SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખ પર દૃષ્ટિપાત ૪૫ શિલાલેખમાં ઉલ્લિખિત સ્થળોમાંના તમામમાં “મંત્રીન્દ્રય દ્વારા વિવિધ સ્થળે થયેલાં બાંધકામની સંક્ષિપ્ત સ્મૃતિ જાળવી રહ્યો છે” તેમ સાવ સાંગોપાંગ કહી શકાય તેવું નથી. આગળ ચાલતાં શ્રી અત્રિએ એક બીજું વિશદ પરંતુ ચર્ચાકર્ષક અવલોકન કર્યું છે તે જોઈએ : “ “વસ્તુપાલવિહારની વાત પૂરી થયા પછી ચોથી પંક્તિમાં મુકાયેલાં બે પૂર્ણવિરામો પણ એ વાતનાં દ્યોતક છે કે તેમના પછીના વિધાનને તેમની પૂર્વની વિગત જોડે સંબંધ નથી (તેથી જ કદાચ, પછી ક્યાંય વિરામચિહ્ન વપરાયું નથી). વિવિધ બાંધકામનો પ્રસ્તુત લેખમાં થયેલો ઉલ્લેખ નીચે મુજબ છે : (૧) ઉજ્જયંત મહાતીર્થ વસ્તુપાલવિહાર, (૨) શત્રુંજયે આદિનાથ, (૩) સત્યપુરે મહાવીર, (૪) અર્બુદાચલે નેમિનાથ, (૫) જાબાલિપુર પાર્શ્વનાથ, અને (૬) વિજાપુર નેમિનાથ. આ યાદીમાં “સ્તંભનકપુર અને કાશ્મીરનો ઉલ્લેખ નથી તથા ઈ. સ. ૧૨૩૨ના તુલ્યકાલીન છયે લેખોમાં “અબુદાચલાવતાર', “જાબાલિપુરાવતાર' અને વિજાપુરાવતાર'નો ઉલ્લેખ નથી એ નોંધનીય છે. (“ગિરનારના", પૃ. ૨૦૭-૨૦૮.)” અહીં ફરી વાર એ વાત યાદ દેવડાવીએ કે આ લેખ વસ્તુપાલ-તેજપાલનો નહીં, વરદુડિયા કુટુંબનો છે. વસ્તુપાલે તીર્થનાયક નેમિનાથના મુખ્ય ચૈત્યના પૃષ્ઠભાગે કરાવેલ કાશ્મીરાવતાર દેવી સરસ્વતીની કુલિકામાં કે ત્યાં મંત્રીશ્વરે કરાવેલ સ્તંભનકપુર પાર્શ્વનાથના મંદિરમાં વરહુડિ પરિવારે કાંઈ જ કરાવ્યું નહીં હોય એટલે પ્રસ્તુત લેખમાં સ્વાભાવિક રીતે જ તેનો ઉલ્લેખ નથી આવતો. બીજી બાજુ “વસ્તુપાલવિહારમાં લગાવેલ મંત્રીશ વસ્તુપાલના લેખોમાં “અર્બુદાચલાવતાર,” “જાબાલિપુરાવતાર' અને “વિજાપુરાવતાર'ના ઉલ્લેખ નથી આવતા એનાં બે કારણો છે : (૧) વસ્તુપાલે આ ત્રણ સ્થળોનાં જિનભવનોનાં અવતારસ્વરૂપ મંદિરો ગિરનાર પર કે અન્યત્ર બંધાવ્યાં નહોતાં, એટલે સ્વાભાવિક રીતે જ એની નોંધ લેવાઈ નહીં; (૨) ગિરનાર તો શું પણ બીજા કોઈ પણ સ્થળે અન્ય કોઈએ પણ અર્બુદ, જાબાલિપુર, કે વિજાપુરના અવતારનાં મંદિરો બંધાયાં હોવાનું જાણમાં નથી. અહીં એ જોવું જોઈએ કે અવતારરૂપ દેવાલયો કોનાં બાંધવામાં આવતાં અને એ પ્રથા ક્યારથી પ્રચારમાં આવી. જેમ બ્રાહ્મણધર્મમાં તેમ જૈનદર્શનમાં બધાં જ દેવસ્થાનો “તીર્થરૂપ,” “સિદ્ધક્ષેત્ર,” કે “મહિમામય” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy