Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 105
________________ બની રહે અને તેની ઉપાદેયતા વધી જાય તેવું તેઓ લીલયા કરી દેતા. આ બાબતે એક બે દૃષ્ટાન્ત જોઈએ. વાત ષોડશકની છે - શ્રી હરિભદ્રસૂરિ મહારાજની વાતમાં ઉમેરો કરવામાં કેટલી દૃષ્ટિ, દઢતા, સ્પષ્ટતા જોઈએ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે નિશ્ચયનયથી એક પ્રતિપાદન કર્યું છે તેમાં ઉપાધ્યાયજી મહારાજે વ્યવહારનયની વાત મૂકી દીધી અને તે પણ પોતાની નહીં વ્યવહારભાષ્યની ગાથા મૂકીને! આ તેમની કોઈ નયે ન અધૂરી એવી પ્રતિભાનું જ પરિણામ છે. મૂળ ગાથા અને વૃત્તિ આ પ્રમાણે છે. बिम्बं महत् सुरूपं, कनकादिमयं च यः खलु विशेषः । नास्मात् फलं विशेषं विशिष्टं भवति तदिहाशय विशेषम् ॥ षोडशक- ७/१२ ૩. યશ વિ. વિતવૃત્ત - भावविशेषाधायक तया च बाह्यविशेषोऽपि आद्रियते एव तदुक्तं व्यवहारभाष्ये - लक्खणजुत्तापडिमा, पासाईया समत्तलंकारा । पल्हायइ जह व मणं, तह णिज्जरा मो वियाणाहि ॥२६३५॥ શ્રી હરિભદ્રાચાર્ય મહારાજે એક નયથી પ્રરૂપણા કરી તો તેને બેલેન્સ કરવા માટે તુર્ત તેમાં ખૂટતી કડી ઉમેરી આપી. તે પણ એવા – ગ્રન્થની સાક્ષી આપીને કે જે સર્વને માન્ય હોય. ઉપાધ્યાયજી મહારાજના લેખનક્ષેત્રમાં બે વસ્તુ જોવા મળે છે. પોતાના નિરૂપણમાં શકય પૂર્ણતઃ એટલે કે સાંગોપાંગ નિરૂપણ અને પરગ્રન્થોમાં ખૂટતું તત્ત્વ જોડી દઈને તેને પણ પૂર્ણ બનાવવાની કળા તેઓએ સ્યાક્ષાદદર્શનના તલસ્પર્શી અધ્યયનના પરિપાકરૂપે પ્રાપ્ત કરી છે. આ દ્રવ્યગણ પર્યાય રાસ ગ્રન્થમાં ઠામઠામ તમને જે જ પૂર્ણતાને સિદ્ધ કરવા મથતી કલમના દર્શન થશે. ગુજરાતી ભાષામાં એક ઠોસ વિષયનું આ રૂપે નિરૂપણ એ એક પડકાર છે અને તેમાં તેઓશ્રી વિજયશ્રીને વર્યા છે તેવું નિશંક કહી શકાય તેમ છે. વળી તેમની વાણી વરદાયિની છે જે તેની ઉપાસના કરે છે તેની વાણી પણ સર્વત્ર અસ્મલિત ગામિની બને છે. વાચક/પાઠક/અધ્યાપક સર્વને એ પ્રસાદ સંપ્રાપ્ત થાઓ. દેવકીનંદન, શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ અમદાવાદ. શિષ્ય ધૂળેટી, ૨૦૬૧ પ્રદ્યુમ્નસૂરિ શ્રુતજલધિ પ્રવેશે નાવા

Loading...

Page Navigation
1 ... 103 104 105 106