SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર (ચિત્ર ૨૫, ૨૬). ઘડીમાં વાદળાંનાં પટલોને પેલે પાર રહેલ લોકાલોકનો પાર પામવા મથતો લાગે, તો ઘડીમાં પાતાળ-પાણીમાં બાઝેલ શેવાળના એક પછી એક થરો વીંધીને તળિયાને આંબવા યત્ન કરતો હોય એવા વિતાનનું સમગ્ર ભારતમાં આજે તો આ એક માત્ર દૃષ્ટાંત છે ! ૧૪૦ વસ્તુપાળ-તેજપાળના સમયના, ભાતીગળ અને અતિરિક્ત સૂક્ષ્માતિસૂક્ષ્મ કોરણી કરનાર શિલ્પીઓ પણ જેના વખાણ કરે તેવો એક પદ્મનાભ જાતિનો ચેતોહર વિતાન ચિત્ર ૨૭માં રજૂ કર્યો છે. આની રચનામાં સૌ પહેલાં તો ભા૨ોટથી ઊંડા ઊતરીને સદા સોહાગણના ચેતનથી ધબકતાં, ફૂલોની કિનારી કરી, અંદર ચતુઃ છંદમાં ગજતાલુના થરવાળી, પછી વિશેષ ઊંડા ઉતારેલ ચોરસી ન્યાસના કોલનો થર લઈ, અંદર બનતા ભાંગાયુક્ત ક્ષેત્રમાં ચાર દળવાળી, બહુભંગી, ચાર ઉત્થિત લૂમાઓના સંયોજન, અને વચ્ચે ડૂબકી દેતી ક્ષિપ્ત લૂમાના આવિર્ભાવથી પ્રગટતા આ મનોરમ વિતાનનાં મૂળ તો સોલંકીકાળમાં છે; પણ દળદાર ચોટદાર કલ્પનામાં તો આની સામે આબૂ-દેલવાડાની જગવિખ્યાત વિમલવસહીના સૂત્રધારો પણ એક કોર ઊભા રહી જાય; અને તાકાતનો ભોગ આપ્યા સિવાય નિપજાવેલી સમગ્ર ઘાટની મુલાયમ સફાઈ, લૂમાઓના ઊપસતા કેન્દ્રનાં કમળોમાં અણિદાર પાંખડીઓમાં સિફતથી ઉતારવામાં આવેલ કુમાશ અને સાહજિક સજીવતાની સામે તો આરાસણના આરસને મીણની જેમ પ્રયોજી જાણનાર, દેલવાડાની લૂણવસહીના શિલ્પીઓ પણ અચંબો પામી ઊભા રહી જાય ! (ચિત્ર ૨૭). ગિરિરાજ ગિરનાર પર આવું બેનમૂન કામ કરી ગયેલા શિલ્પીઓનો મુકાબલો એમના જમાનામાં અન્ય કોઈ સ્થળોના ગજધરો નહીં કરી શક્યા હોય. પંદરમા શતકમાં આવા સર્વાંગસુંદ૨ વિતાનોની રચના થઈ શકે તે માનવું મુશ્કેલ બને છે ! પંદરમી શતાબ્દીના સમકાલીન અને સમીપકાલીન જૈન યાત્રી કવિઓ-લેખકોએ આ ખરતરવસહી વિશે જે નોંધો લીધી છે તે હવે જોઈએ. એમણે વર્ણવેલ મંદિર ગિરનાર પરના વર્તમાને અસ્તિત્વમાં નાનાં મોટાં વીસેક જિનાલયોમાં કેવળ આ કહેવાતી મેલક વસહી”ને જ લાગુ પડે છે. મૂળ કવિઓનાં કવિત વા શબ્દોમાં જ તે હવે જોઈએ : (૧) તપાગચ્છીય હેમહંસ ગણિની ૧૫મા શતકના મધ્યમાં રચાયેલી, ગિરનારચૈત્યપરિપાટીમાં યાત્રી ઓસવાલ સમરસિંહ માલદે દ્વારા વિ. સં. ૧૪૯૪ | ઈ. સ. ૧૪૩૮માં સમુદ્ધારેલ ‘કલ્યાણત્રય’ને (હાલમાં સગરામ સોનીના કહેવાતા મંદિરમાં) વાંદ્યા પછી, અને હાથી પગલાં તરફ વળતાં પહેલાં, નીચે મુજબ નોંધ કરે છે° : Jain Education International હવ જઈઇ નરપાલસાહ કારિઅ પ્રાસાદ | સંપ્રતિ નિવ કરાવિઅ વીર પિત્તલમય વાંદિ નંદીસર અઠ્ઠાવહ સેતુંજય અવતાર । ત્રિહું દિસિ થજી (થકી ?) જિણ નમઉં For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy