________________
અર્થ પામીને કૃતાર્થ થઈ જશો. તે અર્થબોધના આનંદની પાસે તુચ્છ લાગશે સંસારના ભોગવિલાસ, ફિક્કા લાગશે ષટ્રસ ઝરતાં મધ-મીઠાં ભોજનો, ક્લેશરૂપ ભાસશે, નાચગાન ! અને તે ભાવોને લૂંટવાથી તૃપ્તિની એવી મસ્તી આવશે, શાસનપ્રાપ્તિનો ગૌરવોન્નત આનંદ અને પ્રવચનપ્રીતિની એવી ખુમારી પ્રગટશે કે તમે પણ ગાવા માંડશો કેતવ્ય બન્મત્ત તો મવમવ: પ્રાણાતિશાત્મન (જન્મનું ફળ મળી ગયું, ભવનો ભવ ચાલ્યો ગયો એમ આત્મરતિ પ્રાપ્ત થઈ ગઈ !) વીતરાગપ્રણીત આગમો આવાં સૂક્ષ્મ રહસ્યોના દરિયા સમાન છે. તે આ રીતે સર્વાગશુદ્ધ અને સંપૂર્ણ છે અને સર્વોપરિ તત્ત્વની ખાણ છેતેનો ખ્યાલ પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથોથી જ પામી શકાય.
O
:
"]
~ RF
શ્રુતજલધિ પ્રવેશે નાવા