Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ છે. તો પરમાત્મા, બાહ્યાત્મા અને અંતરાત્માના પણ મુદાસરના શબ્દોમાં લક્ષણો અને શ્રી આનંદઘનજી મ.ના શ્રી સુમતિનાથ ભગવાનના સ્તવનમાં જે લક્ષણો આવે છે તેની સાથે આ લક્ષણોની તુલના કરવા જેવી છે. સ્વ-અનુભવને મિતભાષામાં ગાયો છે અને છેલ્લે સાધકોને હિતશિક્ષાનાં વત્સલ વચનો કહ્યાં છે. તે (૩૮થી ૪૫) અષ્ટક ખાસ કંઠે કરવા લાયક છે. અહીં મૂળ સાથે તેના અનુવાદ સ્વરૂપ પદ્યો આપ્યા છે. निन्द्यो न कोऽपि लोके, पापिष्ठेष्वपि भवस्थितिश्चिन्त्या । पूज्या गुणगरिमाढ्या, धार्यो रागो गुणलवेऽपि ॥ १॥ (પ્રાભાતિક રાગ) નિંદ્ય ના આતમા કોઈ આ જગવિષે, ભવસ્થિતિ ભાવવી પાપીને પણ વિષે; જે ગુણવત્ત તેને સદા પૂજવા, રાગ ધરવો ભલે હોય ગુણ જૂજવા. ૧ निश्चित्यागमत्त्वं, तस्मादुत्सृज्य लोकसंज्ञां च । श्रद्धाविवेकसारं, यतितव्यं योगिना नित्यम् ॥ २ ॥ આગમ તત્ત્વનો નિશ્ચય વળી કરી, લોકસંજ્ઞા તથા દૂરથી પરિહરી; સાર શ્રદ્ધા વિવેકાદિ છે જેહમાં, યોગીએ યત્ન કરવો સદા તેહમાં. ૨ ग्राह्यं हितमपि बाला-दालापैर्दुर्जनस्य न द्वेष्यम् । त्यक्तव्या च पराशा, पाशा इव सङ्गमा ज्ञेयाः ॥ ३ ॥ ગ્રહણ કરવા વચન હિતકર બાલથી, દ્વેષ ધરવો નહિ ખલ તણાં વાક્યથી; શ્રુતજલધિ પ્રવેશે નાવા

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106