SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજજયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૬૩ પણ સાંપ્રત કાળે સમારકામ દરમિયાન ત્યાં રહેલા લેખો ધરાવતા પથ્થરો અસ્તવ્યસ્ત થયા છે, જેના પરિણામે આજે તો આ મહત્ત્વપૂર્ણ લેખ ગાયબ થયો છે. આથી મૂળ બર્જેસ-કઝિન્સે આપેલી વાચના પર આધાર રાખવો પડ્યો છે. લેખમાં કેટલેક સ્થળે કયાંક ક્યાંક ખાલાં છે તેમાં શક્ય હતું તેટલા સાધાર-સતર્ક (ચોરસ કસમાં) પૂરણી કરી, લેખના તાત્પર્યને સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે : ઉપલબ્ધ પાઠ આ પ્રમાણે છે : ....राजदेव प[ति] सिध( द्ध) चक्रपति શ્રી નધિદેવ [ જ્યા]વિન[રા].... પર વરાયતન પિતfમ (?)...વાતેના [येन] केन उपायेन जादवकुलतिलक...तीर्थंकर શ્રીનેમિનાથપ્રસાઃ ..૩. શ્રી ૨ ૩. વાત... સૂત્ર [૧] વિક્રમ મારુતિ... લેખનો સાલ બતાવતો ભાગ તે કાળે નષ્ટ થઈ ચૂક્યો હશે, યા વાંચી શકાયો નહીં હોય. લેખનો પૂરો અર્થ સમજવો તો અસંભવિત છે; પણ “સિધચક્રપતિ' (સિદ્ધચક્રવર્તી) શ્રી જયસિંહદેવનું શાસન તે વખતે ચાલતું હતું એ તો તદ્દન સ્પષ્ટ છે. બીજો મહત્ત્વનો ઉલ્લેખ કરાયતન' (કર્ણાયતન)નો છે. નાગેન્દ્રગચ્છીય આચાર્ય વિજયસેનસૂરિના રેવંતગિરિરાસુ (આ. ઈ. સ. ૧૨૩૨) અનુસાર ખેંગારને હણ્યા બાદ સિદ્ધરાજે અહીં સજ્જનને સોરઠનો દંડનાયક બનાવેલો, જેણે નેમિનાથના પુરાણા મંદિરનું નવનિર્માણ સં૧૧૮૫ | ઈ. સ. ૧૧૨૯માં કરાવેલું. પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવક ચરિત (સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮) અનુસાર નવનિર્માણ પૂર્વે નવ વર્ષથી (એટલે કે ઈ. સ. ૧૧૨૦થી) સોરઠ દેશ સજજનના અધિકારમાં હતો. સિદ્ધરાજના સોરઠ વિજયની મિતિ ઇતિહાસજ્ઞોએ ઈસ. ૧૧૧૫ની માની છે. ચૌદમા-૧૫મા શતકના પ્રબંધોમાં પ્રસ્તુત જિનાલયનું અભિધાન સિદ્ધરાજ પિતૃ કર્ણદેવ પરથી કર્ણવિહાર' રાખેલું એવું જે કથન મળે છે તેનું આ સમકાલિક અભિલેખ પૂર્ણતયા સમર્થન કરી રહે છે. નેમિનાથના મંદિરની દેવકુલિકાઓની હારમાળામાં પરોવેલ ઉત્તર તરફની પ્રતોલીની અંદરની ભીંતમાં આ લેખ આજ પણ મોજૂદ છે; એને (સ્વ) ભગવાનલાલ ઇન્દ્રજીએ (વાચના દીધા સિવાય) ઈ. સ. ૧૧૨૦ (સં. ૧૧૬૬)નો, સજ્જન મંત્રીનું નામ દેતો, લેખ માની લીધેલો અને વિશેષમાં તેને દક્ષિણ દ્વારમાં કંડારેલ હોવાનું બતાવેલું. પણ આ તમામ ધારણાઓ બ્રાંત છે. તે પછી બર્જેસ દ્વારા તેમ જ બર્જેસ કઝિન્સ દ્વારા એમ બે વાર તેની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy