SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” कल्याणत्रये श्रीनेमिनाथबिंबानि प्रतिष्ठितानि नवांगवृत्तिकार श्रीमद् अभयदेवसूरिसंतानीय श्रीचंद्रसूरिभिः श्रे० सुमिग श्रे० वीरदेव० श्रेष्ठी गुणदेवस्य भार्या जयत श्री साहुपुत्र वईरा पुना लुणा विक्रम खेता हरपति कर्मट राणा कर्मटपुत्र खीमसिंह तथा वीरदेवसुत अरसिंह प्रभृतिकुटुंबसहितेन गांगदेवेन कारितानि....... (મુનિશ્રી વિશાલવિજયજી ‘કલ્યાણત્રય'નું “શ્રી નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણકોના દિવસોમાં ભરાવેલાં (મંદિર)નાં બિબોની પ્રતિષ્ઠા કરી “એવું અર્થઘટન કરે છે : (એજન પૃ૦ ૨૨); તે બરોબર નથી.) એમ જણાય છે કે અગાઉ કથિત સં ૧૩૪૩નાં ‘કલ્યાણત્રય'નો ઉલ્લેખ કરતા લેખમાં પ્રતિષ્ઠાપક આચાર્ય ‘શ્રીચંદ્રસૂરિ’નું નામ આપવું રહી ગયું હોઈ, તે માટે જુદો લેખ દેવાની જરૂરત ઊભી થઈ હશે. પ્રસ્તુત ‘ચંદ્રસૂરિ’નો સં ૧૩૪૪ / ઈ. સ. ૧૨૮૮માં ‘ઋષભદેવ’ની પ્રતિમા ભરાવ્યાનો એક અન્ય લેખ મંદિરમાં મોજૂદ છે : (એજન પૃ ૧૧૦). ૧૨૭ ‘નેમિનાથ’ મંદિરના રંગમંડપના, અને ‘કલ્યાણત્રય’વાળા ગોખલાની બાજુમાં રહેલા એક સ્તંભ પર સં૰ ૧૩૪૪ / ઈ. સ. ૧૨૮૮માં પ્રસ્તુત ‘કલ્યાણત્રય'ની પૂજા માટે ૧૨૦ ‘વિસલપ્રિયદ્રમ્મ‘ ભંડા૨માં અપાયાનો પણ લેખ છે, જે ઘટના તેની પ્રતિષ્ઠા પછી લગભગ દોઢેક વર્ષ બાદની છે : ओम् ॥ संवत् १३४४ वर्षे आषाढ सुदि पूर्णिमायां । देव श्री नेमिनाथचैत्ये श्रीकल्याणत्रयस्य पूजार्थं श्रे० सिरधर तत्पुत्र श्रे० गांगदेवेन वीसल प्रीयद्रमा (मा) णां १२० श्रीनेमिनाथदेवस्य भांडागारे निक्षिप्तं । वृद्धफल भोग (य) मासं प्रति द्रम ३ चटंति । पूजार्थं । आचंद्र જાતં યાવત્। શુભં ભવતુ શ્રીા (અહીં પણ વિશાલવિજયજી મંદિરમાં “ત્રણે કલ્યાણકોની પૂજા માટે” એવો અર્થ ઘટાવે છે તે બંધબેસતો નથી. અહીં કલ્યાણકોની પૂજાની વાત નથી, પણ ‘કલ્યાણત્રય’ના પ્રતીકરૂપ રચનાની પૂજાની વાત સમજવાની છે.) આ પ્રતિમા મુખમંડપની અસલ ચોકીઓથી પૂર્વ તરફની વધારેલી ચોકીમાં જાળીયુક્ત ભિત્તિને આધારે રથિકા સાથે ટેકવેલી છે; અને તે ચૌમુખ નહીં, એકમુખ છે; તેથી એક પ્રકારનો ‘કલ્યાણત્રય'નો ‘પટ્ટ' છે, ત્રણે પરિમાણોમાં વિસ્તરતી રચના નથી॰ (ચિત્ર ૩); વિશેષમાં તેમાં સૌથી ઉપરની ત્રીજી મૂર્તિ ગાયબ થઈ છે, પણ તેમ છતાં આયોજન સરસ લાગે છે. મંદિરના ઉપર ચર્ચિત અભિલેખોમાં કહેલ ‘કલ્યાણત્રય’ તે આ જ રચના છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy