________________
વ્યક્ત થતું ન હતું, તે હવે પ્રકટ થયું. એ શરૂઆત થઈ. રોગનું ભાન પણ સારી વસ્તુ છે, કારણ કે રોગ જણાશે, તો રોગશમનનો ઉપાય કરી શકાશે. આ ભૂમિકાએ જે યમ છે તે સદ્યોગનું મૂલ છે. રુચિની વૃદ્ધિનું કારણ છે. આત્માના શુભ ભાવો શુકલ પક્ષના ચન્દ્રની જેમ ઉત્તરોત્તર વૃદ્ધિને પામે છે. આ ભૂમિકાના ઉત્કર્ષમાં યોગ મુખ્ય કારણ છે, ઔષધિમાં અમૃત મુખ્ય છે, વૃક્ષોમાં કલ્પવૃક્ષ મુખ્ય છે, તેમ ગુણમાં યોગ મુખ્ય છે. યોગબીજ વિના યોગને પામવાની ઇચ્છા તે નાવ વિના દરિયો તરવા જેવી સ્પૃહા છે. આ મિત્રા દૃષ્ટિમાં રહેલા જીવો આગળના ગુણસ્થાનકને પામીને પરમાનંદને પ્રાપ્ત કરે છે. આના પછી તારા વગેરે દષ્ટિનું નિરૂપણ કરનારી બાવીસમી બત્રીશી હવે જોઈશું.
[૪]
»
બ્રુતજલધિ પ્રવેશે નાવા