Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 100
________________ આ સમાપત્તિ પણ ચાર પ્રકારે છે : શબ્દ, અર્થ અને જ્ઞાન, અને એકમાં ત્રણે ભેગા સંકીર્ણ. જેમ કે ગાય એ શબ્દ છે. તેનો અર્થ અને તેનું જ્ઞાન. અહીં સમાપત્તિની વિચારણામાં બાહ્યા મા, અન્તરાત્મા અને પરમાત્માની બહુ સુંદર વ્યાખ્યા આપવામાં આવી છે. યોગશાસ્ત્ર (હૈમ) માં તથા આનંદઘનજી મહારાજે પણ સુમતિનાથ ભગવાનના સ્તવનમાં વ્યાખ્યા આપી છે. અધ્યાત્મસારમાં પ્રબંધ ૭, અર્વિ. ૨૦ શ્લો. આ વ્યાખ્યા આપી છે : કાયાદિ તે બહિરાત્મા મન-વચન કાયામાં બળ પૂરું પાડનાર તે અંતરાત્મા, સંપૂર્ણ ઉપાધિથી રહિત તે પરમાત્મા કહેવાય છે. | ઋતુંભરા પ્રજ્ઞામાંથી અસંપ્રજ્ઞાત સમાધિ જન્મે. આ સમાપત્તિના જ નિરૂપણમાં કહે છે કે, સ્વગુણ પર્યાય વડે જે આત્માને જાણે છે, તે અહંને જાણે છે. આ વાતની પુષ્ટિ અર્થે દિગંબર મહર્ષિએ કહેલું કથન ટાંકે છે. ટીકામાં ખુલાસો કરે છે કે આ ગાથા દિગંબરની છે, માટે તે ન લેવી અથવા કહેવી એ વાત બરાબર નથી, સત્યાર્થ કથનરૂપ ગુણને કારણે પૂજ્યપાદ હરિભદ્રસૂરિજીએ પણ વ્યાસા મહર્ષિ કહ્યા છે. ૧૯૫ અસંપ્રજ્ઞાત સમાધિ એટલે વૃત્તિસંક્ષય. પરિભાષામાં આને આપણે સંયોગી કેવળી અયોગી કેવળી આ અવસ્થા રૂપે ઓળખી શકીએ. મનો વિકલ્પરૂપ વૃત્તિનો સંક્ષય થાય, એટલે અયોગ કેવળીની અવસ્થા આવે. જિનેશ્વરે કહેલા યોગમાં માત્ર દૃષ્ટિભેદ પ્રવર્તે છે. ક્ષયોપશમની વિચિત્રતાના કારણે વિભિન્ન દેખાય છે. સત્ શ્રદ્ધાથી, શાસ્ત્રબાહ્ય અભિપ્રાયવિકલ પણ જે સત્તર્ક જેમાં છે તે શ્રદ્ધા વડે જે બોધ તે દૃષ્ટિ કહેવાય છે અને ઉત્તરોત્તર પ્રાપ્તિ દ્વારા સત્યવૃત્તિને તે ઉત્પન્ન કરે છે અને દૃષ્ટિ આઠ પ્રકારે છે. તેનો સમજવા માટે નીચે આ કોષ્ટક ઉપકારક અને ઉપયોગી થાય તેમ છે. બઝીણી ર૦-૧

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106