________________
|| નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂરયે વાચકજસનો પ્રસાદ સંપ્રાપ્ત થાઓ
(દ્રવ્યગુણ પર્યાયના રાસ વિષેના બે શબ્દો) વિદ્યાનુરાગી વ્યક્તિઓ માટે આ સાચે જ શુભ સમાચાર છે કે દ્રવ્ય ગુણ પર્યાયના રાસનું વિવરણ પ્રકાશિત થઈ રહ્યું છે.
પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજય ધર્મધુરન્ધરસૂરીશ્વરજી મહારાજનું વિવરણ પ્રકાશિત થયા પછી કેટલાં બધાં વર્ષે આ ગ્રન્થ ઉપર ફરીથી કામ થયું.
આશા તો છે જ હવે જે નાની વયના જિજ્ઞાસુ પૂજ્ય સાધુસાધ્વીજી મહારાજને અભ્યાસ માટેની દિશા દર્શાવી હતી ત્યાં આ પ્રભુવાણીનો અમૃત કુંભળ મળે છે તેથી તેને અનેકાનેક સાધુ-સાધ્વીજી મહારાજ જરૂર અધ્યયનનો વિષય બનાવશે.
ઉપાધ્યાયજી મહારાજના ગુરુ મહારાજ પંડિત શ્રી નવિજયજી મહારાજે જ્યારે વિ.સં. ૧૭૧૧ની સાલમાં સિદ્ધપુર (ઉ.ગુજ.) માં આ ગ્રન્થ રચ્યો અને તેનો પ્રથમ િ (સૌથી પહેલી સ્વચ્છ નકલ) લખ્યો ત્યારે તેઓએ આ ગ્રન્થ માટે બે લીટી લખી છે તે આપણા માટે પથદર્શક બની રહે છે.
"सकल विबुधजन चेतश्चमत्कार कारकोऽयं रासः ॥ સન સાધુનૈષ્ણનીય "
અર્થ : “તમામ પંડિત પરુષોના ચિત્તને આશ્ચર્યચકિત કરી દે તેવો આ ગ્રન્થ છે અને તેથી જ બધાં જ સાધુઓએ આનો અભ્યાસ કરવો જોઈએ.”
સૌથી મોટો ઉપકાર તો એ કર્યો કે મૂળ રાસની રચના કરી લીધા પછી તેના ઉપર તે અર્થના સ્પષ્ટીકરણ માટે તેઓ જ જાતે તેના ઉપર ટબો-બાલાવબોધ રચીને ઉપકારનો મેરુ રચી દીધો.
ટબો એ મળગ્રન્થ જ છે. તેઓએ જે બાબત સિદ્ધહસ્ત કરી છે તેની ચાવી તે પ્રક્રિયામાં આમાં આપી દીધી છે. તેઓમાં એક અભુત અનન્ય સિદ્ધિના દર્શન થાય છે તે નય-વિવાર - આ ખૂબી છે. કોઈપણ વાક્ય તેમની પાસે આવે એટલે આ વાક્ય કયા નયનું છે તે તેઓને અસંદિગ્ધપણે સમજાઈ જાય. તેને ઉપાદેય બનાવવા માટે તેમાં શું ઉમેરવું જરૂરી છે! તે ઉમેરી દેતાં તે વાણી સ્યાદ્વાદીની વાણી બઝીણી રણ