SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ગુર્નાવલી આપી છે : યથા : “શ્રીમલિ અન્વયમાં (શ્રીમાળી જ્ઞાતિમાં) (સરોવરને વિશે ?) પ્રકાશમાને ચંદ્રમા સમો, અને ચૌલુક્ય વંશના આદિત્ય સમાન “કુમારપાળદેવ'ના (શાસક)ચક્રને ધારણ કરી વહન કરવામાં તત્પર એવો ‘(આમ્ર)દેવ' નામનો દંડનાયક થયો. તેને જિન પ્રણીત સદ્ધર્મ રૂપી ચંદ્ર સમાન “અભયદ નામક પુત્ર થયો. તેને રાજલક્ષ્મીથી વિભૂષિત (જનાશાભૂતરાજીનાં ?) વસંત સમો ‘વસંતપાલ” નામનો પુત્ર થયો. તેણે જગદેવ'ના અનુરોધથી પિતા(અભયદ)ના શ્રેય માટે (બાવન) જિનબિંબ યુક્ત મોટો નંદીશ્વર દ્વીપ(નો પટ્ટ)' કરાવ્યો. “શ્રીચંદ્રસૂરિના શિષ્ય “જિનેશ્વર(સૂરિ)' જેના સદ્ગુરુ છે તે દેવેન્દ્રસૂરિએ આ આનંદકારી વા માંગલિક (નંદીશ્વર)દીપ(પટ્ટ)ની પ્રતિષ્ઠા “ઉજ્જયંત નામના પર્વત પર કરી, જે સૂર્ય-ચંદ્ર પ્રકાશે ત્યાં સુધી જગતને ઉદિત કરતો રહે.” પટ્ટનો કારાપક કુમારપાલના કોઈ દેવાંત નામક શ્રીમાલકુલના દંડનાયકનો પૌત્ર વસંતપાલ છે. કુમારપાલના જૈન દંડનાયકોમાં દેવાંત નામધારી બે શ્રીમાળી દંડનાયકો હતા : એક તો ઉદયન મંત્રીનો પુત્ર આદ્મભટ કિંવા આમ્રદેવ, જેણે ભૃગુકચ્છમાં સુવિદ્યુત મુનિસુવ્રત જિનના મંદિરનો પુનરુદ્ધાર કરી નવું બંધાવ્યું; બીજો તે મહત્તમ રાણિગ સુત આંબાક, જેણે કુમારપાળની આજ્ઞાથી ગિરનાર પર ચડવાની પાજા કરાવી. આ આંબાક ઉર્ફે આમ્રદેવનો, અને તેના દ્વારા કરાવેલ “પઘા”નો, ઉલ્લેખ સિદ્ધરાજ તેમ જ કુમારપાળની સભાના મહાકવિ શ્રીપાલના પુત્ર કવિવર સિદ્ધપાલે રચેલી કોઈ પ્રશસ્તિમાંથી સોમપ્રભાચાર્યના જિન ધર્મપ્રતિબોધ (સં. ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫)માં તેમના ગિરનાર પાજા-સંબંધીના વિવરણમાં ટાંક્યા છે. સોમપ્રભાચાર્યના કથન અનુસાર કુમારપાળે રાણિગપુત્ર(આમ્ર)ને “સુરાષ્ટ્રાધિપતિ' (સોરઠનો દંડનાયક) બનાવી પ્રસ્તુત કાર્યાર્થે મોકલ્યો. વિજયસેનસૂરિના રેવંતગિરિરાસમાં પણ કુમારપાળે આંબાકને સોરઠનો દંડનાયક બનાવીને મોકલેલો એને તેણે ત્યાં પાજા કરાવી એવું કથન છે. પછીના લેખક તપાગચ્છીય જિનમંડનના કુમારપાલચરિત્ર(સં. ૧૪૯૨ | ઈ. સ. ૧૪૩૬)માં પણ એ જ પ્રમાણે નોંધાયેલ છે, અને સ્વયં આંબાકના પણ સં. ૧૨૨૨ અને સં. ૧૨૨૩(ઈ. સ. ૧૧૬૬-૬૭)ના તત્સંબદ્ધ લઘુ અભિલેખો ગિરનાર પર જ છે. અમને તો લાગે છે કે ગિરનાર તીર્થમાં નંદીશ્વરદ્વીપ-પટ્ટ કરાવનાર વસંતપાલનો પિતામહ “દંડનાયક–દેવ” અન્ય કોઈ નહીં પણ રાણિગ સુત મહંતો આંબાક અપરનામ દંડનાયક આમ્રદેવ જ હોવો ઘટે. ગિરનાર સાથે સંબંધ એને હતો, લાટના દંડનાયક અને ઉદયન મંત્રીના પુત્ર આપ્રદેવને નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy