SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ગણાતાં નથી. જે સ્થાન, યા તો મંદિરની અધિનાયક-પ્રતિમા અતિ પ્રાચીન, પ્રભાવક, અને લોકમાન્યતામાં ચમત્કારયુક્ત, સિદ્ધિદાતા મનાતી હોઈ પુરવાર થઈ હોય તે સ્થળ, પ્રતિમા, અને દેવમંદિર “તીર્થ’ કે ‘મહાતીર્થ બની જાય છે. પશ્ચિમ ભારતમાં ઠેકઠેકાણે બંધાયેલાં મોટી સંખ્યાનાં જૈન મંદિરોમાંથી બહુ જ થોડાં જૈન જગતમાં પરમ પ્રતિષ્ઠિત મનાયાં છે. શત્રુંજયગિરિ અને એના નાયક શ્રી આદીશ્વર ભગવાન, ઉજ્જયંતગિરિની જુદી જુદી ટૂકો અને તીર્થનાયક જિન અરિષ્ટનેમિ, સત્યપુરમંડન શ્રી મહાવીર, સ્તંભનપુરાધીશ પાર્થ, અને ભૃગુપુરાલંકાર શ્રી મુનિસુવ્રતનો મહિમા મધ્યયુગમાં પ્રથમ કક્ષાનો ગણાતો. તે પછી આવે શંખેશ્વર પાર્શ્વનાથ (શંખપુરની શંખવસતીના અધિષ્ઠાતા શ્રી પાર્શ્વ), અવંતિના અંતરિક્ષ-પાર્શ્વનાથ વગેરે. વસ્તુપાળે આમાંનાં કેટલાકનાં મહિમાસ્વરૂપ મંદિરો શત્રુંજય અને ગિરનાર પર બંધાવેલાં". આ પ્રકારનાં અવતારિત મંદિરો બાંધવાની પ્રથા પશ્ચિમ ભારતમાં વસ્તુપાલની આગમચ ૧૨મા શતકમાં હતી તેનું એક પ્રમાણ નફૂલના ચાહમાનોની નગરી નાડલાઈ– નફૂલડાગિકામાં મળે છે. ત્યાંના સં૧૧૩૯ | ઈ. સ. ૧૧૯૫ના લેખમાં ત્યાં ડુંગર પર આવેલા યાદવનેમિનાથના મંદિરને “ઉજ્જયંતતીર્થ” કહ્યું છે”. કર્ણાટદેશનું એક આથીયે પુરાણું દષ્ટાંત મને આ પળે સ્મરણમાં આવે છે. દાદુગર્વલ્લિના લક્ષ્મીદેવીના મંદિરના ઈ. સ. ૧૧૧૨ના તુલ્યકાલીન લેખમાં, દક્ષિણદેશમાં ખ્યાતનામ કોલ્હાપુરસ્થ મહાલક્ષ્મી ઉપરથી એ ગામને “અભિનવ કોલ્હાપુર' એવું અભિધાન આપ્યું છે, આથી એ મંદિર કોલ્હાપુરવાળીનું ઠરે છે. હવે આબૂનાં દેવાલયો એ કાળે પ્રમાણમાં પરિચિત, એ સમયે જાણીતી વ્યક્તિઓ દ્વારા બંધાયેલાં. દંડનાયક વિમલ કારિત આદીશ્વરભવન અને તેજપાળ નિર્મિત નેમિનાથના મંદિરનો ખાસ મહિમા નહોતો. જાબાલિપુરમાં પણ યક્ષવસતી સિવાયનાં મંદિરો ૧૨મી૧૩મી શતાબ્દીનાં હતાં અને વિજાપુરનાં પણ ૧૨મી ને ૧૩મી સદીનાં હતાં. એમાંનાં કોઈ પોતાના મહિમા માટે પ્રસિદ્ધ નહોતાં. આથી એમનાં અવતારરૂપ મંદિરો ઊભાં કરવાનો વિચાર સરખો પણ ભાગ્યે જ આવે. શ્રી અત્રિના લેખને ફરી એક વાર વાંચતાં એક નાનકડો પણ ચર્ચાસ્પદ મુદ્દો નજરે આવ્યો. શ્રી અત્રિ લખે છે કે “ઈ. સ. ૧૨૩૨ના તુલ્યકાલીન છયે લેખોમાં ઉલ્લેખિત તમામ બાંધકામને ઈ. સ. ૧૨૩૩ના તુલ્યકાલીન લેખમાં x “વસ્તુપાલવિહાર' જેવું એક જ નામ આપવા છતાં એ જ લેખમાં જણાવવામાં આવ્યું છે કે વસ્તુપાલે ગિરનાર ઉપર ચાર મંદિરો બંધાવ્યાં. આ ચાર પૈકીનાં ત્રણ(આદિનાથ, અષ્ટાપદ અને સમેતશિખર)નો સમાવેશ તો ઈ. સ. ૧૨૩રના તુલ્યકાલીન લેખોને આધારે ‘વસ્તુપાલવિહારમાં જ થઈ શકે તેમ છે. તેથી ઈ. સ. ૧૨૩૩ના તુલ્યકાલીન લેખને આધારે એમ માની શકાય કે ચોથું કપર્દી-યક્ષનું મંદિર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy