SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણરાય” ૧૨૩ આ માહિતી વિશદ અને વિસ્તૃત હોઈ મહત્ત્વની છે. મોટે ભાગે તો ઈસ્વીસના પંદરમા શતકના અંતિમ ચરણમાં રચાયેલી, ખરતરગચ્છીય ભાવહર્ષગણિના શિષ્ય રંગસારની ગિરનાર ગિરિ ચેત્યપરિપાટીમાં ૮, હેમહંસગણિવાળી પરિપાટીમાં કહેલી મુખ્ય મુખ્ય વાતોની પુષ્ટિ જોવા મળે છે : યથા : ધનધન સોનીવંશ પ્રભાવક, સમરસંઘ માલદે સુશ્રાવક જિણ કરી ઉદ્ધાર. ૧૪ તિણ ભૂમિપતિ જિણહર બારઈ કાઉસગ રહીયા નેમકુમાર પઢમ ભૂમિ પેખવિ સંવત ચઉદ ચઉરાણ (૧૪૯૪) વચ્છર, ઊધરિયા જિણભવણ મનોહર ભૂધર જેમ ઉZગ. ૧૫ આ વિશેષ પ્રમાણોના અન્વયો પરથી ‘કલ્યાણત્રય' વિશે અધિક નિષ્કર્ષ એ નીકળે છે કે, તે ચૈત્યની અંદર, ગર્ભગૃહમાં કોઈ ત્રણ મજલાવાળી ચૌમુખ રચના હતી, જેમાં ત્રણે માળની મળી મૂળનાયક નેમિનાથ ભગવાનની કુલ બાર મૂર્તિ હતી; અને વિશેષમાં નીચલે માળે રહેતી ચારે મૂર્તિ(ઓ), પાછળ ઉદ્ધત કરી તે ચૈત્યપરિપાટીમાં પણ કહ્યું છે તેમ, કાયોત્સર્ગરૂપે હતી; (ઉપરના બે માળમાં સ્થિત પ્રતિમાઓ પદ્માસનમાં હોવાનું વિવક્ષિત છે); અને આ ત્રણે માળની પ્રતિમાઓ નેમિનાથના ગિરનાર સંદર્ભિત ત્રણ કલ્યાણકોના પ્રતીકરૂપે હતી. સમરસિહ-માલદેવે ઉદ્ધરાવેલ “કલ્યાણત્રય-ચૈત્ય' ગિરનાર પર આજે પણ ઊભું છે; પણ તેનું મૂળ નામ વીસરાઈ જઈ, તે “સગરામ સોની (સંગ્રામસિંહ સોની)ના મંદિરના નામે ખોટી રીતે ચડી ગયું છે. અલબત્ત પ્રસ્તુત મંદિરના સંગઠનમાં તેજપાળે કરાવેલ મૂળ જિનભવનને તો કોઈ જ ભાગ રહ્યો હોય તેમ દેખાતું નથી. વિશેષમાં મંદિરનું શિખર પણ ૧૫મી સદીનું હોવાને બદલે ૧૯મા સૈકાનું (આ ઈ. સ૧૮૦૩નું) આધુનિક અને કઢંગું છે; અન્યથા તેમાં ૧૫મી શતાબ્દીના મળતા વર્ણન પ્રમાણે અનુક્રમે “મેઘનાદ” અને “મેઘમંડપ છે. અંદર જતાં જોઈએ તો ગર્ભગૃહની કોરણીવાળી ૧૫મા શતકની દ્વારશાખાને ખંભશાખામાં ઉચ્ચાલકો લઈ અસાધારણ ઊંચેરી બનાવી છે; ગર્ભાગારમાં વાસ્તવિક પીઠિકા નથી, પણ ભીંત સમાણી પાતળી પીઠ કરી, તેના પર નાની નાની, ૧૯મી સદીમાં પ્રતિષ્ઠાપેલ આધુનિક જિનમૂર્તિઓ છે. અંદરના ભાગમાં વચ્ચે છત વગરના માળ-મજલા કરીને, માળોના અંકન ભાગે પણ પાતળી પીઠ કરી, પ્રતિમાઓ બેસાડેલી છે : પણ દ્વારશાખાનાં ઊંચેરાં માન-પ્રમાણ જોતાં તેની અંદર કોઈ એવી રચના હોવી જોઈએ, જે એની પૂરી ઊંચાઈ સાથે કારમાંથી જ પેખી શકાય. આવી સંરચના તળભાગે પણ ઠીક મોટી હશે, અને તેની અંદર પ્રદક્ષિણા દેવા જેટલો અવકાશ રહેલો હશે; અને એ કારણસર તે ગર્ભગૃહની મધ્યમાં ખડી કરેલી હોવી જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy