SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” ૧૨૧ ‘કલ્યાણત્રય', “કલ્યાણકત્રય', વા “કલ્યાણત્રિતય' સંજ્ઞક નેમિનાથનો અમરચિત ઉત્તેગ પ્રાસાદ કરાવેલો, જેમાં રેવતતીર્થના અધિનાયક નેમિજિનની “ત્રણ રૂપે” એટલે કે ત્રણ ભૂમિમાં (એવં પ્રત્યેક ભૂમિએ) ચતુર્મુખ રૂપે પ્રતિષ્ઠા કરાવેલી. આ ઉપરથી પ્રથમ દૃષ્ટિએ એટલું તો સમજી શકાય તેમ છે કે, “કલ્યાણત્રય' એ જિન નેમિનાથનાં ત્રણ કલ્યાણકોને મૂર્ણ ભાવે રજૂ કરતી કોઈક પ્રતીક-રચના હશે, અને તેમાં કલ્યાણની “ત્રણ” સંખ્યા બરોબર જિનનાં ત્રણ રૂપો બેસાડ્યાં હશે. (આ “ત્રણ રૂપો'થી શું વિવક્ષિત છે તેની વિશેષ સ્પષ્ટતા અહીં આગળ ઉપર થશે.) તેજપાળ મંત્રી કારિત આ “કલ્યાણત્રય' પ્રાસાદનો સં. ૧૪૯૪ | ઈ. સ. ૧૪૩૮માં ઓસવાલ સોની સમરસિંહ અને વ્યવહારી માલદેવે આમૂલચૂલ ઉદ્ધાર કરાવેલો. પ્રસ્તુત પુનરુદ્ધાર બાદ, ૧૫મા શતકમાં લખાયેલી ઓછામાં ઓછી આઠેક જેટલી ગિરનારતીર્થલક્ષી ચૈત્યપરિપાટીઓમાં “કલ્યાણત્રય'નાં જે વર્ણન-વિવરણ મળે છે, તે સાંપ્રત સંદર્ભમાં પ્રસ્તુત સંરચનાના સ્વરૂપને સ્પષ્ટાયમાન કરવામાં ઉપકારક હોઈ, અહીં હવે તે એક પછી એક જોઈશું. તેમાં સૌ પ્રથમ લઈશું એક અનામી કર્તાની ૧૫મા શતકમાં રચાયેલી “શ્રી ગિરનાર શ્રી શત્રુંજય ચૈત્યપરિપાટી. તેમાં આવતો ઉલ્લેખ સંક્ષિપ્ત છે; તે, “કલ્યાણત્રય” રચના નેમિજિનનાં “દીક્ષા', “જ્ઞાન”, અને નિર્વાણ કલ્યાણકોના પ્રતીકરૂપે હોવાના તર્કને, સમર્થન આપે છે : યથા : કલ્યાણતય નેમિજિણ દિખત્રાણ નિવ્વાણ ૧દો. આ પછી ૧૬મા શતકના પ્રારંભની એક અનામી કર્તાની અદ્યાવધિ અપ્રકટ ગિરનાર ચૈત્ય પ્રવાડી વિનતિમાં પણ ‘કલ્યાણત્રયમાં ‘ત્રણ રૂપે નેમિ' બિરાજમાન હોવાનો નિર્દેશ કર્યો છે : કલ્યાણતુ નિરખીઈ હરખીય ચિત્ત અપાર ત્રિહરૂપે નેમિ પૂજઈ સફલ હૂઈ સંસારિ, ૨૫ પંદરમા શતકના ત્રીજા ચરણમાં મૂકી શકાય તેવી અન્ય અજ્ઞાત કર્રક ગિરનારચૈિત્યપરિપાટીઝમાં “કલ્યાણત્રયનો સમરસિંહે ઉદ્ધાર કરાવ્યાનું, અને ત્યાં નેમિકુમાર ત્રણરૂપે' બિરાજતા હોવાનું, તેમ જ મંદિરને “સધર' (એટલે કે થાંભલાવાળો) “મેઘનાદ મંડપ હોવાનું કહ્યું છે : યથા : કલ્યાણરાય પેખીઈ એ સમરસિંહ કીધુ ઉધાર; ત્રિહરૂપે જઈ નેમિકુમાર મેઘનાદમંડપ સધર. ૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy