SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ 90 સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર તે નીચે મુજબ હોઈ શકે ? રાજગચ્છ શ્રી ચંદ્રસૂરિ પધદેવ જિનદત્ત જિનેશ્વરસૂરિ પૂર્ણભદ્રસૂરિ દેવેન્દ્રસૂરિ (સં. ૧૨૫૬ | ઈસ. ૧૨૦૦, નંદીશ્વરદ્વીપપટ્ટ) ચંદ્રપ્રભસૂરિ પ્રભાચંદ્રાચાર્ય (સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮). નંદીશ્વરપટ્ટના કારાપકના મંત્રી વંશ તેમ જ પ્રતિષ્ઠાપક આચાર્યના ગચ્છ સંબંધી નિર્ણય થઈ જતાં લેખ સંબંધ મુખ્ય ગવેષણા તો પૂરી થાય છે : પણ પૂર્વના લેખકોના આ અભિલેખ પરનાં મંતવ્યો વિશે અહીં જોઈ જવું જરૂરી છે. (સ્વ) ગિરજાશંકર આચાર્યનું કથન (કંઈક અંશે ડિસકળકરના અંગ્રેજીનો તરજૂમો યથાર્થ રૂપેણ ન કરવાને કારણે) અનેક દૃષ્ટિએ કઢંગું બન્યું છે : જેમકે પ્રસિદ્ધ ગિરનારની ટેકરી ઉપર સંગ્રામ સોનીના મંદિરથી વાયવ્યમાં નંદીશ્વરની મૂર્તિના ગોખલાની બન્ને બાજુએ આ લેખ કોતરેલ છે.”૨૪ ગિરનારને “ટેકરી” ભાગ્યે જ કહી શકાય; અને ત્યાં “નદીશ્વરની મૂર્તિ” (શિવના નંદીનું પુરુષાકાર સ્વરૂપ) નહીં પણ “નંદીશ્વરદ્વીપ”નો પટ્ટ અભિપ્રેત છે ! અને લેખ ગોખલાની બન્ને બાજુએ નહીં પણ પટ્ટના ઉપરના બન્ને ખૂણે કંડારેલો છે. અને પટ્ટ ગૂઢમંડપમાં છે ! ડિસકળકરે કે આચાર્યે લેખની અંદરની વસ્તુનું યંત્રવત આલેખન કરવા સિવાય કોઈ જ વિચારણા ચલાવી નથી. બીજી બાજુ શ્રી અત્રિનું કહેવું છે કે “It refers to Kumarapala in 1200 A. D. when Bhimadeva II was ruling over Gujarat. Shri G. V. Acharya has correctly drawn the attention of readers to this inconsistency. This inscription too cannot be relied upon.”૨૭ આમાં ધ્યાનમાં રાખવા જેવું પહેલું તથ્ય એ છે કે લેખની મિતિ ૧૨૦૦ છે તેની ના નહીં, પણ લેખમાં કુમારપાલનું નામ આપ્યું છે તે પટ્ટકારાપક વસંતપાલના પિતામહ દંડનાયક (આમ્ર)દેવના સંદર્ભમાં છે, લેખના સમયના સંદર્ભમાં, કે કારાપક વસંતપાલના સંદર્ભમાં નહીં. બીજી વાત એ છે કે અત્રિ કહે છે તેવી તો કોઈ “અપ્રસ્તુતતા'' તરફ આચાર્ય નિર્દેશ નથી કર્યો. એમણે તો એટલું જ કહ્યું છે કે “લેખ વિ. સં. ૧૨૫૬નો એટલે ભીમ રાજાના સમયનો છે પણ તેનું નામ લેખમાં આપ્યું નથી.”૨૮ એવા તો ભારતમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy