SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજજયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે હાલ સંગ્રામ સોનીના કહેવાતા મંદિરના મંડપમાં મુકાયેલ (પણ મૂળે નેમિનાથની ભમતીમાં હશે તે) નંદીશ્વરદ્વીપના પટ્ટ (ચિત્ર ‘૩') પરના લેખની વાચના તો ઠીક છે પણ એનો અર્થ કોઈ જ સમજયું હોય એમ લાગતું નથી ! મૂળ લેખ દત્તાત્રેય બાલકૃષ્ણ ડિસ્કnકરે સંપાદિત કરેલો", ને તે પછી (સ્વ) આચાર્યના સંકલનમાં તે સ્થાન પામ્યો. શ્રી અત્રિએ પણ તેનો ઉલ્લેખ કર્યો છે. લેખ પટ્ટના ઉપરના ભાગમાં બે ખૂણામાં કોતરાયેલ છે. ડાબી બાજુનો ખૂણો ખંડિત થતાં ચારેક પંક્તિઓના પ્રારંભના અક્ષરો નષ્ટ થયા છે. છતાં એકંદરે લેખની મુખ્ય વાતો સમજવામાં કઠણાઈ નડતી નથી. કારણ વિનાની કઠણાઈ તો લેખનો અર્થ ખોટી રીતે ઘટાવવાને કારણે ઊભી થઈ છે; એટલું જ નહીં, લેખ પર વિશ્વાસ ન રાખી શકાય તેવો પણ અભિપ્રાય વ્યક્ત થયો છે, જેનું નિરસન અહીં આગળની ચર્ચામાં થશે. લેખ આ પ્રમાણે છે : [સ્વતિ: સંવત] []૧ર૬ વર્ષે વેણ સુર ૨૨ શુકે | વિપૂ[i] [શ્રીમા ]વ: શ્રીમાતાન્વય વર્ષ ! મુદ્રાં[૨]+++ગતે ચંદ્રમા રૂર્વ III कुमारपालदेवस्य चौलुक्यान्वयभास्वतः । प्रताप इव धौरे(ये ?य) सच्चक्रावहनोद्यमः ॥२॥ स दंडनायकोत्तंसस्तत्पुत्रोऽभयदा (ह्वः) । fનનpળીતસદ્ધર્મ (+૫૬(2)૨)નશવિર: રૂા. जनाशाभूतराजीनां वसंतस्तत्सुतोऽजनि । ख्यातो वसंतपाला[ख्यो] राजलक्ष्मी विभूषितः ॥४॥ नंदीश्वर वरद्वीप जैन बिंबान्यलंकरत् । जनकश्रेयसे सोयं जगद्देव प्रबोधतः ॥५॥ श्रीचंद्रसूरिसच्छिष्य श्रीजिनेश्वरसद्गुरोः । देवेंद्रसूरिभिः शिष्यैः द्वीप एषदे प्रतिष्ठितः ॥६॥ द्वीपोयं नंदतां तावदुज्जयंताहवे गिरौ । जगत्यामुदितौ यावत्सूर्यचंद्रमसाविमौ ॥७।। લેખોરંભે પટ્ટસ્થાપનાની મિતિ (સં.) ૧૨૫૬ ( ઈ. સ. ૧૨00) જેઠ સુદી ૧૩ને શુક્રવારની આપી છે. પછી ૭ શ્લોકમાં કારાપકની વંશાવલી તથા પ્રતિષ્ઠાપક આચાર્યની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy