પંદરમા શતકમાં શવરાજ સંઘવીના સંઘ સાથે ગયેલા કોઈ અજ્ઞાત યાત્રી-મુનિએ કરેલ ગિરનારમૈત્યપરિપાટીમાં તો આ જિનાલયના અંતરંગની ઘણી વિગતો આપવા સાથે એ જે કંઈ કહે છે તેનાથી તો આજે કહેવાતી “મેલવસહી” તે જ “ખરતરવસહી” હોવાના તથ્યને આખરી મહોર મારી દે છે. સમરસિંહ-માલદેના મંદિર બાદ યાત્રી જે મંદિરમાં આવે છે તેને સ્પષ્ટ રૂપે તેઓ “ખરતરવસહી” કહે છે. તે નરપાલ સાહ દ્વારા નિર્મિત થયેલી અને તેમાં (ગર્ભગૃહમાં) મહાવીરની સતોરણ પિત્તળની મૂલનાયક મૂર્તિની આજુબાજુ એ જ ધાતુની For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર શાંતિનાથ અને પાર્શ્વનાથની કાયોત્સર્ગ મૂર્તિઓ હોવાનું પણ કહ્યું છે. તદુપરાંત રંગમંડપનું વર્ણન કરતાં ત્યાં નાગબંધ” અને પંચાંગવીર'ની છતો, પૂતળીઓ (આજે વિનષ્ટ), જમણી બાજુ ભણસાળી જોગે કરાવેલ “અષ્ટાપદ અને ડાબી બાજુએ ધરણા સાહે કરાવેલ સંમેતશિખર' (ના ભદ્રપ્રાસાદોની) નોંધ લે છે : યથા : હવઈ ખરતરવસહી ભણી આવિલ નરપાલસાહની થાપના એ સતોરણઉ પીતલમઈ વીર શાંતિ-પાસ છઈ સાચઉ શરીર કાસગીઆ પીત્તલ તણાએ. ૨૮ રંગમંડપિ નાગબંધ નિહાલી પૂતલિએ મંડપિ મન વાલ પંચાંગવીર વસેખીઈએ માલાખાડઈ મંડપ જાણુ જિમણઈ અષ્ટાપ(દ) વખાણૂ ભણસાલી જોગઈ કીઉંએ. ૨૯ ડાવઈ સમેતસિહર પ્રસીધુ તે પણિ ધરણઈસાહિ કીધઉ. ૩૦ (૫) પંદરમા શતકના ઉત્તરાર્ધ અને ૧૬માના પૂર્વાર્ધમાં થયેલા, ભાવહર્ષ-શિષ્ય રંગસારની ગિરનાર ચૈત્યપરિપાટીમાં'' મુનિ-યાત્રી તીર્થનાયક નેમિનાથના મંદિરને (દવકુલિકામાં પરોવેલ) ઉત્તર દ્વારેથી નીચે ઊતરીને જે પહેલા મંદિર–હાલની મેરક વસહી– માં આવે છે તેને “ખરતરવસહી” કહેવા ઉપરાંત તેમાં સંપ્રતિરાજાના કરાવેલ પિત્તળમય મનોહર વીર જિનેશ્વર, આજુબાજુની બાવન દેહરીઓ અને મંદિર ભીતરની અવનવી કોરણીનો ઉલ્લેખ કરે છે : ઇણ ગિરઈએ નેમવિહાર આવીયા ખરતરવસહી વાર //૧ રા દ્વાલ સંપતિરાય કરાવિ મુણહર પીતલમઈ શ્રીવીર જિસેસર ખરતર(વ)સહી માટે પાખતીયાં બાવન જિણાલ નવલ નવલ કોરણીય નિહાલ ટાલઉ કુમતિ કસાય /૧all રંગસાર પછી અને કાલક્રમમાં છેલ્લી નોંધ ૧૬મા-૧૭મા શતકમાં થયેલા(પ્રાગ્વાટ) કર્ણસિંહ કૃત ગિરનારસ્થ ખરતરવસહી-ગીત અંતર્ગત મળે છે. એમના કથનમાં મંદિરને “ખરતરવસહી” કહેવા ઉપરાંત તેમાં મંડપની પૂતળીઓ, ડાબી બાજુ (નેમિનાથના મંદિર તરફ) “અષ્ટાપદ અને જમણી બાજુ (કલ્યાણત્રયના મંદિરની દિશાએ) “નંદીશ્વર', ગભારામાં For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ઉજજયંતગિરિની “ખરતરવસહી' ૧૪૩ સંપ્રતિએ આણેલ સપ્તધાતુની તોરણ તેમ જ રત્નખચિત “જિનવીરની મૂર્તિ અને રત્નજડિત પરિકર તેમ જ આ મંદિર (અગાઉના) દુઃષમ ભવનને સ્થાને ભણસાલી નરપાલે જિનભદ્રસૂરિના વચનથી ઉદ્ધાર રૂપે કરાવ્યાનું નોંધ્યું છે : પ્રીય ખરતરવસહી જોઈએ જાણે કરતલ વખાણ રા મંડપિ મોહણ પૂતલી હો જાણે કરિકીઓ ઇંદ્રલોક ||all નેમિ કડણિ પ્રભુ દાહિણિ હો અષ્ટાપદ અવતાર ! વામઈ કલ્યાણકત (ન? ય) હો નંદીસર જગસાર દા (સંઘમરોઈ? સંપતિરાઈ) અણાવિઉ હો સપત ધાત જિણવીર ! પરિગર રતન જડાવિઈ હો તોરણ ઉલકઈ બઈ હાર III લબધિવંત જિનભદ્રસૂરિ ગુરુજી સુવચની સવિસાલા દૂસમ ભવન સમુદ્ધરઈ હો સો ધનધન મા નરપાલ ll ભણસાલી તે પરિ કરઈ હો જે કીઓ ભરવેસર રાસો . ઉજલિ અષ્ટાકરે તે નિરખત અંગિ ઉમાદ ૯ આમ ખરતરગચ્છનાં જ નહીં, તપાગચ્છનાં પણ સાઢ્યો વર્તમાન “મેલકવસહી” તે અસલમાં “ખરતરવસહી” હતી તેમ નિર્વિવાદ જણાવી રહે છે. ચૈત્યપરિપાટીઓનાં વિધાનોમાં આમ તો એકવાક્યતા છે, પણ એક બાબતમાં મતભેદ છે. જ્યાં હેમહંસગણિ અને કર્ણસિંહ “નંદીશ્વર” કહે છે ત્યાં રત્નસિંહસૂરિશિષ્ય તથા શવરાજ સંઘવીવાળા યાત્રી-મુનિ “સંમેતશિખર' કહે છે. ઉત્તર ભદ્રપ્રાસાદ-સ્થિત આ રચના આરસ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર નીચે દબાઈ ગઈ હોય. અસલી વાત શું હશે તેનો નિર્ણય થઈ શકે તેમ નથી. એ મંદિર જો કે ખરતરગચ્છીય ભણસાળી નરપાળ સંઘવીએ કરાવ્યું છે, પણ કર્ણસિંહના કથન અનુસાર ત્યાં કોઈ મંદિર અગાઉ હતું અને આ નવું મંદિર એથી જૂનાના સમુદ્ધારરૂપે કર્યાનું માનવું રહ્યું. વળી અંદરની પિત્તળના મૂલનાયક વીરની પ્રતિમા એ કાળે સંપ્રતિ રાજાની હોવાની માન્યતા હતી. એટલે મૂર્તિ નરપાલ સાહના સમયથી જૂની તો ખરી જ. હું માનું છું કે આ મંદિરને સ્થાને અસલમાં મંત્રીશ્વર વસ્તુપાલ કારિત “સત્યપુરાવતાર મહાવીર”નું મંદિર હતું; (વસ્તુપાલે ગિરનાર પર આદિનાથ (વસ્તુપાલવિહાર.) ઉપરાંત(સ્તંભનપુરાવતાર) પાર્શ્વનાથ તથા (સત્યપુરાવતાર) મહાવીરનાં મંદિરો કરાવેલાં જેની નોંધ સમકાલીન લેખક હર્ષપુરીયગચ્છના નરેન્દ્રપ્રભસૂરિએ લીધી છે. કર્ણસિંહના કથન અનુસાર ત્યાં આગળની (માલા-ખાડ નામની) ખાડ પૂરીને (બિલકુલ ઘોર રહેલા) દુઃષમ ભવનનો “ઉદ્ધાર” કરાવેલો. સંપ્રતિ રાજાની કરાવેલ કે લાવેલ મૂર્તિ હોવાની વાત ૧૫મા શતકમાં વહેતી થઈ હશે. ઈસ્વીસન્ની ૧૪મી શતાબ્દીના પૂર્વાર્ધમાં ખરતરગચ્છીય જિનપ્રભસૂરિની ગિરનાર સંબદ્ધ જુદી જુદી ચાર રચનાઓમાં, એમનાથી પહેલાં તપાગચ્છીય ધર્મકીર્તિગણિ(પછીથી ધર્મઘોષસૂરિ)ના ગિરનારકલ્પ (આ. ઈ. સ. ૧૨૬૪) અંતર્ગત, કે નાગેન્દ્રગથ્વીય વિજયસેન સૂરિના રેવંતગિરિરાસ(ઈ. સ. ૧૨૩ર બાદ)માં આને સ્પર્શતો કોઈ જ ઉલ્લેખ નથી. | ગુજરાત-રાજસ્થાનનાં ઉત્તર મધ્યકાલીન જૈન મંદિરોના સર્વેક્ષણ દરમિયાન જોવા મળે છે કે ખરતરગચ્છમાં મંદિરોના રચનાવિન્યાસ તરફ અને તેને સુરુચિપૂર્વક આભૂષિત કરવા પરત્વે ખૂબ કાળજી લેવાઈ છે. શત્રુંજય પરની ખરતરવસહી (આ. ઈ. સ. ૧૩૨૦-૨૪), મેવાડમાં દેલવાડા(દવકુલપાટક)ની ખરતરવસહી (૧૫મા શતકનો પ્રારંભ), રાણકપુરની ખરતરવસહી (પાર્શ્વનાથ જિનાલય-૧૫ સૈકાનો મધ્યભાગ), અને આ ગિરનાર પરની ખરતરવસહી તેનાં જ્વલંત ઉદાહરણો છે. ટિપ્પણો ઃ ૧. આ પટ્ટ પર વિસ્તૃત વિવેચન હું અન્યત્ર કરી રહ્યો છું. ૨. (સ્વ) મુનિ દર્શનવિજયજી લખે છેઃ “આ ટૂક શ્રી સિદ્ધરાજના મંત્રી સજ્જને બંધાવેલ છે. ગૂર્જરાધીશ સિદ્ધરાજે સજ્જનને સૌરાષ્ટ્રનો દંડનાયક નીમ્યો હતો. તેમણે સૌરાષ્ટ્રની ત્રણ વર્ષની ઊપજમાંથી ગિરનાર પર સુંદર જીર્ણોદ્ધાર કરાવ્યો. ત્રણ વર્ષની ઊપજ સિદ્ધરાજને ન મળવાથી તે ગુસ્સે થઈ જૂનાગઢ આવ્યો. સજ્જને જૂનાગઢ અને વંથલીના શ્રાવકો પાસેથી ધન મેળવી સિદ્ધરાજને ચરણે ધર્યું અને કહ્યું કે જોઈએ તો જીર્ણોદ્ધારનું પુણ્ય હાંસલ કરો અને જોઈએ તો ધન લ્યો. રાજા સત્ય હકીકત જાણી અત્યંત ખુશી થયો. બાદ આવેલા ધનથી For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિની “ખરતરવસહી’ ૧૪૫ શ્રાવકોના કહેવાથી સજ્જને આ મેરકવશી ટૂક બનાવી.” (જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા : પુષ્પ ૩૮મું, અમદાવાદ ૧૯૪૯, પૃ. ૧૨૨.) સ્વ. મુનિશ્રીની પહેલી વાતને પ્રબંધોનો આધાર છે, પણ સજ્જને પ્રસ્તુત દ્રવ્યથી આ મેરકવશીનું મંદિર બંધાવ્યાનો ક્યાંય જ ઉલ્લેખ નથી. પંઈ અંબાલાલ પ્રેમચંદ શાહે “મેલક વસહી”ની ચર્ચા કરતાં આ જ સજ્જન મંત્રી વાળી વાત (સાચી અને પરિષ્કૃત ગુજરાતીમાં) જણાવી છે; પણ તેઓની પાસે એને લગતું કોઈ પ્રમાણ નહોતું; આથી સાવચેતી ખાતર એમણે લખ્યા બાદ ઉમેર્યું કે ““....એવી લોકમાન્યતા છે. કોઈ આને મેલકશાહે બંધાવ્યાનું કહે છે.” (જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ પહેલો. ખંડ પહેલો, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૨૩.) મુનિ નિત્યાનંદવિજયજીએ (પં. શાહ જેવી સાવધાની રાખ્યા સિવાય) એની એ જ કિંવદંતી તથ્યરૂપે માની રજૂ કરી છે. (શ્રી રૈવતગિરિ સ્પર્શના, વડોદરા વિ. સં. ૨૦૨૦ (ઈ. સ. ૧૯૬૪), (પૃ. ૧૨૯-૧૩૦.) ૩. અહીં આગળ ઉપર મૂળ કૃતિઓમાંથી પ્રસ્તુત ભાગો ટાંકી ચર્ચા કરી છે. 8. Cf. M. A. Dhaky "The 'Nagabandha' and the Pancangavira' ceiling," Sambodhi, Vol. 4, No. 3-4, pp. 78-82, and plates. ૫. આગળની ચર્ચામાં તેના મૂળ સંદર્ભો ટાંક્યા છે. ૬. કર્મચંદ્રના જીવનની રૂપરેખા ખરતરગચ્છીય સાધનોથી સ્વ મોહનલાલ દલીચંદ દેશાઈએ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પારા ૮૩૬-૮૪૫ પર ચર્ચા છે, પૃ. ૫૭૧-૫૭૬ ત્યાં જુઓ. ૭. સંત પં. બેચરદાસ જીવરાજ દોશી, પુરાતત્ત્વ, ૧-૩. એપ્રિલ ૧૯૨૩, પૃ. ૨૯૬. ૮. આ મહત્ત્વપૂર્ણ ચૈત્યપરિપાટીનું પુનર્મુદ્રણ થવાની જરૂર છે. ૯. આ ઉદ્ધરણ મેં પંત અંબાલાલ પ્રેમચંદ શાહ જૈન તીર્થ, પૃ. ૧૧૮ પરથી લીધું છે; અને એમણે તે ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ (પૃ૦૪%) પરથી લીધું હોવાની નોંધ કરી છે. (આનો સંપાદક કોણ છે, ક્યાંથી કયા વર્ષમાં, કઈ ગ્રંથમાળામાં પ્રસ્તુત સંગ્રહ છપાયો છે, તેની ત્યાં નોંધ નથી લેવાઈ.) ૧૦. નિગ્રંથ ઐતિહાસિક લેખ સમુચ્ચય - ભાગ ૧માં આ ચૈત્યપરિપાટીનું સંપ્રતિ લેખક તથા વિધાત્રી વોરા દ્વારા સંપાદનનું પુનર્મુદ્રણ થયું છે. ૧૧. સંપ્રતિ ગ્રંથમાં (સ્વ) અગરચંદ નાહટા તથા પંઇ બાબુલાલ સવચંદ શાહ દ્વારા મૂળ સંપાદિત થયેલ કૃતિનું પુનર્મુદ્રણ જોવા મળશે. ૧૨. વિશેષ વિતસ્ય પૂમૃત: શ્રીનેમિચૈત્ય નનવેમત્રિપુI श्रीवस्तुपालः प्रथमं जिनेश्वरं पार्वं च वीरं च मुदान्वीविशत् ।।८।। -वस्तुपालप्रशस्तिः (જુઓ મુનિ પુણ્યવિજયજી, મુવકીર્તિનિચરિવસ્તુપાનપ્રતિપ્રદ, સિંધી જૈન ગ્રંથમાલા (ગ્રંથાંક ૫), મુંબઈ ૧૯૬૧, પૃ૦ ૨૮.) For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ગિરનારસ્થ “કુમારવિહારની સમસ્યા ઉજ્જયંતગિરિ પર મુખ્ય જૈન દેવળો ધરાવતી હારની ઉત્તર સીમા પર આવેલું છેલ્લું મંદિર “કુમારવિહાર”ના નામે હાલ કેટલાક દશકાથી પ્રસિદ્ધિમાં છે. ગુજરાતના ઇતિહાસાદિ વિષયના વિદ્વાનો પણ ગિરનાર પર સોલંકીરાજ કુમારપાળે “કુમારવિહાર” બંધાવ્યાનો (કોઈ પણ પુરાણા આધાર સિવાય) ઉલ્લેખ કરે છે. કુમારપાળના આદેશથી શ્રીમાલી રાણિગના પુત્ર સોરઠના દંડનાયક આંબાક કિંવા આગ્રદેવ દ્વારા ગિરિ પર ચઢવાની પદ્યા (પાજા) બંધાવેલી એવા તત્કાલીન સાહિત્યિક ઉલ્લેખો અને સં૧૨૨૨-૨૩ | ઈ. સ. ૧૨૬૬-૬૭માં તે કરાવેલી તેવા અભિલેખો મોજૂદ છે. પણ સમકાલિક વા સમીપકાલિક કોઈ લેખકો (પૂર્ણતલ્લગચ્છીય હેમચંદ્રાચાર્ય વા રાજગચ્છીય સોમપ્રભાચાર્ય) કુમારપાળે ઉજ્જયંતગિરિ પર જિનચૈત્ય બંધાવ્યાનું કહેતા નથી. તે પછી જોઈએ તો મંત્રીદ્રય વસ્તુપાળ-તેજપાળે ગિરિ પર ઈ. સ. ૧૨૩૧-૧૨૩૪માં નવાં મંદિરો રચેલાં; જે જિનાલયો તેમના કાલ પૂર્વે રચાઈ ગયેલાં (જેમ કે તીર્થાધિપતિ જિન અરિષ્ટનેમિ અને શાસનાધિષ્ઠાત્રી અંબિકાદેવી), તેને અનુલક્ષીને તેમણે કંઈ ને કંઈ સુકૃત કરાવેલું; પણ “કુમારવિહાર”માં તેમણે કશું કરાવ્યું હોવાની નોંધ તેમના સમકાલિક લેખકોનાગેન્દ્રગચ્છીય ઉદયપ્રભસૂરિ, હર્ષપુરીયગીય નરેન્દ્રપ્રભસૂરિ, ભૃગુપુરીય જયસિંહસૂરિ, કવિ સોમેશ્વર, કવિ અરિસિંહ ઠક્કર અને કવિ બાલચંદ્ર,–વા ઉત્તરકાલીન લેખકો જેવા કે નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્ય (પ્રબંધચિંતામણિ : ઈ. સ. ૧૩૦૫), હર્ષપુરીયગચ્છીય રાજશેખર સૂરિ (પ્રબંધકોશ : ઈ. સ. ૧૪૪૧) પણ આવો કશો જ ઉલ્લેખ કરતા નથી. આ સિવાય કુમારપાલ સંબદ્ધ લખાયેલા ૧૪મા શતકના પ્રબંધો–કુમારપાલચરિત્ર (તપાગચ્છીય જયસિંહસૂરિ : ઈ. સ. ૧૩૮૬), કુમારપાલ-ભૂપાલચરિત (તપાગચ્છીય જિનમંડન ગણિ : સં. ૧૪૯૨ | ઈ. સ. ૧૪૩૬), કે કુમારપાલચરિત્રાસંગ્રહમાં પ્રકટ થયેલ કુમારપાલ સંબદ્ધ ૧૪મા શતકમાં રચાયેલ જુદા જુદા પાંચેક વિસ્તૃત પ્રબંધોમાં પણ આવી કોઈ જ વાત નોંધાયેલી નથી. ગિરનાર-તીર્થ સંબદ્ધ જે સાહિત્ય ઉપલબ્ધ છે, અને નવું પ્રકાશમાં આવી રહ્યું છે, તેમાં પણ ગિરનાર પર કુમારવિહારનો ઉલ્લેખ નથી. જેમકે નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિનો રેવંતગિરિ-રાસ (આ. ઈ. સ.૧૨૩૪), તપાગચ્છીય ધર્મઘોષસૂરિનો ગિરનારકલ્પ (આ. ઈ. સ. ૧૨૬૪), રાજગચ્છીય જ્ઞાનચંદ્ર તેમ જ અજ્ઞાતગચ્છીય વિજયચંદ્ર કૃત રૈવતગિરિતીર્થ પર રચાયેલાં (અહીં પ્રકાશિત) સંસ્કૃત સ્તોત્રો (આ. ઈ. સ. ૧૩૨૦-૧૩૨૫), ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદી૫ અંતગર્ત “રેવતકગિરિકલ્પ સંક્ષેપ”, “શ્રીઉજજયંતસ્તવ”, “ઉજજયંતમહાતીર્થ કલ્પ” અને For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ગિરનારસ્થ “કુમારવિહારની સમસ્યા ૧૪૭ “રૈવતકગિરિકલ્પ” (ઈ. સ. ૧૩૩૫ પહેલાં), ઉપકેશગચ્છીય કક્કસૂરિના નાભિનંદન જિનો દ્વારપ્રબંધ (ઈ. સ. ૧૩૩૭), કે ૧૪મા શતકના ઉત્તરાર્ધથી લઈ ૧૬માના આરંભ સુધી જૂની ગુજરાતીમાં રચાયેલ ગિરનારતીર્થને આવરી લેતી અનેક તીર્થમાળાઓ, ચૈત્યપરિપાટીઓ, વિવાહલા, રાસ, સભારચનાઓમાં ક્યાંય પણ કુમારવિહારનો જરા સરખો પણ નિર્દેશ નથી. આ અતિ વિપુલ નકારાત્મક પ્રમાણને ધ્યાનમાં રાખીએ તો ગિરનાર પરના મંદિરને “કુમારવિહાર” કહેવું એ તો નરી ભ્રાન્તિ છે ! આ પશ્ચિમાભિમુખ મંદિરને મૂળપ્રાસાદ, ગૂઢમંડપ અને મૂળ જૂનાને સ્થાને આધુનિક રંગમંડપ છે. એને ફરતી ૭૨ દેવકુલિકાઓ હતી, પણ તે નષ્ટ થઈ છે. મૂળ મંદિરનાં ઘાટડાં, કોરણી અને રૂપકામ ૧૫મા શતકનાં છે : અને ગૂઢમંડપનો “કરોટક' પણ ૧૫મા શતકની શૈલી બતાવે છે. આથી એક વાત તો સ્પષ્ટ જ છે કે આનો નિર્માતા ૧૫મા શતકમાં થયો હોવો જોઈએ. આ સમસ્યાના ઉકેલમાં ૧૫મા સૈકામાં રચાયેલું કેટલુંક સાહિત્ય સહાયભૂત થાય છે; ખાસ તો એ સમયમાં, ૧૫મી સદીના મધ્યભાગ અને ત્રીજા ચરણમાં, રચાયેલી તીર્થમાળાઓ અને ચૈત્ય-પરિપાટીઓ, તીર્થાધિપતિ જિન અરિષ્ટનેમિના મંદિર પછી ખરતરવસહી, અને તે પછી કલ્યાણત્રય બાદ વાંદવામાં જે ક્રમમાં આખરી મંદિર આવતું તેના વિષયમાં ત્રણેક પરિપાટીઓમાં ઉપયોગી નોંધ મળે છે. આ સૌમાં તો સ્પષ્ટ રીતે કહ્યું છે કે તે પૂનસીહ (પ્રકારાંતરે પૂનસી, પૂનઈ) કોઠારીએ સ્થાપેલ શાંતિ જિનેન્દ્રનું ૭૨ દેવકુલિકાયુક્ત મંદિર છે : જેમ કે તપાગચ્છીય હેમહંસકૃત “ગિરનાર ચૈત્યપરિપાટી”(આ. સં. ૧૫૧૫ / ૧૪૫૯)માં નોંધ્યું છે કે : કોઠારિઅ પૂનસીહ તણાઈ સિરિ સંતિ જિસિંદો ૨૮ એ જ પ્રમાણે વૃદ્ધતપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની “ગિરનાર તીર્થમાળા”(ઈ. સ. ૧૪૫૩ પશ્ચાતુ)માં પણ એવી જ મતલબનું લખ્યું છે, જો કે છપાયેલો પાઠ ભ્રષ્ટ છે. ત્યાં વિશેષમાં મંદિરને ફરતી ૭૨ દેહરીની પણ નોંધ છે : યથા : એક (મનામ? પૂનસી) કો (તા? ઠા)રી વસહી સંતિ નમિ સવઈ સારી બહુતરિ દેહરી દેવ ૧૯ તે પછી સંઘપતિ શવરાજની યાત્રા વર્ણવતી અજ્ઞાત કર્તક “ગિરનારચૈત્યપરિપાટી”માં પણ આ જ વાત સ્પષ્ટતાપૂર્વક કહી છે : For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર બહુત્તિરિ જિણાઈ શાંતિ આરાહુ પુનઈ કોઠારી થાપીઉ એ ૩૧૫ આ પૂનસી કે પૂના કોઠારી કોણ હતા તેની સ્પષ્ટતા બે તપાગચ્છીય મુનિઓની રચનામાંથી મળે છે. તપાગચ્છીય લક્ષ્મીસાગરસૂરિશિષ્ય શુભશીલગણિના પંચશતીપ્રબોધસંબંધ(સં. ૧૫૨૧ / ઈ. સ. ૧૪૬૫)માં બે સ્થળે આ મંદિરના નિર્માતા સંબદ્ધ ઉલ્લેખ પ્રાપ્ત છે. જેમ કે (ક્રમાંક પ૬૪મું) “શ્રીમુનિસુંદરસૂરિ સંબંધમાં કહ્યું છે કે (તપાગચ્છીય) જયચંદ્રસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિ થયા. તેમના સમયમાં પૂર્ણસિંહ કોષ્ઠગારિક તથા સંઘપતિ લ(થા ? ધા) કે ગિરિનારગિરિ પર પ્રાસાદો કરાવ્યા અને ત્યાં બિમ્બપ્રતિષ્ઠા કરી. સંબંધ ક્રમાંક ૩૪૬નું તો શીર્ષક જ આ હકીકત સૂચવે છે. “પૂનસિંહ કોઠાગારિકકારિતગિરનાર તીર્થપ્રાસાદ સંબંધ” નામક શીર્ષક છે ત્યાં આ પ્રમાણે નોંધ્યું છે: तपागच्छाधिराजश्रीरत्नशेखरसूरीणामादेशात् श्रीगिरनारतीर्थे पुनसिंह कोष्ठागारिको महान्तं प्रासादं कारयामास । तत्र श्रीऋषभदेवं प्रतिष्ठियत् । तत्र बहुलक्षटंकधनव्ययः । ચૈત્યપરિપાટીકારો પૂનસી વસહીમાં જ્યાં શાંતિનાથની પ્રતિષ્ઠા હોવાનું કહે છે ત્યાં શુભશીલ ગણિ ઋષભદેવ મૂલનાયક હોવાની વાત કરે છે જે કદાચ સ્મૃતિદોષને કારણે હોય. પ્રસ્તુત પ્રાસાદ તપાગચ્છીય રત્નશેખરસૂરિના ઉપદેશથી બંધાયો હતો તેવી વિશેષ હકીકત અહીં મળે છે. બીજા લેખક પ્રતિષ્ઠા સોમના સોમસૌભાગ્યકાવ્ય(સં૧૫૨૪ | ઈ. સ. ૧૪૬૮)માં થોડી વિશેષ હકીકત નોંધાયેલી છે. ત્યાં કહ્યા પ્રમાણે બિદરના સુલતાનના માન્ય શ્રેષ્ઠિ પૂર્ણસિંહ કોઠાગારિક (અને એમના ભાઈ બંધુરમને) ગુરુવચનથી ગિરનારગિરિ પર ઊંચું મંદિર બાંધ્યું. તેમાં ગચ્છનાથના આદેશથી જિનકીર્તિસૂરિએ પ્રતિષ્ઠા કરી : યથા : श्रीपूर्णसिंहकोष्ठागारिकनामा महेभ्यराट शुशुभे । सुंदर बिदरनगरे मान्यः श्रीपातसाहि विभोः ॥८१।। तेन श्रीगुरुवाक्यवर्जितहृदयेन नृणाम् । बंधुरमनाख्य बांधव सहितेन नरेन्द्र महितेन ॥८२।। श्रीमगिरिनारगिरावकारि जिनमंदिरं महोत्तुंगं । जिनकीर्तिसूरिराजः प्रतिष्ठितं गच्छनाथगिरौ ॥८३।। For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ગિરનારસ્થ “કુમારવિહાર”ની સમસ્યા ૧૪૯ આ વિધાનથી સ્પષ્ટ છે કે પ્રતિષ્ઠાપક આચાર્ય જિનકીર્તિસૂરિ હતા. અહીં “ગુરુ” શબ્દથી રત્નશેખરસૂરિ વિવક્ષિત હોય; અને “ગચ્છનાથ”થી કદાચ સમસ્ત તપાગચ્છના તે સમયના પ્રમુખ આચાર્ય યુગપ્રધાન સોમસુંદરસૂરિ ઘટિત હોય. શુભશીલગણિ કે પ્રતિષ્ઠાસોમે મંદિરના નિર્માણનું વર્ષ બતાવ્યું નથી. પણ રાણકપુરના ધરણવિહારમાં મૂકેલ સં. ૧૫૦૭ | ઈસ. ૧૪૫૧ના ‘ગિરનાર-શત્રુંજય પટ્ટ' ક્રમમાં “કલ્યાણત્રય”ના જિનાલય પછી “પૂનસી વસતી” બતાવી છે; આથી આ પૂના કોઠારીનું પ્રસ્તુત જિનાલય તે સમયથી કેટલાંક વર્ષ પહેલાં બની ચૂક્યું હશે. આ પૂનસીવસતીના ગૂઢમંડપના મહાવિતાનનાં આકૃતિ, પ્રકાર અને પ્રણાલી ગિરનાર પરની ખરતરવસહીના ત્રણ મોટા કરોટકોના કરનાર શિલ્પીઓની પરિપાટીની લગોલગનાં હોઈ, અને પ્રસ્તુત ખરતરવસહી પણ ઈ. સ. ૧૪૪૧ પહેલાં બની ચૂકી હોઈ, પૂનસી-વસતીનું નિર્માણ પણ ઈ. સ. ૧૪૪૧થી અગાઉ થઈ ગયું હશે. પૂનસી-વસહીની ઉત્તરે આવેલ કલ્યાણત્રયના મંદિરનો ઉદ્ધાર અમદાવાદના સુલ્તાન અહમદશાહ-માન્ય ઓસવાલ શ્રેષ્ઠિ સમરસિંહે સં. ૧૪૯૪ { ઈ. સ. ૧૪૩૮માં કરેલો જેમાં પણ પ્રતિષ્ઠાપક આચાર્ય હતા જિનકીર્તિસૂરિ ! આ હકીકત ધ્યાનમાં લઈએ તો એ જ સમયે જિનકીર્તિસૂરિએ પૂનસવસહીમાં પણ પ્રતિષ્ઠા કરી હોવાનું ધારી શકાય. આથી આ કહેવાતું ‘કુમારપાળ'નું મંદિર વસ્તુતયા ઈ. સ. ૧૪૩૮માં બન્યું હતું, અને તેના કારાપક સોલંકી સમ્રાટ કુમારપાળ નહીં પણ બિદરના પૂર્ણસિંહ કોઠાગારિક ઉર્ફે પૂનસી કોઠારી હતા. મંદિરમાં આજે ધ્યાન ખેંચે તેવી કોઈ વસ્તુ તો છે તે ગૂઢમંડપનો લગભગ ૨૦ ફીટના વ્યાસનો વિશાળ કોટક (ચિત્ર ૨.). તેમાં નીચે રૂપકંઠ પછી ગજતાળુના થરો લઈ, તેના પર નવખંડા કોલના ત્રણ કરો અને વચ્ચે મોટા માનની અણીદાર-જાળીદાર કોલના પાંચ થરવાળી પુષ્મખચિત અને પાકેસરયુક્ત ચેતોહર, ખરે જ બેનમૂન લંબન કરેલું છે (ચિત્ર ૧), જેની ગણના પશ્ચિમ ભારતના ૧૫મા શતકના સર્વોત્તમ ઉદાહરણોમાં થઈ શકે તેમ છે. ખરતરવસહીના બે ભદ્રપ્રાસાદોના વિતાનોની પધ્ધશિલા કિંવા લંબન કરતાં આમાં એક થર , વિશેષ હોઈ તે વિશેષ પ્રભાવશાળી જણાય છે. ટિપ્પણો: ૧. સંત પં. બેચરદાસ દોશી, પુરાતત્ત્વ, ૧-૩ (ચત્ર ૧૯૭૯ / ઈસ. ૧૯૩૩), પૃ. ૨૯૬. ૨. સંત શ્રીવિજયધર્મ સૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ ભાગ ૧લો, શ્રીયશોવિજયજી જૈન ગ્રંથમાળા, ભાવનગર સં. ૧૯૭૮ | ઈ. સ. ૧૯૨૨, પૃ. ૩૬. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫) સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ૩. સાંપ્રત ગ્રંથમાં જુઓ અમારું શ્રીમતી વિધાત્રી વોરા સાથેનું સંપાદન. ૪. સં. મૃગેન્દ્ર મુનિજી, સુરત ૧૯૬૮. પૃ. ૩૧૬. ૫. એજન, પૃ. ૧૯૨. ૬. જૈન જ્ઞાન પ્રસારક મંડલ, મુંબઈ ૧૯૦૫, સર્ગ ૯. ૭. આ કોટકનું ચિત્ર પ્રથમ જ વાર (સ્વ) સારાભાઈ મણિલાલ નવાબે Jaina Tirthas in India and their Architecture, Ahmedabad 1944, Pl.111, Fig. 213 તરીકે છાપ્યું છે. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ गरमागरम सं. ११८४नो ४२ ४सयोगनो पाणियो. (ले. 3, थि० १) सं. १२४४नी प्रभानंधसूरिनी निषेधि (ले० उ, भि. २) १७०४११४४/११ मानद सुशी बतादाद महार 767 नापति गार्ड न. म. वारकरी सरस Ma For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ હાલ કહેવાતા સંગ્રામસોની'ના મંદિરના ગૂઢમંડપમાં રાખેલા સં ૧૨૫૬ ઈ. સ. ૧૨OO ના લેખવાળો નંદીશ્વર પટ્ટ'. (લે. ૩, શિક ૩) For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ IDA MILL AM DE FARA ADA10 T or ZAANAN પનિહાઈવેઝNFINીથી સTattented Tai I હીતિ, યાદ છે '' siFE}}% r ' 1 Aarty?Iટીકોપિરષil Runયાૌર વિ. હરિના દરમાં +mvihart #cia , નેમિનાથ જિનાલયની પશ્ચિમતરફની ભરતીમાં સ્થાપેલ સં. ૧૨૮૨ ઈ. સ. ૧૨૨૬નો આરસનો નંદીશ્વર પટ્ટ'. (લ ૪, ચિ૧) For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ TIf T 2 | | | કાકી તારી SIS નેમિનાથ જિનાલયની ભમતીનો સં. ૧૨૯૦ ઈ. સ. ૧૨૩૪નો ‘સમેતશિખરનો આરસ પટ્ટ. (૪, ચિ ૨) For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ バウ આબૂ દેલવાડાની લૂણવસહીની હસ્તિશાલાની વચ્ચે રહેલી ‘કલ્યાણયની રચના. (ઈ. સ. ૧૨૩૨). (લે ૧૭, ચિલ) Page #167 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર ચતુર્મુખ ધરણવિહાર-સ્થિત સં. ૧૫૧૫નો શ્રીગિરનાર શ્રીશત્રુંજયતીર્થ પટ્ટ. (લે ૧૭, ચિ ૨) na as an જ છે , For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ . કુંભારિયા નેમિનાથ જિનાલયની ચોકી સં ૧૩૪૪નો કલ્યાણત્રય-પટ્ટ. (લે. ૧૭ ચિ83)y.org Lain Educe Page #169 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર સંભવનાથ જિનાલય, કલ્યાણત્રય સં. ૧૫૧૮ ઈ. સ. ૧૪૬ ૨ (લ ૧૭, ચિ. ૪). ગી For Personal & Port Page #170 -------------------------------------------------------------------------- ________________ :/f, ન * B : કરો * - - * , - - & ડાં 'C / '/ : નથી છે કે કેજ થી ૮ ' A ) ૧ ' '' * કે * છે * ' * {{kti રાજા 4 5 ' છે * * * * * ' * જ Ju? '' ' * fકે . * t - ** * * , ક'' I . * ૧૬ * '', '' 2 * છે. * - GEETA * * ( * * ? ?? * * છે (ા ? ha 'RE FE ? આ તક ', ? કા ' ??? : : ' L : * * * J ; • | | | | | | | | | | / / / / | / / / / / / / / | * * * મંડપોના સંધિભાગની એક નાભિમંદાર ક જાતિની છત ઉત્તર મરુ-ગુર્જર શૈલી, પ્રાયઃ ઈ0 સ. ૧૪૩૮. (લે૧૮, ચિ૦ ૧) - :/ /y : ક * ; ; ; ; * : , , , , , ; '); })})} ); ? '' '' ', ' જ. : : 5 -. 't , ; , ' ' * * * * * * * * * * * છચોકીન કારક્કોણ છંદ પર રચેલ નાભિછંદ વિતામાં કંડારેલહંસમાલા, (લઇ ૧૮, ચિ, ૨) Page #171 -------------------------------------------------------------------------- ________________ ૬ : ક કર 13 તા • L LL L L LL LL F" F છે , ૧૬ ' 1 ' ( ૧૬ * * * AAAA મંડપોના સંધિભાગની એક અષ્ટકોણ તલની નાભિમંદારક પ્રકારની છત. (૧૦ ૧૮, ચિ૦ ૩) - . ૮િrt try : ૮૮/ /૮ ( 5:33:11: 131 13) ૮ ? Page #172 -------------------------------------------------------------------------- ________________ ואי אן ים י -- ::::::: פרפר י י ::::: Erlek titetet הגנגנג: י. - o ה tlet:!:lr, letttttt ,ניצה 1 הגווני וקנין ה ריינג'גוז'ונינינ י ( * lister * נעימה בצלם * הארץ eo 11, SS.IL : אונורה אורוגוואי ttttt משגב 11 1311 ביא 45 יה ליאה להשמיד את המשמים .. הגענו ליווה את ההווה ניקוי ::: t ttttt - הודי 44 א י ' . עיניניניניני נ יה/ rifi/iiiii לה * ישן ;( אזורי לזיהומיניניניניניני המפורטיבי 4 www4r// גולגו, גיונלהגנת עיניניניני סקירה אודות אאודי איי תיקי-יווני ElenaFireustairs :צי ו ן יייייייייייייי !!וה מעונייניי וקניפפייייייייייייי ליגת ה . לזוג ייייייייייייייייייייייייייייי ג'יימי והמוזמנים נכונים . ו ויייייי לימודי נטורופי גוגונויוירגינלנבנצי F21 \ בת 1 1+ ניניניניניניניני . אוריאן .11.16 . עצועיינה . 354 34, 3474-454-4e24ael Adle, (ao 17 [264) For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ગમંડપ, વિકર્ણ-વિતાન, ગ્રાસમુખ. (લે. ૧૮, ચિ0 દ) છચોકીના ખત્તક પર કંડારેલ ઇલ્લિકાવલણ. (લે૧૮ ચિઠ8) & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ دورا؟ دلارارارارارارارلر ورد في في در ما \\\\\\\ رود و 23/) بالا می اهلا ومرت ولا \\ \ رررررررررررررررررررررررر را استاندار و امام اور قرار دارد و مرور دیدم بری )؟ )) ))) را رررررررررررررررررررب الا * ررررررررررو IT LTD. \\ دادند 4 هو : توه توه ۱۱۱ . ؟ ؟ ما ۱۴:۴۴۲ و ۱ و અષ્ટાપદ પ્રાસાદના કોટકના રૂપકંઠના મદલરૂપી વિદ્યાધરો. (૯૦ ૧૮, ચિ૦ ૮) For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ = = , - - - Assis 5:1211 112 11 , : ' '' ' ' ' . * f . = નામના == 5 1 == - = * || === 2 -::::::::: : '; = , ' Girces. ') })});}):11. ccccc PS * - Ar, we કમ -, કા K ( Iક * : ( 11 , , 11 : સંદ , , * ન હાર " se. * * * . કરી" " * ** R :: .. , LG કા , જ ન **,* * ૧૬ts કે. ** ::: જોકે C ) , જ જ * * 1 , #### *.* (kkkkkk{{{{ ======= = httતાન કા કાંદ છે કર્મ 1 + + $ + {1} ' 'કા કકGA 4 કસક કક * * * * * ૬. બકર*લા * * * * - :: : : : : : :કો માના માં Bewan Tari * * * * * * * * SEE TECTE, . 1 PARAYtILE પીBHAI #AH કે કેમ ? કે * * * * t t igera. * sw.... ... - - :// t.ટી રાજ નંદીશ્વર પ્રાસાદના કોટકનો સભા-પદ્મ-મંદારક જાતિનો વિતાન. (લેઇ ૧૮, ચિ૦૯) For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ . w > : Triciclclcells .). S kickalcic :: >>>>>> >> :e . A ikki klace * OVERY . VE For Personal & Private Use Only SR S TU 2 SEVECER BO te . OP .* Verso DATE 3131313 1 WARGE The ARINA N inter WALA e MOROS 22 338 NE ssant ir tt 33 OSS! 2 DE agasawa BIPPE ZY METO M WHAT WA BELED 12 WS BOERDER S 222222222 RONASHODOD 3 ABLA I // OSCURO Www COTT DA 292! Cricic નંદીશ્વર પ્રાસાદના કોટકનો સભા-પદ્મ-મંદારક જાતિનો વિતાન. (લ૦૧૮, ચિ૦ ૧૦) Page #177 -------------------------------------------------------------------------- ________________ ) bi Okj 26 25) 12+11=E] 1h22h Ph] 1121E1K b12( هاما 215 ما1 م! مستحب له 1 IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIInn ا 11111111111111111111111111 /// ر و ( رن ر ) ما را نا اور ان اور کرداری ان زیو ۱۲ // ///// IIIIIIIIIIIIII FTTTTTFTTFTTTTTTTTTTTFT IIIIIIIIIIIIII/18/1336 ماندن در این دنیا را درک کے دن ان : : : ::::::: ک کو ی فر کر (( ((((((((((((( د یا گیا اور For Personal & Private Use Only د ازا، اور nilililili (CA) * * * - ای وه : : ۴۱۴۱۴ ۴۱۱۴۱۴۱ ک) ((((((در 21 22 23 فرد ارز مرررررررررررا Page #178 -------------------------------------------------------------------------- ________________ (744 aaaaa ORA Whabhiyant RAKE CRAZY an inc અષ્ટાપદ પ્રાસાદનો સભા-પદ્મ-મંદારક જાતિનો વિતાન. (લેન્ડ ૧૮, ચિત્તુ ૧૨) ana, For Personal & Private Use Only E CEEEEEE 22 ICICACLY Crite cheats selected Page #179 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ ભમતીમાં ભદ્રપ્રાસાદ પાસેના મોરા પાસે ખંભાતરમાં કોરેલ સુરેખ જાળી, (લેઇ ૧૮, ચિ૦૧9) & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ) / 5 / ) is) (CC/CCC/ )) )) )) 15 (1 11 100) ( [ { { {(૧૯૫૬ \ ( 1 ) / })/ } ) - ૧૮૧૮૧૮) ૮ ((( ૧૮ ( Rહાપ ક * * * * * ''t tt ( ((((( [ ૮ (((( 'C' C{ ( K {K T 1 કોલરૂપી મધ્યલૂમ ફરતી દ્વાદશ ઉત્સિત લૂમા ધરાવતી સમતલ છત. (લે ૧૮, ચિ, ૧૪) કોલરૂપી લૂમાઓ ધરાવતી એક સમતલ છતનો Jaબચેલો ખંડ (લેક ૧૮, ચિ, ૧૫) For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ וכנג 777 447 ויץ וה רג/קרם ): TCPC/e7C/C# C7 >. Page #182 -------------------------------------------------------------------------- ________________ וכוכ::::: י וכו ) ונכ::::: וומ:tt : te(c\ גונtra \ \ \ \ כוויויויויוייי 44,444 \ \ \ - \ ונונוצנוc . \ . \c ((13 . .. . :* ... ( ( - : ( ... כו'.. . .. .וכו .. : ססגונ איכיל:C\ א יגנבוAcc כנגcc1 גנב!Acce גגוננניניגונג וגננ ccc\\\\t9 . . .. ' શૃંખલાબદ્ધ કોલરૂપી લૂમાઓ ધરાવતો સમતલ વિતાન. (લે. ૧૮, ચિ. ૧૭) For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૨૫ કોલજ-લુમ યુક્ત સમતલ વિતાનની વિગત. (લે) ૧૮. ચિ૦ ૧૮) / ///b/02/ /22 - 1, C '(t : પંખલાબદ્ધ કોલરૂપી લૂમાઓ ધરાવતો મતલ વિતાન. ચિત્ર ૧૭ મુજબ -લે ૧૮, ચિ૦૧૯)rnational * ::: )), I ? ( RE! Or Personal & Private ose Only (12), << >>>, Page #184 -------------------------------------------------------------------------- ________________ /(lcelcic\\\(tr ادو داد ૨૫ કોલજ-લૂમાવાળો પદ્માંકિત વિતાન, જેની વિગત ચિત્ર ૧૮માં દર્શાવી છે. (લે. ૧૮, ચિ ૨૦૦ 70,27,\ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ - 畢畢 學年購APS 以录策,凝露 数?致富, ========== = LIGULUcreteleltetet 20144 44dea [adld. (dac, doza) For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ VIDY) * * 90 313.6333334332BBRATE * 3 ))))))VICCCCCCCCTCOOCOO(CCECITOP * * * * * SALA 32. 336 336 CSICECHCICicicicis COCINCIPIO ચિત્ર ૨૧માં દર્શાવેલ વિતાનનું થોડા રૂપાંતર સાથેનું ચિત્રણ . (લે. ૧૮, ચિ, ૨૨) For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ (Ex [] 26 B) *FlPb9-%D15 13 Pro Pr Ow (ACE いいいいいいいいいい おなかいいいいいいいいい にいるここるるるるるるるるるるKAZEESERIE2322222295 For Personal & Private Use Only 、 てててて はいはない こここここここここここここ) Page #188 -------------------------------------------------------------------------- ________________ . 1 5'' '' ' ' '' 17 site - SID ) ૧ f 13 ICIST ૪ કોલજ પદ્માંકિત મહાલૂમા ધરાવતો વિતાન. (લે. ૧૮, ચિ. ૨૪) 115) પ?'' Itis) cry) D) )) )))))))..'. . . }' 2))))))))) )))))))))))))))))) ))))) )) For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ / \ //૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮ (IS . \\ \; \\\\\\) \ \) ) \ \'\' અતિસ્તરીય અતિખંડા કોલજ વિતાન. (લે ૧૮, ચિ. ૨૫) (116 (1K11 છે 1 1 )!)})})})} ''''''''''' ))) } : })} ?? ? For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ 16 For Personal & Private Use Only TV ૧ ૧ , ' \ \ \ \ \ ' , ' , | | 2000 2001 2002 202 અતિસ્તરીય અતિખંડા કોલજ વિતાન. (લે. ૧૮, ચિ. ૨૬). Page #191 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only م11-41 ))))))) ) عام 3333333333333333رورد! ۴۲۶ * * * * * * * * * * * * ا ا ا م و م ر و ر ا ا م ر * * * * ی کو ۲۲۲ aca-ti [al. (a وفادار۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱. با. . )))))))))))))))))))))))))۱ \6\2 014 م کاربران ایرانی که به این \C \((((((((((((((((( ) 2 ,9 ) )) و ) ) قناة ) ) ) ) ) لا ) ( اله الا انس ان (((((۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱۱ ( ( ( ( ( ( ( ( ( ( ( ( ( ( ( f4444444444 444444444444441) 12/ 1 3 !! ! ا ما کار می : :::::: (161((((((((((((((((((((((((((((((((((((( : : ((((((\2\6\2\2\4\6\6\2\ \ \ \ \\ \ \ Page #192 -------------------------------------------------------------------------- ________________ ازد 46 . 45 «« برای 4 قراند 4 را 12 عمومی مرد م ما تو دارای تماس با ورته ق درت الله او وو امت گ ونه اور ا هواز امراه ان مم ووو * تمام در درون هر والي او دانشنا اب تک کی من قوة و ورود به راه می کی 32 مقررات و او را در درون و در مورد ر ااااااسافت و لد اعلام شد و به ازدا، 3 1332 تومور ومرار و 1333 3 * (۹ ,2 ,1 qatl-1). (ac ] وداع 4-291) وحواء 31 - 441 بہ ]]تپه [4-(2-22]) ]3°id[at ) For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ . MULLEIIIIIIIIIIIIN . கசப் }}}} காக்க it!!! atterlo t wit! . MAM m ILA ( S F " }}}}}}}} NIMMAN MAH}}}}} * EE CO M - போrrarrierre ARIE HOW RTAN பரா . பார்க்க re!' பா 1 A சctitleroitrities mettreIc மா T ITI A WITHILULTRUE . / MILWIELLE HEERAN 7 . 11.13 * Frtrrrrrrrrrr. Terittile ' / KElerators amergretirrrrrri / OP N milTHI - rrierce - * -- - i SEITHIN INSTC LTTE ISRiRRENER * - treterreti - பு - TNTET TIKAINKIKI - *Tr SHETRATE P * ANIRANT MILIEEEEEEE LEMERL SIRIKIREAKIRLS R S * NETITIETHILAKK STRICTERISTIATE KirketRR MANI பல் Tங்க Kuructuring 1 2007T10101 / கை HTARIAWIKI (Rat 1-u laalirti laal altj &34. (ac 14, p. 3) For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ-૩૮૦ 009 For Personal & Private Use Only